Sunday, February 14, 2010

લાભની કેટલીક અનુભવસિદ્ધ વાતો

> દર ગુરુવારે સવારે પ્રથમ ચોઘડિયામાં અને ગુરુની હોરામાં અર્થાત્ સૂર્યોદયથી પ્રથમ કલાકની અંદર નખ કાપવાથી તે અઠવાડિયામાં લાભ થાય છે.

 > દર ગુરુવારે સૂર્યોદયથી પ્રથમ કલાકમાં કપાળ પર હળદરનો સાધારણ લેપ કરવો. સ્નાન કરતાં સુધી તેને રાખવો આમ કરવાથી અવશ્ય લાભ થાય.

> લગ્ન મોડા થતાં હોય, મંગળ નડતો હોય તો દર મંગળવારે સવારે પીપળાના વૃક્ષ નીચે નાળિયેરની કાચલીમાં સાકર, મધ ભરી દાટી દેવાં. ૨૧ મંગળવાર સુધીમાં વિવાહનું સુખ અગર લગ્ન વિશે સારા સમાચાર મળશે.

> પાણિયારે સવારે ઊભી-આડી દિવેટનો દીવો પ્રગટાવી પિતૃઓનું સ્મરણ કરવું. દિવસ દરમિયાન લાભ થશે.

1 comment: