Friday, March 26, 2010

હનુમાન જયંતી, મંગળવારે આવતી હનુમાન જયંતિ નું મહત્વ વધારે હોય છે.

ચૈત્ર સુદ પૂનમ એટલે હનુમાનનો જન્મ દિવસ. હનુમાન સર્વમાન્ય અને સર્વ પ્રિય દેવ છે.  તે દિવસે તેમની પૂજા, સ્તુતિ, પ્રાર્થના કરી તેમની કૃપા મેળવે છે. હનુમાનજીને આકડીયા (આંકડા)ના ફૂલોનો હાર, તેલ મિશ્રિત સિંદૂર અને ઘૂપ ખૂબ પ્રિય છે. તે દિવસે રૂદ્ર યજ્ઞ પણ થતા હોય છે.

હનુમાન જયંતીના દિવસે પ્રથમ રામ, લક્ષ્મણ અને જાનકીની પૂજા કર્યા બાદ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરી ભૂમિ પર શયન કરવાનું વિશેષ મહત્વ છે. અઘોર ઉપાસનાના સાધકો માટે આ દિવસ સાધના સિદ્ધિ માટે ઉપયોગી છે.

વીર હનુમાન એટલે બળ, બુદ્ધિ, નિષ્ઠા, ઉત્તમ સેવક, શ્રેષ્ઠ સૈનિક, કુશળ સેનાપતિ, મુર્ત્સદ્દી રાજદૂત અને અનન્ય ભક્ત.

શ્રી રામના અનન્ય પ્રિપપાત્ર શ્રી લક્ષ્ણમ, શ્રી ભરત, દેવર્ષિ નારદ અને વીર હનુમાન. હનુમાનજી એક કલાકમાં ૬૫૦ માઈલની ઝડપથી ઉડતા હતા. હનુમાનજી સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ ચારે યુગમાં અમર છે. આઠ સિઘ્ધિઓના દાતા છે. જેના ઉપર રીઝે તેનું કલ્યાણ થઈ જાય છે. કળિયુગમાં તાત્કાલિક ફળ આપનાર હનુમાનજી છે.

વીર હનુમાનજી શનિદેવની દશા દબાવે છે. કલિંગના સમ્રાટ સૂર્યદેવના પુત્ર એટલે શનિદેવ. હનુમાનજીએ સૂર્યદેવ પાસેથી ચારે વેદોનું ગૂઢ જ્ઞાન મેળવ્યું હતું. હનુમાન અને શનિદેવ વચ્ચેના યુદ્ધમાં હનુમાને શનિદેવને હરાવી પોતાના પગ નીચે દબાવ્યા હતા. તેલ-સિંદૂર શનિદેવના શરીર ઉપર ચઢાવે છે તેથી તેમના કચડાયેલા હાડકાંને રાહત થાય છે. જ્યાં જ્યાં હનુમાનનાં મંદિરો હશે ત્યાં ત્યાં હનુમાનના પગ નીચે શનિદેવ જોવા મળશે.

ભગવાન શિવનો અવતાર ગણાતા હનુમાનજીની પૂજા મંગળવારે અને શનિવારે કરવાનો વિશિષ્ટ મહિમા છે. શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ ચૈત્ર સુદ ચૌદસના દિવસે એકટાણું કરી અને બ્રહ્મચર્ય પાળી હનુમાનજીની સાધનાનો પ્રારંભ કરાય છે. પૂનમના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન કરી સંકલ્પ કરાય છે. પ્રથમ ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકીની પૂજા કરી હનુમાનજીને સ્નાન કરાવી કેસર અને ચંદન લગાવી યજ્ઞોપવતિ પહેરાવાય છે.

બધા સંકટ નિવારણ માટે હનુમાનજયંતીથી શરૂ કરીને સાત મંગળવાર સુધી સવારે અને સાંજે હનુમાનજીનું સ્મરણ કરી એક-એક વખત હનુમાનચાલીસાનું પઠન કરવું અને ‘ઓમ્ નમો હનુમંતે ભયભંજનાય સુખં કુરુ કુરુ ફટ્ સ્વાહા’ - આ મંત્રની સાંજે ત્રણ માળા કરવી અને ત્યારબાદ એક જ ટાઇમ સાંજે અન્ન ગ્રહણ કરવું. જેથી બાધા-સંકટો દૂર થાય છે અને મુશ્કેલીમાં આકસ્મિક બચાવ થાય છે.


આ શુભ દિવસે અકસ્માત કે કોર્ટ-કચેરીનાં કાર્યોમાં રાહત મળે તથા શત્રુથી બચવા માટે પંચમુખી હનુમાનજીનું સ્મરણ કરી ત્રણ મંગળવાર અને ત્રણ શનિવાર ઉપવાસ રાખી પવિત્ર મનથી ‘ઓમ્ પૂર્વ કપિમુખાય પંચમુખહનુમતે શત્રુસંહરણાય સ્વાહા’ આ મંત્રની એક-એક માળા ત્રણ મંગળવારે અને શનિવારે કરવી. જ્યારે પરીક્ષામાં સફળતા, બળ-બુદ્ધિની પ્રાપ્તિ માટે શ્રદ્ધાળુઓ હનુમાનજયંતીથી શરૂ કરી ૧૧ મંગળવાર સુધી ‘બુદ્ધિ હીન તનુ જાનિકે, સુમિરૌ પવન કુમાર, બલ-બુદ્ધિ વિધા દેહુ મોહી હરહુ કલેશ વિકાર’- આ હનુમાન ચાલીસાની પંકિતનું ૧૦૮ વખત શ્રદ્ધાપૂર્વક ઉચ્ચારણ કરવું અને એક ટાઇમ સાંજે ભોજન કરવું.


હનુમાનજયંતી અને મંગળવારના ઉત્તમ યોગના દિવસે હનુમાનજીની ઉપાસના શુભ ફળદાયી માનવામાં આવે છે એમ કહી જયોતિષાચાર્ય કંદર્પભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, આ દિવસે હનુમાનજીને તેલ-સિંદૂર ચઢાવવું અને આંકડાની માળા ચઢાવી શકાય. સુંદરકાંડનું પઠન કે વહેલી સવારે હનુમાન ચાલીસા અને સુંદરકાંડનું પઠન કરવું પણ લાભદાયી છે.


ત્યારબાદ હનુમાનચાલીસા, સુંદરકાંડના પાઠ, હનુમાન વજવાનલ સ્તોત્ર અને હનુમાનજીના મંત્રોના પાઠની આરાધના કરાય છે. શાળામાં ભણતા બાળકો માટે હનુમાનજી ઉત્તમ આદર્શ મનાય છે. અભ્યાસમાં નબળા વિદ્યાર્થીઓ માટે ‘મનોજવં મારુતતુલ્ય વેગં જિતેન્દ્રિયમ્ બુદ્ધિમતાં વરિષ્ઠમ્ વાતાત્મજં વાનરયૂથ મુખ્યં શ્રી રામદૂતમ્ શરણં પ્રપધૈ’ ઉત્તમ મંત્રની રોજ એક માળા કરવાથી ઉત્તમ ફળ મળે છે. આ ઉપરાંત રામચરિત માનસની એક એક ચોપાઈ મંત્ર સમાન છે, જેનો વિશિષ્ઠ કાર્ય માટે માર્ગદર્શન લઈ પ્રયોગ કરી શકાય છે.



રાજા કેસરી સુમેરૂ નામના ક્ષેત્રમાં શાસન કરતા હતા. રાજા કેસરીની રાણીનું નામ અંજની હતું. વાયુ પુરાણમાં બતાવ્યા મુજબ મહારાજ વાયુદેવ પ્રજાપતિ અને અંજનીથી બળવાન, મહાબુદ્ધિમાન, વીર, પરાક્રમી, સુંદર પુત્રનો જન્મ થયો હતો. ઋષિઓના રક્ષણ અને શ્રી રામની મદદ માટે ભગવાન શંકરનો અગિયારમા રૂદ્ર તરીકે જન્મ થયો હતો. વીર હનુમાનનો પુત્ર એટલે મકરઘ્વજ.

ઐતિહાસિક ઘટના મુજબ મહર્ષિ કશ્યપ-સિંહિકાના પુત્ર રાજા ‘‘રાહુ દેવ’’ સમ્રાટ સૂર્યદેવ અને ચંદ્ર દેવ ઉપર વારંવાર આક્રમણ કરતો હતો. રાજા રાહુ હનુમાનને પોતાનો વિરોધી સમજી પોતે પ્રાણ બચાવવા દેવરાજ ઈન્દ્રની મદદ માટે દોડી ગયો. રાહુને મદદ કરવા ઇન્દ્ર ઐરાવત હાથી ઉપર સવાર થઈ વજ્ર નામના હથિયારથી હનુમાન ઉપર ઘા કર્યો. ચાર દાંત વાળા સફેદ હાથીને ફળ માની તેને ખાઈ જવા હનુમાને છલાંગ મારી. હનુમાનનું વિકરાળ, અગ્નિદેવ જેવું રૂપ જોઈને ઈન્દ્ર ગભરાયા. તેમણે હનુમાન ઉપર વજ્રાસ્ત છોડ્યું. મારૂતીના અંગનું હાડકું તૂટતાં તેઓ ઘાયલ થયા. મારૂતીના પિતા વાયુદેવ કોપીત થયા. બ્રહ્માંડનો વાયુ રક્ષશિન કરી દીધો. પૃથ્વીલોકનાં ખરાબ કર્મોથી દેવરાજ ઈન્દ્ર વરસાદને રોકી દઈ ત્રાસ પોકરાવી દે છે તેમ વાયુદેવે વાયુ સ્થગિત કરી સર્વ દેવો, ઋષિઓ, માનવોને ત્રાહીમામ્ ત્રાહીમામ્ કરી તરફડતા કરી દીધા.

ઈન્દ્ર સહિત તમામ દેવો, ઋષિઓ દાદા બ્રહ્માને લઈને વાયુદેવ પાસે ગયા. સર્વ ઘટનાઓની ચર્ચાઓ થઈ. બ્રહ્માએ હનુમાનને મૂર્છામાંથી મંત્રોચ્ચારથી જાગૃત કર્યા. બ્રહ્માની આજ્ઞાથી વાયુદેવે પવનને પણ વહેતો કર્યો. સર્વને આનંદ થયો. મારૂતી ઉપર પ્રસન્ન થયેલા દેવોએ મારૂતીને એક એક વરદાન આપ્યું.

૧. ઈન્દ્રદેવે તેમના વ્રજથી મારૂતીના ડાબી દાઢીનું હાડકું તોડી નાંખેલ, તેમણે મારૂતીને વરદાન આપી જણાવ્યું કે, હવેથી તમો હનુમાન કહેવાશો. મારૂં વ્રજ તમોને હવે પછી કંઈક કરી શકશે નહિં.

૨. સૂર્યદેવના તેઓ પ્રિય વિદ્યાર્થી હતા. હનુમાનને ચારે વેદોનું સંપૂર્ણ જ્ઞાન આપેલ. ચારે વેદોના પંડિત હતા. સૂર્યદેવે હનુમાનને તેમના તેજનો સોમો ભાગ અર્પણ કર્યો હતો.

૩. રાજા વરૂણ દેવે દશ લાખ વર્ષનું આયુષ્ય અર્પણ કરી અને કહ્યું કે, હે મારૂતી, મારા જળથી કદી પણ તમારૂં મૃત્યુ થશે નહીં.

૪ રાજા યમરાજે વરદાન આપ્યું કે, મારા દંડથી તમો કદી મરશો નહિ. સદાય તમારૂં શરીર વ્રજનું રહેશે.

૫. રાજા કુબેરદેવે વરદાન આપી જણાવ્યું, કે હે હનુમાન ! ભયંકર અને ખૂંખાર યુદ્ધમાં પણ તમને કોઈ પ્રકારનો કશો શોક થશે નહિ. મારી ગદાથી લડાઈમાં તમને કોઈ હણી શકશે નહીં.

૬. શિલ્પાધિપતિ વિશ્વકર્માએ વરદાન આપી જણાવ્યું. મેં આજદિન સુધી જેટલાં પણ હથિયાર બનાવ્યાં છે તેનાથી તમો મરશો નહીં.

.
બોલો મહાવીર બજરંગ બલિ કી જય

Saturday, March 20, 2010

ચાણક્ય નીતિ + ચતુરાઈ ની નીતિ



૧)     ખોટું બોલવું , વિચાર્યા વિના કોઈ કાર્ય કરવું ,છળકપટ કરવું , મૂર્ખતા , વધુ પડતો મોહ ,ગંદકી અને નિર્દયતા -આ સ્ત્રીઓના સ્વાભાવિક દોષ છે.

૨)     સુંદર ભોજન , એ માટે જરૂરી પાચનશક્તિ , કામેચ્છા અને કામશક્તિ, સુંદર સ્ત્રી ,વૈભવ -વિલાસ અને દાન કરવાનું સામર્થ્ય -આ છ સુખ કોઈ ભાગ્યશાળી ને જ પ્રાપ્ત થાય છે. તે પૂર્વજન્મનાં પુણ્ય અને અખંડ તપસ્યાનું ફળ છે.

૩)     જેનો પુત્ર આજ્ઞાકારી હોય, જેની પત્ની ધાર્મિક અને પવિત્ર હોય , જે પોતાના ધન -વૈભવ થકી સંતુસ્ટ હોય તેને માટે અહી પૃથ્વી પર જ સ્વર્ગ છે.

૪)     જે પિતાની સેવા કરે છે તે જ પુત્ર છે. જે પોતાના પુત્રનું પાલનપોષણ કરે છે તે જ સાચો પિતા છે. જે વિશ્વાસપાત્ર હોય તે જ મિત્ર છે અને હૃદયને આનંદિત કરે છે તે જ પત્ની છે.

૫ )     જે તમારી સામે તમારા કાર્યોની પ્રશંસા કરે અને તમારી પીઠ પાછળ તમારું કાર્ય બગાડે તેવો મિત્ર ઉપરથી દૂધ ભરેલા વિષયુકત  ઘડાની સમાન છે .તેનો ત્યાગ કરવામાં જ ભલાઈ છે.


૬)     જે કુમિત્ર છે તેનો કદાપી વિશ્વાસ ન કરવો અને જે મિત્ર છે તેની પર પણ આંધળો વિશ્વાસ ના કરવો તે ક્યારેક ગુસ્સામાં આવીને પણ તમારી વાત જાહેર કરી શકે છે.

૭)     જે કાર્ય કરવાનો નિશ્ચય કર્યો હોય તેને ખાનગી રાખો. તે શરુ થાઈ ત્યારથી પૂરું ના થાય ત્યાં સુધી કોઈને પણ ન જણાવશો.

૮)     મૂર્ખતા , યૌવન દુઃખદાયક છે, પરંતુ પરવશ થવું તે તો સૌથી વધુ દુઃખદાયક ગણાય છે.

૯)     દરેક પર્વત પરથી હીરા માણેક મળતા નથી અને દરેક હાથી ના મસ્તકમાંથી મણી મળતા નથી ,તેજ રીતે સમાજમાં દરેક સ્થળે સંતો મળતા નથી અને દરેક જંગલમાં ચંદનના લાકડા મળતા નથી.

૧૦)     બુધ્ધિમાન લોકોએ પોતાના સંતાનોને હંમેશા સદાચારનું જ્ઞાન આપવું જોઈએ .નીતિવાન અને સદાચારી જ લોકો સમાજમાં પુજાય છે.

  સંબધોની કસોટી

૧૧)     કોઈ મહત્વપુર્ણ કાર્ય દરમિયાન સેવકની ,દુઃખ આવી પડે ત્યારે સગા-સંબંઘીઓની, મુશ્કેલીમાં મિત્રની અને દરીદ્રવ્સ્થામાં પત્નીની કસોટી થાય છે.

સાચો મિત્ર

 ૧૨)     કોઈ રોગ થયો હોય ,દુઃખ આવી પડે, દુકાળ પડે, શત્રુ જયારે કોઈ મુશ્કેલી સર્જે,રાજધ્વાર ,સ્મશાન કોઈના મૃત્યુ નાં સમયે જે વ્યક્તિ સાથ ન છોડે ,એજ સાચા મિત્ર છે.

મૂર્ખાઈ

૧૩)     જે વ્યક્તિ નિશ્ચીત કાર્ય છોડી અનિશ્ચિત કાર્યની પાછળ ભાગે છે ,તેના હાથમાં આવેલું કાર્ય પણ ગુમાવે છે.

વિવાહ

 ૧૪)     પોતાનાથી નીચા કુળમાં જન્મેલી કન્યા સુંદર અને સુશીલ હોવા છતા તેનો ત્યાગ કરવો જોઇએ , કારણકે કે વિવાહ સમાન કુળમાં જ શોભે છે.

કોનો વિશ્વાસ ના કરાય ?

 ૧૫)     લાંબા નખવાળા પ્રાણીઓ, નદીઓ, મોટા શીંગડાવાળા પ્રાણીઓ ,હથિયારધારી વ્યક્તિ, સ્ત્રીઓ અને રાજ પરિવારો આ છએ પર ક્યારેય આંધળો વિશ્વાસ ન મુકવો.

સાધન નહિ સાધ્ય મહતવપૂર્ણ

૧૬)     અમૃત ઝેરમાં વિટાયેલું હોય,સોનું અશુદ્ધ ચીજોમાં હોય, ઉતમ વિદ્યા નીચી વ્યક્તિ પાસે થી મળે તો, નીચા કુળમાં જન્મ થયેલી ઉતમ ગુણવાળી ,સુશીલ કન્યારુપી રત્નનો સ્વીકાર કરવો જોઇએ.

સ્ત્રી સમોવડી

૧૭)     પુરુષ કરતાં સ્ત્રીઓનું ભોજન બમણું ,અક્કલ કાર ગણી, સાહસવૃતિ છ ગણી અને કામેચ્છા આઠ ગણી હોય છે.


રક્ષણ

૧૮)     મુશ્કેલીના સમયે લડવા ધન નો સંચય કરવો જોઈએ .ધન કરતાં પત્નીનું વધુ રક્ષણ કરવું  જોઈએ , પરંતુ પોતાનો જ જીવ જોખમ માં હોય ત્યારે ધન અને પત્ની ને પણ છોડતા અચકાવું  જોઈએ નહિ.

ચંચળ લક્ષ્મી

૧૯)     લક્ષ્મી ચંચળ જ હોય છે એટલે મુશ્કેલીના સમયે સંચીત ધન પણ નસ પામે છે.

ક્યાં ક્યાં ના રહેવાય ? ( ૧ )

૨૦)     જે દેશ માં માન-સન્માન  ન મળે અને રોજગારી ના મળે, જયાં કોઈ આપણા સગા ના રેહતા હોય અને અભ્યાસ કરવો શક્ય ના હોય ત્યાં રેહવાનો કોઈ ફાયદો નથી .

ક્યાં ક્યાં ના રહેવાય ? ( ૨ )

૨૧)     જે દેશમાં કોઈ શેઠ ,વિદ્વાન ,રાજા,વૈધ  કે કોઈ નદી ના હોય ત્યાં પણ રેહવું ના જોયે.

અયોગ્ય પ્રદેશ

૨૨)     જે દેશ માં રોજી રોટી ના મળે ,જયાંના લોકો માં ભય ,શરમ, ઉદારતા  અને દાન કરવાની વૃતિ ના હોય  તે પાંચ સ્થાનમાં ના જ રેહવું.

Thursday, March 18, 2010

108 મણકાઓ ની માળા + 108 મણકાઓ નું રહસ્ય

 
108 મણકાઓ ની માળા

માળાની અંદર 108 મણકા હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે.


 બ્રહ્માના 9 અને આદિત્યના 12 આ રીતે તેમનો ગુણાકાર 108 થાય છે.

 જૈન મતાનુસાર અક્ષ માળામાં 108 મણકા રાખવાનું વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે.

આપણા ધર્મની અંદર 108ની સંખ્યાને મહત્વપુર્ણ માનવામાં આવે છે. ઈશ્વરના નામનો જપ, મંત્ર જપ, પૂજા સ્થળ કે આરાધ્યની પરિક્રમા, દાન વગેરેમાં આ ગણનાને મહત્વ આપવામાં આવે છે. જપમાળામાં એટલા માટે 108 મણકાઓ હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે. વિશિષ્ટ ધર્મગુરૂઓનાં નામની સાથે આ સંખ્યાને લખવાની પરંપરા છે. તંત્રની અંદર ઉલ્લેખાયેલ દેવીના અનુષ્ટાન પણ આટલા છે.

પરંપરા અનુસાર સંખ્યાનો પ્રયોગ તો બધા જ કરે છે પરંતુ તેના રહસ્યથી મોટા ભાગના લોકો અજાણ્યા છે. આ ઉદેશ્ય હેતું તેના વિશે થોડીક જાણકારી અહીં આપી છે-

જાગૃત અવસ્થાની અંદર શરીરની કુલ 10 હજાર 800 શ્વસનની કલ્પના કરવામાં આવી છે. તેથી સમાધિ અને જપ દરમિયાન પણ આટલા જ આરાધ્યમાં સ્મરણ અપેક્ષિત છે. જો આટલું કરવામાં સમર્થ ન હોય તો છેલ્લાં બે શુન્ય દૂર કરીને 108 જપ તો કરવા જ જોઈએ.




108ની સંખ્યાને પરબ્રહ્મની પ્રતિક માનવામાં આવે છે. 9 નો અંક બ્રહ્માનો પ્રતિક છે. વિષ્ણુ અને સુર્યની એકાત્મકતા માનવામાં આવે છે જેથી કરીને વિષ્ણુ સહિત 12 સૂર્ય કે આદિત્ય છે. બ્રહ્મના

9 અને આદિત્યના 12 આ રીતે તેમનો ગુણાકાર 108 થાય છે. એટલા માટે પરબ્રહ્મની પર્યાય આ સંખ્યાને પવિત્ર માનવામાં આવે છે.

માનવ જીવનની 12 રાશિઓ છે. આ રાશીઓ 9 ગ્રહોથી પ્રભાવિત છે. આ બંને સંખ્યાનો ગુણાકાર પણ 108 થાય છે.

આકાશમાં 27 નક્ષત્ર છે. આના 4-4 પાદ કે ચરણ છે. 27 નો 4 સાથે ગુણાકાર કરવાથી 108 થાય છે. જ્યોતિષમાં પણ તેમના ગુણાકાર અનુસાર ઉત્પન્ન થયેલ 108 મહાદશાઓની ચર્ચા કરાઈ છે.

ઋગ્વેદમાં ઋચાઓની સંખ્યા 10 હજાર 800 છે અને બે શુન્યને દૂર કરવા પર 108 થાય છે.

શાંડિલ્ય વિદ્યાનુસાર યજ્ઞ વેદોમાં 10 હજાર 800 ઈંટોની જરૂરિયાત માનવામાં આવે છે. બે શુન્યને ઓછા કરીએ તો તેમાં પણ 108 જ બચે છે.

જૈન મતાનુસાર પણ અક્ષ માળામાં 108 મણકાને રખવાનું જ વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે. અર્હંતના 12, સિદ્ધના 8, આચાર્યના 36, ઉપાધ્યાયના 25 તેમજ સાધુના 27 આ રીતે પંચ પરમિષ્ઠના કુલ 108 ગુણ હોય છે.

વાસ્‍તુશાસ્‍ત્ર + વાસ્‍તુ શાસ્‍ત્રના કેટલાક ઉપાયો

             વાસ્‍તુશાસ્ર્ત્ર આપણા જીવનને સ્‍પર્શતો એક મહાનતમ વિષય છે. વાસ્‍તુ શબ્દ આપણી લાગણીઓથી લઈ બ્રહ્માંડમાં પ્રસરતા ચુંબકીય તરંગો સુધી સંકળાયેલા છે. દરેક સંસ્‍કૃતિને તપાસતા જણાઈ આવે છે કે, જૂના કાળમાં પણ દરેક પ્રકારના બાંધકામ વખતે ચોક્કસ નિતિ નિયમોનું પાલન થયું હતું. આ નીતિ-નિયમો જમીનની પસંદગીથી લઈને આજુબાજુના વાતાવરણથી લઈને આંતરીક ગોઠવણ સુધીની તમામ બાબતોમાં લાગુ પડે છે. દરેક વ્‍યક્તિ વાસ્‍તુને વધુમાં વધુ મહત્‍વ એટલા માટે આપે છે કે, તમે જેને તમારી કહી શકો તેવી જગ્‍યા તમારી ખુશી, તમારી સમૃદ્ધિ તથા તમારા પરિવારથી જોડાયેલી છે. હાલના સમયમાં ફેંગશૂઈનું ચલણ પણ ખૂબ વધ્‍યું છે. જો કે, આપણી પાસે તો આપણા ઋષિકાળનું સંપૂર્ણ વાસ્‍તુશાસ્ત્ર ઉપલબ્ધ છે અને જે કોઈ શાસ્‍ત્રો હાલ ઉપલબ્ધ છે તે બધામાં મોટેભાગે સામ્‍ય જોવા મળે છે, જે દર્શવે છે કે પૃથ્વી તથા ચુંબકીય તરંગોના વિજ્ઞાનને સમજવાથી વાસ્‍તુમાં એક ચોક્કસ નિર્ણય પર પહોંચી શકાય છે. વાસ્‍તુશાસ્‍ત્ર વિશે તથા ફેંગશુઈ વિશે ઘણુ ઘણુ લખાય છે, પરંતુ મૂળ વાત એ છે કે તમારા હ્રદયને પહેલી નજરમાં જ સ્‍પર્શી જાય તે ઉત્તમ વાસ્‍તુ છે. કોઈપણ વાસ્‍તુનો આ ટેસ્‍ટ અતિ મહત્‍વનો છે કારણ કે જ્યારે કોઈ જગ્‍યાએ પોઝીટીવ વાઈબ્રેશનનું વહન થતું હોય ત્‍યારે જ આપણાં મનમાં સારા ભાવ જન્‍મે છે. દા. ત. કોઈ ઘરમાં પ્રવેશતાંની સાથે જ સુંદર ઘંટડીનો અવાજ સંભળાય, દિવાલો પર આંખને ગમી જાય તેવો રંગ જોવા મળે, સામે જ એકાદ સુંદર પ્રતિમા જોવા મળે કે આછેરી હવાની લ્‍હેર બાજુમાં પસાર થઈ જાય તો મન પ્રફુલ્લિત થઈ જાય છે. ત્‍યારબાદ સુંદર રીતે ગોઠવાયેલ સોફા પર સ્‍થાન લેતાની સાથે જ આપણું મન હકારાત્‍મકતાથી ભરપૂર બની જાય ત્‍યારબાદ આપણે ધારવા છતાં પણ તે ઘરના માલિક સાથે નકારાત્‍મક અભિગમ નહીં દાખવી શકીએ, અને આ જ વાસ્‍તુની સર્વપ્રથમ સિદ્ધિ છે.

આટલી વાત સમજ્યા બાદ વાસ્‍તુશાસ્ત્રના થોડા ગહન ભાગ પર આપણે નજર નાંખીએ તો આપણે સૌ જાણીએ જ છીએ કે બ્રહ્માંડમાંથી અગણિત પ્રકારના કિરણો પૃથ્‍વી પર આવતા હોય છે તથા પૃથ્વીના ચુંબકીય રેખત્‍વ સાથે મળતા હોય છે. આ કિરણો સદિશ હોવાથી દિશા પ્રમાણે પણ તેનું મહત્‍વ હોય છે.

હવે સામાન્‍યતઃ આ કિરણો તથા તેની અસરથી આપણે અજાણ હોઈએ છીએ, જો કોઈ ચોક્કસ વ્‍યવસ્‍થા દ્વારા યોગ્‍ય દિશા તથા જગ્‍યાને ઓળખીને આ કિરણોને તે જગ્‍યા માટે હકારાત્‍મક બનાવવામાં આવે તો તે જગ્‍યાએ હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ રહેશે. અને તેથી ઉલટું જો કોઈ જગ્‍યા આ કિરણો અને દિશાથી વિરૂદ્ધ હશે તો તે જગ્‍યાએ શોક, હતાશા અને નિરાશા વ્‍યાપી જશે, આમ આપણા જીવનની ખુશહાલી અને સમૃદ્ધિનો ઘણો બધો આધાર વાસ્‍તુ પર છે. આથી જ આપણું ઘર, ઑફિસ, કારખાનું નોકરીનું સ્‍થળ, ક્લીનીક, ખેતીવાડી જેવી કોઈપણ જગ્યા વાસ્‍તુ મુજબ હોય એ જરૂરી છે.

આમ જોવા જઈએ તો વાસ્‍તુશાસ્ત્રના હજારો નિયમ છે, વળી બે અલગ-અલગ વિચારધારા મુજબ ક્યારેક વાસ્‍તુશાસ્ત્રમાં ગૂંચવણ પણ ઊભી થાય છે. આથી તમામ વિચારધારા પ્રમાણેનું વાસ્‍તુ લગભગ અશક્ય જેવી ઘટના બની જાય છે. પરંતુ વૈદિક વિચારધારા મુજબના વાસ્‍તુશાસ્ત્રનું યોગ્‍ય રીતે અનુસરણ કરવાથી સુંદર પરિણામ મેળવી શકાય છે તે નિર્વિવાદ છે.

હવે સૌ પ્રથમ આપણે દિશાભાન મેળવી લઈએ, આપણે દસ દિશામાં જીવીએ છીએ તેમ કહી શકાય, પૃથ્વી તરફ એટલે કે નીચે, આકાશ તરફ એટલે કે ઉપર અને ચાર દિશા તથા ચાર ખૂણા આવો સૌ પ્રથમ આપણે ચાર દિશા તથા ખૂણા નક્કી કરી લઈએ.

કોઈપણ જગ્‍યાએ ચોક્કસ દિશા તથા ખૂણા નક્કી કરવા માટે હોકાયંત્રનો ઉપયોગ કરી શકાય, હોકા યંત્ર સરળતાથી માર્કેટમાંથી મેળવી શકાય છે. વળી થોડો અભ્‍યાસ થઈ ગયા બાદ સૂર્ય પરથી ચોક્કસ દિશાભાન તુર્ત જ મળી શકે છે. આમ છતાં જ્યારે ચોક્કસ ખૂણો તથા ડિગ્રીની વાત આવે ત્‍યારે હોકાયંત્રનો ઉપયોગ હિતાવહ છે.

વાસ્‍તુ શાસ્‍ત્રના કેટલાક ઉપાયો

     રાત્રે સૂતી વખતે તમારું માથું દક્ષિ‍ણ દિશા કે પૂર્વ દિશામાં રહે તેવી રીતે પથારી કરવી.
 
     નાહીધોઈને ઘરની સ્‍ત્રીએ ઉંબરાનું સાથીયો કે કંકુપગલા જેવા શુભ ચિહનો દ્રારા પૂજન કરવું.

     ઘરમાંથી આવજા કરતી વખતે આ પૂજા કરાયેલા સાથિયા ઉપર પગ ન મૂકો.

     ઘરમાં મંદિર કે ભગવાનનો ફોટો વગેરે ઇશાન ખૂણામાં કે પૂર્વ દિશામાં રાખો. પૂજા કરતી વખતે આપણું મુખ પૂર્વ દિશામાં રહે તે રીતે બેસવું.

     ઘરમાં મંદિર જમીનથી ત્રણ ફુટથી વધુ ઊંચુ ન રાખો.

    પૂજામાં બે શિવલિંગ કે ત્રણ ગણપતિ ન રાખો- એમ કરવાથી દેવદોષ થાય છે.

     તિજોરી, પૈસા રાખવાનો કબાટ પશ્ચિમ તરફની દીવાલે પૂર્વ તરફ ખુલે તે રીતે અથવા દક્ષિ‍ણ તરફની દીવાલે ઉત્તર મોઢે ખુલે તેમ રાખો.

     આવા તિજોરી/કબાટ ઉપર અન્‍ય કોઈ જ ચીજ વસ્‍તુ ન રાખો. તે ભાર કરશે.

     ડ્રોઈંગ રૂમમાં પણ પૂર્વ તથા ઉત્તરની દીવાલો ખાલી રાખો. પ્રેરણાદાયી તથા ધાર્મિક ચિત્રો ત્‍યાં રાખી શકો.

     સુશોભન માટે ઘરમાં કદી ગીધ, કાગડો, ઘુવડ, વાંદરો, હિંસક પ્રાણીઓ વગેરે જેવા રૌદ્ર પ્રકારના ફોટા કે ચિત્રો ન રાખો.

     મકાનમાં જો બીમ હોય તો તેની નીચે બેઠક ન રાખો. આમ થશે તો કમર- પીઠનો દુઃખાવો તથા સ્‍પોન્‍ડીલાઈટીસ થવાથી શકયતા વધે છે.

     સૂતી વખતે માથા ઉપર બીમ આવે તો લાંબાગાળે માથાનો દુઃખાવો તથા અનિદ્રા થશે.

     ડાઈનિંગ ટેબલ બીમથી દૂર ગોઠવવું જોઈએ. બીમ નીચે જમવા બેસવાથી ઉછીના આપેલ પૈસા પછા આવતા નથી અને ખર્ચા છે.

     ઘરમાં કેકટસ કે કાટાંળા છોડ શોભા માટે ન રાખવા કે ઉગાડવા કારણ તેનાથી ઘરમાં સભ્‍યો વચ્‍ચે શત્રૂતા વધશે.

     તમારા ઘરનું બારણું દક્ષિ‍ણ દિશામાં છે તો તે દોષ દૂર કરવા બારણા ઉપર ગણેશજીને બેસાડવાથી વાસ્‍તુદોષ દૂર થાય છે.

     ભગવાનના ગૃહમંદિરમાં મૃત દાદા- દાદી કે વડીલોની છબી કે ફોટો રાખવાનો નિષેધ છે. આપણા કોઈપણ વડવાઓની તસવીરો પૂજાના રૂમમાં કે મંદિરમાં ન રાખો. આ બધી ખૂબ સૂક્ષ્‍મ બાબતો છે.

     પીપળાનું વૃક્ષ મકાનની આસપાસ હોય તો ભૂલેચુકે કાપવું નહીં, તેની પૂજા કરવી. જાણી જોઈને આ વુક્ષ વાવવું નહીં અને આપણા ઘરમાં, ફળીયામાં કે આસપાસ જો હોય તો પૂજા કરવી.

     ભોજન કરતી વખતે મુખ પુર્વ કે પશ્ચિમમાં રહે તેમ બેસવું.

     અભ્‍યાસ કરતા બાળકે આસન પાથરી અને પૂર્વ તરફ મોઢું રાખી અભ્‍યાસ કરવો.

     ઘરમાં આવવા જવા માટે મુખ્‍ય દરવાજાનો જ ઉપયોગ કરવો. શુભ કર્યા માટે આવવા/જવા માટે પાછલા કે અન્‍ય દરવાજાનો ઉપયોગ ન કરવો.

     નાસ્‍તો કરતી વખતે કે ભોજન કરતી વખતે ગાશો નહિં.

     સંધ્‍યા સમય પછી ઝાડું કાઢશો નહિં. ઝાડું કાઢો તો કચરો ટોપલીમાં ભેગો કરી રાખશો. કચરાની ટોપલી કદી ઈશાન ખૂણામાં ન રાખો.

     ઘરમાં ખાટલો, પાટલો, સાવરણી કે સૂંપડું ઉભુ રાખશો નહિં. આમ થવાથી ઘરમાં કંકાશ થશે અને ગરીબી આવશે.

     દાદરા નીચે બેસીને પૂજા ન કરો.

     ઘરમાં તૂટેલો અરીસો, તડ પડી ગઈ હોય તેવો પણ રાખશો નહીં. એ દુર્ભાગ્‍ય લઈ આવશે.

     ખજૂરી, દાડમ, કેળ, બોરડી ઘરના ફળીયામાં ન વાવો. સંતતિનો નાશ થશે.

     પુરૂષોએ રાત્રે કપાળમાં તિલક કરી સૂઈ જવું નહિ.

     નવા વસ્‍ત્રો ઉત્તર દિશા તરફ મુખ રાખી કરવા.

     દાતણ કે બ્રશ સવારે પશ્ચિમ દિશા તરફ મુખ રાખી કરવા.

     પૂજા કરવામાં સાથિયો ઊંધો ન દોરવો.

     સંધ્‍યા સમયે ઘરમાં ખૂબ પ્રસન્‍નતા રાખો. તે સમયે અશાંતિ કે ઝઘડા કરવાથી વાસ્‍તુદેવતા કોપાયમાન થાય છે.

     હતાશા કે નિરાશામાં પણ નિઃસંતાન નાખી‘ઓય રે’ ‘ હાય રે’ અથવા તો ‘ હું આ ઘરથી થાકી ને કંટાળી ગઈ છું’વગેરે શબ્‍દો ન બોલો. નિયતિ (પ્રારબ્‍ધ) સુક્ષ્‍મ રીતે તમારા માટે તેવો દિવસ હકીકત લાવી દેશે.

     આખા વરસમાં બે વખત ભલે સત્‍યનારાયણની કથા જેવા પણ દેવકાર્યો કરો.

     સંધ્‍યા સમયે તથા સવારે નાહીંને ઘરમાં અવશ્‍ય દીવાબત્તી કરો.

     ઘરની સૌધાગ્‍યવતી સ્‍ત્રીઓએ કાળા કપડાં ન પહેરવાં. સેંથો પૂરી, મંગલસૂત્ર પહેરી, બંગડી પહેરી અને જ રહેવું- આ તમારું સૌભાગ્‍ય વધારશે.

     ફેશનને ખાતર ઘરમાં ચંપલ પહેરીને ફરશો નહીં.

     ઘરની દિવાલોનો તથા બારી- બારણાનો રંગ શુભ રાખવો. લાલ કે કાળો રંગ ન વાપરવો.

     ઘરમાં તિરાડ પડી હોય તો પુરાવી નાખવી.

     ઘરમાં મંદિર તરફ પૂજા જરૂરથી રાખવી.

     ઘરમાં તુલસીની પૂજા જરૂર થી રાખવી.

     પ્રવેશદ્રારની સામે તરત જ ઘરમાં જૂતા સ્‍ટેન્‍ડ ન રાખો.

     ઘરની દિવાલો પર કુદરતી દ્રશ્‍યનું ચિત્ર સુખ શાંતિ આપે છે, ધોધનું ચિત્ર કારકિર્દી માટે પ્રગતિકારક છે. ફુલોનું ચિત્ર ઉત્‍સાહ પ્રેરે છે, ઈષ્‍ટદેવનું ચિત્ર આસુરી શકિતનો નાશ કરે છે. પાણીના ઝરણાનું ચિત્ર સંપત્તિમાં વૃધ્ધિ કરે છે. હાથીનું ચિત્ર એકાગ્રતા તથા માનસિક શાંતિ આપે છે.

     જીવનને ભંગાર ન બનાવવું હોય તો ઘરમાંથી ભંગાર કાઢો. પસ્‍તી તૂટેલા રમકડાં, તૂટેલા ફોટા, ધૂળ ખાતાં ખોખાં, ડબા- ડુબલી જે કાંઈ રોજીંદા વપરાશમાં ન આવતું હોય તે બધું કાઢો. ઘરમાંથી ફાટેલા કપડાં, જૂના ગાભા, જૂના કેલેન્‍ડરો, રંગના સૂકાઈ ગયેલા ડબ્‍બા, તુટેલા બ્રશ, તૂટેલા દાંતિયા, બંધ પડેલી ઘડિયાળ, જૂના ટયુબ- ટાયર બધું નિકાલ કરી નાખો. દાદરા કે સીડી નીચે કોઈ કચરો કે ભંગાર, નકામી વસ્‍તુ ન રાખો. જુઓ તમારું નસીબ ચમકી ઉઠશે.


વાસ્તુમાં રંગનું મહત્વ
દરેક રંગને પોતાનો એક ગુણધર્મ હોય છે, તથા પોતાના તરંગોની એક માત્રા છે. જો આ રંગને યોગ્ય દિશામાં તેના ગુણધર્મને આધારે ચયન કરવામાં આવે તો વાસ્તુમાં આપણે સુંદર પરિણામ પ્રાપ્તા કરી શકીએ છીએ. અહીં આપણે દિશા, તેના અધિપતિ ગ્રહ તથા તેનો અનુકૂળ રંગ વિશે જાણીએ.


(૧) ઈશાન કોણ : ઈશાન કોણ અતિ પવિત્ર કોણ છે. આ કોણનો અધિપતિ ગ્રહ ગુરુ છે. આથી આ દિશામાં પીળો રંગ વધુ લાભદાયક રહે છે. આ ઉપરાંત ક્રીમ કલર, વાઈટ કલર, ગોલ્ડન કલર, ઓફ વ્હાઈટ કલર આ કોણ માટે શુભ રંગ બને છે.

(૨) ઉત્તર દિશા : ઉત્તર દિશા કુબેરની દિશા છે. તેનો મૂળ સ્વભાવ વ્યાપાર છે. અધિપતિ ગ્રહ બુધ હોવાથી લીલોરંગ શુભ બને છે. લીલા રંગ ઉપરાંત ડાર્ક, ગ્રીન રૂપેરી રંગ આસમાની રંગ પણ આ દિશા માટે શુભ છે.

(૩) વાયવ્ય કોણ : વાયુતત્વમાં ચંદ્ર અધિપતિ થતો હોઈ સફેદ રંગ શુભ બને છે. આ ઉપરાંત કોઈપણ સફેદને લગતો લાઈટ કલર ઉપયોગમાં લઈ શકાય ગુરુ મિત્ર રાશિ હોઈ પીળો કે સોનેરી કલર પણ લઈ શકાય.

(૪) પશ્ચિમ દિશા : પશ્ચિમ દિશાના અધિપતિ શનિ દેવ છે. તેથી વાદળી રંગ શુભ થાય છે. શનિને કાળાશ પસંદ હોઈ ડાર્ક કલર, મોરપીંછ કલર, રીંગણી કલર વગેરે. આ દિશામાં શુભ બને છે.


(૫) નૈઋત્ય દિશા: આ દિશાનો માલિક રાહુ બને છે તેથી કાળો રંગ તથા કોફી રંગ શુભ બને છે. આ ઉપરાંત શનિ અને બુધ મિત્ર હોઈ રીંગણી કલર, વાદળી કલર તથા લીલો કલર શુભ બને છે.

(૬) દક્ષિ‍ણ દિશા : આ દિશાનો માલિક મંગળ હોઈ ભડકા કલર પ્રિય બને છે, ખાસ કરીને લાલ રંગ શુભ બને છે. લાલ સાથે ગુલાબી કે નારંગી રંગ અથવા રતાશ પડતો રંગ પણ શુભ બને છે. આંખો ચોંટી જાય તેવો ભડકા કલર મંગળને પ્રિય છે.

(૭) અગ્નિ કોણ: આ કોણનો અધિપતિ શુક્ર છે. શુક્રને ફ્લોરોસન્ટ ટાઈપના ચળકતા રંગો ગમે છે. આ દિશામાં રૂપેરી રંગ, સફેદ રંગ કે લાલ રંગને ચળકતો રાખવામાં આવે તો શુભ છે.
 
(૮) પૂર્વ દિશા : આ દિશાનો સ્વામી સૂર્ય છે. વહેલી સવારના કિરણો જેવો સોનેરી રંગ તેને પ્રિય છે. સોનેરી, રૂપેરી, પીળો, સફેદ, ક્રિમ તેના શુભરંગ બને છે સાથે સાથે બુધ પરમ મિત્ર હોવાથી લીલો રંગ પણ અહીં સારો ગણાય. રાતો રંગ પણ લઈ શકાય.

(૯) બ્રહ્મસ્થાન : આ સ્થાન અવકાશનું સ્થાન હોઈ આસમાની રંગ, સફેદ, ક્રિમ કે પીળાશ પડતો રંગ શુભ ગણાય છે.

Wednesday, March 17, 2010

કાલસર્પ યોગની શાંતિ માટેના શ્રેષ્ઠ ઉપાય

જન્મકુંડળીમાં જો કોઇ દોષ હોય તો તેનું નિવારણ પણ હોય છે. આવો જ એક યોગ છે કાલસર્પ. યોગ્ય જાણકારી ના હોવાને કારણે કાલસર્પ યોગથી હંમેશાં લોકો પીડાતા રહે છે. કાલસર્પ દોષને દૂર કરવા માટેના કેટલાક અસરકારક અને શ્રેષ્ઠ ઉપાય અહીં પ્રસ્તુત છે.

 જન્મકુંડળીમાં કાલસર્પ યોગ હોય તો કોઇ સિદ્ધ શિવ ક્ષેમાં વિધિવત શાંતિ કરવો. સંપૂર્ણ કાલસર્પ યંત્રની સ્થાપના કરીને નિત્ય સર્પ સૂક્ત પાઠ કરો. નાગ ગાયત્રીમંત્રનો જપ કરવો શ્રેયકર છે, સોમવારે શિવાલયમાં જઇને શિવલિંગ પર ચાંદીમાંથી બનાવેલા સર્પના જોડાંને અર્પણ કરો. લાલ કિતાબ અનુસાર કેતુના અશુભત્વને દૂર કરવા અથવા અશુભત્વને ગણેશ પૂજન કરીને શુભત્વમાં પરિર્વિતત કરી શકાય છે. લાલ કિતાબમાં ઉલ્લેખ છે કે સરસ્વતી દેવીની પૂજા-આરાધના કરીને રાહુના અશુભત્વને દૂર કરી શકાય છે. ચાંદીના સર્પાકાર લોકેટમાં ગોમેદ અને વૈદૂર્યમણિ જડાવીને ધારણ કરવાથી રાહુ-કેતુના શુભત્વમાં વૃદ્ધિ થાય છે. રાહુ-કેતુ છાયાગ્રહ છે. તે દૂર્ગા પૂજનથી શાંત થાય છે, કારણ કે દેવી દૂર્ગાને છાયારુપેણ માનવામાં આવે છે.નાગને નાથનાર ભગવાન શ્રીકૃષ્ણની તસવીર સામે બેસીને ૧૦૮ વાર  નમો ભગવતે વાસુદેવાયનો દરરોજ જપ કરો. તેનાથી જરૃર શુભ ફળ મળશે.

 રાહુ-કેતુની પ્રતીક સામગ્રી કોઇ સુપાત્રને દાન કરતા રહેવાથી આ બંને ગ્રહોના અશુભ પ્રભાવમાંથી મુક્તિ મળે છે. શ્રાવણ માસમાં દરરોજ ભગવાન શંકરને દૂધ-જળનો અભિષેક કરવાથી રાહુ-કેતુ વ્યક્તિનું કંઇ અનિષ્ટ કે અશુભ કરી શક્તા નથી. શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત કરવાથી અથવા સોળ સોમવારનું વ્રત કરવાથી રાહુ-કેતુ શાંત થાય છે. પીડાકારક રાહુ-કેતુને પ્રસન્ન કરવા અથવા શુભતા મેળવવા માટે તેમના બીજમંત્રોનો રાત્રે નિયમિત જપ કરવો જોઇએ. શિવ સહસ્ત્રનામ અને હનુમાન સહસ્ત્રનામનો નિત્ય પાઠ કરવાથી અનેક પ્રકારની ગ્રહપીડામાં શાંતિ થાય છે. કન્યાદાન કરવાથી રાહુ અને કપિલા ગાયનું દાન કરવાથી કેતુના કોપમાં શાંતિ મળે છે.

 રાહુ માટે આછા નીલા અને કેતુ માટે આછા ગુલાબી રંગનાં વસ્ત્ર પહેરવાં અને દાન કરવું શાંતિદાયક છે. રાહુ-કેતુના શાંતિ અર્થે અઢાર શનિવાર રાહુ-કેતુની પૂજા કરવી જોઇએ અને ઉપવાસ પણ કરવો જોઇએ. રાહુ-કેતુની શાંતિ માટે શ્વેત ચંદનના ટુકડાને નીલા રેશમી વસ્ત્રમાં લપેટીને બુધવારે ધારણ કરવું જોઇએ.

 બુધવાર અથવા ગુરુવારે અશ્વગંધાના મૂળના ટુકડાને આસમાની રંગના કપડામાં લપેટીને ધારણ કરવાથી કેતુની પીડાનું શમન થાય છે. ૨૦૦ ગ્રામ જેટલી ચાનું ૧૮ બુધવાર સુધી દાન કરવાથી રોગકારક અનિષ્ટકારી રાહુ સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. જો કેતુ રોગકારક હોય તો રોગગ્રસ્ત વ્યક્તિએ પોતાના હાથે ઓછામાં ઓછા ૭ બુધવાર સુધી ભિક્ષુકોને હલવો ખવડાવવો.રાહુ-કેતુની અશુભતાના નિવારણ માટે તેમના પ્રિય રત્ન ગોમેદ અને લસણિયાનું દાન કરવું જોઇએ. રાહુની શાંતિ માટે શ્રાવણ માસમાં રુદ્રાષ્ટાધ્યાયીનો પાઠ અને કેતુની શાંતિ માટે નવરાત્રિમાં છિન્નમસ્તાદેવીનું નવ દિવસ અનુષ્ઠાન કરવું જોઇએ.રુદ્રાક્ષની માળાથી દરરોજ  નમઃ શિવાય મંત્રનો પંચમુખી શિવજીની તસવીર સામે બેસી પાંચ માળાનો જપ કરો.રાહુ-કેતુની અશુભતા તીવ્ર હોય તો મહામૃત્યુંજય મંત્રનો બ્રાહ્મણ પાસે જપ કરાવો.ભગવાન નરસિંહ અથવા ભૈરવની પૂજા તથા સ્તુતિ અને દર્શન કરવાથી રાહુ-કેતુની બાધા કે દોષ દૂર થાય છે.

રાશી અનુસાર જ્યોતિષ ઉપાયો

સુખમય જીવન એ દરેક વ્યક્તિની પ્રથમ આકાંક્ષા હોય છે. આ માટે તેને પૂરતા ધનની જરૃરિયાત હોય છે. એટલે આજના આ ભૌતિકવાદી યુગમાં લોકો ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ ધન કમાવી લેવા ઇચ્છે છે. પરંતુ દરેક પ્રકારના પ્રયાસો છતાં લોકોને ઇચ્છિત ધનની પ્રાપ્તિ થતી નથી. તેથી રાશિને અનુરૃપ નીચે કેટલાક જ્યોતિષીય ઉપાયો દર્શાવ્યા છે તેને અપનાવીને લોકોની ધનપ્રાપ્તિની કામના પૂરી થઈ શકે છે.

મેષ રાશિઃ શુક્ર મંત્ર પર જરકન અને શનિ યંત્ર પર નીલી જડાવીને ક્રમશઃ બંને ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં સ્થાપિત કરી દરરોજ દર્શન અને પૂજા કરવી જોઈએ.શ્વેતાર્કનું મૂળ કે જે ગણેશનું પ્રતિરૃપ સમજાયું છે તેની પૂજાના સ્થાન પર નિષ્ઠાપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરવી. દરરોજ મહાલક્ષ્મીજીના નીચે દર્શાવેલ મંત્રોનો જપ કરતાં કરતાં તેની પૂજા કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.

મંત્રઃ  હ્રીં અષ્ટલક્ષ્મ્યૈ દારિદ્રય વિનાશિની સર્વ સુખ સમૃદ્ધિ દેહિ દેહિ હ્રીં નમઃ ।

ગણેશ યંત્રની સન્મુખ ગણેશ મંત્ર ‘ શ્રીં હ્રીં ક્લીં ગ્લૌં ગં ગણપતયે વર વરદયે નમઃ ।’ની પાંચ માળાનો જપ કરી આ પ્રક્રિયા દરરોજ કરતા રહેવાથી ઇચ્છિત યશ અને ધનની પ્રાપ્તિ થશે.ધનલાભને માટે ચાંદીની ધાતુનું ‘શ્રીં’ બનાવીને તેની ચોફેર સફેદ અને નીલા રંગનું જરકન જડાવીને શ્રી લક્ષ્મીજીના મંત્રોથી અભિમંત્રિત કરી તે ગળામાં ધારણ કરવું જોઈએ.

વૃષભ રાશિઃ બુધના યંત્ર પર ઓનેક્સ અને ગુરુ મંત્ર પર સોનેરી લગાવીને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી તેને અભિમંત્રિત કરાવીને ઘરના મંદિરમાં સ્થાપિત કરાવવું. પછી દરરોજ નિષ્ઠાપૂર્વક તેનાં દર્શન-પૂજન કરવાં. મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.શ્રીયંત્રની પ્રાણપ્રતિષ્ઠા કરાવીને દરરોજ નીચે લખેલ મંત્રનો જપ કરી પૂજા કરવી જોઈએ. તેનાથી દુઃખ, રોગ અને દારિદ્રયમાંથી મુક્તિ અને ભૌતિક સુખ-શાંતિ અને આનંદની પ્રાપ્તિ થાય છે.

મંત્ર - શ્રીં હ્રીં શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ ।

ધન અને યશની પ્રાપ્તિ માટે શ્રીયંત્ર અથવા ગજ લક્ષ્મી યંત્રની સન્મુખ શ્રી સૂક્તનો પાઠ શરૃ કરવો અને દરરોજ નિષ્ઠાપૂર્વક પાઠ કરતાં રહેવું.શ્રી વિષ્ણુ લક્ષ્મીનું પૂજન શરૃ કરવું અને પછી દરેક શુક્રવાર કરતાં રહેવું. આ પ્રયોગથી ધન અને યશની પ્રાપ્તિ થાય છે.

મિથુન રાશિઃ ઘરમાં લક્ષ્મીના સ્થાયી વાસને માટે સિદ્ધ શ્રી મહાલક્ષ્મી યંત્રને સ્થાપિત કરી તેનાં દરરોજ દર્શન અને પૂજન કરવાં.

દિવસ દરમિયાન તુલસીની પૂજા કરવી અને રાતના સમયે કાચા સૂતરને શુદ્ધ કેસરથી રંગીને નીચે લખેલ મંત્રની પાંચ માળાનો જપ કર્યા પછી કાર્યસ્થળમાં તે રાખીને તેનાં દર્શન અને પૂજન કરવાં.

મંત્ર : શ્રીં શ્રી હ્રીં હ્રીં ઐશ્વર્ય મહાલક્ષ્મ્યૈ પૂર્ણ સિદ્ધિં દેહિ દેહિ નમ : ।

ચન્દ્ર અને મંગળ યંત્રો પર ક્રમશઃ મોતી અને મૂંગા રત્ન લગાવીને બંનેને ક્રમિકરૃપથી બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાન પર સ્થાપિત કરવા. પછી તેનાં નિત્ય દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. મંગળયંત્રને સન્મુખ ‘સણહર્તા મંગલ સ્તોત્ર’નો પાઠ શરૃ કરવો અને પછી દરરોજ તે કરતાં રહેવું. આ પ્રયોગથી ઋણમાંથી મુક્તિ અને ધનની બરકત થવા માંડશે.

કર્ક રાશિઃ સૂર્ય અને શુક્ર યંત્રો પર ક્રમશઃ મણિક્ય અને જરકન લગાવી એ બંનેને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં તેની સ્થાપના કરવી. પછી દરરોજ બંનેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.ઇચ્છિત ધનની પ્રાપ્તિ માટે નીચે લખેલ મંત્રનો ૭૨ દિવસો દરમિયાન ધૂપ-દીપાદિ સાથે સવા લાખ મંત્રોનો જપ કરવો.

મંત્રઃ  શ્રીં હ્રીં ક્લીં ત્રિભુવન પાલિન્ય મહાલક્ષ્મ્યૈ અસ્માકં ।

        દારિદ્રય નાશય નાશય પ્રચુરં ધન દેદિ ક્લીં હ્રીં શ્રીં  ।

ચાંદીમાંથી ગાયની બે પ્રતિમાઓ બનાવરાવી તેને અભિમંત્રિત કરાવી કોઈ યોગ્ય બ્રાહ્મણને તે દાનમાં આપવી. બીજી પ્રતિમાને ‘કામધેનુ’ની જેમ ઘરના પૂજાસ્થાન પર મૂકીને દરરોજ તેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી ધનાગમન થવા માંડશે.સિદ્ધ અને પ્રાણયપ્રતિષ્ઠિત ‘શ્રીયંત્ર’ને ઘરમાં સ્થાપિત કરી દરરોજ ‘શ્રી સૂક્ત’નો પાઠ કરવો. આ પ્રયોગથી ધનની વૃદ્ધિ થશે.

સિંહ રાશિઃ બુધ યંત્ર બનાવરાવી તેના પર ઓનોક્સ લગાવરાવી તથા બુધના મંત્રોથી તેને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તેની સ્થાપના કરવી. દરરોજ તેનાં દર્શન અને પૂજન કરવાં. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.

સૂર્યોદય થયેથી બે કલાક અંદર એક નાળિયેરનો ગોળો લઈને તેની મોં કાપી લેવું. પછી તેમાં સઘળા સહસ્થ ખાંડનું બૂરું, મેવો અને દેશી ઘી ભેળવીને તે દડામાં ભરવા. પછી તે ગોળાને પીપળા કે વડના ઝાડની નીચે તેને એવી રીતે દાટી દેવા કે તેનું મોં જમીનથી કંઈક ઉપર જોવા મળે. આ પ્રક્રિયા નિષ્ઠાપૂર્વક કરવી. આ પ્રયોગથી ઘરમાં લક્ષ્મીનો સ્થાયી વાસ થશે.ઇચ્છિત ધનની પ્રાપ્તિ માટે દેવી દુર્ગાની સન્મુખ દેવીનાં ૧૦૮ નામોનું સ્મરણ કરવું અને આ ક્રિયા દરરોજ કરતાં રહેવું.

દરરોજ પ્રાતઃ કંઈ પણ ખાતા પહેલાં તુલસીના પાનનું સેવન કરવું. આ પ્રયોગ થકી શુભફળની પ્રાપ્તિ થશે.

કન્યા રાશિઃ કોઈ પણ દિવસની રાત્રે ચાંદીના ઢાંકણાવાળી ડબ્બીમાં નાગ કેસર અને મધ ભરીને પોતાની તિજોરી કે ગલ્લામાં તે મૂકી દેવી. તેથી સમક્ષ દરરોજ દીપક પ્રગટાવીને શ્રી સૂક્ત અથવા વિષ્ણુસહસ્ત્ર નામનો પાઠ કરવો. તિજોરી વર્ષભર ધનથી છલોછલ ભરાયેલી રહેશે.

ચન્દ્ર અને શુક્ર યંત્ર બનાવરાવી એ બંને પર ક્રમશઃ મોતી અને જરકન લગાવરાવીને તેમને ક્રમિકપણે એ બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં તે સ્થાપવાં. તેનાં નિત્ય દર્શન-પૂજન કરવાં. આ પ્રયોગથી ધનાગમન થશે અને મા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે.કર્મ પૃષ્ઠ પર બનેલ શ્રીયંત્ર અથવા મહાલક્ષ્મી સન્મુખ દરરોજ શ્રી સૂક્તનો પાઠ કરતાં રહેવું. આ પ્રયોગથી ધનાગમન બની રહેશે.સફેદ ગુંજાને લક્ષ્મીના મંત્રોથી અભિમંત્રિત કરી મધમાં ફુલાવીને પૂજનના સ્થળે અથવા તિજોરીમાં રાખવું. આ પ્રયોગથી ધનનું રક્ષણ થાય છે.

તુલા રાશિઃ મહાલક્ષ્મીજીની પૂજાના સમયે માને એક અત્તરની શીશી ચઢાવવી. તેમાંથી એક દુબેલ લઈને તે માને અર્પણ કરવું. પછી પૂજા બાદ તે શીશીમાંથી થોડુંક અત્તર જાતે પણ લગાવવું. તે પછી રોજ આ અત્તરને થોડુંક લગાવતા રહેવું અને પછી જ કાર્યસ્થળ પર જવું. આ પ્રયોગથી રોજગારમાં વૃદ્ધિ થાય છે. સૂર્ય અને મંગળ યંત્ર બનાવી એ બંને પર ક્રમશઃ મણિક્ય અને મૂગ લગાવીને તેને ક્રમિકરૃપે બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તેની સ્થાપના કરવી. પછી દરરોજ તેનાં દર્શન-પૂજન કરતાં રહેવું. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા અને યશની પ્રાપ્તિ થાય છે.

દરેક રવિવારે ગાયત્રી અને મંગળવારે મંગળ મંત્રની રુદ્રાક્ષની માળા પર જપ કરવા. આ પ્રયોગથી ધનનું આગમન થવા લાગશે.શ્રી મહાલક્ષ્મી યંત્રને સ્થાપિત કરી દરરોજ ઈન્દ્રદન મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રનો પાઠ કરવો. આ પ્રયોગથી ધનની વૃદ્ધિ થાય છે.

વૃશ્ચિક રાશિઃ ગણેશજી રિદ્ધિ સિદ્ધિના દાતા અને લક્ષ્મીજી એ ધનની દેવી છે. આ બંનેનું સંયુક્ત યંત્ર એ મહાયંત્રની પૂજાદિ કરી તેને ગલ્લા કે તિજોરીમાં મૂકવું. આ પ્રયોગથી ધનનો ભંડાર ભરેલો રહે છે અને પરિવાર સુખી થાય છે.ગુરુ અને બુધ યંત્ર બનાવરાવી એ બંને પર ક્રમશઃ સોનેથી અને ઓનેક્સ લગાવી તેને ક્રમિકરૃપથી એ બંને ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થળ પર સ્થાપિત કરવું. આ પ્રયોગથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.વિષ્ણુની મુર્તિની સન્મુખ ‘ નમો નારાયણાય’ મંત્રનો જપ શરૃ કરવો અને પછી દરરોજ તે નિષ્ઠાપૂર્વક કરતાં રહેવું. આ પ્રયોગથી ધનલાભ થશે.દેવી દુર્ગાની સન્મુખ ‘દેહી સૌભાગ્ય આરોગ્ય દેહિ મે પરમં સુખમ્ । રૃપં દેહિ એ દોહિ યશો દેહિ દ્વિષો જાહ ।’ મંત્રનો જપ કરવો. આ નિષ્ઠાપૂર્વક કરતાં ધન મળશે.

ધન રાશિઃ શનિ યંત્ર અને શુક્ર યંત્ર બનાવરાવી ક્રમશઃ નીલી અને જરકન લગાવી તથા આ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં તે સ્થાપિત કરવું. દરરોજ તેનાં દર્શન-પૂજન કરવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ૧૧ હળદરની ગાંઠોને પીળા કપડામાં મૂકી નીચે લખેલા મંત્રના ૧૧ માળાના જપ કરી તે તિજોરીમાં મૂકવું. દરરોજ તેની સન્મુખ દીપક કરવો. આ પ્રયોગથી વ્યાપારમાં ઉન્નતિ થશે.

મંત્ર :  વક્રતુણ્ડાય હું ।

લાર્જવર્ત નંગને ચાંદીમાં જડાવીને લક્ષ્મીના મંત્રો થકી અભિમંત્રિત કરી મધ્યમા આંગળીએ ધારણ કરવાથી વ્યક્તિ ધનવાન બને.

‘ હ્રીં ક્લીં મહાલક્ષ્મ્યૈ નઃ ।’ મંત્રનો શ્રી લક્ષ્મીના ફોટા કે યંત્રની સન્મુખ દરરોજ પાંચ માળાનો જપ કરવાથી ધનનું આગમન થવા માંડે છે.

મકર રાશિઃ શનિ અને મંગળ યંત્ર બનાવી ક્રમશઃ નીલી અને મૂંગા જડાવીને આ ગ્રહોના મંત્રોથી યંત્રોને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં સ્થાપિત કરવા અને દરરોજ તેનાં પૂજન દર્શન કરવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.કોઈ પણ સાંજે એક સોપારી અને એક તાંબાનો સિક્કો લઈને કોઈ પીપળાના વૃક્ષની નીચે રાખી આવવો. રવિવારે આ પીપળાનાં પાન લાવીને કાર્યસ્થળ પર ગાદીની નીચે મૂકવા. આ પ્રયોગથી ગ્રાહકો વધે છે અને ધનનું આગમન થાય છે.

શનિ યંત્રને ઘરની પશ્ચિમ દિશામાં નીલા કપડાના આસન પર સ્થાપિત કરી તેના દરરોજ શનિના મંત્રોથી જપ કરવા અને તેલનો દીપક પણ પ્રગટાવવો. આ પ્રયોગ થકી વ્યક્તિ ધનવાન બને છે. મંગળવારે ઋણહર્તા મંગળ સ્તોત્રનો પાઠ કરવાથી ધનલાભ થાય છે.કુંભ રાશિઃ ગુરુ યંત્ર બનાવી તેના પર સોનું લગાવી લેવું તથા ગુરુના મંત્રો થકી તેને અભિમંત્રિત કરી ઘરના મંદિરમાં સ્થાપવું. તેનું નિત્ય દર્શન-પૂજન કરવું. આ પ્રયોગથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

કોઈ પણ રાતે પહેલા શનિવારથી ઘરની સાફ-સફાઈ શરૃ કરવી. સાંજના સમયે ઘરના સઘળા બલ્બ ઓછામાં ઓછા ર૦ મિનિટ સુધી દરરોજ રોશન કરવા. તે સાથે આ મંત્રની ઉપાસના રોજ કરવી. આ પ્રયોગથી સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

મંત્ર :  ઐં હ્રીં શ્રીં સં સિદ્ધિ દો સાધય સાધય સ્વાહા ।

સોનાનું ગુરુ મંત્ર બનાવી તેને અભિમંત્રિત કરી ગળામાં પહેરવાથી લક્ષ્મીકૃપા પ્રાપ્ત થાય છે. શ્રી લક્ષ્મીનારાયણ યંત્રને સારા દિવસે ઘરના પૂજન સ્થળે સ્થાપી તેનું નિત્ય પૂજન-દર્શન કરવું. આ પ્રયોગથી ધનાગમન થવા લાગશે.

મીન રાશિઃ શનિ અને મંગળ યંત્ર બનાવી એ બંને પર ક્રમશઃ નીલમ અને મૂંગા લગાવી તેને ક્રમિકરૃપે ગ્રહોના મંત્રોથી અભિમંત્રિત કરી ઘરના પૂજાસ્થાનમાં મૂકવું. તેના દરરોજ પૂજન-દર્શન કરતાં રહેવાથી મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રી યંત્ર, કુબેર યંત્ર કે દક્ષિણાવર્તી શંખ મૂકી દરરોજનાં દર્શન, પૂજન કરવાં. ગણપતિની મૂંગાની પ્રતિમા સ્થાપી ‘ એકદન્તાય વિદ્મેહ, વક્રતુણ્ડાય ધીમહિ તન્નો હન્તી પ્રચોદયાત્’ મંત્રનો જપ કરવાથી ધનલાભ અવશ્ય થાય છે.

લાલ કિતાબ અનુસાર ગ્રહોના જ્યોતિષીય ઉપાયો

સૂર્યના ગ્રહના જ્યોતિષીય નુસખા

  >>>  નિર્ધન બાળકોની સહાયતા કરવી, સદ્ચરિત્ર બનવું. મા અને દાદીની  આશિષ  મેળવવી. પ્રજ્ઞાચક્ષુને  ભોજન અને ભિક્ષા આપવાં.

 >>>  ગંગાજળ એક ચાંદીના ઘરમાં રાખવું, મંદિરમાં દાન કરવું. નાનાં લાલ મોઢાવાળાં માંકડાને ગોળ અને ચણા ખવરાવવાં.

   >>>  સળગતો અગ્નિ દૂધથી હોલવવો. જમીનમાં ચાંદીનો ચોરસ ટુકડો દાટવો. બ્રાહ્મણ અને કાળી ગાયની સેવા કરવી. પાણીનો ઘૂંટડો પીને કાર્ય   કરવું.

  >>> ગોળ ખાઈને પાણી પીને, કાર્યનો પ્રારંભ કરવો. કાળી/લાલ ગાયની સેવા કરવી. ગોળ અને ઘઉં મંદિરમાં ચઢાવવાં. દક્ષિણમુખી ઘર બનાવરાવવું નહીં.

                   ચન્દ્ર ગ્રહના જ્યોતિષીય નુસખા

  >>> જળાશયમાં પૈસા નાખવા. સોમવારે સફેદ કપડામાં મોરસ બાંધીને પાણીમાં વહેવડાવી દેવી.
 
  >>> ચાંદીમાં મોતી પહેરવું.                

  >>> પલંગની ચોફેરના ખૂણે તાંબાની ખીલી લગાવી દેવી.

  >>> હોસ્પિટલમાં પરબ લગાવવી. સસલું પાળવું. માતા-પિતાની સેવા કરવી. દૂધ અને ચોખાનું દાન કદાપિ કરવું નહીં.

 >>> દર્દીઓને મફત દવા આપવી. કૂવાનું સમારકામ કરાવવું. ફકીરને તાંબાનું પાત્ર યા પૈસા અને ભૈરવ મંદિરમાં દૂધનું દાન કરવું.

 >>>  સેવકની ધન થકી સહાયતા કરવી. પાણીનો ઘૂંટડો અને કાર્યનો પ્રારંભ કરવો. છતની નીચે કૂવો કે જળકૂપ રાખવા નહીં.

 મંગળ ગ્રહના જ્યોતિષીય નુસખા

 >>> રેવડી, પતાસાં પાણીમાં વહેવરાવવાં, વીજળીનો કારોબાર સંભાળવો. ઘરમાં મૃગચર્મ રાખવું. ભાઈઓ અને મિત્રોની સહાયતા કરવી.

 >>> ઘરમાં હાથીદાંત યા હાથીદાંતની વસ્તુઓ રાખવી. સફેદ રંગની વસ્તુઓ પોતાની પાસે રાખવી, ચાંદીની વીંટી જમણા હાથની આંગળીએ ધારણ કરવી.

 >>> હનુમાનજીને સિંદૂર ચઢાવવું, લાડુનો ભોગ ધરાવવો. મૂંગા રત્નને ધારણ કરવું. લાલ રંગનું વસ્ત્ર સદા સાથે રાખવું. મોટાં ભાઈ-ભાભીની સેવા કરવી.

 >>> પાણીમાં ગોળ નાખી સૂર્યને આ પાણીનો અર્ધ્ય આપવો. વહેતા પાણીમાં ગોળને વહેવડાવવો. ચાંદી, ચોખા પોતાની પાસે રાખવા ઘરમાં હથિયાર રાખવાં નહીં.

 બુધ ગ્રહના જ્યોતિષીય નુસખા

>>> ઘરના પૂર્વી દ્વારમાં સૂર્યની લાલ વસ્તુઓ લગાવવી. બકરીનું દાન કરવું. રાત્રે મગ પલાળી રાખી પ્રાતઃ જાનવરોને ખવરાવવા. ઢાક અથવા આંબાનાં પાન ગાયના દૂધમાં ધોઈને તે જમીનમાં દાટી દેવાં. ફટકડીથી દાંતની સફાઈ કરવી. આખા મગની દાળ ભોજનમાં ખાવી નહીં.

>>> ગોળ વહેતાં પાણીમાં વહેવડાવવો. કેસર ખાવું અને તેનું તિલક કરવું. સોના કે ચાંદીની સાંકળ પહેરવી.

 >>> ગળામાં તાંબાનો પૈસો પહેરવો. લોઢાની લાલ રંગની ગોળી પાસે રાખવી. ખાલી વાસણોમાં તાંબાનો પૈસો નાખી પોતાની પાસે રાખવા.

 ગુરુ ગ્રહના જ્યોતિષી નુસખા

>>> કેસરનું તિલક કરવું. તેલ, બદામ, નારિયેળ પાણીમાં વહેવડાવવાં. નાક સાફ રાખવું. સોનું ગળામાં પહેરવું.

 >>> ચણાની દાળ પીળા કપડામાં બાંધીને મંદિરમાં આપી દેવી. હળદર કે કેસરનું તિલક કરવું. મહેમાનોની સેવા કરવી. ભલાઈનાં કામ કરવાં. સાપને દૂધ પાવું.

>>> શ્રી ગણેશજી અને શિવજીની પૂજા, આરાધના કરવી. પૂજાના સ્થાનની નિયમિત રીતે સાફસૂફી કરી કરવી.

  >>> ચણાનું મંદિરમાં દાન કરવું. પીપળામાં જળ સિંચન કરવું. સોનું ધારણ કરવું. બાળકો સહિત ભાગીદારીમાં વ્યાપાર કરવો.

 >>> શિવજીનાં પૂજા-અર્ચના કરવાં. ગળામાં સુવર્ણ ધારણ કરવું. કપડામાં લાલ ચંદન બાંધી તે પોતાની પાસે રાખવું.

 શુક્ર ગ્રહના જ્યોતિષીય નુસખા

>>> ગાય અને માતાની સેવા કરવી. સફેદ પથ્થરને ધોઈને તેના પર સફેદ ચંદન લગાવીને પાણીમાં વહેવડાવવો. સદ્ચરિત્ર રહેવું. વિધિવત્ વિવાહ કરવો.

>>> દહીં કે રૃ મંદિરમાં ભેટ કરવું. તેલ વહેવડાવવું. ધરતી પર તેલ પધરાવવું.

>>> કાળી ગાયને ઘાસ વગેરે ખવરાવવું. દહીંથી સ્નાન કરવું. ગોળ ખાવો નહીં.

>>>  સ્ત્રીનું કદાપિ અપમાન કરવું નહીં. પરસ્ત્રીગમન થકી બચવું.

 શનિ ગ્રહના જ્યોતિષીય નુસખા

>>> વાંદરું પાળવું વાંદરાને ચણા ખવરાવવા. વડના મૂળમાં દૂધ સીંચીને તે માટીનું તિલક કરવું. કાળો સૂરમો ભૂમિમાં દાટવો. કાળા અડદ, બદામ, તેલ, કાળું કપડું, લોઢું, વીંટી, ચમચો કોઈ સાધુને દાનમાં આપવો.

>>> નારિયેળ યા બદામ વહેવડાવવાં પગરખાનું દાન કરવું. સાપને દૂધ પાવું, તેલ ભરેલા વાસણમાં પોતાનું મુખ જોઈને તે તેલ પાણીમાં વહેવડાવી દેવું. કાળા અડદ અને સરસિયાનું તેલ મેળવીને તે પાણીમાં વહેવડાવવું.

>>> ગણેશજીનાં પૂજા-અર્ચના કરવાં. ચણાની દાળ પાણીમાં વહેડાવવી. સદાય પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવવું. વ્યસનથી દૂર રહેવું. કોઈની સાથે છેતરપિંડી કરવી નહીં. જૂઠું બોલવું નહીં.

 રાહુ ગ્રહના જ્યોતિષીય નુસખા

>>> માતા સાથે સંબંધ રાખવો. હાથીના પગની માટી કૂવામાં પધરાવવી. ચાંદીની મજબૂત ગોળી પોતાની પાસે રાખવી. વિદ્યુતનો સામાન સાસરી પક્ષમાંથી લેવો નહીં.

>>> સરસ્વતી માતાજીને સતત છ દિવસો સુધી નીલા રંગનાં પુષ્પો અર્પણ કરવા. શીશા/સિક્કાની ગોળી પોતાની પાસે રાખવી.

>>> પોતાની આવકનો કેટલોક ભાગ કન્યા કે બહેનને આપતા રહેવું. ચાંદીનો ચોરસ ટુકડો ગળામાં ધારણ કરવો. રસોડામાં બેસીને ભોજન કરવું.

કેતુ ગ્રહના જ્યોતિષીય નુસખા
>>> કન્યાઓની સેવા કરવી. કદાપિ પત્નીનું અપમાન કરવું નહીં. કેસર કે ચંદનનું તિલક કરવું. ચાલચલગત બરાબર રાખવી.

>>> કેળાં મંદિરમાં દાનમાં આપવાં, કાળા અને સફેદ તલને પાણીમાં વહેવડાવવા, જમણા હાથની આંગળીમાં સોનાની વીંટી પહેરવી.

>>> સાત-સાત કેળાં નિરંતર ચાર દિવસો સુધી પાણીમાં વહેવડાવવાં. અભિમાનનો ત્યાગ કરવો.

સત્યનારાયણ ભગવાનનું વ્રત થી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. Satyanarayan Bhagvan

સત્યનારાયણ પૂજા


કથા
અધ્યાય ૧

જમણા હાથમાં ફૂલ લઈ રાખી કથાનું શ્રવણ કરવું.

एकदा नैमिषारण्ये ऋषयः शौनकादयः |
पप्रच्छुर्मुनयः सर्वे सूतं पौराणिकं खलु ||


સજ્જનો! એક સમયની વાત છે. નૈમિષારણ્ય તીર્થ ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં વિરાજમાન હતા.

ऋषय ऊचुः
व्रतेन तपसा किं वा प्राप्यते वांछितं फलम् |
तत् सर्वं श्रोतुमिच्छामः कथयस्व महामुने ||


શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પુછ્યું કે હે મહામુનિ! વ્રત અથવા તપથી કયું વાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો.

सूत उवाच
नारदेनैव संपृष्टो भगवान् कमलापतिः |
सुरर्षये यथैवाह तच्छृणुध्वं समाहिताः ||


શ્રી સુતજીએ કહ્યું, એક વાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે જ કથા હું તમને સંભળાવું છું.

एकदा नारदो योगी परानुग्रहकांक्षया |
पर्यटन विविधान् लोकान् मर्त्यलोकमुपागतः ||
ततो दृष्ट्वा जनान् सर्वान् नानाक्लेशसमन्वितान् |
नानायोनिसमुत्पन्नान् क्लिश्यमानान् स्वकर्मभिः ||


એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા. ત્યાં એમણે ઘણા લોકોને પોત પોતાના પૂર્વ જન્મનાં કર્મ અનુસાર અનેક પ્રકારનાં દુ:ખો ભોગવતાં જોયાં.

केनोपायेन चैतेषां दुःखनाशो भवेद् ध्रुवम् |
ईति संचीत्य मनसा विष्णुलोकं गतस्तदा ||


“એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોનાં આ દુ:ખો દૂર થઈ શકે” એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં ગયા.

तत्र नारायणं देवं शुक्लवर्णं चतुर्भुजम् |
शंखचक्रगदापद्मवनमालाविभिषितम् ||


ત્યાં શંખ, ચક્ર, ગદા, પદ્મ અને વનમાલા ધારણ કરનાર શુક્લવર્ણ ચતુર્ભૂજ શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા.

नारद उवाच
दृष्ट्वा तं देवदेवेश स्तोतुं समुपचक्रमे |
नमो वांगमनसातीत रूपायानन्तशक्तये ||
आदिमध्यान्तहीनाय निर्गुणाय गुणात्मने |
सर्वेषामादिभूताय भक्तानामार्तिनाशिने ||


મન-વાણીથી પર, આદિ, મધ્ય અને અંત રહિત, અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણરૂપ, નિર્ગુણ છતાં ગુણાત્મા, ભક્તોનાં દુઃખો દૂર
કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા, ‘હું આપને વંદન કરું છું.’

श्रुत्वा स्तोत्रं ततो विष्णुः नारदं प्रत्यभाषत |
किमर्थमागतोऽपि त्वं किं ते मनसि वर्तते |
कथयस्य महाभाग तत् सर्वं कथयामि ते ||


શ્રી ભગવાન બોલ્યા, હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કંઈ હોય તે સઘળું કહો, હું તમને બધું જ જણાવીશ.

नारद उवाच
मर्त्यलोके जनाः सर्वे नानाक्लेशसमन्विताः |
नानायोनिसमुत्पन्नाः पच्यन्ते पापकर्मभिः ||
तत् कथं शमयेन्नाथ लघूपायेन तद् वद |
तत् सर्वं श्रोतुमिच्छामि कृपास्ति यदि ते मयि ||


નારદ બોલ્યા, હે ભગવાન! પૃથ્વી પર કેટલાયે લોકો વિવિધ પ્રકારનાં દુ:ખોથી પીડાય છે. એ દુ:ખો દૂર કરવાનો કોઈ સરળ ઉપાય આપ જાણતા હો તો કૃપા કરી મને કહેવા આપને નમ્ર વિનંતિ કરું છું.

श्री भगवानुवाच
साधुपृष्टं त्वया वत्स लोकानुग्रहकांक्षया |
यत्कृत्वा मुच्यते मोहात् तच्छृणुष्व वदामि ते ||
व्रतमस्ति महत्पुण्यं स्वर्गे मर्त्ये च दुर्लभम् |
तव स्नेहान्मया वत्स ! प्रकाशः क्रियतेऽधुना ||
सत्यनारायणस्येदं व्रतं सम्यग्विधानतः |
कृत्वा सद्यः सुखं भुक्त्वा परत्र मोक्षमाप्नुयात् ||


શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું, હે નારદ! લોકકલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પુછ્યો. જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું તે સાંભળો. મનુષ્ય લોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહા પૂણ્ય આપનારું એક વ્રત છે. હે વત્સ ! તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું. એ છે સત્યનારાયણનું વ્રત. યોગ્ય વિધિવિધાનથી એ વ્રત કરવાથી તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે.

तच्छृत्वा भगवद्वाक्यं नारदो मुनिरब्रवीत् |
किं फलं किं विधानं च कृतं केनैव तद्व्रतम् |
तत् सर्व विस्तराद् ब्रूहि कदा कार्य हि तद्व्रतम् ||


ભગવાનનાં આ વાક્યો સાંભળી નારદ બોલ્યા, ‘આ વ્રતનું ફળ શું? એની વિધિ શી છે? એ વ્રત ક્યારે કરવું? તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તરથી કહો.’

श्री भगवानुवाच
दुःखशोकादिशमनं धनधान्यप्रवर्धनम् |
सौभाग्यसंततिकरं सर्वत्र विजयप्रदम् ||
यस्मिन् कस्मिन् दिने मर्त्यो भक्तिश्रद्धासमन्वितः ||
सत्यनारायणं देवं यजेच् चैव निशामुखे |
ब्राह्मणैर्बान्धवैश्चैव सहितो धर्मतत्परः ||
नैवेद्यं भक्तितो दद्यात् सपादं भक्षसंयुतम् |
रंभाफलं घृतं क्षीरं गोधूमस्य च चूर्णकम् ||
अभावे शालिचूर्णं वा शर्करां च गूडं तथा |
सपादं सर्वभक्ष्याणि चैकीकृत्य निवेदयेत् ||
विप्राणां दक्षिणा दद्यात् कथां श्रुत्वा जनैः सह |
ततश्च स्वगृहं गच्छेत् सत्यनारायणं स्मरन् ||
एवं कृते मनुष्याणां वांछासिद्धिर्भवेद्ध्रुवम् |
विशेषतः कलियुगे लघूपायोऽस्ति भूतले ||


આ પવિત્ર વ્રત દુ:ખ શોક દૂર કરી સુખ, સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે. ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો, વડીલો, ઈષ્ટ મિત્રો અને સગાં વહાલાં સહિત ભેગાં મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રતપૂજન કરવું જોઈએ. સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાંને વહેંચવો અને પોતે પણ લેવો. આ પછી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં બધાં લોકો પોત પોતના ઘરે જાય, અને નિશ્ચય કરે કે સત્ય વાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું. આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે.

ईति श्री स्कंदपुराणे रेवाखंडे सत्यनारायण व्रतकथायाम् प्रथमोऽध्यायः.

બોલો શ્રી સત્ય નારાયણ ભગવાનનો જય

શ્રી હનુમાન ચાલીસા ભાવાર્થ તુલસીદાસ

જુઓને ભગવાને પણ કેવો યોગ રચ્યો છે. કે ભક્ત વિના પ્રભુ પણ રહી નથી સકતા… તેથી જ તો રામનવમી એટ્લેકે શ્રીરામના જન્મ બાદ તરત જ તેમના અનુજ સમા શ્રી હનુમાનનો જન્મ આવે છે…અને આમ પણ ભક્ત વિના પ્રભુ પણ અધુરા જ સ્તો છે ને. શ્રી રામની જીવનલીલામાં હનુમાનનુ સ્થાન અનન્ય હતું. વળી હનુમાનજી પોતાની છાતી ચીરીને બતાવે છે કે પ્રભુ તો તેમના દિલમાં છે, મોતીઓમાં કે વૈભવમાં નહીં. જે કહે છે કે ભગવાનને ભજવામાં દેખાડો ન હોય… તો પછી આજના દિવસે હનુમાનજીની પૂજા કર્યા વિના કેમ ચાલે તો આપણા સનાતન-જાગૃતિમા બતાવ્યા મુજબ ચાલો આપણે તેમની પૂજા અને હનુમાનચાલીસાનું પઠન કરીએ..

      



પૂજન વિધિ

બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લાલ વસ્ત્ર ધારણ કરો. કુશ અથવા ઉનના આસન પર હનુમાનજી ની પ્રતિમા, ચિત્ર અથવા યંત્રને (ભોજપત્ર અથવા તામ્ર-પત્ર પર ઉત્કીર્ણ કરવાવીને) સામે રાખો અને સિંદૂર, ચોખા, લાલ પુષ્પ, અગરબત્તી તથા દીવો પ્રગટાવી પૂજન કરો. બૂંદીના લાડવાનો ભોગ લગાવો. પુષ્પ હાથમાં લઇ નિમ્ન શ્લોકનું ઉચ્ચારણ કરો:



अतुलित बलधामं हेम शैलाभदेहं, दनुज-वन कृशानुं ज्ञानिनामग्रण्यम् ।
सकल गुणनिधानं वानराणामधीशं, रघुपति प्रियभक्तं वातजातं नमामि ॥

અતિલિત બલધામં હેમ શૈલાભદેહં, દનુજ-વન કૃશાનું જ્ઞાનિનામગ્રણ્યમ્ |
સકલ ગુણનિધાનં વાનરામધીશં, રઘુપતિ પ્રિયભક્તં વાતજાતં નમામિ ॥


ત્યારબાદ પુષ્પ અર્પણ કરીને મનમાં હનુમાનજીનું ધ્યાન કરી હનુમાન ચાલીસાનો પાઠ કરો. અંતમાં લાલ ચંદનની માળા લઇ “हं हनुमते रुद्रात्मकाय हूं फट्” મંત્રનો ૧૦૮ વાર નિત્ય જાય કરો.



अथ श्री हनुमान चालीसा

અથ શ્રી હનુમાન ચાલીસા



॥ दोहा ॥

॥ દોહા ॥



श्री गुरु चरन सरोज रज, निज मन मुकुरु सुधारि ।
बरनउं रघुबर बिमल जसु, जो दायकु फल चारि ॥

શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ |
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥

ભાવાર્થ – શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ) આપનાર છે.



बुद्धिहीन तनु जानके, सुमिरौं पवन कुमार ।
बल बुद्धि विद्या देहु मोहिं, हरहु कलेश विकार ॥

બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર |
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥

ભાવાર્થ – હે પવનપુત્ર, મેં આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ, તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો.



॥ चौपाई ॥

॥ ચૌપાઈ ॥



जय हनुमान ज्ञान गुन सागर । जय कपीस तिहुं लोक उजागर ॥

જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીસ તિહું લોક ઉજાગર ॥

ભાવાર્થ – હે કેસરીનન્દન, આપની જય હો ! આપના જ્ઞાન અને ગુણની કોઈ સીમા નથી. હે કપીશ્વર ! આપની જય હો ! ત્રણેય લોકો (સ્વર્ગ-લોક, ભૂ-લોક, અને પાતાળ-લોક) માં આપની કીર્તિ ઉજાગર છે.



रामदूत अतुलित बल धामा । अंजनि पुत्र पवन सुत नामा ॥

રામદૂત અતુલિત બલ ધામા | અંજનિ પુત્ર પવન સુત નામા ॥

ભાવાર્થ – હે પવનસુત, અંજનીનન્દન ! શ્રી રામદૂત ! આ સંસારમાં આપની સમાન બીજું કોઇ પણ બળવાન નથી.



महावीर विक्रम बजरंगी । कुमति निवार सुमति के संगी ॥

મહાવીર વિક્રમ બજરંગી | કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥

ભાવાર્થ – હે બજરંગબલી ! આપ મહાવીર અને વિશિષ્ટ પરાક્રમી છો. આપ દુર્બુદ્ધિને દૂર કરનાર છો અને સુબુદ્ધિના સહાયક છો.



कंचन बरन विराज सुवेसा । कानन कुण्डल कुंचित केसा ॥

કંચન બરન વિરાજ સુવેસા | કાનન કુણ્ડલ કુંચિત કેસા ॥

ભાવાર્થ – આપનો રંગ કંચન જેવો છે. સુન્દર વસ્ત્રોંથી તથા કાનોમાં કુણ્ડળ અને ધુંધરાળા વાળોથી આપ સુશોભિત છો.



हाथ बज्र और ध्वजा बिराजै । कांधे मूंज जनेऊ साजै ॥

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ | કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥

ભાવાર્થ – આપના હાથમાં વજ્ર અને ધ્વજા છે તથા આપના કાન્ધા પર મૂંજની જનોઈ શોભાયમાન છે.



शंकर सुवन केसरी नन्दन । तेज प्रताप महा जग बन्दन ॥

શંકર સુવન કેસરી નન્દન | તેજ પ્રતાપ મહા જગ બન્દન ॥

ભાવાર્થ – હે શંકર ભગવાનના અંશ ! કેસરીનન્દન ! આપના પરાક્રમ અને મહાન યશની આખા સંસારમાં વન્દના થાય છે.



विद्यावान गुनी अति चातुर । राम काज करिबे को आतुर ॥

વિદ્યાવાન ગુની અતિ ચાતુર | રામ કાજ કરિબે કો આતુર ॥

ભાવાર્થ – આપ અત્યંત ચતુર, વિદ્યાવાન, અને ગુણવાન છો. આપ સદા ભગવાન શ્રીરામના કાર્યો કરવા માટે આતુર રહો છો.



प्रभु चरित्र सुनिबे को रसिया । राम लखन सीता मन बसिया ॥

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા | રામ લખન સીતા મન બસિયા ॥

ભાવાર્થ – આપ શ્રીરામના ગુણગાન સાંભળવામાં આનન્દ રસનો અનુભવ કરો છો. માતા સીતા અને લક્ષ્મણ સહિત ભગવાન શ્રીરામ આપના મન અને હ્રદયમાં વસે છે.



सूक्ष्म रूप धरि सियहिं दिखावा । विकट रूप धरि लंक जरावा ॥

સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા | વિકટ રૂપ ધરિ લંક જરાવા ॥

ભાવાર્થ – આપે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરી માતા સીતાને બતાવ્યું તથા વિરાટ રૂપ ધારણ કરી રાવણની લંકાને સળગાવી નાખી.



भीम रुप धरि असुर संहारे । रामचन्द्र जी के काज संवारे ॥

ભીમ રૂપ ધરિ અસુર સંહારે | રામચન્દ્ર જી કે કાજ સંવારે ॥

ભાવાર્થ – આપે ભીમ (અથવા ભયંકર) રૂપ ધારણ કરી રાક્ષસોંનો સંહાર કર્યો અને ભગવાન શ્રી રામના ઉદ્દેશ્યને સફળ બનાવવામાં સહયોગ આપ્યો.



लाय संजीवन लखन जियाये । श्री रघुबीर हरषि उर लाये ॥

લાય સંજીવન લખન જિયાયે | શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥

ભાવાર્થ – આપે સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણજી ને પ્રાણ દાન આપ્યું અને શ્રીરામે હર્ષિત થઇને આપને હ્રદયથી લગાવી દીધા.



रघुपति कीन्हीं बहुत बड़ाई । तुम मम प्रिय भरतहि सम भाई ॥

રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ | તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥

ભાવાર્થ – હે અંજનીનન્દન ! શ્રીરામે આપની ખુબજ પ્રશંસા કરી અને કહ્યું કે હનુમાન મને ભાઇ ભરત સમાન પ્રિય છે.



सहस बदन तुम्हारो यस गावैं । अस कहि श्रीपति कठं लगावैं ॥

સહસ બદન તુમ્કારિ યસ ગાવૈં | અસ કહિ શ્રીપતિ કઠં લગાવૈં ॥

ભાવાર્થ – “હજારો મુખોથી આપનું યશોગાન હો” એવું કહીને શ્રીરામચન્દ્રજીએ આપને તેમના હ્રદયથી લગાવી દીધા.



सनकादिक ब्रह्मादि मुनिसा । नारद सारद सहित अहीसा ॥

સનકાદિક બ્રહ્માદિ મુનિસા | નારદ સારદ સહિત અહીસા ॥

ભાવાર્થ – શ્રીસનતકુમાર, શ્રીસનાતન, શ્રીસનક, શ્રીસનન્દન આદિ મુનિ, બ્રહ્મા આદિ દેવતા, શેષનાગજી બધા આપનું ગુણગાન કરે છે.



जम कुबेर दिक्पाल जहां ते । कवि कोविद कहि सके कहां ते ॥

જમ કુબેર દિક્પાલ જહાં તે | કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥

ભાવાર્થ – યમ, કુબેર આદિ તથા બધી દિશાઓના રક્ષક, કવિ, વિદ્વાન કોઇ પણ આપના યશનું સંપૂર્ણ વર્ણન કરવામાં સક્ષમ નથી.



तुम उपकार सुग्रीवहिं कीन्हा । राम मिलाय राज पद दीन्हा ॥

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા | રામ મિલાય રાજ પદ દીન્હા ॥

ભાવાર્થ – આપે વાનરરાજ સુગ્રીવની શ્રીરામચન્દ્રજી સાથે મુલાકાત કરાવી તેમના પર ઉપકાર કર્યો. એમને રાજા બનાવી દીધા.



तुम्हरो मंत्र विभीषण माना । लंकेश्वर भये सब जग जाना ॥

તુમ્હરો મંત્ર વિભીષણ માના | લંકેશ્વર ભયે સબ જગ જાના ॥

ભાવાર્થ – આપના પરામર્શનું વિભીષણજીએ અનુકરણ કર્યું, જેના ફલસ્વરૂપે તેઓ લંકાના રાજા બન્યા, આ વાત આખું સંસાર જાણે છે.



जुग सहस्त्र योजन पर भानू । लील्यो ताहि मधुर फल जानू ॥

જુગ સહસ્ત્ર યોજન પર ભાનૂ | લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥

ભાવાર્થ – જે સૂર્ય હજારો યોજન દૂર છે, જ્યા સુધી પહોંચવામાં હજારો યુગ લાગે છે, એ સૂર્યને આપ મીઠુ ફળ જાણીને ગળી ગયા.



प्रभु मुद्रिका मेलि मुख माहीं । जलधि लांघि गये अचरज नाहीं ॥

પ્રભુ મુદ્રિયા મેલિ મુખ માહીં | જલધિ લાંઘિ ગયે અચરજ નાહીં ॥

ભાવાર્થ – આપે ભગવાન શ્રીરામ દ્વારા આપેલ વીંટી (અંગૂઠી, મુદ્રિકા) મુખમાં રાખી સમુદ્ર પાર કર્યો. આપના માટે આમ સમુદ્ર ઓળંગવું કોઇ આશ્ચર્યની વાત નથી.



दुर्गम काज जगत के जेते । सुगम अनुग्रह तुम्हरे तेते ॥

દુર્ગમ કાજ જગત કે જેતે | સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥

ભાવાર્થ – સંસારના કઠિન-થી-કઠિન કામ આપની કૃપાથી સહજતાથી પૂરા થઇ જાય છે.



राम दुआरे तुम रखवारे । होत न आज्ञा बिनु पैसारे ॥

રામ દુઆરે તુમ રખવારે | હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥

ભાવાર્થ – આપ શ્રીરામચન્દ્રજીના મહેલના દ્વારપાલ છો, આપની આજ્ઞા વિના જેમા કોઇ પ્રવેશ નથી કરી શકતું.



सब सुख लहै तुम्हारी सरना । तुम रक्षक काहू को डरना ॥

સબ સુખ લહૈ તુમ્હારી સરના | તુમ રક્ષક કાહૂ કો ડરના ॥

ભાવાર્થ – આપની શરણમાં આવનાર વ્યક્તિને બધા સુખ પ્રાપ્ત થઇ જાય છે અને કોઇ પ્રકારનો ભય નથી રહેતો.



आपन तेज सम्हारो आपै । तीनहु लोक हांक ते कांपै ॥

આપન તેજ સમ્હારો આપૈ | તીનહુ લોક હાંક તે કાંપૈ ॥

ભાવાર્થ – આપના વેગને કેવળ આપ જ સહન કરી શકો છો. આપની સિંહ ગર્જનાથી ત્રણેય લોકોના પ્રાણી કાંપી ઊઠે છે.



भूत पिशाच निकट नहिं आवै । महावीर जब नाम सुनावै ॥

ભૂત પિશાચ નિકટ નહીં આવૈ | મહાવીર જબ નામ સુનાવૈ ॥

ભાવાર્થ – હે અંજનિપૂત્ર ! જે આપના “મહાવીર” નામનું જપ કરે છે, ભૂત-પિશાચ જેવી દુષ્ટ આત્માઓ એનાથી દૂર રહે છે.



नासै रोग हरै सब पीरा । जपत निरंतर हनुमत वीरा ॥

નાસૈ રોગ હરૈ સબ પીરા | જપત નિરંતર હનુમત વીરા ॥

ભાવાર્થ – હે વીર હનુમાનજી ! આપના નામનું નિરંતર જપ કરવાથી બધા રોગ નષ્ટ થઇ જાય છે અને બધા કષ્ટ પણ દૂર થઇ જાય છે.



संकट ते हनुमान छुड़ावै । मन-क्रम-बचन ध्यान जो लावै ॥

સંકટ તે હનુમાન છુડ઼ાવૈ | મન-ક્રમ-બચન ધ્યાન જો લાવૈ ॥

ભાવાર્થ – જે મન-પ્રેમ-વચનથી પોતાનું ધ્યાન આપનામાં લગાવે છે, તેમને બધા દુઃખોથી આપ મુક્ત કરી દો છો.



सब पर राम तपस्वी राजा । तिनके काज सकल तुम साजा ॥

સબ પર રામ તપસ્વી રાજા | તિનકે કાજ સકલ તુમ સાજા ॥

ભાવાર્થ – રાજા શ્રીરામચન્દ્રજી સર્વશ્રેષ્ઠ તપસ્વી છે, તેમના બધા કાર્યોને આપે પૂર્ણ કર્યા છે.



और मनोरथ जो कोई लावै । सोइ अमित जीवन फल पावै ॥

ઔર મનોરથ જો કોઈ લાવૈ | સોઇ અમિત જીવન ફલ પાવૈ ॥

ભાવાર્થ – આપની કૃપાના પાત્ર જીવ કોઇપણ અભિલાષા કરે, એને તુરંત ફળ મળે છે. જીવ જે ફળ પ્રાપ્તિની કલ્પના પણ નથી કરી શકતો, એ ફળ એને આપની કૃપાથી મળી જાય છે. અર્થાત્ એની બધી મંગળકામનાઓ પૂર્ણ થઇ જાય છે.



चारों जुग परताप तुम्हारा । है परसिद्ध जगत उजियारा ॥

ચારોં હુગ પરતાપ તુમ્હારા | હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥

ભાવાર્થ – આપનો યશ ચારો યુગો (સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, તથા કલિયુગ) માં વિદ્યમાન છે. સમ્પૂર્ણ સંસારમાં આપની કીર્તિ પ્રકાશમાન છે. આખું સંસાર આપનું ઉપાસક છે.



साधु संत के तुम रखवारे । असुर निकन्दन राम दुलारे ॥

સાધુ સંત કે તુમ રખવારે | અસુર નિકન્દન રામ દુલારે ॥

ભાવાર્થ – હે રામચન્દ્રજીના દુલારા હનુમાનજી ! આપ સાધુ-સંતો તથા સજ્જનો અર્થાત્ ધર્મની રક્ષા કરો છો તથા દુષ્ટોનો સર્વનાશ કરો છો.



अष्ट सिद्धि नव निधि के दाता । अस वर दीन जानकी माता ॥

સષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા | અસ વર દીન જાનકી માતા ॥

ભાવાર્થ – હે કેસરીનન્દન ! માતા જાનકીએ આપને એવું વરદાન આપ્યું છે, જેના કારણે આપ કોઇપણ ભક્તને “આઠ સિદ્ધિ” અને “નવ નિધિ” પ્રદાન કરી શકો છો.

આઠ સિદ્ધિઆ — અણિમા – સાધક અદ્ર્શ્ય રહે છે અને કઠિન-થી-કઠિન પદાર્થમાં પ્રવેશ કરી શકે છો. મહિમા – યોગી પોતાને વિરાટ બનાવી લે છે. ગરિમા – સાધક પોતાની ઇચ્છા મુજબ વજન વધારી શકે છે. લઘિમા – સાધક પોતાની ઇચ્છા મુજબ વજન ઘટાડી શકે છે. પ્રાપ્તિ – મનવાંછિત પદાર્થની પ્રાપ્તિ થાય છે. પ્રાકામ્ય - ઇચ્છા કરવા પર સાધક પૃથ્વીમાં ભળી શકે છે અથવા આકાશમાં ઊડી શકે છે. ઈશિત્વ – બધા પર શાસન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. વશિત્વ – અન્ય કોઈને વશમાં કરી શકાય છે.

નવ નિધિઆ — પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છપ, મુકુન્દ, કુન્દ, નીલ, બર્ચ્ચ – આ નૌ નિધિઆ કહેવામાં આવી છે.



राम रसायन तुम्हरे पासा । सदा रहो रघुपति के दासा ॥

રામ રસાયન તુમ્હરે પાસા | સદા રહો રઘુપતિ કે દાસા ॥

ભાવાર્થ – આપ સદૈવ શ્રીરઘુનાથજીની શરણમાં રહો છો તેથી આપની પાસે વૃદ્ધાવસ્થા અને અન્ય અસાધ્ય રોગોના નાશ માટે “રામ-નામ” રૂપી રસાયણ (ઔષધિ) છે.



तुम्हरे भजन राम को पावै । जनम जनम के दुख बिसरावै ॥

તુમ્હરે ભજન રામ કો પાવૈ | જમન જનમ કે દુખ બિસરાવૈ ॥

ભાવાર્થ – આપના ભજન કરનાર ભક્તને ભગવાન શ્રીરામજીના દર્શન થાય છે અને એના જન્મ-જન્માંતરના દુખ દૂર થઇ જાય છે.



अंतकाल रधुबर पुर जाई । जहां जन्म हरि भक्त कहाई ॥

સંતકાલ રઘુબર પુર જાઈ | જહાં જન્મ હરિ ભક્ત કહાઈ ॥

ભાવાર્થ – આપના ભજનના પ્રભાવથી પ્રાણી અંત સમય શ્રીરઘુનાથજીના ધામે જાય છે. જો મૃત્યુલોકમાં જન્મ લેશે તો ભક્તિ કરશે અને શ્રીહરિ ભક્ત કહેવાશે.



और देवता चित्त न धरई । हनुमत सेइ सर्व सुख करई ॥

ઔર દેવતા ચિત્ત ન ધરઈ | હનુમત સેઇ સર્વ સુખ કરઈ ॥

ભાવાર્થ – હે હનુમાનજી ! જો ભક્ત સાચા મનથી આપની સેવા કરે છે તો એને બધા પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. એને અન્ય કોઇ દેવતાની પૂજા કરવાની આવશ્યકતા નથી રહેતી.



संकट कटै मिटै सब पीरा । जो सुमिरै हनुमत बलबीरा ॥

સંકટ કટૈ મિટૈ સબ પીરા | જો સુમિરૈ હનુમત બલબીરા ॥

ભાવાર્થ – હે બળવીર હનુમાનજી ! જે વ્યક્તિ માત્ર આપનું સ્મરણ કરે છે, એના બધા સંકટ મટી જાય છે અને બધી પીડાઓ પણ મટી જાય છે.



जय जय जय हनुमान गोसाइँ । कृपा करहु गुरु देव की नाइँ ॥

જય જય જય હનુમાન ગોસાઇઁ | કૃપા કરહુ ગુરૂ દેવ કી નાઇઁ ॥

ભાવાર્થ – હે વીર હનુમાનજી ! આપની સદા જય હો, જય હો, જય હો. આપ મુજ પર શ્રીગુરૂજીની સમાન કૃપા કરો જેથી મેં સદા આપની ઉપાસના કરતો રહું.



जो शत बार पाठ कर कोई । छूटहिं बन्दि महा सुख होई ॥

જો શત બાર પાઠ કર કોઈ | છૂટહિં બન્દિ મહા સુખ હોઈ ॥

ભાવાર્થ – જે વ્યક્તિ શુદ્ધ હ્રદયથી પ્રતિદિન આ હનુમાન ચાલીસાનો સો વાર પાઠ કરશે તે બધા સાંસારિક બંધનો થી મુક્ત થશે અને તેને પ્રેમાનંદની પ્રાપ્તિ થશે.



जो यह पढ़े हनुमान चालीसा । होय सिद्धि साखी गौरीसा ॥

જો યહ પઢ઼ે હનુમાન ચાલીસા | હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥

ભાવાર્થ – ગૌરી પતિ શંકર ભગવાને આ હનુમાન ચાલીસા લખાવી તેથી તેઓ સાક્ષી છે કે જે આ હનુમાન ચાલીસા વાચસે તેને નિશ્ચય સિદ્ધિ પ્રાપ્ત થશે.



तुलसीदास सदा हरी चेरा । कीजै नाथ ह्रदय मंह डेरा ॥

તુલસીદાસ સદા હરી ચેરા | કીજૈ નાથ હ્રદય મંહ ડેરા ॥

ભાવાર્થ – હે મારા નાથ હનુમાનજી ! ‘તુલસીદાસ‘ સદા “શ્રીરામ” ના દાસ છે, તેથી આપ એમના હ્રદયમાં સદા નિવાસ કરો.



पवन तनय संकट हरन, मंगल मूरति रूप ।
राम लखन सीता सहित, ह्रदय बसहु सुर भूप ॥

પવન તનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ |
રામ લખન સીતા સહિત, હ્રદય બસહુ સુર ભૂપ ॥

ભાવાર્થ -­ હે પવનપુત્ર ! આપ બધા સંકટોના હરણ કરનાર ચો, આપ મંગળ મુરત રૂપ છો. મારી પ્રાર્થના છે કે આપ શ્રીરામ, શ્રીજાનકી તથા લક્ષ્મણજી સહિત સદા મારા હ્રદયમાં નિવાસ કરો.

                                                                             ॥ इति ॥

॥ ઇતિ ॥

નોકરી-વ્યાપારની સફળતા માટે કેટલાક જ્યોતિષીય નુસખા 2010

વ્યાપારિક યાત્રા પર જનારા વ્યાપારીઓએ જતાં પહેલા સવા રૃપિયો કોઈ ગુપ્ત સ્થાન પર સંતાડી દેવો. યાત્રા પરથી પરત આવ્યા પછી આ સવા રૃપિયો કોઈ  ભિખારીને દાન કરી દે. આમ કરવાથી  યાત્રા સફળ  થશે અને યાત્રાથી વ્યાપારમાં ઈચ્છિત ઉન્નતિ પણ સધાશે.

શનિવારના દિવસે જૂના પોતાના કાર્યાલયમાંથી કોઈપણ લોઢાની વસ્તુ નવી જગ્યાના સ્થળે લાવીને મુકી દેવી. તે નવા સ્થળે મુકતા પહેલા તે સ્થળે થોડાક કાળા અડદના દાણા નાખી દેવા. આ લોખંડની મુકેલી વસ્તુ ત્યાંથી વારંવાર હટાવવી નહિ. આમ કરવાથી જૂના ઉદ્યોગની સાથોસાથ નવા ઉદ્યોગમાં પણ સારી એવી પ્રગતિ સધાશે.

લાખ પ્રયત્ન  કરવા છતાં પણ વ્યાપારમાં ઉન્નતિ સધાતી ન હોય તો શ્યામ તુલસીની ચોફેર ઉગેલ ઘાસને ચૂંટી તે કોઈ પીળા વસ્ત્રમાં બાંધી લઈ વ્યાપારના સ્થળે તે રાખવાથી વ્યાપારમાં લાભ થાય છે. આ પ્રયોગ ગુરૃવારના દિવસે જ કરવો.

મંગળવારના દિવસે સાત લીલાં મરચાં અને એક લીંબુ લાવવાં. તે સઘળાંને કાળા દોરામાં પરોવી  કાર્યાલય સ્થળની બહાર તે લટકાવી દેવાથી વ્યાપારમાં  વધારો થાય છે. તેને કોઈની નજર કે ટોક પણ લાગતી નથી. આ પ્રયોગ  મંગળવાર અથવા શનિવારના દિવસે કરવો.

મંગળવારના દિવસે લાલચંદના લાલ ગુલાબનાં ફૂલ અને કંકુ આ સઘળી વસ્તુઓને લાલ દુપટ્ટામાં બાંધી તિજોરી  કે પૈસા મુકવાના સ્થળ પર  મુકી દેવાથી ધન લાભનો પ્રારંભ થાય છે.

પાંચ પૂરા  ખીલેલાં લાલ ગુલાબના પુષ્પ લેવાં. દોઢ મીટર સફેદ કાપડનો ટુકડો લઈ  તે પોતાની સામે પાથરી દેવો. આ પાંચેય  ગુલાબના ફૂલો ૨૧ વખત ગાયત્રી મંત્રનો જાપ  કરતાં-કરતાં આ કપડાંમાં બાંધી દેવાં. પછી આ કાપડની પોટલીને જાતે જઈ પાણીમાં પ્રવાહિત કરી દેવાથી કરજમાંથી મુક્તિ મળશે.

 ઁ નમઃ ભગવતી પદ્માવતી સર્વજન મોહિની સર્વકાર્ય વરદાયિની મમ વિકટ સંકટ હારિણી મમ મનોરથી પૂરિણી  મમ્ શોક વિનાશિની ઁ પદ્માવત્યૈ નમઃ !  આ મંત્ર સિદ્ધ કર્યા પછી મંત્રનો પ્રયોગ કરવાથી દેવીની કૃપાથી નોકરી-વ્યાપારમાં આવતાં વિઘ્નો દૂર થાય છે. સાયંકાળે આ મંત્રની એક -એક માળા કરવી.

 જો વ્યવસાય સંબંધી  અંતરાયોનો સામનો કરવો પડી રહ્યો છે એવું જણાય ત્યારે અને ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો માલૂમ પડતો હોય તેવે સમયે શનિવારે બપોર પછી પાંચ લીંબુ કાપીને તેની સાથે એક મુઠ્ઠી પીળા સરસવ. એક મુઠ્ઠી લોંગની દાળ તથા મરિયાંના કેટલાક દાણા વ્યાપારના સ્થળે મુકી દેવાં. આગલા દિવસે દુકાન ખોલતી વખતે સામાન ઉઠાવી, કોઇ નિર્જન સ્થળ પર પોતાના હાથે આ સઘળું દાટી દેવું. આ પ્રયોગ દ્વારા કેટલાક દિવસોમાં આવકમાં વૃદ્ધિ  થઈ રહ્યાનો અનુભવ થવા લાગશે.

 જો કોઈ ઉચ્ચાધિકારીઓની અનુકૂળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય અગર મન ઈચ્છિત જગ્યા પર નિમણૂક મેળવવાની ઈચ્છા હોય તો નિરંતર ૭ દિવસ સુધી સૂર્યોદય સમયે  તાંબાના લોટામાં જળ ભરી, લાલ મરચાંના કેટલાક દાણા તથા એક સૂરજમુખી પુષ્પ નાખી ભગવાન સૂર્યને  અર્ધ્યપ્રદાન કરવો.

 કોઈ જરૃરી કાર્ય માટે ઘરમાંથી નીકળતાં પહેલાં ઘરના ઊંબરાની બહાર પૂર્વ દિશામાં એક મુઠી લાલ મકાઈના દાણા મૂકી પોતાના કાર્યનું રટણ કરતા તેના ઉપર બળપૂર્વક  પગ મૂકી કાર્યની સફળતા માટે નીકળવામાં  આવે તો અવશ્ય કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે.

 સરકારી  યા નિજી રોજગાર ક્ષેત્રમાં પરિશ્રમ કરવા છતાં પણ સફળતા મળી રહી ન હોય તો નિયમપૂર્વક કરાયેલ વિષ્ણુ યજ્ઞાની વિભૂતિ લઈ  પોતાના પિતૃઓની 'કુશા'ની ર્મૂિત બનાવી તેને ગંગાજળ વડે સ્નાન કરાવી  આ વિભૂતિ તેને લગાવી, ભોગ ધરી પોતાના કાર્યની સફળતા માટે કૃપા પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી કોઈ ર્ધાિમક ગ્રંથનો પાઠ કરવો અને પછી આ કુશા ર્મૂિતને વહેતા પવિત્ર જળમાં વહેવરાવી દેવાથી સફળતા અવશ્ય મળે છે.

 જો કોઈ  કામથી જવાનું થાય તો એક લીંબુ લેવું. તેમાં ચાર લોંગ દાળને દબાવી દઈ 'ઁ શ્રી હનુમંતે નમઃ' મંત્રનો ૨૧ વખત જપ કરવાથી તેને સાથે લઈ  જવાથી કામમાં કોઈ પણ પ્રકારના  અંતરાયો કે વિઘ્ન આવશે નહિ.

દરેક મંગળવારે ૧૧ પીપળાના પાન લેવાં તેને ગંગાજળ વડે ધોઈને લાલ ચંદન આ પાન પર લગાડી દરેક પાન પર સાત વખત 'રામ રામ' શબ્દ લખવો. તે પાન હનુમાનજીના મંદિરમાં અર્પણ કરી  પ્રસાદ વહેંચવો તે વખતે આ મંત્રનો જપ કરવો.  'જય જય હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુુરુ દેવકી નાઈ!'  સાત મંગળવાર સુધી સતત આમ કરવાથી અવશ્ય લાભ પ્રાપ્ત થાય છે.

 જો નોકરીમાં  બઢતીની ઈચ્છા હોય તો સાત પ્રકારનું ધાન્ય પક્ષીઓને નાખવું.

 ગુરુવારના દિવસે વ્યાપારમાં વૃદ્ધિ કરવા માટે દુકાનમાં મુખ્ય દ્વારના એક ખૂણામાં ગંગા જળ વડે ધોઈ, સ્વચ્છ-પવિત્ર કરી હળદર વડે ત્યાં સ્વસ્તિક  બનાવી તેના પર ચણાની દાળ અને ગોળ થોડાક માત્રામાં મૂકવાથી અને તેના પર શુદ્ધ ઘીનો  દીવો પ્રગટાવી મનોમન વ્યાપારમાં વૃદ્ધિ માટે માટે પ્રાર્થના કરવાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. આ પ્રયોગ પાંચ ગુરુવાર સુધી કરવો.

શાબર મન્ત્ર

મેરી ભક્તિ, ગુરુ કી શક્તિ। ફુરો મન્ત્ર ઈશ્વરો વાચા।।


“ૐ ગુરુજી, સત નમઃ આદેશ। ગુરુજી કો આદેશ। ૐકારે શિવ-રુપી, મધ્યાહ્ને હંસ-રુપી, સન્ધ્યાયાં સાધુ-રુપી। હંસ, પરમહંસ દો અક્ષર। ગુરુ તો ગોરક્ષ, કાયા તો ગાયત્રી। ૐ બ્રહ્મ, સોઽહં શક્તિ, શૂન્ય માતા, અવગત પિતા, વિહંગમ જાત, અભય પન્થ, સૂક્ષ્મ-વેદ, અસંખ્ય શાખા, અનન્ત પ્રવર, નિરઞ્જન ગોત્ર, ત્રિકુટી ક્ષેત્ર, જુગતિ જોગ, જલ-સ્વરુપ રુદ્ર-વર્ણ। સર્વ-દેવ ધ્યાયતે। આએ શ્રી શમ્ભુ-જતિ ગુરુ ગોરખનાથ। ૐ સોઽહં તત્પુરુષાય વિદ્મહે શિવ ગોરક્ષાય ધીમહિ તન્નો ગોરક્ષઃ પ્રચોદયાત્। ૐ ઇતના ગોરખ-ગાયત્રી-જાપ સમ્પૂર્ણ ભયા। ગંગા ગોદાવરી ત્ર્યમ્બક-ક્ષેત્ર કોલાઞ્ચલ અનુપાન શિલા પર સિદ્ધાસન બૈઠ। નવ-નાથ, ચૌરાસી સિદ્ધ, અનન્ત-કોટિ-સિદ્ધ-મધ્યે શ્રી શમ્ભુ-જતિ ગુરુ ગોરખનાથજી કથ પઢ઼, જપ કે સુનાયા। સિદ્ધો ગુરુવરો, આદેશ-આદેશ।।

Tuesday, March 16, 2010

વ્યાપાર વૃદ્ધિ, દુર્ઘટના સે રક્ષા, રોગ શાન્તિ, ન્યાયાલય મેં વિજય કે ઉપાય

વ્યાપાર વૃદ્ધિ

૧॰ વ્યવસાય પ્રારમ્ભ કરને સે પૂર્વ પત્ની યા માતા દ્વારા યથાસંભવ ભગવાન કી પૂજા કરાએ, ઉસકે પશ્ચાત્ પેડ઼ે કા પ્રસાદ બાંટેં તથા નૌકરોં કો એક-એક રુપયા બાંટેં। ઐસા નિયમપૂર્વક પ્રત્યેક શુક્રવાર કો કરતે રહેં।

૨॰ યદિ ગ્રાહક કમ આતે હૈં અથવા આતે હી ન હોં તો યહ અચૂક પ્રયોગ કરેં। સોમવાર કો સફેદ ચન્દન કો નીલે ડોરે મેં પિરો લેં તથા ૨૧ બાર દુર્ગા સપ્તશતી કે નિમ્ન મન્ત્ર સે અભિમંત્રિત કરેં-

“ૐ દુર્ગે! સ્મૃતા હરસિ ભીતિમશેષ-જન્તોઃ,
સ્વસ્થૈઃ સ્મૃતા મતિમતીવ-શુભાં દદાસિ।
દારિદ્ર્ય-દુઃખ-ભય-હારિણિ કા ત્વદન્યા,
સર્વોપકાર-કરણાય સદાઽઽર્દ્ર-ચિત્તા।।”

અબ અભિમન્ત્રિત ચંદન કો પૂજા સ્થલ પર સ્થાપિત કર દેં યા કૈશ-બૉક્સ મેં સ્થાપિત કર દેં।

૩॰ વ્યવસાય સ્થલ પર શ્રીયંત્ર કા વિશાલ રંગીન ચિત્ર લગા લેં, જિસસે સબકો દર્શન હોતે રહેં।

૪॰ વ્યવસાય કો નજર-ટોક લગી હો અથવા કિસી ને તાંત્રિક પ્રયોગ કર દિયા હો તો U આકાર મેં કાલે ઘોડ઼ે કી પુરાની નાલ ચૌખટ પર ઇસ પ્રકાર લગા દેં, જિસસે સબકી નજર ઉસ પર પડ઼ે।

૫॰ વ્યવસાય સ્થલ પર પ્રવેશ કરને સે પૂર્વ અપના નાસિકા સ્વર દેખેં-જિસ નાસિકા સે શ્વાસ ચલ રહા હો, વહી પાઁવ પ્રથમ અંદર રખેં। યદિ દાહિની નાસિકા સે શ્વાસ ચલ રહા હો તો અત્યન્ત શુભ રહતા હૈ।


ન્યાયાલય મેં વિજય

૧॰ તીન સાબુત કાલી મિર્ચ કે દાને તથા થોડ઼ી-સી દેસી શક્કર મુંહ મેં ચબાતે હુએ નિકલ જાએં (જિસ દિન ન્યાયાલય જાના હો) અનુકૂલતા રહેગી।
૨॰ જિસ નાસિકા સે શશ્વાસ ચલ રહા હો, વહી પાઁવ પ્રથમ બાહર રખેં। યદિ દાહિની નાસિકા સે શ્વાસ ચલ રહા હો તો અત્યન્ત શુભ રહતા હૈ।
૩॰ ગવાહ મુકર રહા હો યા જજ વિપરીત હો તો વિધિપૂર્વક હત્થાજોડ઼ી સાથ લે જાને સે ચમત્કારી પ્રભાવ ઉત્પન્ન હોતા હૈ।



રોગ શાન્તિ

૧॰ ઘર કે સદસ્યોં કી સંખ્યા + ઘર આયે અતિથિયોં કી સંખ્યા + દો-ચાર અતિરિક્ત ગુડ઼ કી બની મીઠી રોટિયાં, પ્રત્યેક માહ કુત્તે તથા કૌએ ઇત્યાદિ કો ખિલાની ચાહિએ। ઇસસે સાધ્ય તથા અસાધ્ય દોનોં હી પ્રકાર કે રોગોં કી શાંતિ હોતી હૈ। યહ રોટી તન્દૂર યા અગ્નિ પર હી બનાએં, તવે આદિ પર નહીં।

૨॰ પ્રત્યેક શનિવાર કો પ્રાતઃ પીપલ કો તીન બાર સ્પર્શ કરકે શરીર પર હાથ ફેરના તથા જલ, કચ્ચા દૂધ તથા ગુડ઼ (તીનોં કિસી લોટે મેં ડાલ કર) પીપલ પર ચઢ઼ાના ભી લાભકારી હોતા હૈ।

૩॰ દવા આદિ સે રોગ નિયંત્રિત ન હો રહા હો તબ-
શનિવાર કો સૂર્યાસ્ત કે સમય હનુમાનજી કે મન્દિર જાકર હનુમાન જી કો સાષ્ટાંગ દણ્ડવત્ કરેં તથા ઉનકે ચરણોં કા સિન્દૂર ઘર લે આયેં। તત્પશ્ચાત્ નિમ્ન મંત્ર સે ઉસ સિન્દૂર કો અભિમન્ત્રિત કરેં-

“મનોજવં મારુતતુલ્યવેગં, જિતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં। વાતાત્મજં વાનરયૂથમુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે।।”

અબ ઉસ સિન્દૂર કો રોગી કે માથે પર લગા દેં।
૪॰ જો વ્યક્તિ પ્રાયઃ સ્વસ્થ રહતા હો, જિસે કોઈ વિશેષ રોગ ન હુઆ હો, ઉસ વ્યક્તિ કા વસ્ત્ર રોગી કો પહનાને સે તુરન્ત સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત કરતા હૈ।

દુર્ઘટના સે રક્ષા

૧॰ વાહન મેં વિધિવત્ પ્રાણ પ્રતિષ્ઠિત વાહન-દુર્ઘટના-નાશક “મારુતિ-યન્ત્ર” સ્થાપિત કરેં।

૨॰ જિસ નાસિકા સે સ્વર ચલ રહા હો, થોડ઼ા-સા શ્વાસ ઊપર ખીંચકર વહી પાંવ સર્વપ્રથમ વાહન પર રખેં।

૩॰ વાહન પર બૈઠતે સમય સાત બાર ઇષ્ટદેવ કા સ્મરણ કરતે હુએ સ્ટેયરિંગ કો સ્પર્શ કરેં તથા સ્પર્શિત હાથ માથે સે લગાએં।

૪॰ ઘર સે નિકલતે સમય “ૐ નમો ભગવતે વાસુદેવાય” કા જપ કરને ચાહિએ।

૫॰ અપની ઔર અપને વાહન કી સુરક્ષા કે લિએ આઠ છુહારે લાલ કપડ઼ે મેં બાંધકર અપની ગાડ઼ી યા જેબ મેં રખેં।

૬॰ વાહન દુર્ઘટના કે લિએ એક સરલતમ ઉપાય યહ હૈ કિ ઘર સે બાહર જાતે સમય શ્રદ્ધાપૂર્વક બોલેં કિ
“બજરંગા લે જાયેગા તે બજરંગા લે આયેગા”।


વશીકરણ સિદ્ધ મન્ત્ર Vashikaran Mantra

સિદ્ધ વશીકરણ મન્ત્ર 
“બારા રાખૌ, બરૈની, મૂઁહ મ રાખૌં કાલિકા। ચણ્ડી મ રાખૌં મોહિની, ભુજા મ રાખૌં જોહની। આગૂ મ રાખૌં સિલેમાન, પાછે મ રાખૌં જમાદાર। જાઁઘે મ રાખૌં લોહા કે ઝાર, પિણ્ડરી મ રાખૌં સોખન વીર। ઉલ્ટન કાયા, પુલ્ટન વીર, હાઁક દેત હનુમન્તા છુટે। રાજા રામ કે પરે દોહાઈ, હનુમાન કે પીડ઼ા ચૌકી। કીર કરે બીટ બિરા કરે, મોહિની-જોહિની સાતોં બહિની। મોહ દેબે જોહ દેબે, ચલત મ પરિહારિન મોહોં। મોહોં બન કે હાથી, બત્તીસ મન્દિર કે દરબાર મોહોં। હાઁક પરે ભિરહા મોહિની કે જાય, ચેત સમ્હાર કે। સત ગુરુ સાહેબ।”

વિધિ- ઉક્ત મન્ત્ર સ્વયં સિદ્ધ હૈ તથા એક સજ્જન કે દ્વારા અનુભૂત બતલાયા ગયા હૈ। ફિર ભી શુભ સમય મેં ૧૦૮ બાર જપને સે વિશેષ ફલદાયી હોતા હૈ। નારિયલ, નીંબૂ, અગર-બત્તી, સિન્દૂર ઔર ગુડ઼ કા ભોગ લગાકર ૧૦૮ બાર મન્ત્ર જપે।

મન્ત્ર કા પ્રયોગ કોર્ટ-કચહરી, મુકદમા-વિવાદ, આપસી કલહ, શત્રુ-વશીકરણ, નૌકરી-ઇણ્ટરવ્યૂ, ઉચ્ચ અધીકારિયોં સે સમ્પર્ક કરતે સમય કરે। ઉક્ત મન્ત્ર કો પઢ઼તે હુએ ઇસ પ્રકાર જાઁએ કિ મન્ત્ર કી સમાપ્તિ ઠીક ઇચ્છિત વ્યક્તિ કે સામને હો।

૨॰ શૂકર-દન્ત વશીકરણ મન્ત્ર




“ૐ હ્રીં ક્લીં શ્રીં વારાહ-દન્તાય ભૈરવાય નમઃ।”


વિધિ- ‘શૂકર-દન્ત’ કો અપને સામને રખકર ઉક્ત મન્ત્ર કા હોલી, દીપાવલી, દશહરા આદિ મેં ૧૦૮ બાર જપ કરે। ફિર ઇસકા તાબીજ બનાકર ગલે મેં પહન લેં। તાબીજ ધારણ કરને વાલે પર જાદૂ-ટોના, ભૂત-પ્રેત કા પ્રભાવ નહીં હોગા। લોગોં કા વશીકરણ હોગા। મુકદમેં મેં વિજય પ્રાપ્તિ હોગી। રોગી ઠીક હોને લગેગા। ચિન્તાએઁ દૂર હોંગી ઔર શત્રુ પરાસ્ત હોંગે। વ્યાપાર મેં વૃદ્ધિ હોગી।


૩॰ કામિયા સિન્દૂર-મોહન મન્ત્ર-

“હથેલી મેં હનુમન્ત બસૈ, ભૈરુ બસે કપાર।
નરસિંહ કી મોહિની, મોહે સબ સંસાર।
મોહન રે મોહન્તા વીર, સબ વીરન મેં તેરા સીર।
સબકી નજર બાઁધ દે, તેલ સિન્દૂર ચઢ઼ાઊઁ તુઝે।
તેલ સિન્દૂર કહાઁ સે આયા ? કૈલાસ-પર્વત સે આયા।
કૌન લાયા, અઞ્જની કા હનુમન્ત, ગૌરી કા ગનેશ લાયા।
કાલા, ગોરા, તોતલા-તીનોં બસે કપાર।
બિન્દા તેલ સિન્દૂર કા, દુશ્મન ગયા પાતાલ।
દુહાઈ કમિયા સિન્દૂર કી, હમેં દેખ શીતલ હો જાએ।
સત્ય નામ, આદેશ ગુરુ કી। સત્ ગુરુ, સત્ કબીર।



વિધિ- આસામ કે ‘કામ-રુપ કામાખ્યા, ક્ષેત્ર મેં ‘કામીયા-સિન્દૂર’ પાયા જાતા હૈ। ઇસે પ્રાપ્ત કર લગાતાર સાત રવિવાર તક ઉક્ત મન્ત્ર કા ૧૦૮ બાર જપ કરેં। ઇસસે મન્ત્ર સિદ્ધ હો જાએગા। પ્રયોગ કે સમય ‘કામિયા સિન્દૂર’ પર ૭ બાર ઉક્ત મન્ત્ર પઢ઼કર અપને માથે પર ટીકા લગાએ। ‘ટીકા’ લગાકર જહાઁ જાએઁગે, સભી વશીભૂત હોંગે।



આકર્ષણ એવં વશીકરણ કે પ્રબલ સૂર્ય મન્ત્ર


૧॰ “ૐ નમો ભગવતે શ્રીસૂર્યાય હ્રીં સહસ્ત્ર-કિરણાય ઐં અતુલ-બલ-પરાક્રમાય નવ-ગ્રહ-દશ-દિક્-પાલ-લક્ષ્મી-દેવ-વાય, ધર્મ-કર્મ-સહિતાયૈ ‘અમુક’ નાથય નાથય, મોહય મોહય, આકર્ષય આકર્ષય, દાસાનુદાસં કુરુ-કુરુ, વશ કુરુ-કુરુ સ્વાહા।”

વિધિ- સુર્યદેવ કા ધ્યાન કરતે હુએ ઉક્ત મન્ત્ર કા ૧૦૮ બાર જપ પ્રતિદિન ૯ દિન તક કરને સે ‘આકર્ષણ’ કા કાર્ય સફલ હોતા હૈ।

૨॰ “ઐં પિન્સ્થાં કલીં કામ-પિશાચિની શિઘ્રં ‘અમુક’ ગ્રાહ્ય ગ્રાહ્ય, કામેન મમ રુપેણ વશ્વૈઃ વિદારય વિદારય, દ્રાવય દ્રાવય, પ્રેમ-પાશે બન્ધય બન્ધય, ૐ શ્રીં ફટ્।”

વિધિ- ઉક્ત મન્ત્ર કો પહલે પર્વ, શુભ સમય મેં ૨૦૦૦૦ જપ કર સિદ્ધ કર લેં। પ્રયોગ કે સમય ‘સાધ્ય’ કે નામ કા સ્મરણ કરતે હુએ પ્રતિદિન ૧૦૮ બાર મન્ત્ર જપને સે ‘વશીકરણ’ હો જાતા હૈ।


બજરઙગ વશીકરણ મન્ત્ર


“ૐ પીર બજરઙ્ગી, રામ લક્ષ્મણ કે સઙ્ગી। જહાં-જહાં જાએ, ફતહ કે ડઙ્કે બજાય। ‘અમુક’ કો મોહ કે, મેરે પાસ ન લાએ, તો અઞ્જની કા પૂત ન 
 

વિધિ- ૧૧ દિનોં તક ૧૧ માલા ઉક્ત મન્ત્ર કા જપ કર ઇસે સિદ્ધ કર લે। ‘રામ-નવમી’ યા ‘હનુમાન-જયન્તી’ શુભ દિન હૈ। પ્રયોગ કે સમય દૂધ યા દૂધ નિર્મિત પદાર્થ પર ૧૧ બાર મન્ત્ર પઢ઼કર ખિલા યા પિલા દેને સે, વશીકરણ હોગા।


આકર્ષણ હેતુ હનુમદ્-મન્ત્ર-તન્ત્ર


“ૐ અમુક-નામ્ના ૐ નમો વાયુ-સૂનવે ઝટિતિ આકર્ષય-આકર્ષય સ્વાહા।”


વિધિ- કેસર, કસ્તુરી, ગોરોચન, રક્ત-ચન્દન, શ્વેત-ચન્દન, અમ્બર, કર્પૂર ઔર તુલસી કી જડ઼ કો ઘિસ યા પીસકર સ્યાહી બનાએ। ઉસસે દ્વાદશ-દલ-કલમ જૈસા ‘યન્ત્ર’ લિખકર ઉસકે મધ્ય મેં, જહાઁ પરાગ રહતા હૈ, ઉક્ત મન્ત્ર કો લિખે। ‘અમુક’ કે સ્થાન પર ‘સાધ્ય’ કા નામ લિખે। બારહ દલોં મેં ક્રમશઃ નિમ્ન મન્ત્ર લિખે- ૧॰ હનુમતે નમઃ, ૨॰ અઞ્જની-સૂનવે નમઃ, ૩॰ વાયુ-પુત્રાય નમઃ, ૪॰ મહા-બલાય નમઃ, ૫॰ શ્રીરામેષ્ટાય નમઃ, ૬॰ ફાલ્ગુન-સખાય નમઃ, ૭॰ પિઙ્ગાક્ષાય નમઃ, ૮॰ અમિત-વિક્રમાય નમઃ, ૯॰ ઉદધિ-ક્રમણાય નમઃ, ૧૦॰ સીતા-શોક-વિનાશકાય નમઃ, ૧૧॰ લક્ષ્મણ-પ્રાણ-દાય નમઃ ઔર ૧૨॰ દશ-મુખ-દર્પ-હરાય નમઃ।

યન્ત્ર કી પ્રાણ-પ્રતિષ્ઠા કરકે ષોડશોપચાર પૂજન કરતે હુએ ઉક્ત મન્ત્ર કા ૧૧૦૦૦ જપ કરેં। બ્રહ્મચર્ય કા પાલન કરતે હુએ લાલ ચન્દન યા તુલસી કી માલા સે જપ કરેં। આકર્ષણ હેતુ અતિ પ્રભાવકારી હૈ।

 
વશીકરણ હેતુ કામદેવ મન્ત્ર


“ૐ નમઃ કામ-દેવાય। સહકલ સહદ્રશ સહમસહ લિએ વન્હે ધુનન જનમમદર્શનં ઉત્કણ્ઠિતં કુરુ કુરુ, દક્ષ દક્ષુ-ધર કુસુમ-વાણેન હન હન સ્વાહા।”


વિધિ- કામદેવ કે ઉક્ત મન્ત્ર કો તીનોં કાલ, એક-એક માલા, એક માસ તક જપે, તો સિદ્ધ હો જાયેગા। પ્રયોગ કરતે સમય જિસે દેખકર જપ કરેંગે, વહી વશ મેં હોગા।

લક્ષ્મી શાબર મન્ત્ર Laxmi Shabar Mantra

“વિષ્ણુ-પ્રિયા લક્ષ્મી, શિવ-પ્રિયા સતી સે પ્રકટ હુઈ। કામાક્ષા ભગવતી આદિ-શક્તિ, યુગલ મૂર્તિ અપાર, દોનોં કી પ્રીતિ અમર, જાને સંસાર। દુહાઈ કામાક્ષા કી। આય બઢ઼ા વ્યય ઘટા। દયા કર માઈ। ૐ નમઃ વિષ્ણુ-પ્રિયાય। ૐ નમઃ શિવ-પ્રિયાય। ૐ નમઃ કામાક્ષાય। હ્રીં હ્રીં શ્રીં શ્રીં ફટ્ સ્વાહા।”

વિધિઃ- ધૂપ-દીપ-નૈવેદ્ય સે પૂજા કર સવા લક્ષ જપ કરેં। લક્ષ્મી આગમન એવં ચમત્કાર પ્રત્યક્ષ દિખાઈ દેગા। રુકે કાર્ય હોંગે। લક્ષ્મી કી કૃપા બની રહેગી।

દુર્ગા શાબર મન્ત્ર Durga Shabar Mantra

“ૐ હ્રીં શ્રીં ચામુણ્ડા સિંહ-વાહિની। બીસ-હસ્તી ભગવતી, રત્ન-મણ્ડિત સોનન કી માલ। ઉત્તર-પથ મેં આપ બૈઠી, હાથ સિદ્ધ વાચા ઋદ્ધિ-સિદ્ધિ। ધન-ધાન્ય દેહિ દેહિ, કુરુ કુરુ સ્વાહા।”

 
વિધિઃ- ઉક્ત મન્ત્ર કા સવા લાખ જપ કર સિદ્ધ કર લેં। ફિર આવશ્યકતાનુસાર શ્રદ્ધા સે એક માલા જપ કરને સે સભી કાર્ય સિદ્ધ હોતે હૈં। લક્ષ્મી પ્રાપ્ત હોતી હૈ, નૌકરી મેં ઉન્નતિ ઔર વ્યવસાય મેં વૃદ્ધિ હોતી હૈ।

ગોરખ શાબર ગાયત્રી મન્ત્ર Gorakh Shabar Gaytri Mantra

 “ૐ ગુરુજી, સત નમઃ આદેશ। ગુરુજી કો આદેશ। ૐકારે શિવ-રુપી, મધ્યાહ્ને હંસ-રુપી, સન્ધ્યાયાં સાધુ-રુપી। હંસ, પરમહંસ દો અક્ષર। ગુરુ તો ગોરક્ષ, કાયા તો ગાયત્રી। ૐ બ્રહ્મ, સોઽહં શક્તિ, શૂન્ય માતા, અવગત પિતા, વિહંગમ જાત, અભય પન્થ, સૂક્ષ્મ-વેદ, અસંખ્ય શાખા, અનન્ત પ્રવર, નિરઞ્જન ગોત્ર, ત્રિકુટી ક્ષેત્ર, જુગતિ જોગ, જલ-સ્વરુપ રુદ્ર-વર્ણ। સર્વ-દેવ ધ્યાયતે। આએ શ્રી શમ્ભુ-જતિ ગુરુ ગોરખનાથ। ૐ સોઽહં તત્પુરુષાય વિદ્મહે શિવ ગોરક્ષાય ધીમહિ તન્નો ગોરક્ષઃ પ્રચોદયાત્। ૐ ઇતના ગોરખ-ગાયત્રી-જાપ સમ્પૂર્ણ ભયા। ગંગા ગોદાવરી ત્ર્યમ્બક-ક્ષેત્ર કોલાઞ્ચલ અનુપાન શિલા પર સિદ્ધાસન બૈઠ। નવ-નાથ, ચૌરાસી સિદ્ધ, અનન્ત-કોટિ-સિદ્ધ-મધ્યે શ્રી શમ્ભુ-જતિ ગુરુ ગોરખનાથજી કથ પઢ઼, જપ કે સુનાયા। સિદ્ધો ગુરુવરો, આદેશ-આદેશ।।”


સાધન-વિધિ એવં પ્રયોગઃ-

પ્રતિદિન ગોરખનાથ જી કી પ્રતિમા કા પંચોપચાર સે પૂજનકર ૨૧, ૨૭, ૫૧ યા ૧૦૮ જપ કરેં। નિત્ય જપ સે ભગવાન્ ગોરખનાથ કી કૃપા મિલતી હૈ, જિસસે સાધક ઔર ઉસકા પરિવાર સદા સુખી રહતા હૈ। બાધાએઁ સ્વતઃ દૂર હો જાતી હૈ। સુખ-સમ્પત્તિ મેં વૃદ્ધિ હોતી હૈ ઔર અન્ત મેં પરમ પદ પ્રાપ્ત હોતા હૈ।