Sunday, February 14, 2010

કાળીચૌદસે ફળદાયી ઉપાસના મંત્ર :

સૂર્યાદિ નવગ્રહોની શાંતિ માટે કાળીચૌદસે ગ્રહમાતૃકા મંત્રજપ, ભગવાન ઘંટાકર્ણ ઉપાસના, હનુમાનજીની, બટુકભૈરવની, શક્તિની ઉપાસના વિશેષ ફળદાયી ગણાય છે.

 
ભગવાન હનુમાનજીની ઉપાસના મંત્ર :

ૐ નમ: હનુમતે, રુદ્રાવતારાય, વિશ્વ-રૂપાય, અમિત વિક્રમાય, પ્રકટ-પરા-ક્રમાય, મહાબલાય, સૂર્ય-કોટી-સમ-પ્રભાય, રામદૂતાય નમ:

 
ભગવાન ઘંટાકર્ણ ઉપાસના મંત્ર :

ૐ ઘંટાકર્ણ મહાવીરાય નમ:

મનુષ્ય માત્ર સ્વસ્થ જીવન, માનસકિ શાંતિ, સમૃદ્ધિ, પારિવારિક મધુરતા, આત્મીયભાવ મેળવવા માટે હંમેશાં ઉત્સુક હોય છે. પણ શું આ બધું દરેક વ્યકિતના ભાગ્યમાં હોય છે? દીપોત્સવી હોય કે નવરાત્રિ, ગણેશચોથથી અનંત ચર્તુદશી, કાળીચૌદસ, રૂપચૌદસના દિવસે ખાસ કરીને વિશેષ ઉપાસના વિશેષ ફળદાયી હોય છે.


શારીરિક, માનસિક, આઘ્યાત્મિક શક્તિ જળવાઇ રહે, વિજય અને સફળતા મળે તે માટે આઘ્યાત્મિક ઉપાયોમાં ઉપાસના, મંત્રજાપ પર વિશેષ ઘ્યાન આપવામાં આવ્યું. ઉપાસના અનેક પ્રકારની હોય છે. તાંત્રિક, માંત્રિક, યજ્ઞ, પૂજા, ભક્તિ, ઘ્યાન વગેરે અનેક પ્રકારથી આઘ્યાત્મિક ઉપાસના કરી અરિષ્ટયોગોની શાંતિ કરી શકાય.નવગ્રહ દ્વારા બનતા અરિષ્ટયોગોની શાંતિ માટે નિમ્નમંત્રોના જપ વિશેષ લાભદાયી છે.

‘સૂર્ય દ્વારા બનતા અરિષ્ટયોગોની શાંતિ માટે - મંગલાયૈ નમ:

‘ચંદ્ર દ્વારા બનતા અરિષ્ટયોગોની શાંતિ માટે - પિંગલાયૈ નમ:

‘મંગળ દ્વારા બનતા અરિષ્ટયોગોની શાંતિ માટે - ધાન્યાયૈ નમ:

‘બુધ દ્વારા બનતા અરિષ્ટયોગોની શાંતિ માટે - ભ્રામર્યૈ નમ:

‘ગુરુ દ્વારા બનતા અરિષ્ટયોગોની શાંતિ માટે - ઈભદ્રીકાયૈ નમ:

‘શુક્ર દ્વારા બનતા અરિષ્ટયોગોની શાંતિ માટે - ઈઉલ્કાયૈ નમ:

‘શનિ દ્વારા બનતા અરિષ્ટયોગોની શાંતિ માટે - સિદ્ધાયૈ નમ:

‘રાહુ દ્વારા બનતા અરિષ્ટયોગોની શાંતિ માટે - સંકટાયૈ નમ:

‘કેતુ દ્વારા બનતા અરિષ્ટયોગોની શાંતિ માટે - વિકટાયૈ નમ:

 

બટુક ભૈરવ ઉપાસના મંત્ર:
કાળીચૌદસના દિવસે શુભ સમયમાં રાત્રિ દરમિયાન બટુક ભૈરવ ઉપાસના પણ વિશેષ લાભદાયી હોય છે. મંત્ર આ પ્રકારે છે. મંત્રમાં કોઇ પણ ભૂલ કરવાથી નુકસાન પણ થઇ શકે, જેથી યોગ્ય વિદ્વાન ગુરુ પાસેથી શીખીને જ મંત્ર જપ કરવા.

ઓમ્ હ્રીં બટુકાય આપદુદ્ધારણાય કુરુ કુરુ બટુકાય હ્રીં ઓમ્

 

મહામૃત્યુંજય મંત્ર જપ:
ૐ હૌમ્ જૂમ્ સ: ૐ ભૂર્ભવ: સ્વ: ૐ ત્ર્યંબકમ્ યજામહે સુગંધિમ્ પુષ્ટિવર્ધનમ્
ઉર્વારુકમિવ બંધનાન્મૃત્યોમૃર્ક્ષીયમામૃતાત્ ૐ સ્વ: ભુવ: ભૂ: ૐ સ: જૂં હૌં ૐ

મંત્રના જપ સ્વાસ્થ્ય માટે વિશેષ લાભદાયી રહે.


શક્તિ ઉપાસના મંત્ર :

નવાર્ણ મંત્ર જપ :

ઐમ્ હ્રીં કલીમ્ ચામુંડાયૈ વિચ્યે

મંત્ર જપ દ્વારા શારીરિક, માનસિક રોગોમાંથી મુકત થઇ સર્જનાત્મક બળ પ્રાપ્ત કરી ચારેબાજુ પ્રભાવ વધારી શકાય, સુખસમૃદ્ધિ મેળવી શકાય.

વિશેષ :

કોઇ પણ ઉપાસના, મંત્રજાપ, ઘ્યાનની શરૂઆત કરતાં પહેલાં દિશારક્ષણ, પૃથ્વીપૂજન, ગુરુવંદન, ઇષ્ટદેવતા, કુલદેવતા, ગ્રામદેવતા, સ્થાનદેવતાને વંદન કરી શુદ્ધ સુગંધિત વાતાવરણમાં બેસી મન સ્થિર રાખીને ઉપાસના કરવી લાભદાયી રહે.

ગણેશ ચાલીસા

દોહા

જય ગણપતિ સદગુણસદન, કવિવર બદન કૃપાલ |

વિઘ્ન હરણ મંગલ કરણ, જય જય ગિરિજાલાલ ||


ચૌપાઈ

જય જય જય ગણપતિ ગણરાજૂ | મંગલ ભરણ કરણ શુભ કાજૂ ||૧

જય ગજબદન સદન સુખદાતા | વિશ્વ વિનાયક બુદ્ઘિ વિધાતા ||૨

વક્ર તુણ્ડ શુચિ શુણ્ડ સુહાવન | તિલક ત્રિપુણ્ડ ભાલ મન ભાવન ||૩

રાજત મણિ મુક્તન ઉર માલા | સ્વર્ણ મુકુટ શિર નયન વિશાલા ||૪

પુસ્તક પાણિ કુઠાર ત્રિશૂલં | મોદક ભોગ સુગન્ધિત ફૂલં ||૫

સુન્દર પીતામ્બર તન સાજિત | ચરણ પાદુકા મુનિ મન રાજિત ||૬

ધનિ શિવસુવન ષડાનન ભ્રાતા | ગૌરી લલન વિશ્વ-વિખ્યાતા ||૭

ઋદ્ઘિ-સિદ્ઘિ તવ ચંવર સુધારે | મૂષક વાહન સોહત દ્ઘારે ||૮

કહૌ જન્મ શુભ-કથા તુમ્હારી | અતિ શુચિ પાવન મંગલકારી ||૯

એક સમય ગિરિરાજ કુમારી | પુત્ર હેતુ તપ કીન્હો ભારી ||૧૦

ભયો યજ્ઞ જબ પૂર્ણ અનૂપા | તબ પહુંચ્યો તુમ ધરિ દ્ઘિજ રુપા ||૧૧

અતિથિ જાનિ કૈ ગૌરિ સુખારી | બહુવિધિ સેવા કરી તુમ્હારી ||૧૨

અતિ પ્રસન્ન હૈ તુમ વર દીન્હા | માતુ પુત્ર હિત જો તપ કીન્હા ||૧૩

મિલહિ પુત્ર તુહિ, બુદ્ઘિ વિશાલા | બિના ગર્ભ ધારણ, યહિ કાલા ||૧૪

ગણનાયક, ગુણ જ્ઞાન નિધાના | પૂજિત પ્રથમ, રુપ ભગવાના ||૧૫

અસ કહિ અન્તર્ધાન રુપ હૈ | પલના પર બાલક સ્વરુપ હૈ ||૧૬

બનિ શિશુ, રુદન જબહિં તુમ ઠાના | લખિ મુખ સુખ નહિં ગૌરિ સમાના ||૧૭

સકલ મગન, સુખમંગલ ગાવહિં | નભ તે સુરન, સુમન વર્ષાવહિં ||૧૮

શમ્ભુ, ઉમા, બહુ દાન લુટાવહિં | સુર મુનિજન, સુત દેખન આવહિં ||૧૯

લખિ અતિ આનન્દ મંગલ સાજા | દેખન ભી આયે શનિ રાજા ||૨૦

નિજ અવગુણ ગુનિ શનિ મન માહીં | બાલક, દેખન ચાહત નાહીં ||૨૧

ગિરિજા કછુ મન ભેદ બઢ઼ાયો | ઉત્સવ મોર, ન શનિ તુહિ ભાયો ||૨૨

કહન લગે શનિ, મન સકુચાઈ | કા કરિહૌ, શિશુ મોહિ દિખાઈ ||૨૩

નહિં વિશ્વાસ, ઉમા ઉર ભયઊ | શનિ સોં બાલક દેખન કહાઊ ||૨૪

પડતહિં, શનિ દૃગ કોણ પ્રકાશા | બોલક સિર ઉડ઼િ ગયો અકાશા ||૨૫

ગિરિજા ગિરીં વિકલ હૈ ધરણી | સો દુખ દશા ગયો નહીં વરણી ||૨૬

હાહાકાર મચ્યો કૈલાશા | શનિ કીન્હો લખિ સુત કો નાશા ||૨૭

તુરત ગરુડ઼ ચઢ઼િ વિષ્ણુ સિધાયો | કાટિ ચક્ર સો ગજ શિર લાયે ||૨૮

બાલક કે ધડ઼ ઊપર ધારયો | પ્રાણ, મન્ત્ર પઢ઼િ શંકર ડારયો ||૨૯

નામ ગણેશ શમ્ભુ તબ કીન્હે | પ્રથમ પૂજ્ય બુદ્ઘિ નિધિ, વન દીન્હે ||૩૦

બુદ્ઘિ પરીક્ષા જબ શિવ કીન્હા | પૃથ્વી કર પ્રદક્ષિણા લીન્હા ||૩૧

ચલે ષડાનન, ભરમિ ભુલાઈ | રચે બૈઠ તુમ બુદ્ઘિ ઉપાઈ ||૩૨

ધનિ ગણેશ કહિ શિવ હિય હરષે | નભ તે સુરન સુમન બહુ બરસે ||૩૩

ચરણ માતુ-પિતુ કે ધર લીન્હેં | તિનકે સાત પ્રદક્ષિણ કીન્હેં ||૩૪

તુમ્હરી મહિમા બુદ્ઘિ બડ઼ાઈ | શેષ સહસમુખ સકે ન ગાઈ ||૩૫

મૈં મતિહીન મલીન દુખારી | કરહું કૌન વિધિ વિનય તુમ્હારી ||૩૬

ભજત રામસુન્દર પ્રભુદાસા | જગ પ્રયાગ, કકરા, દર્વાસા ||૩૭

અબ પ્રભુ દયા દીન પર કીજૈ | અપની ભક્તિ શક્તિ કછુ દીજૈ ||૩૮

શ્રી ગણેશ યહ ચાલીસા, પાઠ કરૈ કર ધ્યાન ||૩૯

નિત નવ મંગલ ગૃહ બસૈ, લહે જગત સન્માન ||૪૦

દોહા

સમ્વત અપન સહસ્ત્ર દશ, ઋષિ પંચમી દિનેશ |

પૂરણ ચાલીસા ભયો, મંગલ મૂર્તિ ગણેશ ||

તમારા મૂળાંક અનુરૃપ કયું રત્ન પહેરવું જોઇએ. કઇ ધાતુ અને રંગ તમને અનુકૂળ આવશે.

 વ્યક્તિનું સ્વાસ્થ્ય જ તેની મહત્ત્વપૂર્ણ ધરોહર છે. વ્યક્તિ સ્વસ્થ હશે તો એવી આશા રાખી શકે છે કે આગળ જતા તે કંઇક કરી બતાવશે, પરંતુ જો બીમાર અને રોગગ્રસ્ત રહેશે તો કશું જ કરી શકશે  નહીં. આથી જ કહેવામાં આવે છે કે સ્વાસ્થ્ય જ સંપત્તિ છે. સ્વાસ્થ્ય સારું તો બધું જ સારું. આપણા નિરોગી રહેવામાં આપણો મૂળાંક પણ સાથ આપે છે. મૂળાંક આપણને આપણા સ્વાસ્થ્યનો નિર્દેશ આપે છે. સૌપ્રથમ તમને એ વાતની જાણકારી હોવી જોઈએ કે તમારો જન્મ - દિનાંક શું છે. તેને જ તમે મૂળ અંકમાં પરિર્વિતત કરો અને પછી જાણો કે તમને કયા કયા રોગ થઈ શકે છે અને તમારે તેમાંથી કઇ રીતે બચવું જોઇએ. તમારા મૂળ અંકમાં એ બધી જ યોગ્યતાઓ, પ્રભાવ અને સ્વભાવ હોય છે, જેનો ઉપયોગ કરીને તમે અસ્વસ્થ હોવા છતાં પણ તમારો બચાવ કરી શકો છો. ઉદાહરણ તરીકે જો તમારો જન્મ ૧૭ ઓક્ટોબરે થયો હોય તો ૧ + ૭ = ૮, તમારો મૂળ અંક થયો ૮. આમ તમારા મૂળ અંકને અનુરૃપ તમે સ્વયંના સ્વાસ્થ્ય વિશે જાણી શકો છો અને સમયસર ઉપચાર પણ કરી શકો છો. તો આવો જાણીએ કે તમારા મૂળાંક અનુરૃપ કયું રત્ન પહેરવું જોઇએ. કઇ ધાતુ અને રંગ તમને અનુકૂળ આવશે.

મૂળાંક-૧

જે વ્યક્તિઓનો મૂળ અંક ૧ હોય છે તેઓ હૃદયરોગથી પીડિત રહે છે. હૃદયરોગ મોટેભાગે મૂત્રરોગ વગેરે સંબંધિત રોગોથી ઉત્પન્ન થાય છે. આધુનિક હૃદયરોગ ચિકિત્સામાં રોગગ્રસ્ત વ્યક્તિને આરામ કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. પરંતુ આ રોગ મોટેભાગે એવી વ્યક્તિઓને જ થાય છે જેમણેે શરૃઆતથી જ કામ કર્યું હોય અને અનેક કારણોસર પોતાના શરીરને સ્થૂળ બનાવી દીધું હોય.

અનુકૂળ રત્ન તથા ધાતુ

માણેક તમારું મુખ્ય રત્ન છે. તેને અંગ્રેજીમાં રુબી કહે છે. ધાતુમાં તમે સ્વર્ણ (સોનું) નો ઉપયોગ કરો. વીંટી વગેરે બધું સ્વર્ણમાં બનાવીને જ પહેરો. સોનાની વીંટીમાં રત્નને એ રીતે જડાવો કે તે આંગળીની ત્વચાને સ્પર્શતું રહે.

અનુકૂળ રંગ

આ અંકવાળા લોકો માટે અનુકૂળ રંગ સોનેરી પીળો છે. તમે ઘરની દીવાલો અને વસ્ત્રોમાં રૃમાલ વગેરે હંમેશા તે જ રંગનો રાખો.

મૂળાંક - ૨
જે લોકોનો મૂળાંક બે હોય છે, તેઓ પેટના રોગથી પીડાતા હોય છે. તેમને અપચો, ગેસ, આફરો, એસિડિટી વગેરેની ફરિયાદ હોય છે. આ મૂળાંકવાળા લોકોએ તેમને ભલે કોઇ બીમારી ન હોય, પરંતુ ભોજન પર નિયંત્રણ રાખવું જોઇએ. નિયમિત ભોજન કરો અને ભૂખ હોય તેના કરતાં ઓછું ભોજન કરો.

રત્ન અને ઘાતુ

તમારા માટે સૌથી વધારે અનુકૂળ રત્ન મોતી છે તથા ચાંદી મુખ્ય ધાતું છે. તેમાં તમે મોતી જડાવીને પહેરો. મહિલાઓ નાકની ચૂનીમાં મોતી જડાવીને પહેરે તો લાભ થાય છે.

અનુકૂળ રંગ
તમારા માટે આછો લીલો રંગ યોગ્ય છે. શક્ય હોય તો આ રંગનો રૃમાલ હંમેશા સાથે રાખો. ઘરના પડદા, કુશન, ચાદર વગેરે પણ લીલા રંગના રાખી શકો છો. ઘરમાં લીલા છોડ પણ વાવી શકો છો.

મૂળાંક - ૩
જે વ્યક્તિનો મૂળાંક ત્રણ હોય તેમને હાડકાંનો દુખાવો રહેતો હોય છે અને કમજોરી રહ્યા કરે છે. તેઓનું સ્નાયુતંત્ર નિર્બળ થઈ જાય છે.

રત્ન અને ધાતુ
રત્નોમાં તેમના માટે પોખરાજ શ્રેષ્ઠ રત્ન છે. સોનામાં આ રત્ન જડાવીને તર્જની આંગળીમાં ધારણ કરવાથી લાભ થાય છે.

મૂળાંક - ૪
જેનો મૂળાંક ચાર હોય છે તેઓ રક્ત (લોહી) ની બીમારીથી પીડાતા હોય છે. લોહીની ઊણપને કારણે અનેક રોગો ઘર કરી જાય છે. આવા વ્યક્તિઓએ લોહતત્ત્વથી યુક્ત ભોજન કરવું જોઇએ.

રત્ન અને ધાતુ
તમારું સૌભાગ્યવર્ધક રત્ન નીલમ છે. જ્યારે નીલમ અનુકૂળ થશે ત્યારે તમને ધન - ધાન્યની કોઈ કમી રહેશે નહી. તમને નીલમ અનુકૂળ ન આવે તો ગોમેદ પણ પહેરી શકો છો. નીલમ અથવા ગોમેદને પંચધાતુની વીંટીમાં મધ્યમા આંગણીમાં ધારણ કરવી જોઇએ.

અનુકૂળ રંગ
ચમકદાર નીલો રંગ તમારા માટે અનુકૂળ છે. તમે આ રંગના ટાઇ કે રૃમાલ રાખી શકો છો.

મૂળાંક - ૫
જે વ્યક્તિઓનો મૂળાંક પાંચ હોય તે વ્યક્તિઓ શરદી, ઉધરસ, ફ્લૂથી પીડાતા હોય છે.

રત્ન અને ધાતુ
આ અંકવાળી વ્યક્તિઓ માટે પન્નાનું નંગ ઉત્તમ છે. આનાથી તેઓને લાભ થાય છે. ધાતુમાં સ્વર્ણ ઉત્તમ છે. સોનાની વીંટીમાં પન્નાને જડાવીને આંગળીમાં ધારણ કરવું જોઇએ.

અનુકૂળ રંગ
આ અંકવાળા વ્યક્તિઓ માટે લાલ રંગ ખૂબ જ અનુકૂળ અને સૌભાગ્યવર્ધક છે. ઘરમાં લીલા રંગનો ઉપયોગ કરવો જોઈએ અને આ રંગના છોડવા પણ વાવવા જોઇએ.

મૂળાંક - ૬
જે લોકોનો મૂળાંક છ હોય છે, તેઓ મોટાભાગે ફેફસાંની બીમારીથી પીડાતા હોય છે. મૂળે આ અંક કામવાસના પ્રધાન છે. આથી તેને સંબંધિત રોગ થવાની શક્યતા પણ વધારે રહેલી છે.

રત્ન અને ધાતુ
આ અંકવાળી વ્યક્તિનું રત્ન હીરો અને ધાતુ પ્લેટિનમ છે. આમ પણ હીરો હંમેશા ચાંદી અને પ્લેટિનમમાં ધારણ કરવો જોઇએ. તમે બંનેમાંથી ગમે તેમાં ધારણ કરી શકો છો.

અનુકૂળ રંગ
આ અંકવાળા વ્યક્તિઓ માટે બધા જ પ્રકારના આછા નીલા રંગ અનુકૂળ હોય છે. ગુલાબી રંગ પણ સારો છે.

મૂળાંક - ૭
જે વ્યક્તિઓનો મૂળાંક સાત હોય છે તેમને ચર્મરોગ થવાની શક્યતા વધારે હોય છે. ખરજવું અને દાદર થવાની સંભાવના પણ વધારે રહે છે.

રત્ન અને ધાતુ
સાત અંકવાળા લોકો માટે લસણિયું રત્ન ધારણ કરવું જોઇએ. તેનાથી તમારા સૌભાગ્યનાં દ્વાર ખૂલી જશે. તમારી ધાતુ સ્વર્ણ છે. સુવર્ણની વીંટીમાં લસણિયું જડાવીને ધારણ કરવું જોઇએ.

અનુકૂળ રંગ
 આ અંકવાળા વ્યક્તિઓ માટે સફેદ, આછો લીલો અને આછો પીળો રંગ અનુકૂળ અને શુભ છે.

મૂળાંક - ૮
જે વ્યક્તિઓનો મૂળાંક આઠ હોય છે તેમનું લીવર નબળું થવાને કારણે અન્ય બીમારીઓ ઘર કરી લે છે. શક્ય હોય ત્યાં સુધી વ્યસનથી દૂર રહેવું જોઈએ.

રત્ન અને ધાતુ
તમારું રત્ન નીલમ છે. તેને ધારણ કરો, તે અનુકૂળતા લાવવામાં તમને મદદ કરશે. ધાતુ લોખંડ છે. તમે લોખંડ ધાતુની વીંટીમાં નીલમ જડાવીને પહેરો.

અનુકૂળ રંગ
કાળો રંગ અનુકૂળ છે. તમે કાળા રંગનું પેન્ટ અથવા ટાઇ પહેરી શકો છો. ઘરની સાજ સજાવટની વસ્તુની ધાર (બોર્ડર) કાળા રંગની હોય તેવી રાખી શકો છો.

મૂળાંક - ૯
આ અંકના લોકો ચર્મ રોગ, શરદી વગેરે રોગથી પીડાતા હોય છે. આ રોગોથી તેમણે બચવું જોઇએ.

રત્ન અને ધાતુ
જે વ્યક્તિઓનો મૂળાંક નવ છે તેમનું ભાગ્યશાળી રત્ન પરવાળું છે. આથી પરવાળું ધારણ કરવું જોઈએ. ધાતુમાં તાંબું ઉત્તમ છે. પરવાળાંને સોના અથવા તાંબાની વીંટીમાં જડાવીને ધારણ કરવું જોઈએ.

લાભની કેટલીક અનુભવસિદ્ધ વાતો

> દર ગુરુવારે સવારે પ્રથમ ચોઘડિયામાં અને ગુરુની હોરામાં અર્થાત્ સૂર્યોદયથી પ્રથમ કલાકની અંદર નખ કાપવાથી તે અઠવાડિયામાં લાભ થાય છે.

 > દર ગુરુવારે સૂર્યોદયથી પ્રથમ કલાકમાં કપાળ પર હળદરનો સાધારણ લેપ કરવો. સ્નાન કરતાં સુધી તેને રાખવો આમ કરવાથી અવશ્ય લાભ થાય.

> લગ્ન મોડા થતાં હોય, મંગળ નડતો હોય તો દર મંગળવારે સવારે પીપળાના વૃક્ષ નીચે નાળિયેરની કાચલીમાં સાકર, મધ ભરી દાટી દેવાં. ૨૧ મંગળવાર સુધીમાં વિવાહનું સુખ અગર લગ્ન વિશે સારા સમાચાર મળશે.

> પાણિયારે સવારે ઊભી-આડી દિવેટનો દીવો પ્રગટાવી પિતૃઓનું સ્મરણ કરવું. દિવસ દરમિયાન લાભ થશે.

Saturday, February 6, 2010

૧૪ સમસ્યાના નિવારણ માટે જુદા જુદા શ્રીજી

સંતાનના ગણેશ :
            જે ઘરમાં સંતાનસુખ ન હોય ત્યાં ભગવાન ગણેશજીનાં ૧૦૦૮ નામોમાંની સંતાન ગણેશની મૂર્તિને સ્થાપિત કરવી જોઈએ. આવા યુગલે સંતાન ગણપતિની વિશિષ્ટ મંત્રપૂરિત પ્રતિમા (યથા સંતાન ગણપતેય નમ:, ગર્ભદો ધને નમ: , પુત્ર પૌત્રાયામ નમ: વગેરે મંત્રયુકત) પ્રતિમા દ્વાર પર લગાવવી, જેનું પ્રતિફળ સકારાત્મક હોય છે.


વિધ્નહર્તા ગણપતિ :
         નિર્હન્યાય નમ:, અવિનાય નમ: જેવા મંત્રોયુક્ત ગણેશજીની પ્રતીમા તેવા ઘરોમાં સ્થાપિત કરવી જોઈએ જેમાં ઝઘડા, કંકાસ, કલેશ, વિધ્ન, અશાંતિ, તણાવ વગેરે દુર્ગુણો ઉપસ્થિત હોય. પતિ પત્ની વરચે મનભેદ, બાળકોમાં અશાંતિનો દોષ મળી આવે, એવા ઘરના પ્રવેશ દ્વાર પર વિધ્નહર્તાની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ.


વિધાપ્રદાયક ગણપતિ :
          એવાં ઘરોમાં જયાં બાળકો ભણતા ન હોય કે ભણવાથી દૂર ભાગતાં હોય, વડીલોને માન ન આપતાં હોય, એવાં ઘરોના ગૃહસ્વામીએ વિધાપ્રદાયક ગણપતિને પોતાના ઘરના પ્રવેશદ્વાર પર સ્થાપિત કરવા જોઈએ. આ પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા સાથે સાથે જ્ઞાન રૂપાય નમ:, વિધા નિયાર્ય નમ:, વિધા ધનાય નમ: તેમજ જ્ઞાનમુદ્રાવતે નમ: જેવા મંત્રોનું ઉચ્ચારણ બાળકોમાં જીજ્ઞાસાવૃત્તિ ઉત્પન્ન કરે છે. આવી પ્રતિમા શુભમુહૂર્તમાં સ્થાપિત કરવાથી પરિણામ ઝડપી મળશે.


આનંદદાયક ગણપતિ :
         પરિવારમાં આનંદ, ખુશી, ઉત્સાહ તેમજ સુખ માટે આનંદદાય નમ:, સુમંગલમ સુમંગ લાય નમ: જેવા મંત્રોયુક્ત આનંદદાયક ગણપતિની પ્રતિમાને શુભ મુહૂર્તમાં ઘરમાં સ્થાપિત કરવી જોઈએ.


વિજયસિદ્ધિ મોચન ગણપતિ :
        કોર્ટ કેસમાં જીત મેળવવા, શત્રુઓનો નાશ કરવા, પડોશીને શાંત કરવાના ઉદ્દેશથી લોકો પોતાના ઘરમાં વિજય સ્થિરાય નમ: જેવા મંત્રો વડે બાબા ગણપતિની સ્થાપના કરે છે.


ઋણમોચન ગણપતિ :
        જૂનું દેવું ચુકવી શકાતું ન હોય, ઘર પરિવારમાં દરિદ્રતા, દેવાનો તાંડવ હોય તેવી વ્યક્તિઓએ ઋણમોચન ગણપતિ, ઋણત્રય વિમોચનાય નમ: જેવા મંત્ર વડે ઉત્કિર્ણ કરાવીને ઘરમાં સ્થાપિત કરવા જોઈએ તેમજ તેમની દરરોજ વિધિપૂર્વક પૂજા કરવી જોઈએ.


રોગનાશક ગણપતિ :

        કોઈ જૂનો રોગી હોય, જે દવા વડે પણ સારો થતો ન હોય તેવા પરિવારના લોકોએ માત્ર ‘મૃત્યુંજયાય નમ:’ શ્લોક વડે રોગનાશક ગણપતિની આરાધના કરવી.


નેતૃત્વ શક્તિ વિકાસ ગણપતિ :
        રાજનીતિક પરિવારમાં ઉરચપદ પ્રાપ્ત કરવા માટે લોકો ગણપતિના આ સ્વરૂપની આરાધના કરે છે. માત્ર ‘ગણાઘ્યક્ષાય નમ:, ગણનાયકાય નમ:, પ્રથમ પૂજયાયૈ નમ: ’ શ્લોકો વડે તેમની આરાધના કરવી.


સોપારી ગણપતિ :
         આઘ્યાત્મિક જ્ઞાનાર્જન હેતુ સોપારી ગણપતિની આરાધના કરવી.


શત્રુહંતા ગણપતિ :

          શત્રુઓનો નાશ કરવા માટે શત્રુહંતા ગણપતિની આરાધના કરવી જોઈએ. મૂર્તિકાર પ્રતિમા બનાવતી વખતે મૂર્તિને ક્રોધ મુદ્રામાં દેખાડે છે. કહેવાય છે કે જે વ્યક્તિ શત્રુહંતા ગણપતિની પ્રતિમાને ઘરમાં સ્થાપિત કરીને ‘ઓમ ગં ગણપતયે નમ:’ મંત્રનો જાપ કરે છે તેમનું કોઈ કશું જ બગાડી શકતું નથી.


ચિંતાનાશક ગણપતિ :
         જે ઘરોમાં તણાવ અને ચિંતા રહે છે એવા ઘરોમાં ચિંતાનાશક ગણપતિની પ્રતિમાને ‘ચિંતામણી ચર્વણલાલ સાથ નમ:’ જેવા મંત્રનું ઉચ્ચારણ કરાવીને સ્થાપિત કરવી જોઈએ.


સિદ્ધિદાયક ગણપતિ : 
         કાર્યમાં સફળતા તેમજ સુખ સાધનોની પૂર્તિ માટે ‘સિદ્ધવેદાય નમ:,સિદ્ધિવિનાયકાય નમ:, સિદ્ધિપ્રદાયકાય નમ:’ જેવા મંત્રોયુક્ત સિદ્ધિદાયક ગણપતિને ઘરમાં લાવવા જોઈએ.


વિવાહ વિનાયક : 

       જે પરિવારોમાં સંતાનોના વિવાહને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેવા પરિવારોમાં વિવાહ વિનાયકની મંત્રયુકત પ્રતિમાની સ્થાપના કરવાથી ધાર્યું ફળ મેળવી શકાય છે. આ પ્રતિમા પર ‘કામની કાન્તકાંશ્રયે નમ:, સકલ કામપ્રદાયકાય નમ:, કામદાય નમ:’ જેવા મંત્રોનો સંપૂટ લાગેલો છે.


ધનદાયક ગણપતિ :
        જે વ્યક્તિ ધનાઢય થવા માગતી હોય તેમણે ગણપતિજીના આ સ્વરૂપની મૂર્તિની વિધિપૂર્વક સ્થાપના કરવી જોઈએ, જેથી કરીને તેમના ઘરોમાંથી દરિદ્રતાનો નાશ થાય છે અનેસુખ-સમૃદ્ધિ તેમજ શાંતિનું વાતાવરણ કાયમ થાય છે. ધનદાયક ગણપતિની પ્રતિમાની સાથે ‘શ્રીપતયે નમ:, રત્નસિંહાસનાય નમ:, લક્ષાધીશ પ્રિયાય નમ:, કોટિધિશ્વરાય નમ:’ જેવા મંત્રોનું ઉચ્ચારણ થાય છે.

ઘરમાં ગણપતિની મૂર્તિ મૂકવી ખૂબ જ શુભ છે

ગણેશજીને દુનિયાના બાર અલગ-અલગ દેશોમાં અલગ-અલગ સ્વરૂપમાં પૂજવામાં આવે છે પરંતુ દરેકમાં એક જ અનુભવ છે. સામાન્ય વાસ્તુ પ્રમાણે ગણપતિની મૂર્તિનો આગળનો ભાગ ખૂબ જ લાભદાયી છે તેમજ તેની પીઠનો ભાગ તેટલો જ દરિદ્ર છે.


ઘરમાં ગણપતિની એક મૂર્તિ ખૂબ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે, પરંતુ એક કરતા વધારે મૂર્તિ અપશુકનિયાળ ગણાય છે, જેમાં અષ્ટમંગલ એક અપવાદ છે. સવા સાત ઇંચથી નવ ઇંચ સુધીના ગણપતિ શુભ ગણાય છે. ઉપરાંત પોણા બે ઈચના ગણપતિ અતિ ઉત્તમ છે. ગણપતિ નત્ય મુદ્રા કરતા સામાન્ય મુદ્રામાં શુભ ગણવામાં આવે છે. સુનીલ ઢબુવાલા, વાસ્તુ એકસપર્ટ

વિઘ્નહર્તા ગણેશની ઉપાસના અને મંત્ર યંત્ર

ભારતીય સંસ્કૃતિમાં ગણેશ (ગણપતિ) આદ્યદેવ તરીકે પૂજાય છે. ભગવાન શંકર તેમના પિતા અને પાર્વતીજી તેમનાં માતા છે. દેવોના સ્કંદ કાર્તિકેય તેમના ભાઈ છે. તેઓ રિદ્ધિ-સિદ્ધિના સ્વામી અને લક્ષ-લાભના પિતા છે. આ અનંત મહિમાશાળી દેવની પૂજા પ્રત્યેક કાર્યારંભે થાય છે. તે વિઘ્નહર વિનાયક સર્વ વિઘ્નો હરી આરાધક અને મનોકામના પરિપૂર્ણ કરે છે.

ચાર વેદોમાં અને અઢારો પુરાણોમાં, સ્મૃતિઓમાં, ધર્મસૂત્રમાં અને ધાર્મિક ગ્રંથોમાં સર્વત્ર ગણપતિ પૂજનનો મહિમા ગાવામાં આવ્યો છે. ભારતીય સંસ્કૃતિની સાથે સાથે જ ગણપતિ પૂજાનો મહિમા સમગ્ર વિશ્વમાં વ્યાપક બન્યો અને સાહિત્ય તથા ધર્મના ગ્રંથોમાં એનું પ્રતિબિંબ પડયું. ભિન્ન ભિન્ન સ્વરૂપની ગણેશની મૂર્તિઓ ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ સમસ્ત વિશ્વમાં અનોખું સ્થાન ધરાવે છે. ગામેગામ અને નગરે નગર, શહેરની ગલી, ગલી, સોસાયટી, અરણ્યો સરિતા અને સમુદ્ર તટો પર ગણપતિની મૂર્તિ પ્રસ્થાપિત અને પૂજિત થતી જોવા મળે છે.

ગણેશપૂજા પ્રત્યેક કાર્યના આરંભે થાય છે. ગણપતિ વ્રત કરવાવાળા સુદ અને વદ ચોથના દિવસે ગણપતિ પૂજા કરે છે જે ચોથ ત્રીજથી યુક્ત હોય તેને વ્રતના આરંભે પહેલી લેવી. આ દિવસે વિધિવત્ ગણપતિનું પૂજન કરવું. તેમના નામનું સ્મરણ અને મંત્રોનો જાપ કરવો અને પુષ્પો તેમ જ દુર્વાથી ગણપતિનું પૂજન કરવું.

સિદ્ધિવિનાયક ગણપતિ સર્વત્ર વિજય અપાવે છે અને સર્વ મનોરથો પૂર્ણ કરે છે. ત્રિપુરાસુરના વધ પૂર્વે ભગવાન શંકરે, વૃત્રાસુરનો નાશ કરવા ઇન્દ્રે નળને શોધતાં, દમયંતીએ, સીતાની શોધ પૂર્વે રામચંદ્રજીએ, ગંગાવતરણ વખતે ભગીરથે, રુક્મિણી હરણ પૂર્વે ભગવાન કૃષ્ણને પોતાના કોઢ દૂર કરવા કૃષ્ણપુત્ર સામ્બે તેમ જ મહાભારત ગ્રંથ લેખન પૂર્વે ભગવાન વેદવ્યાસે ગણપતિનું પૂજન કર્યું હતું અને સૌએ પોતાની મનોકામના પરિપૂર્ણ કરી હતી.

ગણપતિની સુવર્ણની, ચાંદીની, તાંબાની, પંચધાતુ કે માટીની મૂર્તિ, આરસપહાણના પથ્થરની, સ્ફટિક, લાલ પથ્થર, વ્હાઈટ પથ્થરની મૂર્તિ વગેરે મૂર્તિની પૂજા થાય છે. ભાગ્યયોગે સફેદ આકડાના ગણપતિ મળી જાય તો તેનું પૂજન અતિ સિદ્ધપ્રદ મનાય છે.

ગણેશજીને નૈવેદ્યમાં ૮, ૧૮, ૨૮, ૧૦૦૮ કે ફક્ત ૫ (પાંચ) લાડુ તલમિશ્રિત, દક્ષિણા સહિત અર્પણ કરવા જોઈએ. સુખ-સમૃદ્ધિ માટે ગણપતિની પૂજા કરવી જોઈએ. ગણપતિ વિશે ઋષિમુનિઓએ અને ઉપાસકોએ અનેક સ્તોત્રની રચના કરી છે અને આરાધનાના વિવિધ વિધિઓ દર્શાવ્યા છે તેમાં મુખ્યત્વે શ્રી ગણેશ કવચ, ગણેશ મહિમા સ્તોત્ર, ગણેશાષ્ટોત્તરશત્ નામ, સંકટનાશનમ્ ગણેશ સ્તોત્ર,  ગણેશ  સહસ્ત્ર નામ વગેરે આદિ સ્તોત્ર છે.

ગણપતિ યંત્ર  વિધિ વિધાન:

કોઈ પણ માસની ચોથ અથવા ગણેશચોથના દિવસે યંત્ર સાધનાનો પ્રારંભ કરવો જોઈએ.

સર્વ પ્રથમ (એકાંત સ્થળ) પૂજા સ્થળને શુદ્ધ જળથી કે ગાયના છાણથી લીંપીને પવિત્ર કરવું. બાજઠ પર લાલ રેશમી કાપડ પાથરવું. તેના પર ગણપતિની મૂર્તિ અથવા ફોટો મૂકવો. પછી યંત્રની સ્થાપના કરવી. યંત્ર લાલ ચંદનથી અનારની કલમ બનાવીને ભોજપત્ર પર યંત્રલેખન કરવું. યંત્ર સ્થાપન કર્યા પછી તેની સામે પૂર્વ તરફ મુખ રહે તે પ્રમાણે બેસવું. સાધકે લાલ વસ્ત્ર પહેરવું. આસન પણ લાલ રેશમી કાપડનું બનાવવું. પછી નીચે જણાવેલ શ્લોક બોલવો. બંને હાથ જોડીને પ્રણામની મુદ્રામાં રહીને ધ્યાન ધરવું.

મંત્ર :

ચતુર્ભુજં રક્તતનું ત્રિનેત્રં
પાશાંકુશૌ મોદકપાત્રદંતૌ
કરૈર્દધાનં સરસીરુ હસ્થં
ગણાધિનાથં શશિચૂંડમીડે ।

હવે યંત્રને પંચામૃત અથવા ગંગાજળથી શુદ્ધ કરવા (છાંટા નાખવા). પછી દુર્વા, લાલ ચંદન, લાલ પુષ્પ, લાલ ચોખા ચડાવવા. દરેક વસ્તુ ચડાવતાં ‘શ્રી ગણેશાય નમ:’ બોલવું. ધૂપ-દીપ કરવા. ત્યાર બાદ મોદકનું નૈવેદ્ય મૂકવું (મોદક (લાડુ) સિવાય લાલ અથવા પીળા રંગની મીઠાઈને મૂકી શકાય). નૈવેદ્ય અર્પણ કર્યા બાદ એક ઘીનો દીવો પ્રગટાવવો અને તે કળશ પર મૂકવો. પછી પ્રણામ કરીને નીચે આપેલ કોઈ પણ એક મંત્રનો જાપ કરવો. જપ માટે લાલ ચંદનની માળા લેવી. ચંદનની માળા ન હોય તો રુદ્રાક્ષની માળાથી જાપ થઈ શકશે. કળશ પર રાખેલ ઘીનો દીવો મંત્રજાપ પૂરા થાય ત્યાં સુધી ચાલુ રહેવો જોઈએ. મંત્રજાપ વખતે સાધકે મનને શાંત રાખવું. આજુબાજુનું વાતાવરણ શાંતિમય હોવું જોઈએ. જપકાર્ય વખતે કોઈની સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવી નહીં (મંત્રજાપ મટે પાંચ માળા કરવી).

નીચે જણાવેલ મંત્રોમાંથી કોઈપણ એક મંત્રનો જાપ કરવો.

(૧) ગં ।

(૨) ગ્લં ।

(૩) ગ્લૌં ।

(૪) શ્રી ગણેશાય નમ: ।

(૫) ઓમ વરદાય નમ: ।

(૬) ઓમ સુમંગલાય નમ: ।

(૭) ઓમ ચિંતામણયે નમ: ।

(૮) ઓમ વક્રતુંડાય હુમ્ ।

(૯) ઓમ નમો ભગવતે ગજાનનાય ।

(૧૧) ઓમ ગં ગણપતયે નમ: ।

(૧૨) ઓમઓમ શ્રી ગણેશાય નમ: ।

દરરોજ એક માળાનો મંત્રજાપ અવશ્ય કરવો. આ સાધનામાં સાધકનું કોઈ પણ પ્રકારનું કષ્ટ રહેતું નથી. તેની આર્થિક સ્થિતિ સુધરતી જાય છે તેમ જ તમામ પ્રકારની રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થાય છે. સાધના પૂર્ણ થયા બાદ યંત્રને મકાન, દુકાન, વ્યાપાર વ્યવસાયના સ્થળે મૂકી શકાય (યંત્રને ચાંદીના તાવીજમાં મૂકી પોતાની પાસે રાખી શકાય). દરરોજ મંત્રજાપ અને પૂજા અવશ્ય કરવી જોઈએ.

ગણપતિ < ૫ > કાર્યસિદ્ધિ, વિઘ્નોના નિવારણ, સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે મંત્ર:

ભાદરવા સુદ-૪થી ૧૪ સુધી (ગણેશ ચતુર્થીથી અનંદ ચૌદશ સુધી) ભગવાન ગણપતિનું વિધિવત્ પૂજન કરી નીચેના બાર નામનો પાઠ કરવો.

ઓમ સુમુખાય નમ: । ઓમ એકદંતાય નમ: । ઓમ કપિલાય નમ: । ઓમ ગજકર્ણાય નમ: । ઓમ લમ્બોદરાય નમ: । ઓમ વિકટાય નમ: । ઓમ વિઘ્નનાશાય નમ: । ઓમ વિનાયકાય નમ: । ઓમ ગજાનનાયનમ: । ઓમ ગણાધ્યક્ષાય નમ: । ઓમ ભાલચંદ્રાય નમ: । ઓમ ધૂમ્રકેતવે નમ: ।

બાર નામનો ૧૧ વાર પાઠ કરવો. સાથે સાથે ગણપતિને દૂધનો અભિષેક અને દુર્વા ચઢાવવો. દુર્વા ચઢાવતા ‘ઓમ ગં ગણપતયે નમ: ।’ મંત્રનો જાપ કરવો. આ મંત્રની ૧૧, ૨૧ કે ૫૧ માળા ઉત્તમ ગણાય છે. જેનાથી વિદ્યાપ્રાપ્તિ, ધનપ્રાપ્તિ, સંતાનપ્રાપ્તિ, પુત્ર માટે પુત્રપ્રાપ્તિ, મનપસંદ વર માટે વરપ્રાપ્તિ, મોક્ષપ્રાપ્તિ માટે મોક્ષ મળે છે તેમ જ અન્ય સર્વ પ્રકારની કામનાઓ સિદ્ધ થાય છે.

તેમ જ સંકટોના નિવારણ માટે નારદપુરાણમાં ‘સંકટનાશન ગણેશ સ્તોત્રમ્’નો પાઠ કરવાથી કાર્યસિદ્ધિ થાય છે અને સંકટોનો નાશ થાય છે.

ગણપતિ < ૪ > હરિદ્રા ગણેશ મંત્ર:

ભૌતિક સુખોની પ્રાપ્તિ, પરિવારમાં સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યની પ્રાપ્તિ માટે અતિ ચમત્કારિક અને શક્તિશાળી મંત્ર છે. આ મંત્રજાપ માટે હળદરના ટુકડાનો ઉપયોગ કરવો (જાપ માટે ૧૦૮ ટુકડા લેવા).


વિનિયોગ:

ઓમ અસ્ય હરિદ્રા ગણનાયક મંત્રસ્ય,

મદન ઋષિ: અનુષ્ટુપ છંદ:

હરિદ્રા ગણનાય કો દેવતા ।

મમાભીષ્ટ સિદ્ધયર્થે જપે વિનિયોગ: ।।

ધ્યાન-સ્તુતિ:

પાશાં કુશૌ મોદકં એકદંતં, કરૈર્દધાનં કનકાસનસ્થમ્ ।

હારિદ્ર ખંડ પ્રતિમં ત્રિનેત્રં પીતાંશુકં રાત્રિ ગણેશમીડે ।।

મંત્ર:

ઓમ હું ગં ગ્લૌવર વરદે સર્વજન હૃદયં સ્તંભય સ્તંભય સ્વાહા

ગણપતિ < ૩ > સિદ્ધિવિનાયક મંત્ર

કોઈ પણ પ્રકારના કામે બહાર જતાં પહેલાં આ મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો જેથી જે તે પ્રકારના કાર્યમાં વિઘ્ન આવતું નથી અને કાર્ય જેમ કે વ્યાપાર-વ્યવસાય, લગ્નસંબંધી, ખેતીવાડી, નોકરી મેળવવા-ઇન્ટરવ્યૂમાં જતાં ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે (દરેક કાર્ય માટે અતિ ચમત્કારિક અને અદ્ભુત મંત્ર સાધના છે).

વિનિયોગ:

ઓમ હ્રીંમ્ ક્લીં વીરવર ગણપતય

વ: વ: ઇદં વિશ્વં મમ વશમાનય

ઓમ હ્રીં ફટ્ ।

ધ્યાન-સ્તુતિ:

ઓમ ગં ગણપતયે સર્વ વિઘ્ન હરાય સર્વાય ।

સર્વ ગુરુવે લંબોદરાય હ્રીં ગં નમ: ।।

મંત્ર:

ઓમ નમો સિદ્ધિ વિનાયકાય

સર્વકારકત્રે સર્વવિઘ્ન પ્રથમનાય

સર્વરાજ્ય વશ્યકરણાય સર્વજન

સર્વસ્ત્રી-પુરુષાકર્ષણાય શ્રીં ઓમ સ્વાહા ।

ગણપતિ < ૨ > ધન-ધાન્ય પ્રદાતા મંત્ર

ગણેશ મંત્ર

આ મંત્રનો ઘણો જ પ્રભાવ છે. અતિ ચમત્કારિક પણ છે. કોઈ પણ વ્યક્તિ (સાધક) દેવામાં દબાયેલ હોય તો ઘણા જ ટૂંકા સમયમાં દેવામાંથી મુક્તિ મેળવે છે અને તેને કોઈ પણ પ્રકારે (વ્યાપાર-વ્યવસાય) ધન લાભ મળે છે. (ધન પ્રાપ્ત કરવા માટેના સંજોગો ઊભા થાય છે).

વિનિયોગ:

ઓમ અસ્ય શ્રી ઋણહરણ કર્તૃં ગણપતિ સ્તોત્ર મંત્રસ્ય

સદાશિવ ઋષિ, અનુષ્ટુપ: છંદ: શ્રી ઋણહર્તુ

ગણપતિ: દેવતા, ગ્લૌં બીજમ્ ગ: શક્તિ: ગૌં

કીલકમ્ મમ સકલં ઋણ નાશને જપે વિનિયોગ: ।

ધ્યાન-સ્તુતિ:

ઓમ સિંદૂરવર્ણં દ્વિભુજં ગણેશં લંબોદરં પદ્મદલે નિવિષ્ટમ્

બ્રહ્માદિદૈવૈ: પરિસવ્યમાનં સિદ્ધધૈર્યુતં પ્રણમામિ દેવમ્

સૃષ્ટયાદૌ બ્રહ્મણા સમ્યક્ પૂજિત: ફલ સિદ્ધયે

સદૈવ પાર્વતી પુત્ર: ઋણનાશં કરોતુ મે

ત્રિપુરસ્ય વધાત્પૂર્વ શંભુના સમ્યગર્મિત:

સદૈવ પાર્વતી પુત્ર: ઋણનાશં કરોતુ મે

હિરણ્યકશ્યપ્વાદીનાં વધાથૈ વિષ્ણુનાર્ચિત:

સદૈવ પાર્વતી પુત્ર: ઋણનાશં કરોતુ મે

મહિષસ્ય વધે દેવ્યા ગણનાથ પ્રપુજિત:

સદૈવ પાર્વતી પુત્ર: ઋણનાશં કરોતુ મે ।।

મંત્ર:

ઓમ ગણેશ ઋણં છિંધિ વરેણ્યં હું નમ: ફટ્ ।

ગણપતિ < ૧ > શક્તિ વિનાયક મંત્ર

આ મંત્રથી તમામ પ્રકારની ભૌતિક સમૃદ્ધિ જેમ કે ધન-ધાન્ય, જમીન, મકાન, માન-સન્માનની પ્રાપ્તિ તેમ જ વાહન (ગાડી-મોટર વગેરે વ્હીકલ)ની પ્રાપ્તિ સાધકને પ્રાપ્ત થાય છે.

વિનિયોગ:

ઓમ અસ્ય શક્તિ ગણાધિષ મંત્રસ્ય

ભાર્ગવ ઋષિ: વિરાટ્ છંદ:

શક્તિ ગણાધિયો દેવતા હીં બીજમ્ ।

હીં શક્તિ: મમાભીષ્ટ સિદ્ધયે

જપે વિનિયોગ: ।।

ધ્યાન-સ્તુતિ:

વિષાણાં કુક્ષાવક્ષસુત્રં ચ પાશં,

પાનં કરૈમૌદકં પુષ્કરેણ ।

સ્વપત્ન્યા યુતં હેમભૂષામરાઢયં

ગણેશં સમુદ્યાદ્દિનેશાભમીડે ।।

મંત્ર:

ઓમ હ્રીં શ્રીં હ્રીં

Friday, February 5, 2010

સંકટનાશન ગણેશ સ્તોત્રમ્




॥ श्रीगणेशाय नमः


॥નારદ ઉવાચ ।




પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ |
ભક્તાવાસં સ્મરેન્નિત્યમાયુ: કામાર્થ સિદ્ધયે || 1 ||

પ્રથમ વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતિયકમ્ |
તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ || 2 ||

લંબોદર પંચમ ચ ષષ્ઠં વિકટમેવ ચ |
સપ્તમં વિધ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકમ્ || 3 ||

નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ |
એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ || 4 ||

દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં ય: પઠેન્નર: |
ન ચ વિધ્નભયં તસ્ય સર્વ સિદ્ધિકરં પરમ્ || 5 ||

વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ્ |
પુત્રાર્થી લભતે પુત્રાન્ મોક્ષાર્થી લભતે ગતિમ્ || 6 ||

જપેદ્ ગણપતિસ્તોત્રં ષડભિર્માસૈ: ફલમ્ લભેત |
સંવત્સરેણ સિદ્ધં ચ લભતે નાત્ર સંશય: || 7 ||

અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા ય: સમર્પયેત |
તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદત: || 8 ||

॥ ઇતિ શ્રીનારદપુરાણે સંકટનાશનં ગણેશસ્તોત્રં સંપૂર્ણમ્ ॥