Monday, April 5, 2010

શ્રી ગણેશ યજ્ઞ

कालौ गणाधिपः श्रेष्ठस्तेनानन्तफलप्रदः।
पूजयेदेवदेवेशं सर्वविघ्नोपशान्तये॥
अन्ते च परमं धाम दधाद भत्केषु पावनम।


ભગવાન શ્રી ગણેશ કલયુગમાં સર્વશ્રેષ્ઠ દેવ કહેવાય છે. જેથી તે અનન્ત ફલના દાતા છે. મનુષ્યોના સકલ વિઘ્નોની નિવૃતિ માટે દેવાધિદેવ ગણેશજીની પૂજા કરવી જોઇએ. ગણેશજી આ લોકમાં ધન – ધાન્ય આદિ આપે છે અને અંતે શરીર છોડ્યા પછી ભક્તને પરમ પાવન દિવ્ય ધામ આપે છે.

॥ कलौ चंडी विनायकौ ॥

આ સૂત્ર અનુસાર કલિયુગમાં ચંડી (દેવી) અને ગણેશજીની આરાધના શ્રેષ્ઠ કહી છે.
સનાતન ધર્મમાં મુખ્ય પાંચ દેવતાઓ છે. જેમાં ગણેશજી નો સમાવેશ થાય છે. ભગવાન ગણેશ પૃથ્વી તત્વના અધિપતિ દેવ છે માટે ઉપનિષદોમાં કહ્યુ છે કે मूलाधार स्थितोसि नित्यम ॥ ગણેશજી મૂલાધારમાં નિત્ય સ્થિત છે.

ગણેશ યજ્ઞનું મહત્વ

ભગવાન શ્રી ગણેશની આરાધનાથી મનુષ્યના વિઘ્નો, સંકટો અને અશાંતિ દૂર થાય છે. નારદ પુરાણમાં “સંકષ્ટ નાશન” નામનું ગણપતિનું સ્તોત્ર છે, જેમાં નારદજી કહે છેઃ

विध्यार्थी लभते विध्या धनार्थी लभते धनम् ।
पुत्रार्थी लभते पुत्रान्मीक्षार्थी लभते गतिम् ॥


વિધ્યાર્થી ગણેશજીની ઉપાસના કરે તો તેને વિધ્યાની પ્રાપ્તિ થાય છે. ધન પ્રાપ્તિની કામના થી પૂજા કરે તો ધનની પ્રાપ્તિ થાય છે. પુત્ર પ્રાપ્તિની કામના વાળાને પુત્ર પ્રાપ્ત થાય છે. મોક્ષ ઈચ્છનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

હોમાત્મક ફળ

“દૂર્વાંકૂરો” થી (ધરો) હોમ કરનાર તે કુબેર જેવો ધનવાન બને છે.

“ડાંગર” થી હોમ કરે છે તે યશસ્વી તેમજ બુધ્ધિમાન બને છે.

એક હજાર “મોદક” (લાડુ) થી હોમ કરે છે તે વાંચ્છિત ફળ મેળવે છે.

જે “ઘી” અને “સમિધ” દ્વારા હોમ કરે છે તે દરેક વસ્તુ મેળવી શકે છે.

ગણેશ યજ્ઞમાં અગ્નિકુંડમાં મહાગણપતિનું આવાહન કરી ૧૦ બ્રાહ્મણો દ્વારા ગણેશ અર્થવર્શીષ સ્તોત્ર દ્વાર ૧૦૦૦ મોદકનો હોમ કરવામાં આવે છે.
સામાન્યતઃ દરેક વ્યક્તિ માટે હવન, યજ્ઞ, યાગ આ દરેક શબ્દનો અર્થ એક જ થાય છે તેમ સમજે છે. પરંતુ શાસ્ત્રની દ્રષ્ટિએ તે અલગ – અલગ છે.

હવન : જેમાં યજ્ઞ કુંડમાં ૧૦૦૦ થી ઓછી આહુતિ અપાય તેને હવન કહેવાય.

યજ્ઞ : જે યજ્ઞકુંડમાં ૧૦૦૦ થી વધારે આહુતિ અપાય તેને યજ્ઞ કહેવાય.

યાગ : જેમાં દસ હજાર કે તેથી વધુ આહુતિ અપાય તેને યાગ કહેવાય છે. જે ત્રણ, પાંચ, નવ, અગિયાર દિવસનો હોમાત્મક પ્રયોગ હોય છે.

શ્રી ગણેશ કથા વિવાહ

એક વખત ગણેશજી અને કાર્તિકેયજીના વિવાહ નો વિવાદ થયો. બંને  પુત્રો વચ્ચે એવો વિવાદ થયો કે એક કહે હું પહેલો પરણીશ.બીજો કહે હું પહેલો, પરણીશ, એમ પરસ્પર વિવાદ થવા લાગ્યો.

માતા-પિતાએ બંનેને બોલાવ્યા અને કહ્યું કે, “અમારે મન બંને પુત્રો સરખા છે, બંને ઉપર સરખો પ્રેમ છે. અમે એવો નિર્ણય કર્યો છે કે, જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવે તેનો વિવાહ પહેલો કરવો.”

કાર્તિકેય તો સત્વરે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડયા, પરંતુ ગણેશજી એ ચતુરાઇ વાપરી. તેમણે માતા-પિતાને આસન પર બિરાજમાન થવાનું કહી તેમની વિધિપૂર્વક પૂજા કરી અને સાત વાર પ્રદક્ષિણા કરી કહ્યું કે, તમારે મારો વિવાહ હવે કરાવી આપવો જોઇએ, કારણકે શાસ્ત્રમાં કહ્યું છે કે , જે કોઇ વ્યકિત માતા-પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે છે તો તેને પૃથ્વી ની પ્રદક્ષિણા કર્યાના ફળ ની પ્રાપ્તિ થાય છે. માતા-પિતાનાં ચરણની સેવા એ જ ઉત્તમ તીર્થ છે.માતા-પિતા ગણેશ ની વાત સાંભળી વિવાહ કરવા સંમત થયાં.

વિશ્વરૂપ નામના પ્રજાપતિની બે સ્વરૂપવાન દિવ્યાંગના સમાન ‘સિદ્વિ’ અને ‘રિદ્વિ’ નામની બે પુત્રીઓ સાથે શિવ-શિવાએ ગણપતિના વિવાહ યોજ્યા. શ્રી વિશ્વકર્મા પ્રભુએ ગણપતિના વિવાહ નો ઉત્સવ ભવ્ય રીતે ઉજ્વ્યો અને સર્વ દેવો તથા મુનિવર્યોને પ્રસન્ન કર્યા. ગણપતિએ સિદ્વિ અને રિદ્વિ સાથે આનંદથી સમય પસાર કર્યો. સમય જતાં સિદ્વિની કૂખે ‘ક્ષેમ’ અને રિદ્વિ ની કુખે ‘લાભ’ નામે પુત્રરત્ન નો જન્મ થયો.

આ બાજુ કાર્તિકેય ને નારદજી એ સમાચાર આપ્યા કે, પૃથ્વીની પ્રદક્ષિણાને બહાને તમને દૂર-સુદૂર ધકેલી દઇ ગણેશ નો વિવાહ દેવાંશી રૂપવાળી બે દિવ્યાંગનાઓ સાથે કરી દીધો અને બંનેને એક એક પુત્રને જન્મ પણ આપ્યો છે.કાર્તિકેય આથી રિસાઇ ને કૌંચ પર્વત ઉપર જઇ ને વસ્યા. ત્યાર બાદ કાર્તિકેય સ્વામી પ્રત્યે લાગણીવશ શંકર અને પાર્વતી પણ કૈલાશ થી દક્ષિણ માં આવી શ્રી શૈલ પર રહ્યાં.

કાર્તિકેય ગણપતિના વિવાહ બાદ બધી વાત જાણ્યા પચે ઉદ્વેગથી મહાભિનિષ્ક્રમણ કર્યું હતું અને આજીવન કુંવારા રહ્યા હતાં. પુત્રવિયોગ અસહ્ય લાગતાં શિવ-પાર્વતી કૌંચ પર્વત પર  ગયાં હતાં અને ત્યાં ‘મલ્લિકાર્જુન’નામે જ્યોતિર્લિગ સ્વરૂપે પ્રતિષ્ઠિત થયાં હતાં. ત્યાર પછી દર પૂનમે પાર્વતીજી અને દરેક અમાસે શિવજી કુમાર કાર્તિકેય નાં દર્શને જતાં હતાં. કાર્તિકી પૂનમે જે કોઇ ભગવાન કાર્તિકેય નાં દર્શન કરે ચે તેને ઇષ્ઠસિદ્વિ પ્રાપ્ત થાય છે અને તેની મનોકામના પૂર્ણ થાય છે.

ગૌરીપુત્ર ગણેશ નો જેટલો વ્યાપક પ્રભાવ આજે જનસમાજ પર છે તેટલો ભાગ્યે જ અન્ય કોઇ દેવનો હશે. કોઇ પણ શુભ કાર્ય નિર્વિધ્ને સમાપ્ત કરવા માટે સર્વપ્રથમ ગણેશનું પૂજન કરીને તેમની અનુકંપા મેળવાય છે. હકીકતમાં, ‘શ્રીગણેશ કરવા’ એ ‘શરૂઆત કરવી’નો પર્યાયવાચી રૂઢિપ્રયોગ બની ગયો છે.

શ્રી ગણેશ કથા વરાહ પુરાણ

સર્વ દેવતાઓ ઋષિઓ કે મનુષ્ય કોઈ કાર્યનો આરંભ કરે તેમાં વિધ્ન ન આવતું કામમાં સિઘ્ધિ મળતી કાર્ય સંપૂર્ણ થતું. સમય જતાં તેમાં વિધ્ન જણાવા લાગ્યાં. પૂણ્યનાં યજ્ઞનાં કે કોઈ માંગલિક કાર્ય હોય તેમાં કોઈને કોઈ વિધ્ન તો પડે. વિધ્નનો સામનો કરવામાં હતાશા છેડો ન છોડે.

આથી દેવતા, મનુષ્ય, પિતૃઓ સર્વનાં મનમાં ચિંતા થવા લાગી. કલયુગનું રાજ ન હોય, સત્યયુગમાં પણ સારા કામમાં વિધ્નો કેમ આવે છે? તે પરસ્પર સવાલ થવા લાગ્યા. ઘણો સમય ગયો પણ તેનો જવાબ મળ્યો નહિ. સર્વને પોતાનાં આયોજનમાં કંઈક ખામી હશે તેવું જણાવા લાગ્યું. સર્વએ સાથે મળી શિવજીને વાત પૂછવા નિર્ણય લીધો.

સર્વ દેવતાઓ કૈલાસ પર્વત ઉપર શિવજી જ્યાં તપ કરે છે ત્યાં આવ્યાં. પ્રણામ કરી વિનય પુર્વક પ્રાર્થના કરી.

હે મહાદેવ, અસુરો કંઈ ખરાબ કામ કરતા હોય તેમાં આપ કંઈ વિધ્ન નાખી કામ થાવા ન દૈયો તે તો સમજાય તેવી વાત પણ અમારા શુભ કાર્યોમાં વિધ્ન પડે તે ઠીક નથી. અમો યજ્ઞ અથવા માંગલિક કાર્યો જ્યારે જ્યારે કરીએ ત્યારે વિધ્ન પડે છે. મનુષ્ય દાન, પૂણ્ય વ્રત વગેરે કરે હરિ સ્મરણ કરે છાતાં વિધ્ન પડે છે તો વિધ્ન ન પડે તેવો ઉપાય કહો.

શિવજી પ્રાર્થનાથી ખુશ થયાં. પાર્વતી સામે ખુશ વદને ત્રાસી દ્રષ્ટિથી જોવા લાગ્યાં. દેવતાઓ મનોમન વિચાર કરવા લાગ્યાં.

તે સમયે શિવજી રૂદ્ર રૂપ બની કહેવા લાગ્યા. અને આકાશનું સ્વરૂપ કેમ દેખાતું નથી? પૃથ્વી, જળ, તેજ, વાયુની મૂર્તિ આંખોમાં દેખાય છે. આકાશની મૂર્તિ કેમ દેખાતી નથી?

જ્ઞાન શક્તિના ભંડાર સમા પરમ પુરૂષ ભગવાન રુદ્ર આટલો વિચાર કરી હંસવા લાગ્યાં. હંસવુ એવું મનમોહક ને મઘુર હતું કે મુખમાંથી પુષ્પો વેરાઈ રહ્યાં હતાં. ત્યાં તો રૂદ્રના મુખમાંથી તેજસ્વી એક બાળક સરી પડ્યું. મુખમાંથી પ્રકટ થયેલ બાળકનું મુખારવિંદ પ્રચંડ તેજથી પ્રકાશી રહ્યું હતું. તેનાં પ્રકાશથી દિશાઓ પ્રકાશી રહી હતી. શિવજીના સર્વ ગુણો તે બાળકમાં દેખાતા હતાં. તુરંત કુમાર અવસ્થામાં આવી જતા તેની અદ્ભૂત ક્રાન્તિથી તેની સ્મિત વર્ષાવતી દ્રષ્ટિથી અને તેજસ્વી રૂપનાં કારણે દેવતાઓનું મન મોહિત થઈ ગયું. રૂપ આકર્ષક હતું. ઉમાદેવી, બાળકનાં તેજનાં પ્રભાવે તેના સામે ન જોય શક્યાં. નીચી નજર કરી ગયાં. બાળકને ટગર ટગર આંખોથી જોતા રૂદ્રના મનમાં ક્રોધ આવ્યો. બાળકની આવી વક્ર દ્રષ્ટિ રૂદ્રને યોગ્ય ન લાગી. વક્રમુખના વર્તનથી ક્રોધ આવ્યો શાપ આપતા બોલ્યાં.

બાળક, તમે હાથીની સુંઢની જેમ નાક વક્ર કરી ગયાં તેથી તારું મુખ હાથીના મુખ જેવું થાશે. ‘‘પેટ બહુ જ મોટું થાશે સર્પ તમારું યજ્ઞોપવિત થઈને રહેશે. પૂજ્ય, સાથે અયોગ્ય વર્તનની આ સજા છે.’’

બાળકને આટલો મોટો શાપ આપ્યો છતાં રૂદ્રનો ક્રોધ શાંત થયો નહિ. ક્રોધનાં કારણે શરીર કંપવા લાગ્યું. તે આસન ઉપરથી ઊભા થઈ ગયાં. ત્રિશુળધારી રૂદ્રનું શરીર કંપતુ હતું તેમ તેમ તેની છાતીમાંથી રોમ રોમમાંથી તેજોમય જળ નીકળી બહાર પડવા લાગ્યું. તેમાંથી અનેક વિનાયકો ઉત્પન્ન થવા લાગ્યાં. તે સર્વ વિનાયકોનાં મુખ હાથીનાં મુખ જેવા હતાં. તેના શરીરની ચામડી કાળા ખેરનાં વૃક્ષ જેવી હતી. સર્વના હાથમાં અસ્ત્ર શસ્ત્ર હતાં. આવા ઘણા વિનાયકો જોય દેવતાઓની ચિંતા વધી ગઈ. પૃથ્વીમાં ચારે તરફ ક્ષોભ ઉત્પન્ન થયો. આ જોવા ચતુરમુખ બ્રહ્માજી હંસ ઉપર સ્વાર થઈ આકાશમાં આવ્યાં. સામે ઉભા રહી કહેવા લાગ્યાં.

દેવતાઓ તમે ધન્ય છો તમે ત્રિનેત્રધારી અદ્ભૂત, રૂપધારી રૂદ્રનાં કૃપા પાત્ર છો. તેથી તમારે બધાએ હવેથી આ અસુરોના કાર્યમાં વિધ્ન ઉત્પન્ન કરનાર શ્રીગણેશજીને પ્રણામ કરવાનાં તેને પ્રણામ કરવાથી તમારા દરેક વિધ્નનો દૂર થાશે. દેવતાઓ તો શું? મનુષ્યોએ પણ હાથીની સુંઢ જેવા મસ્તકવાળા આ બાળકનું સમરણ પૂજા કરશે તો તેની ઉપર કોઈ કાર્યમાં વિધ્ન આવશે નહીં. રૂદ્રનાં મુખમાંથી આ બાળક પ્રકટ થયું તેથી બાળકનું નામ ‘શ્રીગણેશ’ રાખું છું, કાર્યમાં વિધ્ન ઉત્પન્ન કરનાર અને વિધ્નનો નાશ કરનાર એટલે ‘વિનાયક’ કહેવાશે. તેથી તેને વિનાયકોનાં સ્વામી બનાવો.

બ્રહ્માજી કહે  પ્રભુ, મારી એ પણ પ્રાર્થના છે. આપનાં વરદાનનાં પ્રભાવથી. આકાશ અનેક પ્રકારથી વ્યવસ્થિત થઈ શકે છે.

બ્રહ્માજી કહે  રૂદ્રદેવ, આપનાં હાથમા અનેક પ્રકારનાં સમુચિત અસ્ત્ર-શસ્ત્ર છે. આપ શ્રીગણેશને વરદાન અને અસ્ત્ર-શસ્ત્ર આપો. આ મારી પ્રાર્થના છે, તેમ કહી બ્રહ્માજી ત્યાંથી ચાલ્યાં ગયાં. રૂદ્રએ સુપુત્ર શ્રીગણેશને કહ્યું  પુત્ર! તું યુગાંતરમાં ક્યારેક વિનાયક કોઈ યુગમાં વિધ્નહર તો ગજાનન તો કોઈ યુગમાં ભવપુત્ર. આ નામોથી જગતમાં પ્રસિઘ્ધ થાય. વિનાયક ક્રૂર દ્રષ્ટિવાળાં હોવા છતાં ઉગ્ર સ્વભાવના હોવા છતાં દેવતાઓના સુખનાં કાર્યો કરશે. શ્રીગણેશજી નામથી ભજવાથી વિધ્નો દૂર કરશે. યજ્ઞ, દાન, વગેરે શુભ કાર્યો કરી શક્તિ બનશો. તમારા દરેક કાર્યમાં સિઘ્ધિ આપશે. જો મનુષ્યો પણ પ્રથમ પૂજન દરેક કાર્યમાં ગણેશજીનું કરશે તો તેનાં સર્વ વિધ્નો દૂર થાશે.

રૂદ્રએ, પ્રથમ પૂજનનો ગણેશજીને અધિકાર આપતા ગણેશજીને કહ્યું દેવતા તથા મનુષ્ય જે કોઈ શુભ કાર્યો જેવા કે યજ્ઞ, દાન, તપ, માંગલિક કાર્ય કરે તેમાં પ્રથમ તમારું પૂજન કરે તો તે કાર્યમાં કોઈ વિધ્ન ન આવે તે સંપૂર્ણ જવાબદારી તમારી છે. તેનો અધિકાર તમોને પ્રાપ્ત છે. અને જે પ્રથમ તમારું પૂજન ન કરે તેનાં કાર્યમાં વિધ્ન નાંખવાનો તમને જ અધિકાર છે.

ત્યાર પછી રૂદ્ર તથા સઘળા દેવતાઓએ સાથે મળી સર્વ તીર્થોનાં જુદાં જુદાં જળથી સુવર્ણ કળશ ભરી તે જળ દ્વારા શ્રીગણેશજીને અભિષેક કર્યો. તીર્થોનાં જળથી અભિષેક થવાથી વિનાયકોનાં સ્વામી શ્રીગણેશજીની અદ્ભૂત શોભા વધી ગઈ. અભિષેક જોઈને સઘળા દેવતાઓ શંકરની સામેજ ગણેશની સ્તુતિ કરવા લાગ્યાં. સંસ્કૃતમાં કરેલ સ્તુતિનો અર્થ છે.

હે ગજાનન, આપને નમસ્કાર છે ચંડવિક્રમ આપને નમસ્કાર છે. આપ વિધ્નોનો નાશ કરો છો આપને પ્રણામ છે. સર્પનાં યજ્ઞોપવિતથી શોભતા ભગવાન, આપને અભિવાદંન છે. આપ રૂદ્રનાં મુખમાંથી ઉત્પન્ન થયાં છો, આપને નમસ્કાર છે. લાંબા ઉદરથી સુશોભિત છો આપને નમસ્કાર છે. અમે સર્વ દેવ અભિવાદન કરીએ આપને નમસ્કાર છે. હે પ્રભુ, અમારા સર્વદા વિધ્નો શાંત કરો આપને નમસ્કાર છે.

દેવતાઓએ આ રીતે શ્રીગણેશજીની સ્તુતિ કરી રૂદ્રએ મહાપુરૂષ શ્રીગણેશજીનો અભિષેક કર્યો, ત્યાંર પછી સહુ ગણેશજીને મહાસતિ પાર્વતીનાં પુત્ર કહેવા લાગ્યાં. ગણોનાં અઘ્યક્ષ એવા શ્રીગણેશજીનો જન્મ અને અભિષેકની સર્વ ક્રીયા ચોથનાં દિવસે પુરી થઈ તેથી ચોથની તિથિ સર્વ તિથિમાં પરમ શ્રેષ્ઠ તિથિનાં રૂપમાં માન્યતા પામી. જે અક્ષય તિથિ સાથે હતી તેથી ઘણા લોકો વૈશાખ માસની ચોથને ‘ગણેશ ચોથ’ કહે છે.

ગણેશ ચોથનો મહિમાં કહેતા લખ્યું છે જે કોઈ ભાગ્યશાળી મનુષ્ય ચોથનાં દિવસે તલનો આહાર કરે, પ્રેમ ભક્તિથી શ્રીગણેશજીની આરાધના કરશે તેવા ભક્તો ઉપર ગણેશજી તુરંત પ્રસન્ન થાય છે. વિધ્નો રૂપી પરીબળો તથા તેને નાખનાર પરીબળોનો નાશ થાય છે. ગણેશજીનું અગ્રપૂજન કરવું. વિધ્ન નહિ જાય તે સંશય કરવો નહિ.

ઋષિઓ ખાત્રી આપતા કહે છે, શ્રીગણેશજીની આ કથા શ્રવણ કરે અથવા વાંચન કરે તેને કોઈ કાર્યમાં વિધ્ન આવશે નહી. આવા મહાન શક્તિશાળી શ્રીગણેશનો મહિમાં અદ્ભૂત છે.

શ્રી ગણેશ કથા શિવમહાપુરાણ

એક વખત ભગવાન શંકર જ્યારે તપ કરવા ગયા ત્યારે પાર્વતીજી એ વિચાર્યું કે, પોતાની પાસે એક બુદ્ધિમાન અને આજ્ઞાંકિત સેવક હોય તો કેવું સારું! આથી તેમણે પોતાના ગણ તરીકે એક ઉત્તમ આજ્ઞાંકિત સેવક ઉત્પન્ન કરવા વિચાર્યું. પાર્વતીએ પોતાના શરીરના મેલમાંથી એક  સોહામણા પુરુષનું સર્જન કર્યું, અને તેમાં પ્રાણ પૂર્યા, અને તેને દ્વારપાળ બનાવ્યો. ગણેશજીએ માતાને વંદન કરી કહ્યું કે, મારે શું કામ કરવાનું છે? મને આજ્ઞા આપો. પાર્વતીએ ગણેશના હાથમાં દંડ આપી આજ્ઞા કરી કે, પોતાના  નિવાસસ્થાનમાં કોઇ પ્રવેશે નહિ, અને દ્વાર આગળ ચોકી કરવા કહ્યું.

પાર્વતી માતાએ દ્વારપાલ તરીકે પોતાની નિયુકિત કરી હતી તેથી ગણેશજી કોઇ ને આવાસમાં આવવા દેતા નહી. એક દિવસ પાર્વતી સ્નાન કરવા બેઠાં હતાં, ત્યારે તપશ્રર્યા કરી પાછા ફરેલા શિવજીએ ગૃહપ્રવેશ કરવા જતાં ગણેશે તેમને અટકાવ્યાં , કારણ કે ગણેશ તેમને ઓળખતા ન હતા એટલે કહ્યું કે, મારી માતા સ્નાન કરવા બેઠાં છે, માટે થોડી વાર પછી આવજો. શંકરે પોતાના ધરમાં પ્રવેશ કરવા પ્રયત્ન કર્યો અને કહ્યું ; અરે ! ઓ મૂર્ખ ! હું પાર્વતીનો પતિ છું. તું સાક્ષાત્ શિવજીને તેમને ઘરમાં જતા રોકે છે ? ગણપતિ એ તેમને દંડ વડે પ્રહાર કરતાં કહ્યું  હું પાર્વતી નો ગણ છું, માતા પાર્વતી ની આજ્ઞાથી ગૃહની ચોકી કરતો હોવાથી ગૃહપ્રવેશની મનાઇ છે, માટે હું કોઇ ને ગૃહમાં પ્રવેશ કરવા  નહિ દઉં

શંકરે પોતાના ગણોને પૂછયું કે, આ કોણ છે? ગણોએ ગણપતિને કહ્યું કે,જો જીવતા રહેવું હોય  તો નાસી છૂટો, અમે શંકર ના ગણો છીએ. ગણેશે કહ્યું કે, મને મારી ફરજ બજાવવા દો. શંકરની સૂચનાથી એમના ગણો શસ્ત્રોના પ્રહાર કરવા લાગ્યા. શિવગણો અને ગણપતિ વચ્ચે તુમુલ યુધ્ધ થયું. શિવજીની સૂચના થી એમના ગણો શસ્ત્રો ના પ્રહાર કરવા લાગ્યા, પરંતુ ગણેશજીએ, મોટી ભૂંગળો લઇ સૌને ઘાયલ કર્યા. શિવજી એ લીલા કરીને ગણોનો ગર્વ ઉતાર્યો.ત્યાર પછી કાર્તિકેય ગણેશ સામે શસ્ત્ર-અસ્ત્ર દ્વારા યુદ્વ કરવા લાગ્યા, પરંતુ ગણેશે સર્વ શસ્ત્ર-અસ્ત્ર પ્રહાર નિષ્ફળ બનાવ્યા.

પાર્વતીજી એ મોકલેલી બે ‘શકિત’ ની સહાયથી ગણેશે સર્વ ગણોને આકુળવ્યાકુળ બનાવી દીધા. ભગવાન વિષ્ણુ ગણેશ સામે યુદ્વ કરવા સજ્જ થયા તો ગણેશે તેમના પર પણ પ્રહાર કર્યો. ત્રિશૂળ લઇ લડવા આવેલા શિવજીનું ત્રિશૂળ ભૂંગળ દ્વારા નીચે પાડી દીધું. વિષ્ણુ અને ગણેશ વચ્ચે તુમુલ યુદ્વ તો ચાલતું જ હતું, તે દરમિયાન શિવજીએ સમયસૂચકતા વાપરી ગણેશ નું મસ્તક  છેદી નાખ્યું. શિવગણો તો હર્ષવિભોર બની નાચી ઊઠ્યા.

નારદજી એ પાર્વતી ને સમાચાર આપ્યા કે, મહેશે ગણેશ દ્વારપાલ નું મસ્તક છેદી નાખ્યું છે. પાર્વતીજી એ ક્રોધ કરીને પ્રલય અર્થે અસંખ્ય શકિતઓ ઉત્પન્ન કરી. આ મહામાયાઓ પ્રલય કરવા અને યુદ્વ કરવા જ આવેલી. સર્વ દેવો, યક્ષો, મુનિવર્યો, રાક્ષસો વગેરેનો સંહાર કરવા આજ્ઞા આપી હતી. શકિતદેવી ઓએ હાહાકાર મચાવી દીધો ! આ હત્યાકાંડ થતો અટકાવવા બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર વગેરે પ્રાર્થના કરે કે અમારો અપરાધ થયો છે માટે અમારા પર પ્રસન્ન થઇ ક્ષમા કરો. પાર્વતીજી ને શાંત થવા કાલાવાલા કર્યા અને આ અનર્થ અટકાવવા સ્તુતિ કરી.

પાર્વતીજી એ કહ્યું કે, મારો પુત્ર પુનઃ જીવિત થાય તો જ આ અનર્થ અટકે, નહિતર શકિતદેવીઓ, આ મહામાયાઓ સર્વ નો સંહાર કરી નાખશે. તે જગતમાં  કલ્યાણકારક અને સર્વ નો અધ્યક્ષ બને  તો જ મારા હ્રદય ને શાંતિ થશે, અને આ લોકમાં સૌ સુખ-શાંતિ પામશે. વળી, મારો પુત્ર જીવંત બની જગતમાં પૂજનીય અને વંદનીય બને તેમ કબૂલ કરતા હો તો જ ત્રણેય લોક માં શાંતિ સ્થપાશે. શંકરે કહ્યું હે દેવર્ષિઓ! તમે ઉત્તર દિશા પ્રતિ પ્રયાણ કરો, અને જે કોઇ પ્રથમ મળે તેનું મસ્તક  લઇ આવો. આથી શિવગણોએ માર્ગ માં સૌપ્રથમ મળેલા હાથીનું મસ્તક લાવી ગણેશના ધડ પર રાખી દીધું. ભગવાન શંકરે મંત્રેલું જળ ગણેશ ના શરીર પર છાંટી જીવતદાન આપ્યું.

પુત્રને જીવંત જોઇ પાર્વતી એ પ્રેમ થી તેડી લીધો, અને વાત્સલ્યપ્રેમની વર્ષા કરી. પાર્વતીજીએ  તેને પ્રેમપૂર્વક આશીર્વાદ આપતાં કહ્યું કે, તું સર્વ દેવોમાં સર્વપ્રથમ પૂજાનો અધિકારી થશે. ચંદન, પુષ્પ, નૈવેદ્ય વગેરેથી તારી પૂજા કરનારનાં વિધ્નો દૂર થશે અને પૂજન કરનાર રિદ્વિસિદ્વિ  ને પામશે. જેમ અમારી પૂજા લોકો કરે છે તેમ સૌપ્રથમ લોકો તારી પૂજા કરશે અને તેં આપેલા વરદાન ફળશે. ત્યાર પછી શિવજીએ ગણેશને વરદાન આપ્યું કે, હે ગજાનન! ભાદરવા સુદ ચોથના દિવસે  ચંદ્રોદય થતાં રાત્રિના પ્રથમ પ્રહરમાં તમે પાર્વતીના ચિત્ત માં પ્રાદુર્ભાવ પામ્યા હોવાથી તે  પરમ પવિત્ર દિવસે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તમારું અર્ચનપૂજન જે કરશે તેઓ જરૂર મનોવાંછિત ફળને પામશે. ત્યાર બાદ ગણપતિની અધ્યક્ષપદે પ્રતિષ્ઠા કરવા ઉત્સવ નું આયોજન થયું.

સર્વ દેવો એ  એકત્ર થઇ ને ગણપતિ નો ગણો ના અધિપતિ તરીકે અભિષેક કર્યો. પછી દેવોએ ભકિતપૂર્વક શંકરને પ્રસન્ન કર્યા. પાર્વતીએ પોતાના ખોળામાં ગણેશને બેસાડયા, શિવે આશીર્વાદ આપ્યા કે, આ મારો બીજો પુત્ર છે. ગણેશે ઊભા થઇને માતા-પિતા ને વંદન કર્યાં. આમ  ગણપતિની અધ્યક્ષપદે પ્રતિષ્ઠા થતાં સર્વત્ર ઉત્સવ થઇ રહ્યો.

શ્રી ગણેશ કથા – મૂષકવાહન

એક દિવસ પરાશર ઋષિની નજર પોતના આશ્રમની બહાર ફરતા કઢંગા રૂપવાળા ખિલખિલાટ હસતાં નિર્દોષ બાળક પર પડી. એ બાળકનાં ચાર હાથ હતા, હાથી જેવુ મોઢું હતુ અને મોટું પેટ હતું. તેમણે તેના પગમાં, હાથમાં, લલાટમાં દિવ્ય ચિન્હો જોયાં. ઋષિ પરાશર આવા અદભૂત બાળક્ને પોતનાં આશ્રમમાં લઈ આવ્યાં.

આશ્રમમાં પરાશર ઋષિ અને તેમનાં પત્ની વત્સલા આ બાળકનો ભરપૂર પ્રેમ અને કાળજી પૂર્વક તેનો ઉછેર કરવા લાગ્યાં. આમ ગજાનન વિદ્યા અને કળામાં નિપૂણ થતાં ગયાં ત્યારે આશ્રમમાં એક વિચિત્ર ઘટના બની. એક મોટોમસ ઉંદર આવી ચઢ્યો અને તેના6 માર્ગમાં આવતી વસ્તુઓનો નાશ કરતો ગયો. જંગલનાં દરેક પશુ-પ્રાણી તેનાંથી ડરતાં હતાં. ગજાનન રમતાં રમતાં આશ્રમમાં આવ્યા અને તેમને જોઈ આ મોટોમસ ઉંદર એક મોટા દરમાં છૂપાઈ ગયો.

ગજાનને જરાયે ગભરાયા વગર એક મજબૂત દોરડાનો ગાળિયો બનાવી ઉંદરનાં ગળામાં પહેરાવી તેને પકડી લીધો. અને તેને વશમાં કરી લીધો. અને ગજાનને ઉંદરને વાહન બનાવી દીધો..

બીજા મતે જોઈયે તો મૂષક એટલે ઉંદર એ અંધકારનું પ્રતિક છે અને દિવસ કરતાં રાતનાં વધુ ઉત્પાત મચાવતો હોય છે. ક્યાંય પણ ઘૂસીને એ નૂકશાન કરે છે. ગણેશ એ સૂર્ય છે અને સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે. પ્રકાશની અંધકાર પર સવારી એટલે ગણેશની મૂષક પર સવારી.

ગણપતિ ના નામ + અવતાર

શિવજીના પુત્ર, અને રિદ્ધિ-સિદ્ધિના પતિ તરીકે ભગવાન ગણપતિ ને ગણવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે અને તેમનું શિર્ષ હાથીનું છે.ગણેશ શિવજી અને પાર્વતી નાં પુત્ર છે. તેમનું વાહન મૂષક છે. ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. ગણેશજી નું નામ હિંદુ ધર્મ અનુસાર કોઇ પણ કાર્યની શરૂઆતમાં ઇષ્ટ છે.

શ્રી ગજાનનનું હાથીનું મસ્‍તક વિશાળતા સુચવે છે. માનવે પણ તેજ રીતે તેના જીવનમાં સંકૂચિતતાનો ભાવ છોડી વિશાળ દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. આ ઉપરાંત હાથી પ્રાણી સમુદાયમાં સૌથી વધુ બુધ્ધિશાળી ગણાય છે. જો માનવ બુધ્ધિશાળી હોય તો પોતાનો અને સમાજનો યોગ્‍ય વિકાસ સાધી શકે. હાથીના કાન સૂપડા જેવા હોય છે. અર્થાત અનાજ સાફ કરતી વખતે સૂપડું સારું અનાજ રહેવા દયે છે અને કચરો ધુળ વગરે ને બહાર ફેકી દયે છે તેજ રીતે કાન ઉપર અથડાતા સત્‍ય-અસત્‍યની વાતોમાંથી સત્‍ય વાતોનું જ શ્રવણ કરવું. શ્રી ગજાનન તેના હાથીના મસ્‍તકની ઝીણીઆંખો દ્વારા સમસ્‍ત સંસારને ખુબજ ઝીણવટપૂર્વક નીરખે છે. તેના નિરીક્ષણમાંથી સૂક્ષ્‍મમાં સૂક્ષ્‍મ વસ્‍તુ પણ દ્રષ્ટિ મર્યાદા બહાર જતી નથી. હાથીની લાંબી સૂંઢ દૂર દૂર સુધીનું સૂંધવા માટે સમર્થ છે. તે દૂરદર્શીતાપણુ પણ સૂચવે છે ગણેશજીના ચારેય હાથોમાં અલગ-અલગ વસ્‍તુઓ છે. જેમાં અંકુશ વાસના વિકૃતિ ઉપર નિયંત્રણ સૂચવે છે. જયારે પાશ ઈદ્રિયોને શિક્ષા કરવાની શકિત તેમજ મોહક સંતોષપ્રદ આહાર સૂચવે છે જયારે ચોથો હાથ સત્‍યનું પાલન કરતા ભક્તોને આશીર્વાદ સૂચવે છે. ગણપતિનું એક નામ લંબોદરાય પણ છે જે પેટની વિશાળતા સૂચવે છે. જેમાં તત્‍વજ્ઞાનની સર્વ વાતો સમાવવાનો નિર્દેશ મળે છે. ગણેશજીના ટુંકા પગ સંસારની ખોટી દુન્‍યવી વસ્‍તુઓ પછળ ખોટી દોડધામ ન કરવી પરંતુ બુધ્ધિપૂર્વક ધીમે છતાં મક્કમ ગતિએ પોતાના કાર્યમાં આગળ વધવાનું સૂચવે છે. આમ ગણપતિની તમામ લાક્ષણિકતાઓમાં કોઈને કોઈ શુભ મર્મ છુપાયેલ છે. ગણપતિને રિધ્ધિસિધ્‍ધીના દેવ પણ કહ્યા છે. તેમના પૂજનથી માનવને રિધ્ધિ સિધ્‍ધી પણ સાંપડે છે.

અવતાર

ગણપતિ આદિદેવ ગણાય છે જેમણે દરેક યુગમાં અવતાર લીધો હોવાનું જણાય છે.

૧) સતયુગમાં રૂષિ કશ્યપ અને અદિતિને ત્યાં ‘મહોત્કત વિનાયક’ રૂપે જન્મી,દેવાન્તક અને નરાન્તક નામક રાક્ષસોનાં વધની કથા છે.

૨) ત્રેતાયુગમાં ભાદરવા માસની,શુકલપક્ષ ચતુર્થીનાં ‘ઉમા’ને ત્યાં “ગુણેશ” રૂપે જન્મી,સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માનીં પૂત્રીઓ સિદ્ધિ અને બુદ્ધિ સાથે લગ્નની કથા છે.

૩) દ્વાપરયુગમાં ‘પાર્વતી’ને ત્યાં “ગણેશ” રૂપે જન્મની કથાતો જાણીતીજ છે.

૪) કલિયુગમાં,”ભવિષ્યપૂરાણ” મુજબ ‘ધુમ્રકેતુ’ કે ‘ધુમ્રવર્ણા’ રૂપે અવતાર થવાની કથા મળે છે.

બાર નામ

ગણેશજી ના અનેક નામ છે પરંતુ આ ૧૨ નામ મુખ્ય છે-

સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્નહર્તા, વિનાયક, ધૂમ્રકેતુ, ગણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન.

પિતા- ભગવાન શિવ
માતા- ભગવતી પાર્વતી
ભાઈ- શ્રી કાર્તિકેય
બહેન- માઁ સંતોષી (અમુક લોકો માને છે,પ્રમાણીત કરાયેલ નથી)
પત્ની- બે ૧.રિદ્ધિ ૨. સિદ્ધિ (દક્ષિણ ભારતીય સંસ્કૃતિમાં ગણેશજી બ્રહ્મચારી રૂપે દર્શાવાય છે.)
પુત્ર- બે ૧. શુભ ૨. લાભ
પ્રિય ભોગ (મિષ્ઠાન્ન)- મોદક, લાડુ
પ્રિય પુષ્પ- લાલ રંગનાં
પ્રિય વસ્તુ- દુર્વા (દૂબ) શમી-પત્ર
અધિપતિ- જલ તત્વનાં
પ્રમુખ અસ્ત્ર- પાશ, અંકુશ






શ્રી ગણેશ આરતી

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |

માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||

એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |

મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||

અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |

બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||

પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા |

લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા ||

દીનન કી લાજ રાખો શમ્ભુ-સુત વારી |

કામના કો પૂરી કરો જગ બલિહારી ||








શ્રી ગણેશ અથર્વશીર્ષ

ૐ ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ | ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ |

સ્થિરૈરંગૈસ્તુષ્ટુવાં સસ્તનૂભિઃ | વ્યશેમ દેવહિતં યદાયુઃ |

સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ | સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ |

સ્વસ્તિ નસ્તાર્ક્ષ્ર્યો અરિષ્ટનેમિઃ | સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ | |

ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ | |

ૐ નમસ્તે ગણપતયે | ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસિ |

ત્વમેવ કેવલં કર્તાસિ | ત્વમેવ કેવલં ધર્તાસિ |

ત્વમેવ કેવલં હર્તાસિ | ત્વમેવ સર્વં ખલ્વિદં બ્રહ્માસિ |


ત્વં સાક્ષાદાત્માસિ નિત્યમ્ | |૧| |

ઋતં વચ્મિ | સત્યં વચ્મિ | |૨| |

અવ ત્વં મામ્ | અવ વક્તારમ્ |

અવ શ્રોતારમ્ | અવ દાતારમ્ |

અવ ધાતારમ્ | અવાનૂચાનમવ શિષ્યમ્ |

અવ પશ્ચાત્તાત્ | અવ પુરસ્તાત્ |

અવોત્તરાત્તાત્ | અવ દક્ષિણાત્તાત્ |

અવ ચોર્ધ્વાત્તાત | અવાધરાત્તાત્ |

સર્વતો માં પાહિ પાહિ સમન્ત્તાત્ | |૩| |

ત્વં વાઙ્‌મયસ્ત્વં ચિન્મયઃ | ત્વમાનન્દમયસ્ત્વં બ્રહ્મમયઃ |

ત્વં સચ્ચિદાનન્દાદ્વિતીયોઽસિ | ત્વં પ્રત્યક્ષં બ્રહ્માસિ |

ત્વં જ્ઞાનમયો વિજ્ઞાનમયોઽસિ | |૪| |

સર્વં જગદિદં ત્વત્તો જાયતે | સર્વં જગદિદં ત્વત્તસ્તિષ્ઠતિ |

સર્વં જગદિદં ત્વયિ લયમેષ્યતિ | સર્વં જગદિદં ત્વયિ પ્રત્યેતિ |

ત્વં ભૂમિરાપોઽનલોઽનિલો નભઃ | ત્વં ચત્વારિ વાક્પદાનિ | |૫| |

ત્વં ગુણત્રયાતીતઃ | ત્વં અવસ્થાત્રયાતીતઃ |

ત્વં દેહત્રયાતીતઃ | ત્વં કાલત્રયાતીતઃ |

ત્વં મૂલાધારસ્થિતોઽસિ નિત્યમ્ | ત્વં શક્તિત્રયાત્મકઃ |

ત્વાં યોગિનો ધ્યાયન્તિ નિત્યમ્ |

ત્વં બ્રહ્મા ત્વં વિષ્ણુસ્ત્વં રુદ્રસ્ત્વમિન્દ્રસ્ત્વમગ્નિસ્ત્વં

વાયુસ્ત્વં સૂર્યસ્ત્વં ચન્દ્રમાસ્ત્વં બ્રહ્મ ભૂર્ભુવઃ સ્વરોમ્ | |૬| |

ગણાદિં પૂર્વમુચ્ચાર્ય વર્ણાદિંસ્તદનન્તરમ્ | અનુસ્વારઃ પરતરઃ |

અર્ધેન્દુલસિતમ્ | તારેણ ઋદ્ધમ |

એતત્તવ મનુસ્વરુપમ્ | ગકારઃ પૂર્વરુપમ્ |

અકારો મધ્યમરુપમ્ | અનુસ્વારશ્ચાન્ત્યરુપમ્ |

બિન્દુરુત્તરરુપમ્ | નાદઃ સન્ધાનમ્ |

સંહિતા સન્ધિઃ | સૈષા ગણેશવિધા |

ગણક ઋષિઃ | નિચૃદ્ગાયત્રી છન્દઃ |

શ્રીમહાગણપતિર્દેવતા | ૐ ગં ગણપતયે નમઃ | |૭| |

એકદન્તાય વિદ્મહે વક્રતુણ્ડાય ધીમહિ |

તન્નો દન્તિઃ પ્રચોદયાત્ | |૮| |

એકદન્તં ચતુર્હસ્તં પાશમંકુશધારિણમ્ | રદં ચ વરદં હસ્તૈર્બિભ્રાણં મૂષકધ્વજમ્ |

રક્તં લમ્બોદરં શૂર્પકર્ણકં રક્તવાસસમ્ | રક્તગન્ધાનુલિપ્તાન્ગં રક્તપુષ્પૈઃ સુપૂજિતમ્ |

ભક્તાનુકમ્પિનં દેવં જગત્કારણમચ્યુતમ્ | આવિર્ભૂતં ચ સૃષ્ટયાદૌ પ્રકૃતેઃ પુરુષાત્પરમ્ |

એવં ધ્યાયતિ યો નિત્યં સ યોગી યોગિનાં વરઃ | |૯| |

નમો વ્રાતપતયે નમો ગણપતયે નમઃ પ્રમથપતયે

નમસ્તેઽસ્તુ લમ્બોદરાય એકદન્તાય વિઘ્નવિનાશિને

શિવસુતાય શ્રીવરદમૂર્તયે નમઃ | |૧૦| |

એતદથર્વશીર્ષં યોઽધીતે | સ બ્રહ્મભૂયાય કલ્પતે |

સર્વવિઘ્નૈર્ન બાધ્યતે | સ સર્વતઃ સુખમેધતે |

સ પઞ્ચમહાપાપાત્ પ્રમુચ્યતે | સાયમધીયાનો દિવસકૃતં પાપં નાશયતિ |

પ્રાતરધીયાનો રાત્રિકૃતં પાપં નાશયતિ | સાયં પ્રાતઃ પ્રયુઞ્જાનઃ પાપોઽપાપો ભવતિ |

ધર્માર્થકમમોક્ષં ચ વિન્દતિ ઇદમથર્વશીર્ષમશિષ્યાય ન દેયમ્ |

યો યદિ મોહાદ દાસ્યતિ | સ પાપિઇયાન્ ભવતિ |

સહસ્ત્રાવર્તનાદ્યં યં કામમધીતે | તં તમનેન સાધયેત્ | |૧૧| |

અનેન ગણપતિમભિષિઞ્ચતિ | સ વાગ્મી ભવતિ |

ચતુથ્‌ર્યામનશ્નન્ જપતિ | સ વિધાવાન્ ભવતિ |

ઇત્યથર્વણવાક્યમ્ | બ્રહ્માધાચરણં વિધાન્ન બિભેતિ કદાચનેતિ | |૧૨| |

યો દૂર્વાન્કુરૈર્યજતિ | સ વૈશ્રવણોપમો ભવતિ |

યો લાજૈર્યજતિ | સ યશોવાન્ ભવતિ |

સ મેધાવાન્ ભવતિ | યો મોદકસહસ્ત્રેણ યજતિ |

સ વાઞ્છિતફ્લમવાપ્નોતિ | યઃ સાજ્ય સમિદ્ભિર્યજતિ |

સ સર્વં લભતે સ સર્વં લભતે | |૧૩| |

અષ્ટૌ બ્રાહ્મણાન્ સમ્યગ્ ગ્રાહયિત્વા | સૂર્યવર્ચસ્વી ભવતિ |

સૂર્યગ્રહે મહાનધાં પ્રતિમાસન્નિધૌ વા જપ્ત્વા | સિદ્ધમન્ત્રો ભવતિ |

મહાવિઘ્નાત્ પ્રમુચ્યતે | મહાદોષાત્ પ્રમુચ્યતે |

મહાપાપાત્ પ્રમુચ્યતે | મહાપ્રત્યવાયાત્ પ્રમુચ્યતે |

સ સર્વવિદ્ભવતિ સ સર્વવિદ્ભવતિ | ય એવં વેદેત્યુપનિષત્ | |૧૪| |

શિવ સ્વરૂપ અને તેનું રહસ્ય

" મનની એકાગ્રતા પામવા પ્રભુનું મૂર્તિ સ્વરૂપ આવશ્યક છે."

          શાલિગ્રામ અને લિંગ આ બન્ને વિષ્ણુ અને શિવજીનાં પ્રતિક છે. શિલ્પકલાનો વિકાસ થતાં કરચરણાદિ આકારવાળા માનવીય પ્રતીકો વિકસ્યાં હોય. જે હોય તે આપણે ભગવાન શિવજીના દૈહિક સ્વરૂપનો વિચાર કરવાનો.

          વિશાળ જટાઓ, જટામાં ગંગાજી, માથા પર ચંદ્ર, કપૂર જેવો શુભ્ર દેહ, યોગીની જેમ અર્ધબીડેલી આંખો, ગળામાં ફણીધર સર્પ, નીલકંઠ, ભસ્માંગદાગ, વાઘાંબર, ત્રીજું નેત્ર, ડમરું, ત્રિશૂળધારી: આવું ભવ્ય સ્વરોપ શિવજીનું સ્વરૂપ કલ્પવામાં આવ્યું છે.

         શ્રીકૃષ્ણ જેમ ‘પ્રેમ’ ગુણોનું મૂર્તરૂપ છે, તેવી જ રીતે પરબ્રહ્મ પરમાત્માના જ્ઞાન-વૈરાગ્ય ગુણોનું મૂર્ત સ્વરૂપ મહાદેવ છે. જ્ઞાન અને વૈરાગ્યની સંયુક્ત મૂર્તિ બનાવવાની હોય તો તે દેવાધિ દેવ મહાદેવની જ હોઈ શકે.

             આપણે ત્યાં લગભગ બધાં જ શાસ્ત્રોના આદિ પ્રવક્તા શિવજી છે. બ્રહ્મવિદ્યાના દક્ષિણામૂર્તિ {મહાદેવનું એક નામ છે] વ્યાકરણ, સંગીત, મૃત્ય, ભાગવત, રામાયણ, યોગ વગેરે બધાં શાસ્ત્રોના આદિ ગુરુ મહાદેવ છે. કારણ તેઓ જ્ઞાન-વૈરાગ્યના પ્રતિક મનાયા છે.

ગંગાજી:-

      કહેવાય છે કે રાજા ભગીરથે પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે ગંગાને ધરતી પર લાવવા માટે તપ કર્યું. ગંગાજી પ્રસન્ન થયા અને સ્વર્ગ પરથી ભૂસકો મારી આવવા તૈયાર થઈ ગયાં. પણ સ્વર્ગમાંથી ભૂસકો મારવાથી તે રસતાળમાં [પાતાળમાં] પહોંચી જશે એટલે તેનો વેગ સહન કરી શકે તેવી વ્યક્તિ લાવવા ભગીરથને કહ્યું. ભગીરથે વિષ્ણુ ભગવાનનો આશરો લીધો પણ તેમણે કહ્યું કે આ કામ મારું નથી તેથી મહાદેવ પાસે જા એ મદદ કરશે. ભગીરથ મહાદેવ પાસે આવ્યા. તેમની વિનંતી શિવજીએ તરત સ્વીકારી લીધી, તેઓ હિમાલય પર જી ઊભા રહીને ગંગાજીને આહવાન આપ્યું. ગંગાજીને અભિમાન આવી ગયું કે મારા વગને કોઈ સહન નહી કરી શકે. તેમણે શિવજીની જટા પર ભૂસકો માર્યો. શિવજી તો તણાયા તો નહી પણ ગંગાજી તેમની વિશાળ જટાઓમાં વર્ષો સુધી અટવાતાં રહ્યાં. ગંગાજીનો અહંકાર ઓગળ્યો અને સામાન્ય દેખાતી વ્યક્તિ મહાશક્તિશાળી છે તેથી ગંગાજી શિવજીના શરણે આવ્યા અને બહાર નીકળવાનો રસ્તો માંગ્યો અને ભગીરથનાં પૂર્વજોનો ઉદ્ધાર કર્વા માર્ગ માંગ્યો. આથી શિવજી તેમની જટાની એક લટ ઢીલી કરી અને ગંગાજી ગૌમુખ દ્વારા બહાર આવી ગંગાસાગર થઈ સાગરમાં મળી ગયા. કથાનો સાર એ છે કે વૈરાગ્યના ટેકા વિના જ્ઞાનનો ટકી શકતું નથી. બીજી રીતે કહેવાય કે એકનો હેતુ ઉદરભરણ અને બીજાનો હેતુ આત્મકલ્યાન છે. એટલે જ્ઞાનગંગાથી યુક્ત મહાદેવ છે. તેનો આધાર વૈરાગ્યથી ભરપૂર જટાઓ છે.

ચંદ્રશેખર :-

   શિવજીના મસ્તક પર બીજનો ચન્દ્ર શોભિત છે જે ચન્દ્રશેખર તરીકે ઓળખાય છે. દ્વિતીયાનો ચન્દ્ર હંમેશા ઉદીયમાન, વર્ધમાન છે. દિવસે દિવસે તે વધતો હોય છે. બીજું તે પ્રુરુષાર્થનું પ્રતિક છે. ચન્દ્રદર્શન બાદ હંમેશા પોતાની હથેળીઓ જોવાથી તેમાં રહેલી ચન્દ્રાકાર રેખાઓ હમેશા પ્રગતિનો માર્ગ દેખાડશે. બીજનો ચન્દ્ર ભલે નાનો દેખાતો હોય પન તેમાં પૂર્ણિમાના ચન્દ્રની સોળે કળા સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.

     શિવજીના મસ્તક પર જટારૂપી અપાર જ્ઞાનગંગા ભરી પડી છે જે ચન્દ્રની માફક વર્ધમાન છે, શીતળ પ્રકાશમાન છે. તેના પ્રતિક રૂપે ચન્દ્ર શિવજીના મસ્તક પર બિરાજમાન છે. વ્યક્તિ પોતાનો પુરૂષાર્થ તેમજ પ્રકાશ એટલે આદર્શ, ઉત્તમ આચારવિચારવાળું જીવન, ન છોડે તો તે જરૂર પૂર્ણિમાનો ચન્દ્ર બનશે.

ત્રિનેત્ર:-

      શિવજીની જેમ આપણને પણ ત્રણ નેત્ર છે, જે આપણે ખોલવા અસમર્થ છીએ. પણ આ તો દેવોના દેવ મહાદેવ છે જેમણે ત્રીજુ નેત્ર ખોલ્યું તેથી તો તેઓ ‘સ્મરહર. કામારિ’ વગેરે નામોથી ઓળખાય છે. કામદેવની હરકતોથી કંટાળી મહાદેવે ત્રીજુ નેત્ર ખોલી કામદેવને ભસ્મ કર્યો. કામમાં બાળનારો કામદેવ ખૂદ બળીને ભસ્મ થયો. જ્ઞાન-વૈરાગ્યને ત્યાં સુધી અમૃત્વની પૂર્ણ અનુભૂતિ નથી થતી જ્યાં સુધી તેણે નેત્ર દ્વારા કામ-વાસનાનો ક્ષય ન કરી નાખ્યો હોય. યોગ પ્રક્રિયામાં ‘આજ્ઞાચક્ર’ને તૃતીય નેત્ર કહેવાય છે. આ ચક્રનું ભેદન થતાં જ યોગી કામક્લેશથી પર થઈ જાય છે અને તેનું જ્ઞાન-વૈરાગ્ય નિર્ભય બને છે. આ બતાવવા શિવજીનાં કપાળ પર ત્રીજુ નેત્ર બતાવવામાં આવ્યું છે.

સર્પ:-

     સર્પ સાક્ષાત કાળનું પ્રતિક છે. સર્પ એટલે મૃત્યુ. મૃત્યુનું મુખ્ય સ્થાન ગળું છે. તેથી જ તો મહાદેવે મૃત્યુને પોતાનું આભુષણ બનાવ્યું છે. મૃત્યુની બેપરવાહી અથવાતો મૃત્યુને હરખભેર આમંત્રણ કોઈ વૈરાગ્યવીર જ આપી શકે. મૃત્યુથી ભાગી છૂટનારને મૃત્યુ ભાગવા નથી દેતુ. શિવજી એટલે તો મૃત્યુંજય કહેવાય છે જેમની નજીક મૃત્યુ આવતું નથી. તેથી સર્પ તેમનું ગળાનું આભૂષણ છે.

નીલકંઠ:-

શિવજીનો કંઠ નીલા રંગનો છે એટલે તેઓ નીલકંઠ કહેવાય છે.

      અનાદિકાળથી ચાલતા આવતા દેવ દાનવો વચ્ચે સંગ્રામ ચાલ્યા જ કરે છે. બન્ને તરફની અનુમતિથી સમુદ્રમંથન કરવામાં આવ્યું અને પ્રથમ હળાહળ ઝ્રેર નીકળ્યું. વિષ્ણુના ઈનકારથી દેવ દાનવો દેવાધિદેવ મહાદેવ પાસે ગયા અને હળાહળ ઝેર સ્વીકારવાની વિનંતી કરી. મહાદેવ સમજી ગયા અને સંપૂર્ણ વિશ્વની રક્ષા ખાતર હસતા હસતા આ હળાહળ ઝેર નિર્લેપભાવે ગટગટાવી ગયા. ત્યારથી શિવજી ‘મહાદેવ’ કહેવાયા. મહાદેવે ઝેર તો પીધું પણ એમણે પેટમાં ન ઉતારતા કંઠમાં રાખ્યુ. તેની પાછળ પણ અકારણ છે કે જો ઝેરને થૂંકી કાઢત તો ઝેર વધુ ફેલાત અને જો પેટમાં ઉતારત તો તેમની નસેનસમાં ઉતરી જતે અને મોતને નોતરત પણ એમ ન કરતાં તેમણે એ ઝેર કંઠે જ રહેવા દીધું. આમ તેઓ ‘નીલકંઠ મહાદેવ’ કહેવાયા.

શિવાલયમાં ગણેશજી અને હનુમાનજી બિરાજે છે.

      ગણેશજીની પ્રાગટ્ય કથા તો ખૂબ પ્રચલિત છે. પાર્વતીજીને સ્નાન કરવાનું મન થયું. શરીરનો મેલ ઉતારી તેનું પુતળું બનાવી તેમાં પ્રાણ પૂર્યો. એ બાળકને દ્વાર પર પહેરો ભરવા ઊભો રાખ્યો અને કોઈને અંદર પ્રવેશવા ન દેવાની આજ્ઞા કરી. જેવા પાર્વતીજી સ્નાન કરવા બેઠા અને આ બાજુ શિવજીની સમાધિ ખૂલી. હાથમાં ત્રિશૂળ લઈ ઘર ભણી ઉપડ્યા. આવીને જુએ છે તો ત્યાં એક બાળક પેહેરો ભરી રહ્યો છે, જે શિવજીને અંદર જવા દેતો નથી. પોતાના ઘરમાં પ્રવેશતા અટકાવનાર પર શિવજીને ક્રોધ ચઢ્યો અને તેનો શિરચ્છેદ કર્યો. શિવજી અંદર ગયા અને લોહીવાળું ત્રિશૂળ જોઈ પાર્વતીજીને શંકા ગઈ. હકીકત જાણતા તેમણે પ્રભુને જણાવ્યું કે આપે આપના દીકરાનો શિરચ્છેદ કરી મોટી ભૂલ કરી છે. એમનાં આક્રંદથી શિવજીને પશ્ચાત્તાપ થાયો અને હાથેનું માથું કાપી દીકરાનાં ધડ પર બેસાડી જીવિત કરી વરદાન આપ્યું કે દરેક શુભ કાર્યમાં પ્રથમ તારી પૂજા થશે.

 આ હકીકત પાછળ ગૂઢ રહસ્ય છે.

     પ્રથમ તો પાર્વતીમાના શરીર પર એટલો બધો મેલ હતો કે તેમાંથી પૂતળું બનાવી શક્યાં?  કહેવાય છે કે તિબેટમાં વ્યક્તિઓ બે વખત ન્હાય છે. પહેલીવાર એ જ્ન્મે છે ત્યારે અને બીજીવાર મરણ પામે છે ત્યારે. ત્યાં ખૂબ ઠંડી હોવાને કારણે ત્યાં સ્નાનનું મહત્વ નથી. તેથી આખા જીવન દરમિયાન શરીર પર મેલ ભરાતો રહે છે.તિબેટનાં રીત રિવાજ મુજબ કન્યાના શરીર પર જેટલો મેલ તેટલી કન્યા સુલક્ષણી ગણાય. પણ આ તો જગતજનની પાર્વતીજી છે. શું પાર્વતીજીના શરીરે પર એટલો મેલ હશે કે જેમાંથી પુતળું બની શકે ? શિવજી ક્રોધમાં આવીને કર્તવ્ય બજાવી રહેલા બાળકનું માથું કાપી નાખે ખરા ? તેમજ પ્રાયશ્ચિત રૂપે હાથીનું માથું કાપી બાળકનાં ધડ પર બેસાડી દે? આ કોઈ લૌકિક ઘટના નથી પણ આધ્યાત્મિક રૂપક છે.
 
ગણેશજીનું આધ્યાત્મિક રૂપ

                     શિવ-શક્તિ બે તત્વો છે. શક્તિના બે પ્રકારની છે. પ્રલયકાળમાં જે પ્રકૃતિ સામ્યાવસ્થામાં રહે છે એટલે માત્ર સત્તામા રહે છે તે સતી. આ જ સતી જ્યારે સૃષ્ટિ રચનાનું કાર્ય કરે છે ત્યારે પાર્વતી કહેવાય છે. જ્યારે નવનિર્માણના શુભારંભમાં પ્રથમ શરીરનો મેલ ઉતારી સ્નાનવિધિથી કાર્યનો આરંભ થાય છે. શરીરને હાનિ પહોંચાડ્યા વગર જે સહજ રીતે શરીરથી જુદો થાય તે મેલ. મળ, મૂત્ર, કફ, વાળ, નખ, આંખ-નાક-કાન વગેરેના મેલ છે. આ તત્વો સમજવા જેવા છે. મૂળ પ્રકૃતિ – જેને આપણે શક્તિ કહીએ છીએ અને પૌરાણિક કાળમાં સતી કે પાર્વતી કહીએ છીએ. આમ મૂળ પ્રકૃતિમાંથી બુદ્ધિનું નિર્માણ થાય છે અને આ બુદ્ધિ એટલે આ પહેરો ભરતો બાળક. આ નિર્માણ કાર્યનો આરંભ થતાં જ શિવજીની સમાધિ ખૂલે છે.

     પ્રલયકાળમાં પુરુષ તમામ પ્રવૃત્તિથી મુક્ત હતો તેથી તેની આ સ્થિતિને સમાધિ કહેવામાં આવી છે. કૈલાસ શબ્દનો અર્થ આ સ્થિતીને સ્પષ્ટતા આપે છે. કિલ+અસ= કિલાસ, કૈલાસ. કિલ અર્થાત અતિ પ્રસિદ્ધ, ઓસ અર્થાત સત્તા હોવી. પ્રલયકાળમાં પણ જેની અતિ પ્રસિદ્ધ સત્તા રહેલી હોય તે પરમાત્મા કિલાસ કહેવાય અને તેના રહેઠાણને કૈલાસ કહેવાય. કૈલાસ શબ્દ જ મહાપ્રલયકાળનું ઐકાંતિક સ્થાન જે શિવજીની સમાધિનું સ્થાન સૂચવે છે.

    ગણેશ [બુદ્ધિ]નું પ્રથમ મનુષ્ય મસ્તક પ્રકૃતિનું બનાવેલું છે જે ભોગપ્રધાન છે જે હંમેશા ભોગોને શોધતું રહે છે. શિવજીએ તે મસ્તકને હઠાવી નવુ મસ્તક ગોઠવે છે જેને શૈવી બુદ્ધિ કહી શકાય. આ શૈવી બુદ્ધિ અમાઘ શક્તિશાળી હોવાથી ઈંદ્રિયોને પોતાને આધીન રાખે છે. ગણેશનું માથું હાથીનું મસ્તક શા માટે પસંદ કરવામાં આવ્યું?

    મોટું માથું જે વિશાળ જ્ઞાનથી ભરપૂર, મોટા કાન જે બહુશ્રુત, ઝીણી આંખો જે સૂક્ષ્મ અવલોકન કરવાની ક્ષમતા ધરાવે છે. લાંબુ નાક જે દૂર સુધીની સુગંધ-દુર્ગંધને પારખવાની ક્ષમતા ધરાવે છે. વિશાળ પેટ જે બધી વાતોને પચાવવાની ક્ષમતા ધરાવે છે. આમ ગણેશની બાહ્ય આકૃતિ સૈવી બુદ્ધિવાળા મહાપુરુષનાં લક્ષણો સમજાવતી છે,

આપણાં કોઈ પણ દેવ વાહન વિનાના નથી. એમાં પણ ઉંદર ફક્ત ગણેશજીનું વાહન છે. તેની પાછળ પણ રહસ્ય છે. ગણેશની શૈવીબુદ્ધિ વિવેકબુદ્ધિની ગતિનો આધર ફક્ત તર્ક જ થઈ શકે. તર્ક વિના બુદ્ધિનો વિકાસ નથી થતો. ઉંદર એ તર્ક છે. નિરર્થક અહીંતહીં દોડાદોડ કરે છે અને કાપકૂપ કરે છે. અને તેને અંકૂશમાં રાખવા ગણેશજી જેવા ભારેખમ શરીરવાળાને ઉંદર ઉપર ગોઠવ્યું છે. માટે ગણેશના [બુદ્ધિના] ભાર સાથે ઉંદર [તર્ક] હોવો જરૂરી છે.  “વાદે વાદે જાયતે તત્વબોધઃ”

નિજ મંદિરમાં બિરાજેલા ભગવાન શંકર આવનાર ભક્તને કહે છે કે તારે જો મારી પ્રાપ્તિ કરવી હોય તો પ્રથમ તારી પ્રાકૃતિક બુદ્ધિ ઉખેડી શૈવીબુદ્ધિની સ્થાપના કર. આ શૈવી બુદ્ધિ જ શિવને પમાડે છે. વાસના બુદ્ધિ નહિ તે બતાવવા શિવાલયમાં ગણપતિની પ્રતિમા મૂકવામાં આવે છે.

 હનુમાનજી

શિવાલયમાં એક તરફ ગણપતિજી બિરાજે છે તો બીજી તરફ હનુમાનજી બિરાજે છે. ગણપતિજી તો શિવપુત્ર છે પણ હનુમાનજીને શા માટે બેઠકજી મળે છે?

હનુમાનજી પવનપુત્ર ગણાય છે તેમ જ શંકરસુવન પણ કહેવાય છે અને કેસરીનંદન કહેવાય છે. અંજનીમાતા છે અને કેસરી પિતા છે. આ બતાવે છે કે આ કોઈ આધ્યાત્મિક રહસ્ય છે. હનુમાનજી અનન્ય ભક્તિ, પરાક્રમ અને પૂર્ણ વૈરાગ્યના પ્રતિક છે. શ્રીરામના અનન્ય ભક્ત, મહાપરાક્રમી [વાયુ પરાક્રમના દેવ છે.] અને પૂર્ણ વૈરાગી [શિવજી વૈરાગ્યના દેવ છે] તરીકે તેમનું વ્યક્તિત્વ પ્રસિદ્ધ છે. અનન્ય ભક્તિ, પૂર્ણ પરાક્રમ અને પૂર્ણ વૈરાગ્ય જ ભગવાન શંકરને પામી શકે છે. ઘણી જગ્યા પર હનુમાનજી એકલાનું મંદિર હોય છે. શ્રીરામજીનાં મંદિર સાથે હનુમાનજી તો હોય જ છે તેમ જ મહાદેવજી સાથે પણ હનુમાનજી હોય છે. શિવાલયમાં તેમનું પ્રતિક આ ત્રણ તત્વોની પ્રેરણા આપવા માટે છે. સાથે સાથે તેમના હાથમાં ઔષધ પર્વત પણ હોય છે. ઔષધ પર્વત સોચવે છે કે તે જીવનને પુનઃ ચેતના આપનારી છે. હનુમાનજી બીજા પગે પનોતીને દબાવી રાખે છે. એ સૂચવે છે કે પનોતી પરાક્રમી તથા વૈરાગ્યવાન પુરુષની દાસી બની જાય છે.

                                     
  ૐ નમઃ શિવાય
 ૐ નમઃ શિવાય 
 ૐ નમઃ શિવાય 

શિવ ચિન્હોનું તાત્પર્ય + ત્રિશૂળ + ડમરું + શિખર + નંદી + કાચબો

ત્રિશૂળ :-

   શિવજીના હાથમાં ત્રિશૂળ છે. પ્રભુ ત્રિશૂળ દ્વારા પોતાના ભક્તોનાં ત્રણ શૂળો કાઢે છે એટલે તો તો તેઓએ ત્રિશૂળ ધારણ કર્યું છે. આ ત્રણ શૂળો એટલે 1] આધિ 2] વ્યાધિ 3] ઉપાધિ. આ ત્રિતાપમાંથી પ્રભુ આશુતોષ મુક્તિ અપાવે છે.

   સ્વામી સચ્ચિદાનંદજી પોતાના અનુભવથી કહે છે કે જેને અસહ્ય કામપાત થતા હોય તેણે ભગવાન શિવજીનું નામ સ્મરણ કરવુ. થોડા દિવસોમાં આ તાપ ઓછો થઈ જશે. શિવ તો ત્રિપુરહર છે, કામારિ છે. જ્ઞાનવૈરાગ્યના આરાધક માટે ભગવાન શંકર આશ્રયસ્થાન છે.

ડમરું:-

     શિવજીને ડમરું વ્હાલું છે. ડમરું જ્ઞાનવાજિંત્ર છે. જે હંમેશા એક જ તાલમાં વાગે છે. બન્ને તરફ સંસાર-મોક્ષ-સરખો રણકો કરે છે. બન્ને તરફ એક જ તાલ અને એકસરખો રણકો વાગતો હોવાથી તેમાં આરોહ અવરોહના ઉતાર ચઢાવ નથી. એક ભાવ, સમ ભાવ. જ્ઞાનની એજ શોભા છે. વાણી નીકળે તે સમભાવી, એકપક્ષીય નહી પણ સૌને ન્યાય, અને સંતોષ આપનારી નીકળે. શિવજીએ એટલે જ કદાચ ડમરૂં પસંદ કર્યું હશે.

શિખર:

            શિખરો હંમેશા અણીદાર હોય છે તે આકાશ તરફ ઊંચે જતા હોય તે દર્શાવે છે. દેવ સ્થાને જતાં ઉર્ધ્વ ગતિ કરવાની હોય છે. આપણા જીવનને ઉર્ધ્વગામી બનાવવા દેવસ્થાનોના શિખરો અણીયાળા બનાવી બનાવ્યા છે.


તેમના શિવાલય વિષે વિચાર કરીયે.

  આપણે શિવાલયમાં પ્રવેશ કરીએ ત્યારે પ્રથમ નંદીનાં દર્શન કરીએ છીએ. એક બાજુ ગણેશજી, બીજી બાજુ હનુમાનજી, કાચબો, ત્યારબાદ શિવલિંગ અને છેલ્લે પાર્વતીજી. આમ શિવાલયની રચના થઈ છે.

નંદી:

          આપણાં દરેક દેવના કોઈ ને કોઈ વાહન છે. આ વાહનો જાત જાતનાં છે અને દરેક સમજવા જેવાં છે. એવી જ રીતે શિવજીનું વાહન નંદી છે. નંદી એ ધર્મનું પ્રતિક છે. ધર્મ પોતે મદદરૂપ થઈને શિવ-કલ્યાણકારી પરમાત્માનું વાહન થયો છે. ગતિ કરાવે તે વાહન.
ગાય એ શ્રદ્ધાનું પ્રતિક છે અને નંદી ગાયનો પુત્ર જે ધર્મનું પ્રતિક છે. આમ ધર્મ ર શ્રદ્ધાનો પુત્ર છે. ધર્મ શ્રદ્ધામાંથી પ્રગટે છે. ગાયરૂપી શ્રદ્ધા પોતાના ધર્મની દુર્દશાનું વર્ણન – ફરિયાદ કરવા વિષ્ણુ પાસે ગયા. ધર્મનો ભાર નથી હોતો અધર્મનો હોય છે. પથ્થર કદાચ તારે-તરે પણ પાપ તો નથી તારે ન તો તરે.શિવજીનો નંદી તો ધર્મનું પ્રતિક છે માટે તો શિવજીએ વાહન તરીકે નંદીને પસંદ કર્યો છે.

            મંદિરમાં જઈએ છીએ ત્યારે નંદીના ત્રણ પગ વળેલા હોય છે અને ચોથા પગનાં સહારે નંદીજી ઊભા છે. એનો અર્થ એ થાય છે કે સતયુગ પૂરો થાય છે એટલે સતનો પગ વળી જાય. દ્વાપરયુગ પૂરો થાય એટલે તપનો પગ વળી જાય. ત્રેતા પૂરો થાય એટલે દયાનો પગ વળી જાય છે. કળિયુગ ધર્મ અને દાનના આધારે ટકી રહ્યો છે. જ્યારે નંદીનો ચોથો પગ વળશે ત્યારે પૃથ્વી પર પ્રલય થશે.

       નંદી એ બળદ છે તો એક વિચાર આવે કે શિવજીએ બળદને જ કેમ પસંદ કર્યો હશે? કારણ બળદ એ પુરુષાર્થનું પ્રતિક છે. પુરુષાર્થ બે પ્રકારના છે. 1] સ્વાર્થ માટે 2] પરમાર્થ માટે. ભલે બળદ પુરુષાર્થ પોતાના પેટ માટે કરે છે પણ હજારો મણ અનાજ પકવીને લોકોનાં પેટ ભરે છે. બસ તેનાં આજ પરમાર્થને ધ્યાનમાં લઈ શિવજીએ બળદને પોતાના વાહન તરીકે બિરદાવ્યો.

       મહાદેવના દર્શન કરવા આપણે પહેલી અને છેલ્લી આંગળી નંદીના શિંગડા પર ટેકવી વચ્ચેથી શિવજીનાં દર્શન કરીએ છીએ. એનો અર્થ એ થાય છે કે ધર્મ વિના મહાદેવનાં દર્શન નથી થતાં.

કાચબો [કચ્છપ] :-

      નંદી અને શિવજીની વચમાં કાચબાને મૂકવામાં આવ્યો છે. કાચબો એ સંયમનું પ્રતિક છે. મુશ્કેલ સમયમાં કાચબો પોતાનાં દએક અંગને અંદર સમેટી લે છે તેવી જ રીતે જ્ઞાની પુરુષ પોતાની ભટકતી ઈંદ્રિયોને વિષયોમાંથી પાછી વાળી લે તો શિવ પ્રાપ્ત કરી શકે છે.

ષટ્તિલા એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે

પુલત્સ્ય ઋષિને દાલભ્ય ઋષિ પ્રશ્ન પૂછે છે. "હે મુનિવર્ય! મૃત્યુલોકમાં જન્મ્યા પછી મનુષ્ય જાણે-અજાણે અનેક પાપ કર્યા કરે છે. મનુષ્યે બ્રહ્મહત્યા કરી હોય, કોઈનું દ્રવ્ય ચોરી લીધું હોય, પરસ્ત્રીગમન કર્યું હોય તો પણ શું તે સ્વર્ગ-પ્રાપ્તિ કરી શકે છે? આવા ઘોર કર્મ કરનારના પાપનું નિવારણ ખરું?"

પુલસ્ત્ય મુનિ કહે છેઃ "હે મુનિ! આજ સુધી બ્રહ્મા, વિષ્ણુ વગેરે દેવોએ પણ આ રહસ્ય ગોપનીય રાખ્યું છે. ષટ્તિલા એકાદશીનું વ્રત કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે." આ વ્રતની વિધિ આ પ્રમાણે છેઃ

વ્રતધારીએ ગાયના છાણમાં તલ અને રૃ મિશ્રિત કરીને ૧૦૮ ગોળા બનાવવા. આ ગોળા પોષ વદ અગિયારશ પહેલાં બનાવી મહા માસમાં તૈયાર રાખવા.

ષટ્તિલા એકાદશીના દિવસે પ્રાતઃકાળે ઊઠી સ્નાન-વિધિથી પરવારી પુરુષોત્તમ નારાયણનું પૂજન કરવું, રાત્રે જાગરણ કરવું, શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી પ્રભુનું અર્ચન-પૂજન કરવું, અને સુગંધિત દ્રવ્યો સમર્પણ કરવાં અને અર્ધ્ય આપી પિતૃઓની સદ્ગતિ માટે પ્રાર્થના કરવી.

વ્રતધારીએ પોતાની શક્તિ અનુસાર તલનું ભરેલું પાત્ર અને શ્યામ રંગની ગાય દાનમાં આપવાં. જેટલા તલનું દાન કર્યું હોય તેટલા હજાર વર્ષપર્યંત સ્વર્ગ-પ્રાપ્તિ થાય છે. ષટ્તિલા એટલે મકર સંક્રાન્તિનું સ્વાગત કરવાની પૂર્વ તૈયારી.

વ્રતીએ - (૧) શરીરે તલના તેલની માલિશ કરવી, (ર) તલના પાણીથી સ્નાન કરવું, (૩) તલનો હોમ કરવો, (૪) તલ નાખેલા જળનું પાન કરવું, (પ) તલવટ બનાવીને ખાવો અને (૬) તલનું દાન કરવું. આ છ પ્રકારે તલ પાપ નષ્ટ કરે છે. (તિલા એટલે તલ)

ઉદારતા એ પ્રેમનું સાચું રૃપ છે. પ્રેમમાં પણ ક્યારેક સ્વાર્થભાવના છુપાઈ રહેલ હોય છે. ઉદાર વ્રતધારી અન્યનું દુઃખ દેખી પોતે દુઃખી થાય છે. પ્રકૃતિનો એ ન ભૂંસાય તેવો નિયમ છે કે કોઈ પણ ત્યાગ વ્યર્થ જતો નથી, કરેલ સુપાત્ર દાન વ્યર્થ જતું નથી. આપણાથી વધારે ગરીબ લોકોને દાન આપવાથી આપણી પોતાની ગરીબીનો ભાવ નષ્ટ થઈ જાય છે, એનામાં આત્મવિશ્વાસ દૃઢ બની જાય છે, પરિણામે તેની માનસિક શક્તિ પણ દૃઢ બને છે. જે વ્રતી નિત્ય ઉદાર વિચાર રાખે છે, તેના સંકલ્પો પણ સિદ્ધ થાય છે, પરંતુ આત્મસુખ તો ઉદારતા વગર અશક્ય છે.

તમારે જેની જરૃર નથી એ વસ્તુ મને આપી દો એમાં "ઉદારતા" નથી, પણ તમારે જેની જરૃર મારા કરતાં વધારે છે, એ વસ્તુ તમે મને આપી દો, એમાં જ સાચી ઉદારતા છે.

'હે નારદ! ષટ્તિલા એકાદશીનું વ્રત તો માત્ર ઉદાહરણ તરીકે છે. ઉદાર વ્રતધારી પોતાની આસપાસ ઉત્તમ પ્રકારની ઉદારતાનું વાતાવરણ સર્જી શકે છે. વિદ્યા જેટલી વધારે અપાય તેટલી તે વધે છે. દાન દેવાથી કોઈ વસ્તુનું વધવું તે કાંઈ ફક્ત વિદ્યાદાનના વિષયમાં સાચું છે તેમ નથી, પરંતુ ઔદાર્યની બાબતમાં પણ સાચું છે.'

સ્વાર્થની ભાવના મનમાં ક્ષોભ ઉત્પન્ન કરે છે અને ઉદારતાની ભાવના શીલ ઉત્પન્ન કરે છે. ઉદાર વિચાર મનુષ્યની એવી મહાન સંપત્તિ છે કે જે તેને વિપત્તિ સમયે સહાયતા કરે છે. ઉદાર મનુષ્ય હંમેશા ઉત્સાહી અને આશાવાદી હોય છે. ઉદારતા કે પરોપકાર તે માનવમાત્રનું કર્તવ્ય છે. જે મનુષ્ય જનકલ્યાણ માટે મથતો નથી તેનું જગતમાં જન્મવું અને જીવવું ભારરૃપ છે.

એકાદશીનું અનુપમ વ્રત કરનારે પોતાની જીવનસરિતા કલ્યાણ માર્ગે વહાવવી જોઈએ. તેના હ્ય્દયમાં હંમેશા લોકકલ્યાણની ભવ્ય ભાવના વસેલી હોવી જોઈએ. આપણું જીવન આપણા એકલા માટે જ છે એવું નહીં માનતા સર્વના માટે છે એમ માનવું. સહ્ય્દયતા એ અમૂલ્ય ધન છે. આપનાર મેળવે છે, લેનાર ગુમાવે છે. ઉદારતા એ માનવજીવનનો અતિ સુંદર અંશ છે. રાય અને રંકની પરિભાષા એ છે કે, સંતોષી તે રાય અને અસંતોષી તે રંક. પ્રસિદ્ધિ અને રિદ્ધિ એ બેમાંથી એકેય સિદ્ધિનું સાચું માપ નથી. સિદ્ધિનું સાચું માપ છે માત્ર ઉદારતા. જે ઉદારતામાં અભિમાન ભળે છે એ ઉદારતા પોતાની સાત્ત્વિકતા ગુમાવી બેસે છે.

આ બ્રાહ્મણ સ્ત્રીએ પોતાની શક્તિ અનુસાર ઉદારતાથી અન્ન-વસ્ત્રનું દાન કર્યું હતું તેથી અને ષટ્તિલા એકાદશી વ્રતના પુણ્ય પ્રભાવથી સૌન્દર્ય, તેજ, રિદ્ધિ-સિદ્ધિ, સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થયાં હતાં. આ પરમ પવિત્ર દિવસે જે લોકો લોભવૃત્તિ ત્યજીને, તૃષ્ણા ત્યજીને, "તેન ત્યકતેન ભુંજિથા"એ સૂત્રાનુસાર ત્યાગ-ભાવના દાખવીને, ઉદારતા દાખવીને દલિતપીડિત વર્ગને યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન વગેરે આપે છે તે વ્યક્તિ જન્મજન્માંતર સુધી આરોગ્યને પામે છે. તેને દુઃખ, દરિદ્રતા અને દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી.

આ પ્રકારે ભવિષ્યોત્તર પુરાણમાં આ વ્રતના મહાત્મ્યનો જે નિર્દેશ કર્યો છે તે મહાત્મ્ય નારદજીને ભગવાન શ્રીકૃષ્ણે સવિસ્તાર કહી સંભળાવ્યું. આ વ્રત-કથાનું જે શ્રવણ અને વાંચન કરે છે તેના પણ સર્વ પાપો નષ્ટ થાય છે અને તે વૈકુંઠને પામે છે.

રામ નામનો મહિમા અનન્ય છે

રામ નામનો મહિમા અનન્ય છે. સંસારના આધિ, વ્યાધિ અને ઉપાધિનો એકમાત્ર ઉપાય તે રામનામ છે. ‘રામનામ’ અદભુત સંજીવની છે, અમોઘ શસ્ત્ર છે, મહાન શક્તિ છે. માત્ર એકજ વખત ‘રામ’ બોલાઇ જવાય તો પણ અધમનો ઉદ્ધાર થઈ જાય છે.

આ કળિયુગમાં નામ-સ્મરણનો મહિમા વિશેષ છે. ‘રામનામ’ એ તો રામ કરતાં પણ શ્રેષ્ઠ છે ! શ્રીરામે તો એક અહલ્યાનો જ ઉદ્ધાર કર્યો, જ્યારે તેમનાં નામથી તો કેટલાયની કુબુદ્ધિ રૂપી અહલ્યાનો ઉદ્ધાર થયો. રામે એક પરશુરામના ધનુષ્યનો નાશ કર્યો, જ્યારે તેમનાં નામે તો કેટલાયના અહંકાર રૂપી ધનુષ્યનો નાશ કર્યો, રામનામ જીભ પર રાખો તો હ્રદયમાં અને બહાર બધે પ્રકાશનો તેજપૂંજ ઝળહળી ઊઠશે. આખો દિવસ રામનું નામ લીધા કરો, પણ મન જો બીજે લાગેલું હોય તો એવા નામજપથી ઝાઝો ફાયદો થતો નથી. નામજપની સાથે એકાગ્રતા પણ જોઇએ. આપણે કામકાજ કરવું, પણ રામકાજ ભૂલવું જોઇએ નહિ.

રામ રામેતિ, રામ રામે મનો રામે | સહસ્ત્ર નામ તતુંભ્યમ્‌ રામનામ વરાનને ||

સ્વયં ભગવાન શિવે મહાભારતમાં રામ નામની ભવ્ય પ્રશંસા કરી છે. મહાભારતમાં શિવ અને પાર્વતીનો વિષ્ણુસહસ્ત્ર નામના સંદર્ભમાં એક સંવાદ મુકવામાં આવ્યો છે. શિવ અહીં સમજ આપતાં કહે છે કે શ્રી ભિષ્મે વિષ્ણુના સહસ્ત્ર (હજાર) નામો ૧૦૭ પદોમાં વર્ણવ્યાં છે. તેથી પાર્વતી શિવને પ્રશ્ન પુછે છે કે આ સહસ્ત્ર નામરૂપી માળાનું કોઇ એક રૂપ અસ્તિત્વમાં છે કે જેનો પ્રભાવ હજાર નામ બરાબર હોય. શિવ જવાબમાં કહે છે કે માત્ર રામના નામનો પ્રભાવ જ વિષ્ણુના સહસ્ત્ર નામ બરાબર છે.

‘રામ’ ને બદલે ‘મરા…મરા…’ બોલનારો વાલિયો લૂંટારો મહાન કવિ અને રામાયણનો રચયિતા મહર્ષિ વાલ્મીકિ બની ગયો. તુલસીદાસજી જેવા અનેક સંત-મહાત્માઓ રામનામનું શરણું લઈ ભવપાર તરી ગયા હતા. તુલસીદાસજીએ રામચરિત માનસ દ્વારા એ રામકથાને ઘર-ઘર સુધી પહોંચાડી. રામનામનો મહિમા કરતાં તેઓ કહે છે કે, ‘મંગલ ભવન અમંગલહારી…’ રામનું નામ બધા જ અમંગલોને દૂર કરનારું છે અને બધા જ મંગલોનું નિવાસસ્થાન છે.

મહાશિવરાત્રિ વ્રતનું મહત્વ

નારદસંહિતા અનુસાર જે દિવસ મહા ચૌદશની તિથિ અડધી રાતના યોગવાળી હોય તે દિવસે જે શિવરાત્રિવ્રત કરે છે તે અનંત ફળને પ્રાપ્ત કરે છે. આ સંબંધમાં ત્રણ પક્ષ છે - (૧) ચૌદશની પ્રદોષ વ્યાપિની. (ર) નિશીથ (અર્ધરાત્રિ) - વ્યાપિની અને (૩) ઉભયવ્યાપિની વ્રતરાજ, નિર્ણયસિન્ધુ તથા ધર્મસિન્ધુ વગેરે ગ્રંથો અનુસાર નિશીથવ્યાપિની ચૌદશ તિથિનો જ સ્વીકાર કરવામાં આવ્યો છે તેથી ચૌદશની તિથિ નિશીથવ્યાપિની હોય તે મુખ્ય છે, અગત્યની છે, પરંતુ તેના અભાવમાં પ્રદોષવ્યાપિની સ્વીકૃત હોઈ તે પક્ષ ગૌણ છે. આ કારણે પૂર્વા યા પરા એ બંનેમાં જે પણ નિશીથવ્યાપિની ચૌદશની તિથિ હોય તેમાં જ વ્રત કરવું જોઈએ.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્રતિપદા વગેરે સોળ તિથિઓના અગ્નિ વગેરે દેવતા સ્વામી હોય છે તેથી જે તિથિના જે દેવતા સ્વામી હોય છે, તે દેવતાનું એ તિથિમાં વ્રત અને પૂજન કરવાથી તે દેવતાની વિશેષ કૃપા ઉપાસકને પ્રાપ્ત થાય છે. ચૌદશની તિથિના સ્વામી શિવ છે અથવા શિવની તિથિ ચૌદશ છે તેથી આ તિથિની રાત્રિએ વ્રત કરવાના કારણે આ વ્રતનું નામ 'શિવરાત્રિ' હોવું એ એટલું જ ઉચિત છે. એટલા માટે દરેક માસની વદ પક્ષની ચૌદશે શિવરાત્રિનું વ્રત થાય છે. જેને માસશિવરાત્રિ વ્રત કહે છે. શિવભક્ત તો દરેક વદ ચૌદશની તિથિનું વ્રત કરે છે, પરંતુ મહા માસની વદ ચૌદશની અર્ધરાત્રિમાં 'શિવલિંગતયોદ્ભૂતઃ કોટિસૂર્ય સમપ્રભઃ ' - ઈશાન સંહિતાના આ વચન અનુસાર જ્યોર્તિલિંગનો પ્રાદુર્ભાવ થવાથી આ પર્વ મહાશિવરાત્રિના નામથી વિખ્યાત થયું. આ વ્રત બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, સ્ત્રી અને પુરુષ તેમજ  આબાલવૃદ્ધ વગેરે સઘળા કરી શકે છે. જે રીતે શ્રીરામ, શ્રીકૃષ્ણ, વામન અને નૃસિંહજયંતી તથા દરેક એકાદશીનું વ્રત દરેકે કરવું જોઈએ, એવી જ રીતે મહાશિવરાત્રિનું વ્રત પણ દરેકે કરવું જોઈએ. તે ન કરવાથી દોષ લાગે છે.

વ્રતનું મહત્ત્વ : 
       
શિવપુરાણની કોટિ રુદ્રસંહિતામાં બતાવાયું છે કે શિવરાત્રિનું વ્રત કરવાથી વ્યક્તિને ભોગ અને મોક્ષ એ બંને પ્રાપ્ત થાય છે. બ્રહ્મા, વિષ્ણુ તથા પાર્વતીના પ્રશ્ન પર ભગવાન સદાશિવે બતાવ્યું કે શિવરાત્રિનું વ્રત કરવાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. મોક્ષાર્થીને મોક્ષની પ્રાપ્તિ કરાવનાર ચાર વ્રતોનું નિયમપૂર્વક પાલન કરવું જોઈએ. આ ચાર વ્રત આ પ્રમાણે છે (૧) ભગવાન શિવની પૂજા, (ર) રુદ્રમંત્રોનો જપ, (૩) શિવમંદિરમાં ઉપવાસ તથા (૪) કાશીમાં દેહત્યાગ. શિવપુરાણમાં મોક્ષના ચાર સનાતન માર્ગ બતાવાયા છે. આ ચારેયમાં પણ શિવરાત્રિ વ્રતનું મહત્ત્વ સવિશેષ છે તેથી તે અવશ્ય કરવું જોઈએ. આ વ્રત સૌને માટે ધર્મનું એક ઉત્તમ સાધન છે. નિષ્કામ અથવા સકામ ભાવથી સઘળા મનુષ્યો, વર્ણો, આશ્રમો, સ્ત્રીઓ, બાળકો તથા દેવતાઓ એ સૌને માટે આ એક મહાન વ્રત પરમ હિતકારક માનવામાં આવ્યું છે.

રાત્રિ જ શા માટે ?

અન્ય દેવતાઓનું પૂજન, વ્રત વગેરે દિવસે જ હોય છે જ્યારે ભગવાન શંકરને રાત્રિ જ શાને પ્રિય થઈ અને તે પણ મહા વદ પક્ષની ચૌદશ જ શાને ? આ બાબતે વિદ્વાનોએ બતાવ્યું છે કે 'ભગવાન શંકર સંહારશક્તિ અને તમોગુણના અધિષ્ઠાતા છે તેથી તમોમયી રાત્રિ સાથે તેમનો સ્નેહ (પ્રેમ) હોવો એ એક સ્વાભાવિક બાબત છે. રાત્રિ એ સંહારકાળની પ્રતિનિધિ છે, તેનું આગમન થતાં જ સર્વપ્રથમ પ્રકાશનો સંહાર, જીવોના દૈનિક કર્મોનો સંહાર અને અંતે નિદ્રા દ્વારા ચેતનતાનો સંહાર થઈ સંપૂર્ણ વિશ્વ સંહારિણી રાત્રિની ગોદમાં અચેતન થઈ છુપાઈ જાય છે. આવી દશામાં પ્રાકૃતિક દૃષ્ટિએ શિવનું રાત્રિપ્રિય હોવું એ એક સાહજિક બાબત છે. આ કારણે ભગવાન શંકરની આરાધના કેવળ રાત્રિમાં જ નહીં પરંતુ પ્રદોષ (રાત્રિના પ્રારંભનો સમય) ના સમયમાં જ કરવામાં આવે છે.'

સુદ પક્ષમાં ચંદ્ર પૂર્ણ (સબળ) હોય છે અને વદ પક્ષમાં તે ક્ષીણ હોય છે. તેની વૃદ્ધિની સાથોસાથ સંસારનાં સંપૂર્ણ રસવાન પદાર્થોમાં વૃદ્ધિ અને ક્ષયની સાથોસાથ તેમાં ક્ષીણતા હોવી તે એક સ્વાભાવિક અને પ્રત્યક્ષ છે. ક્રમશઃ ઘટતાં ઘટતાં તે ચંદ્ર અમાસે બિલકુલ ક્ષીણ થઈ જાય છે. મરામર જગતના યાવન્માત્ર મનના અધિષ્ઠાતા તે ચંદ્ર ક્ષીણ થઈ જવાથી તેનો પ્રભાવ અંડ - પિંડવાદ અનુસાર સંપૂર્ણ ભૂમંડળનાં પ્રાણીઓ પર પણ પડે છે અને  જીવોના અંતઃકરણમાં તામસી શક્તિઓ પ્રબુદ્ધ થઈ અનેક પ્રકારનાં નૈતિક અને સામાજિક અપરાધોનાં કારણ બની જાય છે. આ શક્તિઓનું અમર નામ આધ્યાત્મિક ભાષામાં ભૂત પ્રેતાદિ છે અને શિવને તેમના નિયામક (નિયંત્રક) માનવામાં આવ્યા છે. દિવસમાં જોકે જગદાત્મા સૂર્યની સ્થિતિથી આત્મતત્ત્વની જાગરુકતાના કારણે આ તામસી શક્તિઓ પોતાનો વિશેષ પ્રભાવ પાડી શકતી નથી, પરંતુ ચંદ્રવિહીન અંધકારથી રાત્રિના આગમનથી જ તે પોતાનો પ્રભાવ દેખાડવા લાગે છે એટલા માટે પાણી આવતાં પહેલાં પાળ બાંધવામાં આવે છે. એ રીતે જ આ ચંદ્રક્ષય (અમાસ) તિથિ આવવાથી તરત જ તેના પહેલાં જ આ સંપૂર્ણ તામસી વૃત્તિઓના ઉપશમનાર્થે આ વૃત્તિઓના એકમાત્ર અધિષ્ઠાતા ભગવાન આશુતોષની આરાધના કરવાનું એક વિધાન શાસ્ત્રકારોએ કર્યું છે માટે જ વદ ચૌદશની તિથિની રાત્રિએ શિવ આરાધનાનું એક રહસ્ય છુપાયેલું રહેલું છે.

મહા વદ ચૌદશનું રહસ્ય :

જ્યાં સુધી દરેક માસની વદ પક્ષની ચૌદશને શિવરાત્રી કહેવડાવવાની વાત છે તે સઘળી શિવરાત્રિ જ કહેવાય છે અને પંચાગોમાં પણ એ જ નામથી લખવામાં આવે છે, પરંતુ મહા વદ પક્ષની શિવરાત્રિ એ મહાશિવરાત્રિના નામથી ઓળખાય છે. જે રીતે અમાસના ખરાબ પ્રભાવથી બચવાને માટે બરાબર એક દિવસ પહેલાં ચૌદશના દિવસે આ ઉપાસના કરવામાં આવે છે. એ જ રીતે ક્ષય થતો વર્ષનો અંતિમ માસ ચૈત્રથી બરાબર બે માસ પહેલાં મહા માસમાં જ તેનું વિધાન શાસ્ત્રોમાં મળે છે. અલબત્ત આ એક યુક્તિસંગત જ છે. તે સાથે જ રુદ્રોની એકાદશ સંખ્યાત્મક હોવાના કારણે પણ પર્વનો માસ (મહા)માં સંપન્ન થવો તે આ વ્રતોત્સવના રહસ્ય પર પ્રકાશ પાડે છે.

ઉપવાસ અને રાત્રિ જાગરણ શાને ?

ઋષિ-મર્હિષઓએ સમસ્ત આધ્યાત્મિક અનુષ્ઠાનોમાં ઉપવાસને મહત્ત્વપૂર્ણ માન્યું છે. ગીતા (૨/૫૯)ની આ ઉક્તિ 'વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ ' અનુસાર ઉપવાસ એ વિષયની નિવૃત્તિનું એક અચૂક સાધન છે તેથી આધ્યાત્મિક સાધના માટે ઉપવાસ કરવો એ પરમ આવશ્યક છે. ઉપવાસની સાથે રાત્રિ જાગરણના મહત્ત્વ પર ગીતા (ર) ૬૯)નું આ કથન ખૂબ જ જાણીતું છે. 'યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાર્ગિત સંયમી ' આ કથનનું તાત્પર્ય એ થાય છે કે ઉપવાસ વગેરે દ્વારા ઈન્દ્રિયો અને મન પર નિયંત્રણ કરનાર સંયમી વ્યક્તિ જ રાત્રિએ જાગીને પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવાને માટે પ્રયત્નશીલ થઈ શકે છે તેથી શિવઉપાસના માટે ઉપવાસ અને રાત્રિ જાગરણ ઉપરાંત કયું અન્ય સાધન યોગ્ય હોઈ શકે છે ? રાત્રિપ્રિય શિવની સાથે મુલાકાત કરવાનો સમય રાત્રિ સિવાય અન્ય કયો હોઈ શકે છે ? આ સઘળાં કારણોને લક્ષમાં લઈ આ મહા વ્રતમાં વ્રતીજન ઉપવાસની સાથોસાથ રાત્રિના જાગરણ કરી શિવની પૂજા કરે છે.

પૂજાવિધિ :

શિવપુરાણ અનુસાર વ્રતી પુરુષે પ્રાતઃ કાળે ઊઠીને સ્નાન - સંધ્યા વગેરે કર્મમાંથી નિવૃત્ત થઈ મસ્તક પર ભસ્મનું ત્રિપુંડ તિલક અને ગળામાં રુદ્રાક્ષમાળા ધારણ કરી શિવાલયમાં જઈ શિવલિંગનું વિધિપૂર્વક પૂજન અને શિવને નમસ્કાર કરવા જોઈએ. હાથમાં પુષ્પ, અક્ષત, જળ વગેરે લઈને સંકલ્પ કરવો જોઈએ. દિવસભર શિવમંત્રનો યથાશક્તિ જપ કરવો જોઈએ. યથાશક્તિ ફળાહાર ગ્રહણ કરી રાત્રિપૂજન કરવું એ ઉત્તમ છે. રાત્રિના ચારેય પ્રહરોની પૂજાનું વિધાન શાસ્ત્રકારોએ કર્યું છે.

મહાશિવરાત્રિ પર્વનો સંદેશ : 

ભગવાન શંકર અનુપમ સામંજસ્ય, અદ્ભુત સમન્વય અને ઉત્કૃષ્ટ સદ્ભાવ ધરાવે છે તેથી આ શિક્ષણનો બોધ ગ્રહણ કરીને વિશ્વકલ્યાણના મહાન કાર્યમાં જોડાઈ જવું જોઈએ. શિવ અર્ધનારીશ્વર હોવા છતાં પણ કામવિજેતા છે. ગૃહસ્થ હોવા છતાં પરમ વિરકત છે, હળાહળનું પાન કરવાના કારણે નીલકંઠ થઈને પણ વિષથી અલિપ્ત છે, રિદ્ધિ - સિદ્ધિઓના સ્વામી થઈ તેમનાથી વિલગ છે, ઉગ્ર હોવા છતાં પણ સૌમ્ય છે, અકિંચન હોવા છતાં પણ સર્વેશ્વર છે,

ભયંકર વિષધર નાગ અને સૌમ્ય ચંદ્ર એ બંને તેમનાં આભૂષણ છે, મસ્તકમાં પ્રલયકાલીન અગ્નિ અને મસ્તક પર પરમ શીતળ ગંગાધારા એ તેમનો અનુપમ શૃંગાર છે. તેમને ત્યાં વૃષભ અને સિંહનો તથા મયૂર અને સર્પનો સહજ વેર ભૂલાવીને એક સાથે ક્રીડા કરવી એ સમસ્ત વિરોધી ભાવોના વિલક્ષણ સમન્વયનું એક શિક્ષણ આપે છે. તેનાથી વિશ્વને સહઅસ્તિત્વ આપવાવાળું અદ્ભુત શિક્ષણ પ્રાપ્ત થાય છે. તેમનું શિવલિંગ બ્રહ્માંડ અને નિરાકાર બ્રહ્મનું પ્રતીક હોવાના કારણે એ સૌને માટે પૂજનીય છે. જે રીતે નિરાકાર બ્રહ્મ રૃપ, રંગ, આકાર વગેરેથી રહિત હોય છે એવી જ રીતે શિવલિંગ પણ છે. જે રીતે ગણિતમાં શૂન્ય કંઈ પણ ન હોવા છતાં પણ સર્વ કંઈ હોય છે. કોઈપણ અંકની જમણી બાજુએ શૂન્ય મૂકતાં એ અંકનું મૂલ્ય દસ ઘણું થઈ જાય છે, તે રીતે જ શિવલિંગની પૂજાથી શિવ પણ અનુકૂળ બની મનુષ્યને અનંત સુખ અને સમૃદ્ધિ આપે છે, તેથી માનવમાત્રએ ઉપર દર્શાવેલ શિક્ષણને સ્વીકારી આ મહાન મહાશિવરાત્રિ - મહોત્સવની ઉજવણી બરાબર રીતે કરવી જોઈએ.

જીવનમાં દુઃખોથી ગભરાશો નહી

એક વખત એક માણસ પોતાનાં દુઃખોથી અતિશય કંટાળી ગયો. રાત-દિવસની મગજમારી, પત્ની સાથે અણબનાવ, છોકરાંવની નિશાળ, ટ્યૂશન, પરીક્ષાઓ, એમને ક્યાં ગોઠવવાં એની માથાકૂટ, ધંધામાં ચડતી-પડતી, વ્રૂદ્દ માતા-પિતાની માંદગી અને એવા તો બીજા અનેક પ્રશ્નો અને જવાબદારઓનું પોટલું ખભા પર ઉપાડીને ચાલતાં એ બિલકુલ ત્રાસી ગયો હતો. એને જિંદગીમાં ચારે તરફ અંધારું જ અંધારું દેખાતું હતું. ટૂંકમાં, આટલો બધો બોજો ઉપાડીને એ ગળે આવી ગયો હતો. એટલે એણે જિંદગી ટૂંકાવી દેવાનુ નક્કી કરી નાંખ્યું.

આપઘાત કરવાના ઇરાદાથી એક વખત ઘરે કોઇ નહોતું ત્યારે મોકો જોઇ એણે ઘેનની ગોળીઓ ગળી લીધી. હવે મરવા માટે જેટલી ગોળીઓની જરૂર પડે તેનાથી ડોઝ થોડો ઓછો રહી ગયો હશે એટલે એ માત્ર ઊંડી ઊંઘમાં સરકી ગયો.

અચાનક એને લાગ્યું કે એની આજુબાજુ જાણે દિવ્ય પ્રકાશ ફેલાઇ ગયો છે. જે તરફથી એ એદૂભુત પ્રકાશ આવતો હતો એ બાજુ એણે નજર કરી. જોયું તો પરમ ક્રુપાળુ પરમાત્મા અતિ તેજસ્વી ચહેરા સાથે મંદ મંદ હાસ્ય વેરતાં ઊભા હતા. જેવી બંનેની આંખો મળી કે તરત જ એ બોલ્યા, 'દીકરા! મારા વહાલા સંતાન! હું બોલાવું તે પહેલાં મારી પાસે આવવાની ઉતાવળ તને શા માટે થઇ આવી છે?'

'હે પ્રભુ! મને માફ કરજો. હું તમારી પાસે આવવાની ઉતાવળ કરું છું તેના માટે ક્ષમા કરજો. પરંતુ જિંદગીનું એક પગલું આગળ માંડી શકવાની ત્રેવડ હવે મારામાં રહી નથી. મારી જવાબદારીઓ અને ચિંતાઓ અને દુઃખોનું આ પોટલું તમે જોયું? હવે એનો ભાર વેંઢારવાની શકતિ કે હિંમત એ બેમાંથી એકેય મારામાં રહ્યાં નથી. એટલે હું મારી જિંદગી પૂરી કરી દેવા માંગું છું.' પોતાના ખભા પરના મોટા પોટલા સામે આંગળી ચીંધી એણે ભગવાનને કહ્યું.

'પણ મેં તો તમને સૌને તમારી બધી જ ચિંતાઓ મને સોંપી દેવાનું કહ્યું જ છે. તું પણ તારી ચિંતાઓ મને સોંપીને હળવો કેમ નથી થઇ જતો?' ભગવાન હસ્યા.

'પણ ભગવાન! તમે મને જ શું કામ સૌથી ભારે પોટલું આપ્યું છે? મેં તો મારા પોટલા જેટલો ભાર ક્યારેય કોઇના ખભે જોયો નથી!' રડમસ અવાજે એ માણસે ફરિયાદ કરી.

'મારા દીકરા! આ દુનિયામાં દરેકેદરેક વ્યક્તિને મેં કંઇક ને કંઇક બોજો ઉપાડવા આપેલ જ છે. અને એ ફરજિયાત છે. જો! અહીંયાં તારા ઘણા આડોશી-પાડોશીઓના પોટલાં પડયાં છે. તને એવું લાગતું હોય કે તારું પોટલું જ મેં સૌથી ભારે આપ્યું છે તો તું એના બદલે આમાંથી બીજું લઇ શકે છે. બોલ એવી અદલા-બદલી કરવી છે?' માર્મિક હસતાં ભગવાને કહ્યું.

નવાઇના ભાવો સાથે પેલા માણસે ભગવાનનાં ચરણ પાસે પડેલાં પોટલાંઓ તરફ નજર નાંખી. બધાંજ પોટલાંઓનું  કદ પોતાનાં પોટલા જેટલું જ હતું. પણ દરેક પોટલા પર એક નામ લખાયેલું હતું. જે વ્યક્તિનું પોટલું હોય તેનું નામ-સરનામું એ પોટલા પર લખાયેલું હતું. સૌથી આગળ પડેલા પોટલા પરનું નામ એણે વાંચ્યું. એના પોતાના જ ઘરની બાજુમાં રહેતી એક સુંદર અને ખૂબ જ સુખી દેખાતી એક પૈસાદાર સ્રીનું નામ એના પર લખેલું હતું. એ સ્ત્રીનો પતિ ખૂબજ મોટો ઉધ્યોગપતિ હતો. એના ઘરની સમ્રૂદ્દિની તો રેલંછેલ રહેતી. ઘરની દરેક વ્યક્તિ માટે એ લોકો અલગ અલગ કાર જ વાપરતાં અને એ પણ પાછી ઇમ્પોર્ટેડ! એ સ્ત્રીની દીકરીઓ મોંઘાંદાટ પોશાકો અને અત્યાધુનિક ઘરેણાં જ પહેરતી. કોલેજમાં ભણતો એનો દીકરો દર મહિને એની કાર બદલાવતો. ઉનાળાની ગરમીનો એક મહિનો એ સ્ત્રી અને એનું કુટુંબ સ્વિટ્ઝર્લેન્ડમાં જ વિતાવતાં. આ સ્ત્રીનું પોટલું લેવાનો પેલા માણસને વિચાર આવ્યો. એણે પોતાનું પોટલું બાજુમાં મૂકીને એ સ્ત્રીનું પોટલું ઉપાડ્યું. પણ જેવું એણે એ પોટલાને ઊંચું કર્યું કે એને ખૂબ નવાઇ લાગી. એ સ્ત્રીનું પોટલું હળવું હોવાને બદલે એના પોતાના પોટલા કરતાં બમણું ભારે હતું. માંડમાંડ એણે એ પાછું મૂકયું પછી ભગવાન સામે જોઇને પૂછયું, 'ભગવાન! આટઆટલી સુખસાહ્યબીમાં રહેતી આ સ્ત્રીનું પોટલું તો પીછાં જેવું હળવું હોવું જોઇએ, તેના બદલે એ આટલું બધું ભારે કેમ? મને આ સમજાયું નહીં!'
'ન સમજાયું હોય તો તું જાતે જ એ ખોલીને જોઇ લેને!' એ જ માર્મિક સ્મિત સાથે ભગવાને કહ્યું.

પેલા માણસે પોટલું ખોલ્યું. બહારથી ખૂબ જ સુખી અને અતિ વૈભવશાળી જીવન જીવતી એ સ્ત્રીના પોટલામાં રાતદિવસ ઘરમાં કુટુંબીજનો સાથે ચાલતો કંકાસ દેખાણો. એ સ્ત્રીનો પતિ દારૂડિયો હતો. એ ધંધાના બહાને દેશવિદેશમાં રખડતો રહેતો અને કંગાળ જીવન જીવતો હતો. જેના કારણે તે ભયંકર રોગોથી પણ પીડાતો હતો. પેલી સ્ત્રી પણ માનસિક રીતે અત્યંત દુઃખી હતી. બન્ને પતિ-પત્નિ ગુપ્ત રીતે લાખો રૂપિયા એ રોગોની સારવાર પાછળ ખરચતાં હતાં. એનો દીકરો એક દાણચોર સાથે સંબંધ ધરાવતો હતો. તો એ સ્ત્રીની દીકરી બિચારી મગજના કેન્સરથી પીડાતી હતી ... બસ! એણે ઝડપથી પોટલું બંધ કરી દીધું. એ આગળ જોઇ ન શકયો.

એનાથી બોલાઇ જવાયું, 'ભગવાન! બહારથી અત્યંત શ્રીમંત અને ખૂબ સુખી લાગતી સ્ત્રીનું જીવન આટલી બધી યાતનાઓથી ભરેલું છે? હું કલ્પના પણ નથી કરી શકતો!'.

ભગવાન હસી પડયા, કહ્યું, 'મેં તને કહ્યું ને! દરેકની માથે પોટલું હોવું ફરજિયાત હોય છે. છતાં બીજાનું પોટલું તમને હળવું જ લાગે છે, કારણ કે એ તમારા ખભા પર નથી હોતું. હજુ પણ તારે બીજા કોઇનું પોટલું જોઇને એ લેવું હોય તો તને છુટ્ટી છે!'

એ માણસ જેને જેને સુખી અને ખુશકિસ્મત માનતો હતો એમનાં નામ જોઇ જોઇને એણે પોટલાં ખોલી જોયાં. પણ નવાઇ પમાડે એવી વાત એ બની કે એ દરેક વ્યક્તિનું પોટલું એને વધારે ભારે અને પોતાથી અનેક ગણી વધારે વિટંબણાઓથી ભરેલું દેખાયું. એક એક કરીને ઘણાં બધાં પોટલાં એ ફંફાસતો રહ્યો અને એ વખતે મંદ મંદ હાસ્ય વેરતા ભગવાન એકદમ શાંતિથી ઊભા હતા.

ખાસ્સી વાર પછી અચાનક જ એણે પોટલાં ફંફોસવાનું બંધ કરીને હળવાશ સાથે કહ્યું, 'પ્રભુ! મને મારું જ પોટલું આપી દો. લાગે છે કે એ જ આ બધામાં સૌથી હળવું છે!'
'એવું છે? તો પછી તને જિંદગી ટૂંકાવી નાંખવી પડે એટલો બધો ભાર શેનો લાગે છે? જોઇએ તો ખરા કે એમાં શું ભરેલું છે? તારું પોટલું ખોલ જોઉં!' ભગવાને કહ્યું.

એ માણસે પોતાનું પોટલું ખોલ્યું. અંદર કુટુંબીજનોનો પ્રેમ હતો, મિત્રોની લાગણી હતી, થોડા પૈસા હતા અને થોડા ઘરેણાં હતા. તેમજ સાવ નાનકડા કહી શકાય તેવા પ્રશ્નોરૂપી પથ્થરો હતા!

'દીકરા!' અત્યંત માયાળુ અવાજે ભગવાને કહ્યું, 'વરસોથી તું આ પ્રેમ અને લાગણીઓ વચ્ચે તેમજ પૈસા અને ઘરેણા સાથે રહેતો હતો, તો પણ તને આપઘાત કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? કદાચ તું કુટુંબીઓના પ્રેમનો અનુભવ નથી કરી શક્યો કે મિત્રોની લાગણીને નથી પિછાની શકયો. હવે તું દુનિયામાં પાછો જા, સહુની પ્રેમથી સારસંભાળ લે અને થોડો સમય કાઢી અને મારા એવા સંતાનો કે જેને જિંદગીએ કાંઇ નથી આપ્યું એવા દીનદુખીયાની તારાથી બની શકે તેટલી તન, મન, ધનથી સેવા કર. હું તને ખાતરી આપું છું કે આ સહુનો આનંદ જોઇને તારા આત્માને જે સુખ અને શાતા મળશે તે તને દુન્યવી દોલતથી તથા સુખ સાહ્યબીથી ક્યારેય પ્રાપ્ત નહીં થાય. ઉપરાંત આમ કરવાથી તારા ખભા પરનાં પોટલાનું વજન પણ ઘટતું જશે. અને હા! આ નાના નાના ધારદાર પથ્થરો શેના ભેગા કર્યા છે તે તો બતાવ?'

પેલા માણસને ઘણી શરમ આવી. નીચું જોઇને એ બોલ્યો, 'પ્રભુ! એ મારાં અભિમાન, સ્વાર્થ, પાપ અને દ્વેષનાં પથ્થરો છે. જેની ધારથી મેં હંમેશા બીજાને ઇજા પહોંચાડવાનું કામ કર્યું છે.'

ભગવાન હસી પડયા. પછી બોલ્યા, 'કંઇ વાંધો નહીં બેટા! તું તારે નિરાંતે દુનિયામાં પાછો જા. પણ એ આ નાના પથ્થરો મને સોંપી દે. આજથી હું એ બધું તારી પાસેથી લઇ લઉં છું!' કહી કરુણાના અવતાર પરમાત્માએ એનાં પાપ, રાગ-દ્વેષ તેમજ અભિમાન વગેરેના પથ્થરો પોતાના હાથમાં લઇ લીધા. એ પથ્થરો એટલા તીક્ષ્ણ હતા કે ખુદ ભગવાનના હાથમાંથી પણ લોહીની ધાર થઇ.

પેલા માણસને હવે ઘણી બધી હળવાશ લાગી રહી હતી.

ભગવાનનો આભાર માનીને એણે એમને પ્રણામ કર્યા. પછી પોતાનું જ પોટલું ખભે નાંખીને ધરતી પર પાછો આવવા માટે નીકળી પડયો. થોડેક દૂર ગયા પછી અચાનક એને કંઇક યાદ આવ્યું. પાછાં ફરીને એણે ભગવાનને પૂછયું કે, 'પ્રભુ! મારું પોટલું તો હંમેશા મારા ખભા પર જ હોય છે. તો આ બધાંનાં પોટલાં અહીંયં કેમ પડયાં છે?"

હવે ભગવાન એકદમ ખડખડાટ હસી પડયા. પછી બોલ્યા, 'મારા વહાલા દીકરા! એ જ તો વાત છે - જે તને હવે સમજાઇ રહી છે. આ દરેકના ખભે અસહ્ય અને તારા કરતાં પણ ક્યાંય અનેક ગણો વધારે ભાર છે છતાં એ લોકો સરસ રીતે જીવી રહ્યા છે, કારણકે એમણે એમનું પોટલું મને સોંપી દીધું છે! જ્યારે તું તારું પોટલું તારા ખભે લઇને ફર્યાં કરે છે!'

હવે પેલા માણસના મગજમાં ચમકારો થયો. એની આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી. ધીમા પગલે એ પાછો ફર્યો, ખભેથી પોટલું ઉતારીને એણે ભગવાનનાં ચરણોમાં મૂકી દીધું. પગે લાગ્યો. અને કોઇ દિવસ નહોતી અનુભવી એવી દિવ્ય હળવાશ અનુભવતો ધરતી પર પાછો આવવા નીકળી પડયો! એ જ ક્ષણે ઘેન ઊતરી જવાથી એની આંખ પણ ખૂલી ગઇ!

વ્હાલા મિત્રો જીવનમાં દુઃખોથી ક્યારેય ગભરાશો નહી. તમારી બધીજ ચિંતાઓ ઈશ્વરને ચરણે મુકતા જાઓ. ઈશ્વર તમને અવશ્ય મદદ કરશે.

Sunday, April 4, 2010

ગાય માતા + ગાયોના સર્વ અંગો દેવમય છે

ગાવો વિશ્વસ્ય માતરઃ

વેદોનો નિર્દેશક છે કે જો કોઇને આ સંસારમાં બધા જ પ્રકારના વૈભવો પ્રાપ્ત કરવા હોય તો તે ગૌમાતાની સેવા કરે. મહર્ષિ ચ્યવને રાજા નહુષને કહેલું કે ‘ગોભિસ્તુલ્યં ન પશ્યામિ ધનં કિંચીદા હાચ્યુત’ અર્થાત આ સંસારમાં હું ગાયો સમાન બીજું કોઇ ધન જોતો નથી.

ગાયોના સર્વ અંગો દેવમય છે. ગાયના શીંગડાનાં મુળમાં બ્રહ્માજી અને શીંગડાઓની મધ્યમાં ભગવાન નારાયણ વસે છે. શીંગડાના શીરોભાગમાં શિવજી વસે છે. પ્રજાપતિ અને બધા તીર્થો પણ ગાયના શીંગડામાં વસે છે. લલાટમાં ગૌરી અને અગ્નિ, ગળાની સંધિમાં યમ કે ધર્મરાજા, મસ્તિકમાં ચંદ્રમા, ઉપરના જડબામાં ઘુલોક અને નીચેના જડબામાં પૃથ્વીદેવી વસે છે. ગાયના દાંતમાં મરૂત દેવતા અને પીઠના હાડકાંમાં રૂદ્ર વસે છે ગાયની પીઠમાં દેવાંગનાઓ અને ખભામાં મિત્ર અને વરૂણ નામના દેવતાઓ વસે છે. ગાયની પૂંછમાં વાયુ દેવતા, પાછલા ભાગમાં ઇન્દ્ર પત્ની અને રૂંવાડામાં પવન દેવ વસે છે. ઘુંટણના હાડકાઓમાં વિધાતા અને સવિતા, પીંડીઓમાં ગંધર્વ અને ખરીમાં દેવમાતા અદિતિ વસે છે. આંતરડામાં સરસ્વતી, પેટમાં યક્ષ અને ગુદામાં દેવગણો વસે છે. ગાયના રૂધિરમાં રાક્ષસો વસે છે અને ગાયની મજ્જામાં મૃત્યુ વસે છે. ગાયના નાસિકાના અસ્થિભાગમાં કાર્તિકેય, બન્ને નકોરામાં કમ્બલ અને અશ્વરતર નામના બે નાગો વસે છે. બન્ને કાનોમાં અશ્વિનીકુમાર, નેત્રોમાં સુર્ય ચંદ્ર, દાંતોમાં આઠેય વસુગણ, કંઠમાં સરસ્વતી, ગંડસ્થળોમાં યમ અને યક્ષ, હોઠમાં બન્ને સંધ્યાઓ, ગ્રીવામાં ઇન્દ્ર અને ચારેય ચરણોમાં ધર્મ વસે છે. ખરીઓની મધ્યમાં ગંધર્વ, અગ્રભાગમાં સર્પ અને પશ્ચિમભાગમાં રાક્ષસગણ પ્રતિષ્ઠિત છે. ગાયના પૃષ્ઠ દેશમાં ૧૧ રૂદ્રો, બધા સાંધાઓમાં વરૂણ, કમરમાં પિતૃઓ, ગોમુત્રમાં સાક્ષાત ગંગા અને ગોબરમાં યમુનાજી તથા લક્ષ્મીજી વસે છે. ગાયના રોમ સમુહોમાં અન્ય સર્વ દેવો વસે છે. ગાયના જઠરમાં ગાર્હપત્ય અગ્નિ, હ્ય્દયમાં દક્ષિણાગ્નિ કંઠમાં સાહવનીયાગ્નિ અને તાલુપ્રદેશમાં સભ્યાગ્નિ સ્થિત છે. પદમ પુરાણ મુજબ ગાયના પગોના અગ્રભાગમાં આકાશચારી દેવતાઓ અને ભાંભરવાના અવાજમાં પ્રજાપતિ અને ગો મુત્રમાં પાર્વતીજી પણ વસે છે. ગાયના શીંગડાને સ્નાન કરાવવાથી બ્રહ્મા વિષ્ણુ મહેશને સ્નાન કરાવ્યા બરાબર છે. ગાયની કમર ખજવાળવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. મહાભારત મુજબ ગાયના શ્વાસોમાં છ અંગો પદ અને ક્રમ સહિત વેદોનો વાસ છે.

ગાય બેઠી હોય ત્યારે અગ્નિ રૂપ છે અને ઉઠતી વખતે અશ્વિનીકુમારોનું રૂપ છે. ગાય પૂર્વ બાજુ મોઢું રાખીને ઉભી હોય ત્યારે ઇન્દ્ર છે અને દક્ષિણ બાજુ મોં રાખીને ઉભી હોય ત્યારે યમરાજનું સ્વરૂપ છે. સામે જોતી વખતે ગાય મિત્ર દેવતા છે અને પીઠ ફેરવતી વખતે આનંદરૂપ પરમાત્મા છે.

ગાયનું દાન શાસ્ત્રોમાં અતિપુણ્યશાળી અને ફળદાયી માનવામાં આવે છે. તેની સેવાથી ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય છે. ગાયને ત્યાગની મૂર્તિ કહેવામાં આવે છે. આથી તેની સેવા કરવાથી દેવતાઓ આપણી પર પ્રસન્ન થાય છે. ગાયને ઘાસ ખવડાવનારાની હંમેશા ઉન્નતિ થાય છે. ગાયમાં ભગવતી સરસ્વતીનો નિવાસ છે. આથી તેની પૂજા કરવાથી કષ્ટો દૂર થાય છે. આયુર્વેદમાં પણ ગાયનાં દૂધ અને ઘીને ઉત્તમ ગણવામાં આવ્યું છે. ગાયના દૂધમાંથી બનાવેલું દહીં અમૃત સમાન છે. સવારે ઊઠીને ગાયના ઘીમાં પોતાનું મોં જોવામાં આવે તો દુઃખ – દરિદ્રતાનો નાશ થાય છે. ગાયનાં દર્શન માત્રથી આપણને પુણ્ય અને સફળતા પ્રાપ્ત થાય છે. આજે પણ કોઈ સારા કામે જતાં હોઈએ છીએ ત્યારે ગાયના શુકનને ફળદાયી માનીએ છીએ. શુભકાર્યોમાં ગાયનું હંમેશા પૂજન કરવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રી

માતા શક્તિનું મહાપર્વ નવરાત્રી વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર માસમાં અને બીજી આસો માસમાં. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ગણીએ તો ચૈત્રી નવરાત્રી માર્ચ-એપ્રિલમાં આવતી હોય છે. ચૈત્ર માસની નવરાત્રી વિક્રમ સંવતના આરંભમાં મનાવવામાં આવે છે. જ્યારે આસો માસની નવરાત્રી શારદીય નવરાત્રી અથવા દુર્ગાપૂજા તરીકે સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. આ ચૈત્ર મહિનાના નવરાત્રમાં આઠમના દિવસે શક્તિ સ્વરૃપા માં ભવાનીનું પ્રાગટય થયું હોવાથી ચૈત્ર નવરાત્રનું વિશેષ મહત્વ છે. ચૈત્ર નવરાત્રમાં દાન, પૂજન તેમજ દેવીની આરાધના જરૃર કરવી જોઈએ.

ચિત્રા નક્ષત્ર ઉપરથી આ માસનું નામ ચૈત્ર માસ પડયું હતું. ચૈત્ર નવરાત્ર વસન્ત ઋતુમાં આવતી હોવાથી આ નવરાત્રીને ‘‘વાસન્તી નવરાત્ર’’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન નારાયણના નાભિમાંથી કમળ ઉત્પન થયું હતું અને એ કમળમાંથી સૃષ્ટ્રિના પાલન કરતાં ‘‘બ્રહ્મદેવ’’નું પ્રાગટય થયું હતું. અશ્વિન મહિનાની નોરતા એ બ્રહ્માજીનો દિવસ શરૃ થાય અને ચૈત્રી નોરતાએ તેમની ૬ મહિને દિવસ પૂરો થતા રાત્રી શરૃ થાય છે. (ભાગવત સ્કંધના વર્ણન મુજબ)તેથી બ્રહ્માની રાત્રિ શરૃ થઈ ગણાય. તેમજ નવમીએ શ્રી રામચંન્દ્રનો પ્રાગટય થયું હોવાથી આ નવરાત્રને ‘‘રામ નવરાત્ર’’ પણ કહેવામાં આવે છે.

શક્તિની ભક્તિ કે ઉપાસનાનું મહાપર્વ એટલે નવરાત્રી. નવે દિવસ દૈવી શક્તિનાં જુદાં-જુદાં નવ રૃપોની આરાધના કરવામાં આવે છે. રૃપ ગમે તે હોય પરંતુ દૈવી શક્તિ તો એક જ છે. જે જગતજનની છે. પરંતુ માતા શક્તિનાં જુદાં-જુદાં રૃપ લઇને કરેલાં કાર્યોને કારણે તે અલગ-અલગ નામે પૂજાય છે.

શરીરની આસુરી વૃત્તિના નાશ માટે માઁ દૂર્ગા સ્વરૃપનું પૂજન કરીએ અને પૂજન કરતાં માઁ પાસે સાચા ભાવથી દેવી શક્તિ મેળવવા માટે નવ સ્વરૃપની નવ દૂર્ગા (૧) શૈલ પુત્રી (૨) બ્રહ્મચારિણી (૩) ચન્ડધન્નેતિ (૪) કૂમાન્ડા (૫) સ્કંદ માત (૬) કાત્યાયની (૭) કલરાત્રી (૮) મહાગૌરી (૯) સિધ્ધક્ષેત્રી સ્વરૃપે માઁ દૂર્ગાનું પૂજન કરી શક્તિ મેળવી, સતકાર્ય માટે શક્તિ વાપરીએ તેવી માઁ જગદંબા દૂર્ગાને પ્રાર્થના કરીએ.

આપણે ત્યાં ઘણા લોકો ચૈત્રી નવરાત્રી વખતે ઉપવાસ કરતા હોય છે. ઘણાં લોકો નવરાત્રીના ઉપવાસ સાથે ઘરમાં પણ માતાજીના જવારાની સ્થાપના કરી માતાજીની પૂજા, જાપ, જાગરણ કરતા હોય છે. ચૈત્રી નવરાત્રીમાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટ સ્થાપન કરવામાં આવે છે. આ દિવસથી નવ વર્ષની બેલા શરૃ થાય છે. આ નવરાત્રી અનુષ્ઠાન, હવન વગેરે કરવા માટેનું પર્વ છે. દરેક જણ મા શક્તિ પોતાના દુઃખ અને તમામ કષ્ટ હરી લે તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવિક સાધના કરે છે. કોઇ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે મા બગલામુખીના જાપ-હવન વગેરે કરે છે. કોઇ મહાકાળીની ઉપાસના કરે છે તો કોઇ નવદુર્ગાની ઉપાસના કરે છે. ગમે તેમ પણ કોઇને કોઇ રૃપમાં પૂજા તો દેવીની જ થાય છે.

નવ દુર્ગા

પ્રથમ શૈલપુત્રી ચ દ્વિતીય બ્રહ્મચારિણી
તૃતીય ચંદ્રઘન્ટેંતિ કુષ્માંડેતિ ચતુર્થકમ્
પંચમ સ્કન્દ માતેતિ ષષ્ઠ કાત્યાયનીતિય
સપ્તમ્ કાલરાત્રી ચ અષ્ટમ મહાગૌરીતિ
નવમ સિદ્ધદાત્રીયચ્, ઉક્તાન્યે તાનિ નામાતિ બ્રહ્મણૈવ મહાત્મના

આ દેવીના નવ રૃપ અને તેમના પૂજનથી શું ફળ મળે છે તે જાણીએ, પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઇએ કે કોઇ પણ જાતના ફળની ઇચ્છા વગર દેવીની ઉપાસના કરવી જોઇએ.

શૈલપુત્રી

આ મા દુર્ગાનું પ્રથમ સ્વરૃપ છે. પર્વતરાજ હિમાલયને ત્યાં જન્મ થવાને કારણે તેમને શૈલ પુત્રી કહેવામાં આવે છે. નવરાત્રીની પ્રથમ તિથિએ શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. તેમનું પૂજન કરવાથી ભક્ત હંમેશાં ધનધાન્યથી પરિપૂર્ણ રહે છે.

બ્રહ્મચારિણી

મા દુર્ગાનું બીજું રૃપ બ્રહ્મચારિણી છે. મા દુર્ગાનું આ રૃપ ભક્તો અને સાધકોને અનંત કોટિ ફળ પ્રદાન કરનારું છે. તેમની ઉપાસના કરવાથી, તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની ભાવના જાગૃત થાય છે.

ચંદ્રઘંટા

ચંદ્રઘંટા એ મા દુર્ગાનું ત્રીજું સ્વરૃપ છે. તેમની આરાધના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તેમની ઉપાસનાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્ય પ્રાપ્ત થાય છે. વીરતાના ગુણોમાં વૃદ્ધિ થાય છે. સ્વરમાં દિવ્ય અલૌકિક માધુર્યનો સમાવેશ થાય છે તથા આકર્ષણમાં વધારો થાય છે.

કુષ્માંડા

નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે. તેમની ઉપાસનાથી સિદ્ધિઓમાં નિધિઓને પ્રાપ્ત કરીને સમસ્ત રોગ-શોક દૂર થાય છે અને આયુષ્ય તથા યશમાં વૃદ્ધિ થાય છે.

સ્કંદમાતા

પાંચમા દિવસ સ્કંદમાતાની ઉપાસનાનો દિવસ છે. મોક્ષનાં દ્વાર ખોલનારી માતા પરમ સુખદાયિની છે. મા પોતાના ભક્તોની સમસ્ત ઇચ્છાઓની ર્પૂતિ કરે છે, શત્રુઓનું શમન થાય છે.

કાત્યાયની

માતાનું છઠ્ઠુ રૃપ કાત્યાયની છે. છઠ્ઠા દિવસે તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. તેમના પૂજનથી શક્તિનો સંચાર થાય છે તથા દુશ્મનોનો સંહાર કરવામાં સક્ષમ બનાવે છે.

કાલરાત્રી

નવરાત્રીનો છઠ્ઠો દિવસે માતા કાલરાત્રિની આરાધના કરવાનું વિધાન છે. તેમની પૂજા-અર્ચના કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે તથા દુશ્મનોનો નાશ થાય છે. તેજમાં વૃદ્ધિ થાય છે.

મહાગૌરી

દેવીનું આઠમું રૃપ મા ગૌરીનું છે. આઠમા દિવસે માતા ગૌરીની પૂજા કરવાનું વિધાન છે. તેમની પૂજા સમસ્ત સંસાર કરે છે. પૂજન કરવાથી સમસ્ત પાપોનો ક્ષય થાય છે અને નિરંતર સુખમાં વૃદ્ધિ થાય છે.

સિદ્ધિદાત્રી

મા સિદ્ધિદાત્રીની આરાધના નવરાત્રીના નવમા દિવસે કરવામાં આવે છે. તેનાથી સમસ્ત સિદ્ધિઓ અને નવ નિધિઓની પ્રાપ્તિ થાય છે. આજે કોઇ કઠોર તપસ્યા કે ઉપાસના કરી શક્તુ નથી, પરંતુ પોતાની શક્તિ અનુસાર જપ, તપ, પૂજા-અર્ચના કરીને માની કૃપા મેળવી શકાય છે.

    * નવરાત્રીમાં નીચે પ્રમાણેની પૂજા કે અનુષ્ઠાન કરી શકાય છે. ૐ એં હ્રીં કલીં ચામુંડાયૈ વિચ્ચૈ|
   
    * ૐ દું દુર્ગાયૈ નમ:|
 
    * વિધ્યાવન્તમ્ યશસ્વન્તમ્ લક્ષ્મીવન્તમ્ જનમકુરુ|
      રૂપમ્ દેહી જયમ્ દેહી ભાગ્યમ્ ભગવતી દેહી મે||
 
    * દુર્ગા સપ્તશતી પાઠ
 
    * ચંડીપાઠ
 
    * શ્રી સૂક્ત
 
    * કુળદેવીની પૂજા
 
    * કુમારિકાઓની પૂજા
 
    * અખંડ દીપ

ચૈત્રી નવરાત્રી - દુર્ગાપૂજનનું મહત્ત્વ

ચૈત્ર મહિનો ચિત્રાંગ નક્ષત્ર ઉપરથી આવ્યો છે. જેમનો અર્થ પૃથ્વી ઉપરની કુદરતી પ્રકૃતિ (વૃક્ષોનાં પાન) જાત-જાતનો શણગાર સજે છે. વૃક્ષો જુના પાંદ કાઢી નવા પાંદ આપવાનું શરૃ થાય છે. કેશુડાના વૃક્ષો વિશેષ સુંદર દેખાય આમ ભવ્ય શણગાર કુદરતી પ્રકૃતિનો જોવા મળે છે. જ્યારે મનુષ્યના જીવનની પ્રકૃતિ માટે ચૈત્રિ નવરાત્રી છે.

મનુષ્ય ચૈત્રિનોરતાની માં જગદંબા જે અંતરીક્ષમાં રહી બ્રહ્માંડની રચના કરી અને તેમનું પાલન પોષણ કરે છે તેમાં જગદંબાની પૂજા કરે છે અશ્વિન મહિનાની નોરતા એ બ્રહ્માજીનો દિવસ શરૃ થાય અને ચૈત્રિ નોરતાએ તેમની ૬ મહિને દિવસ પૂરો થતા રાત્રી શરૃ થાય છે. (ભાગવત સ્કંધના વર્ણન મુજબ)તેથી બ્રહ્માની રાત્રિ શરૃ થઈ ગણાય.

ભારતીય સમાજમાં ચૈત્રિ નોરતાએ માં શક્તિ સ્વરૃપે નોરતા કરીએ છીએ. કારણ કે મનુષ્ય આસો મહિનાના નોરતા બાદ સામાજીક રીત-રિવાજમાં ખૂંપી જાય છે અને સમાજની અટપટી ચાલથી હેરાન થઈ અને સમગ્ર સમાજ આ જાતની પ્રકૃતિમાં ઓતપ્રોત થાય અને પોતાની શક્તિ સામાજીક ચાલની અંદર ખર્ચી અને મનનાં અસંખ્ય વિકારો ઉત્પન્ન થાય છે કારણ કે શરીરની બુધ્ધી અસંખ્ય વિચાર આપી અને માયા થકી કર્મ કરે છે ત્યારે આ કર્મથી દૂર થવા શક્તિ મેળવવા ચૈત્રિ નોરતાની અંદર શુધ્ધ વિચાર પ્રકૃતિ ઉત્પન્ન કરવા માઁની પૂજા કરીએ છીએ. ભગવાન રામ તથા ભગવાન કૃષ્ણ પણ ચૈત્રિ નવરાત્રી શક્તિ મેળવવા ફરતાં હતાં. કૃષ્ણ ભગવાન દુર્ગા માઁની પ્રતિક તરીકે પૂજા કરતા હતાં.

દૂર્ગા શબ્દનો અર્થ જોઈએ તો દૂ એટલે દુશ્કર અને ગ એટલે ગમન કરવું શરીરમાં બુધ્ધી તત્વનું ઉદ્ભવસ્થાન તથા બુધ્ધિની ઉત્પતી જોવી કઠીન છે. દૂર્ગા સ્વરૃપનું પૂજન કરવાનું કારણ શરીરની પ્રકૃતિને બલ આપનાર નિરંજન-નિરાકાર માઁ જગદંબા સાકાર સ્વરૃપે ફોટો અથવા મૂર્તિ રાખી અનુષ્થાન કરીએ છીએ અને મૂળ આધાર શક્તિ સ્ત્રોત સ્વરૃપે દેવી છે દૂર્ગા એટલે દુર્ગમ સંકટ પાર કરનાર સર્વ લોકો માટે સારૃં વિચારનાર, સર્વ જગતનું કારણ સ્વરૃપ, જગતમાં જે ખ્યાતિ જોવા મળે તેમનું કારણ, કૃષ્ણ એટલે વેદનાં અર્થ મુજબ પ્રકૃતિ બનાવનાર બુધ્ધિનો સ્ત્રોતમાં જગદંબા આપે એટલે કે મન, બુધ્ધિ, અહંકારને વશ કરી શકે તેવી માઁ દૂર્ગાને સર્વ રીતે નમસ્કાર કરું છું.

ઉપરોક્ત સ્તૃતિમાં દૂર્ગાની પૂજનનો હાર્દ સમાયેલ છે. અતિવિકટ સમયે તથા સારા સમયમાં સ્વરૃપે જગદમ્બા શુદ્ધ વિચાર આપી જીવન પાર કરાવે, સંસારની ચાલ દરેક યુગની અંદર ખૂબ જ ગહન તથા દુષ્કર હોય છે. આવી અટપટી ચાલમાં દૂર્ગા શુદ્ધ વિચાર માનવીને આપી અને સર્વ જગતનાં લોકોને પણ શુદ્ધ વિચાર આપી કલ્યાણ કરે છે.

કૃષ્ણાનો અર્થ અહિં પ્રકૃતિ જે મનુષ્યનાં જીવન જીવવાના વિચારથી જે પ્રકૃતિ ઉત્પન્ન થાય તે પ્રકૃતિ છે. તેથી માઁ દૂર્ગાની પૂજા કરતા વિનંતી કરી છીએ. અમને શુધ્ધ વિચાર સ્વરૃપની શક્તિ આપ જેથી જગતની ચાલમાં ફસાઈ અને માયા અને સાયા દ્વારા જન્મોજન્મનાં ચક્કરમાં ન પડી તેથી શુદ્ધ વિચાર સ્વરૃપની શક્તિ જીવનમાં આપ.

સંસારીક મનુષ્ય સંસારી ચાલને લીધે પ્રકૃતિ શરીરમાં ઉત્પન્ન થાય તે સ્થિતિ, બુધ્ધિ, ફલ, ક્ષુધા, પિપાસા, દયા, નિંદ્રા, તૂન્દ્રા, સમા, મતિ, શાન્તિ, લજ્જા, તૃષ્ટિ, પુષ્ટિ, ભ્રાન્તિ, ક્રાન્તિ આ સર્વ વિચાર સ્વરૃપે શરીરમાં બુધ્ધિ સ્વરૃપે આવે છે.

આ પ્રકૃતિનું સ્વરૃપ કોઈને કોઈ કારણ સાથે જોડાયેલ છે જેમ વાયુની સહેલી સ્વતિ છે. ગણેશજીની પત્નિ પુષ્ટિ છે તે સૃષ્ટિ સાથે જોડાયેલ છે. એટલે કે સમાજનો માણસ પોતાના કાર્યથી સંતોષ પામે, મોહનો લગાવ પુણ્ય સાથે છે. જો સાત પુણ્ય કર્યા હોય તો સાંસારીક પ્રતિષ્ઠા મળે છે. સારા કાર્યનો લગાવ કીર્તિ છે જેથી સામાજીક માન મોભો ઉત્પન્ન થાય છે,

શરીરમાં અનાજને તે પચાવે તે એક ઉદ્યોગ સ્વરૃપ છે. અધર્મનો લગાવ હંમેશા મિથ્યા સાથે જોડાયેલ હોય છે. કારણ કે મિથ્યાનો ભાવ કપટ સાથે જોડાયેલ છે. શાન્તિ, લજ્જા આ દ્વારા મનુષ્ય અને સમાજ તથા રાષ્ટ્રનો વિકાસ આપી બુધ્ધિ દ્વારા થાય છે.

મનુષ્યની જીવનની અંદર માઁ દૂર્ગાનું પૂજન કરતા જે ૨૪ પ્રકારની બુધ્ધિ છે તે બુધ્ધિનું મૂળ સ્વરૃપ ગણાય છે. આ ગણ એટલે બુધ્ધિ, મેઘા, ધૃતિ જ્યારે જ્ઞાાન થતા મનુષ્યની તીવ્ર બુદ્ધિ શરીરમાં ઉત્પન્ન થાય. તે બુધ્ધિથી મેઘા એટલે કે અનંત શક્તિ મનના વિચારની અંદર સ્ફુરે આ વિચાર આવતા મન, બુધ્ધિ, અહંકાર જીવનમાં નિવૃત્ત થતાં જીવનમાં માત્ર તિક્ષ્ણ બુધ્ધિ રહે આ બુધ્ધિથી ધૃતિ એટલે મન અને બુધ્ધિનાં વિચાર પૂર્ણ થાય અને જ્ઞાાનપ્રગટે જો સમાજનાં દરેક લોકોની આવી બુધ્ધિ ઉત્પન્ન થાય ત્યારે સમાજ, રાષ્ટ્ર અને દેશનંદનવન બને છે આવા ભાવ ઉત્પન્ન થતા કલ્યાણકારી વિચાર જ આવે છે. માયા નામનું તત્વ જવાથી જીવન આનંદીત થાય છે.

તેથી જ ભગવાન કૃષ્ણ દૂર્ગા દેવીની ઉપાસના માયાવી બુધ્ધિથી દૂર જવા કરતાં માયા જે છે તે વિષ્ણુનું સ્વરૃપ છે. આ દ્વારા જન્મોજન્મનાં ચક્કરમાં પડી છીએ. તેથી સર્વ પ્રકારની શક્તિના સ્વરૃપ તરીકે દૂર્ગા માતાની પૂજા કરી ૨૪ પ્રકારની પ્રકૃતિ જે શરીરમાંથી ઉત્પન્ન થાય છે અને તે દ્વારા બુધ્ધિ ઉત્પન્ન થાય છે અને અહંકારનો જન્મ જીવનમાં થાય. આ એક પણ ગુણ બહારથી જોઈ શકતો નથી. જ્યારે પ્રકૃતિથી શરીરનાં વિચાર બદલાવા માટે હજારો હાથ વાળી માઁ દૂર્ગાની પૂજન અને ભક્તિ નોરતામાં કરી છીએ. જ્યારે મનુષ્યની આવી પ્રકૃતિ સરસ્વતી સ્વરૃપે જ્ઞાાન માર્ગે વાળવા માટે ચોપડાનું પૂજન દૂર્ગા દેવી પાસે કરીએ છીએ અને જ્ઞાાન દ્વારા વિદ્યા ઉત્પન્ન થાય તેમને જીવનમાં ક્યારેય કોઈ સીમા હોતી નથી જ્ઞાાન શુદ્ધ જ હોય છે.

તેથી દૂર્ગા માતાની પૂજામાં મનુષ્ય એવો ભાવ લાવે કે શરીરની રાક્ષસી પ્રકૃતિ નિવૃત્ત થાય અને બુધ્ધિ, મેઘા, ધૃતિ જીવનમાં રહે જેથી આ દેવી શક્તિથી મનુષ્ય સાકાર સ્વરૃપે જગતના કલ્યાણ માટે પોતાની શક્તિ વાપરી શકીએ. વેદ કર્તા ઋષિ આ માટે ''ઁ કૃષ્ણાય સ્વાહા'' નામના મંત્ર દ્વારા પ્રકૃતિનાં સ્વામી દેવીને શુદ્ધ બુદ્ધિ દેવા માટે કાલાવાલા કરવા આવો સરસ મંત્ર પૃથ્વી ઉપરનાં મનુષ્યને આપ્યો જેથી શરીરની પ્રકૃતિ શુદ્ધ થાય.

શરીરની આસુરી વૃત્તિના નાશ માટે માઁ દૂર્ગા સ્વરૃપનું પૂજન કરી છીએ અને પૂજન કરતાં માઁ પાસે સાચા ભાવથી દેવી શક્તિ મેળવવા માટે નવ સ્વરૃપની નવ દૂર્ગા (૧) શૈલ પુત્રી (૨) બ્રહ્મચારિણી (૩) ચન્ડધન્નેતિ (૪) કૂમાન્ડા (૫) સ્કંદ માત (૬) કાત્યાયની (૭) કલરાત્રી (૮) મહાગૌરી (૯) સિધ્ધક્ષેત્રી સ્વરૃપે માઁ દૂર્ગાનું પૂજન કરી શક્તિ નોરતાની અંદર મેળવે સતકાર્ય માટે શક્તિ વાપરે તેવી માઁ જગદંબા સ્વરૃપ દૂર્ગાને પ્રાર્થના માઁ જગદંબાનો બાળક આ શરીર સ્વરૃપે પ્રાર્થના કરે.


''દૂર્ગા માતકી જય'' ''નવદૂર્ગા માતકી જય''

વિદુરનીતિ

વિદુરનીતિ મુજબ આ ૬ વ્યક્તિઓ ને ઘરમાં ઉતારો ના અપાય.

   1. બહુજ આળસુ હોય
   2. બહુ ખાતો હોય
   3. સમાજમાં જેની બહુ નિંદા થતી હોય
   4. બહુ કપટી હોય
   5. જુઠઠો હોય
   6. નાસ્તિક હોય


વિદુરનીતિ મુજબ નિયમિત સ્નાન કરવાથી આ ૧૦ ગુણો આવે છે

   1. પવિત્રતા
   2. સ્વચ્છતા
   3. કોમળતા
   4. શોભા
   5. લાવણ્યતા
   6. મિત્રતા
   7. રૂપ જળવાય રહે
   8. બળ જળવાય રહે
   9. ભાગ્ય તેજ બને
  10. સ્ફૂરતિ બની રહે.


વિદુરનીતિ મુજબ આ માણસો જીવતાં છતાં મરેલા જ છે.

1. અશિષ્યને ઉપદેશ આપે તે.
2. થોડીક વાત થી બહુ ખુશ થઇ જાય તે .
3. શત્રુની મદદ લે તે.
4. પોતાની પત્ની પર શંકા રાખે તે.
5. અયોગ્ય માણસ પાસે યાચના કરે તે .
6. પોતે નિર્બળ હોય અને બળવાન સાથે વેર બાંધે તે.
7. અનિચ્છીનીય વસ્તુની ઈચ્છા રાખે તે .
8. વેવીસાળ માં પૈસા,મદદ લઇ એમના પાસેથી સ્ન્માનની અપેક્ષા રાખે તે.
9. બીજાના ખેતરમાં જે વાવે તે.
10. સ્ત્રીઓ પર અત્યાચાર કરે તે.
11. દુર્જન ને સજ્જન માને તે.
12. વચન આપીને ફરી જાય તે.
13. જે પ્રભુ ભક્તિમાં માનતો નથી તે.
14. જે વાતવાત પર ક્રોધ કરે તે.
15. જે બહુ ભોગવિલાસ કરતો હોય તે.
16. જે વડીલોની મર્યાદા રાખતો નથી.


વિદુરનીતિ મુજબ આ પાંચ લક્ષણો હોય તેને ગૃહલક્ષ્મી કેહવાય.

   1. ઘરમાં કેટલું અનાજ હોય તેનું બરાબર ધ્યાન રાખે.
   2. બાળકોના યોગ્ય ઉછેર કરે.
   3. ઘરમાં સંપ અને સદભાવ રહે તેનું ધ્યાન રાખે.
   4. મધુરવાણી થી ઘરનું વાતાવરણ શાંતિમય રાખે.
   5. પવિત્રપણું રાખે.


વિદુરનીતિ મુજબ આ ૧૦ વ્યક્તિઓને ધર્મ નો ઉપદેશ ના આપવો

   1. જેને દારૂનો નશો ચડ્યો હોય
   2. અસાવધ થઈને તંદ્રા માં બેસે.
   3. થાકી ગયેલા માણસને.
   4. ભૂખ્યા માણસને.
   5. ક્રોધે ભરાયેલા .
   6. લોભીયા માણસને
   7. બીકણ ડરેલા માણસને
   8. બહુ ઉતાવળિયા માણસને
   9. અજ્ઞાની માણસને
  10. નાસ્તિક માણસને


વિદુરનીતિ મુજબ જીવનમાં સુખી થવાના છ કારણો

   1. સારુ આરોગ્ય
   2. માથે દેવું ન હોય
   3. પોતાનું ઘર હોય
   4. સારો પડોસી હોય
   5. સારી આજીવીકા હોય
   6. સત્સંગ અને પ્રભુ વ્યકિત કરતા હોય

વિદુરનીતિ મુજબ જીવનમાં દુઃખી થવાના છ કારણો

   1. ઈર્ષા
   2. અસંતોષ
   3. શંકાશીલ
   4. ક્રોધ
   5. પારકા પાર ભરોસો
   6. વધુ પડતુ દયાળુ

વિદુરનીતિ મુજબ સંપત્તિના ત્રણ રસ્તા હોય છે.

   1. દાન
   2. ભોગ (વાપરવું)
   3. નાશ

સંપત્તિને દાન કરો પછી ભોગવો અને છેલ્લે વધુ સંગ્રહ કરર્શો તો નાશ જ થશે.

વિદુરનીતિ મુજબ આ પાંચ કારણો ,કુટેવો થી દુઃખ સામે ચાલીને આવે છે.

   1. જુગાર
   2. શિકાર
   3. મદ્યપાન
   4. અતિ વિલાસ
   5. ક્રોધ




વિદુરનીતિ મુજબ આ ત્રણે વ્યક્તિઓનો કયારેય ત્યાગ ન કરવો જોઈએં

   1. પોતાની પ્રિય વ્યક્તિ
   2. પોતાની પ્રિયવાદીની એટલે પત્ની
   3. આગ્યાન્કારી સુપુત્ર

વિદુરનીતિ મુજબ આ પાંચ વ્યક્તિઓનો આદર કરવાથી કેવળ યશની પ્રાપ્તિ થાય છે

   1. દેવ
   2. પિતૃ
   3. મનુષ્ય
   4. ભિક્ષુક
   5. અતિથી

વિદુરનીતિ મુજબ આ છ દોષોનો ત્યાગ કરવાથી ધ્યેય જલ્દી મળે છે

   1. ઊંઘ
   2. આળસ
   3. ભય
   4. ક્રોધ
   5. દીર્ઘસુત્રીપણુ
   6. પ્રમાદપણુ

વિદુરનીતિ મુજબ

બેદરકાર માણસો પર ચોરોની આજીવિકા ચાલે છે.રોગીઓ ઉપર જ ડોક્ટરોની ,ઝાઘડાખોરો ઉપર જ વકીલોની અને મુર્ખાઓ ઉપરજ પન્ચાત્યાઓની આજીવીકા ચાલે છે.

વિદુરનીતિ મુજબ જીવનમાં આ પાંચ વસ્તુ ,વ્યક્તિઓને કડી ન ભુલવા જોઈએ

   1. ભણ્યા પછી શિક્ષક ને
   2. આપણુ કામ કર્યું હોય તેને
   3. મુસાફરી કાર્ય બાદ વાહન ને
   4. રોગ માટી જાય પછી ડોક્ટરને
   5. લગ્ન કર્યા પછી પુત્રોએ માતા-પિતાને



વિદુર નીતિ મુજબ આ ત્રણે જણને પૈસાની બાબતમાં  સ્વતન્ત્રતા ન આપવી .

   1. તમારો ગમે તેટલો વિશ્વાસુ હોય એ નોકરને
   2. તમારા કુપુત્ર , ઉડાઉ ,બદમાશ દીકારને
   3. તમારી હોશિયાર પત્ની હોય તેને પણ

વિદુરનીતિ મુજબ આ ચાર જણાને જોડે મંત્રણા ,ગુપ્ત વિચારો ના કરાય

   1. જેની બુધિ ઓછી હોય.
   2. બહુ હરખ ઘેલો હોય
   3. જેને પોતાની બહુ મોટાઈ હોય
   4. જે દીર્ઘસુત્રી હોય ,એટલે ૧૫ મીનીટ નું કામ ૨ દિવસમાં પણ ના કરે તેવા

વિદુરનીતિ મુજબ આ ચાર વસ્તુ તુરંતજ ફળ આપે છે.

   1. શુભ સંકલ્પ
   2. મહા પુરુષોના તપ
   3. ગુરીની આગળ વિનાયવાન બને તેની શુભેચ્છાઓ તરત પૂર્ણ થાય
   4. પાપીઓનો નાશ પણ તત્કાલ ફળ આપે છે.

વિદુરનીતિ મુજબ આ બે જણા કુટુંબને ભાર રૂપ છે,તે વહેલા મૃત્યુ પામે એજ સારુ

   1. જેની પાસે ઘણું બધું ધન છે છતાં દાન કરતાં શીખ્યો નથી.
   2. જે ગરીબ હોવા છતાં સાદાઈથી જીવતો નથી.

વિદુરનીતિ મુજબ આ પાંચ જણા સુખ દુખમાં તમારી સાથે જ હોય છે.

   1. સાચા મિત્રો
   2. તમારા ગુરુ
   3. તમારા શત્રુઓ
   4. તમારો સેવક
   5. તમારો હિત ઈચ્છતો હોય તેવો મધ્યસ્થી