Friday, June 25, 2010

રામાયણ ગુજરાતી કથા - રામાયણ ભાગ ૮





36. રામ રાવણનું યુદ્ધ

રાવણે વિરાટ રાક્ષસસેના સાથે યુદ્ધભૂમિ તરફ પ્રયાણ કર્યું. ચોતરફ એમના શંખ-મૃદંગનો ધ્વનિ અને રાક્ષસોનો કોલાહલ ગાજી રહ્યો. રાવણે યુદ્ધભૂમિમાં પગ મૂકતાં જ વાનરોનો સંહાર શરૂ કર્યો. તેથી વાનરો ડરના માર્યા નાસભાગ કરવા લાગ્યા.
રાક્ષસસેના અને વાનરસેના વચ્ચે સતત તેરતેર દિવસથી યુદ્ધ ચાલી રહ્યું હતું. એ યુદ્ધનો ચૌદમો દિવસ આવ્યો. રાવણની નજર સામે જ બલિષ્ઠ રાક્ષસવીરો હણાઈ ગયા. તેથી રાવણ મૂંઝાઈ ગયો.
હવે રામ-લક્ષ્મણનો વધ કરવો એ જ તેનું મુખ્ય લક્ષ્ય હતું. હજારો વાનરો ભેદી ન શકાય તેવી દિવાલની જેમ રામની આગળ ગોઠવાયેલા હતા. રાવણે 'તમસ' નામના અસ્ત્ર વ૵ડે એમને ભસ્મીભૂત કરવા માંડ્યા. તેથી વાનરો આઘાપાછા થઈ ગયા. લક્ષ્મણે રાવણને રોકવા અસંખ્ય બાણો વરસાવ્યાં. પણ રાવણ લક્ષ્મણનાં બાણોને અટકાવીને રામ સામે પહોંચી ગયો.
રામ અને રાવણ વચ્ચે ઘોર સંગ્રામ થયો. રામે રાવણ પર રૌદ્રાસ્ત્ર અને આગ્નેયાસ્ત્રનો પ્રયોગ કર્યો. રાવણે રામની ઉપર માયાસુરનું અસ્ત્ર ચલાવ્યું. રામે એને ગંધર્વ અસ્ત્ર વડે નિષ્ફળ બનાવી દીધું.

પછી રાવણે સૂર્યાસ્ત્રનો પ્રયોગ કર્યો. એમાંથી મોટાંમોટાં તેજવલયો નીકળતાં હતાં. રામે એના ટુકડેટુકડા કરી દીધા. રામ અને રાવણ બંને લડતાં લડતાં સારી પેઠે ઘાયલ થઈ ગયા હતા. એવામાં લક્ષ્મણે રાવણનું ધનુષ્ય તોડી નાખ્યું અને તેના સારથિનું મસ્તક ઉડાવી દીધું. વિભીષણે રાવણના રથના અશ્વોને ઢાળી દીધા.
રાવણને ભારે હાનિ થતાં એ છંછેડાઈ ગયો. તેણે વિભીષણની ઉપર બે વખત દિવ્ય શક્તિનો ઉપયોગ કર્યો. એને બચાવવા જતાં લક્ષ્મણ એ શક્તિનો ભોગ બન્યો અને મૂર્છિત થઈ ઢળી પડ્યો. રામે લક્ષ્મણની છાતીમાંથી એ શક્તિ બહાર ખેંચી કાઢી.
ત્યાર પછી રામે રાવણ પર ભારે બાણવર્ષા કરી. રાવણ એનો જીવ બચાવવા નાસી ગયો. પછી રામ લક્ષ્મણ પાસે આવ્યા. લક્ષ્મણને બેહોશ અને લોહીલુહાણ થઈ ગયેલો જોઈને એ વ્યથિત થઈ ગયા. સુષેણે એમને સાંત્વન આપીને સંજીવની ઔષધિ વડે લક્ષ્મણનો ઉપચાર કર્યો. લક્ષ્મણ પાછો ભાનમાં આવ્યો ત્યારે રામના જીવમાં જીવ આવ્યો.




37. રાવણનો વધ

રાવણ નવા રથ અને સારથિને લઈને રણભૂમિ પર આવી પહોંચ્યો. રામ જમીન પર ઊભા રહીને એની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેથી ઇન્દ્રે પોતાના સારથિ માતલિ સાથે એક દિવ્ય રથ રામની પાસે મોકલી આપ્યો.
રામ ઇન્દ્રના રથની પ્રદક્ષિણા કરીને તેમાં સવાર થયા. ત્યાર પછી રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું.
રાવણે રામની ઉપર શૂળનો પ્રહાર કર્યો. રામે ઇન્દ્રની શક્તિ વડે એને નિષ્ફળ બનાવ્યું. એમનાં શસ્ત્રો એકબીજા સાથે અથડાતાં હતાં ત્યારે પ્રચંડ અવાજો થતા હતા. એમણે વરસાવેલાં બાણો વડે આકાશ ઢંકાઈ ગયું. રાક્ષસો અને વાનરો યુદ્ધ કરવાનું છોડીને આ બે મહારથીઓનું યુદ્ધકૌશલ જોવા લાગ્યા. રાવણ એનાં ધારદાર બાણો વડે રામને ઘાયલ કરવામાં સફળ થયો.
રામે એક બાણ વડે રાવણનું એક મસ્તક છેદી નાખ્યું. રાવણ દશાનન હતો. એને દસ માથાં હતાં. તેણે એવી માયાજાળ બિછાવી હતી કે તેનું એક મસ્તક કપાઈ જાય તો તેને સ્થાને તરત જ બીજું મસ્તક આવી જતું. રામે એની છાતીમાં અનેક બાણો માર્યાં. તે છતાં રાવણ ઉપર તેની કશી અસર ન થઈ. આથી રામે વિભીષણ સામે જોયું.
વિભીષણને રાવણના મૃત્યુનું રહસ્ય યાદ આવ્યું. તેણે રામને જણાવ્યું, "રાવણની નાભિમાં સંજીવની દ્રવ્ય છુપાયેલું છે. આપ તેની નાભિમાં બાણ મારશો તો જ એ મરશે."
આ સાંભળી રામે નિશાન તાકી બાણ છોડ્યું - બાણે રાવણની નાભિ વીંધી કાઢી. એમાં રહેલું સંજીવની દ્રવ્ય બહાર નીકળી ગયું ને રાવણ મરણને શરણ થઈ ઢળી પડ્યો. રાવણનો વધ થઈ જવાથી રાક્ષસો રણભૂમિ પરથી નાસી છૂટ્યા.

લંકામાં રાવણવધના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. એથી આખા નગરમાં હાહાકાર મચી ગયો. રાવણની પટરાણી મંદોદરી અને અંતઃપુરની સમસ્ત રાણીઓ હ્રદયસ્પર્શી રુદન કરતી કરતી રાવણના મૃતદેહની પાસે દોડી આવી. તેમણે રાવણના સદ્દગુણો અને તેના બાહુબળની પ્રશંસા કરતાં કરતાં ભારે રોકકળ કરી મૂકી. મંદોદરી રાવણને ઉદ્દેશીને બોલી, "હે નાથ ! મેં સીતાજીને શ્રીરામ પાસે પાછાં મોકલી આપવા અનેક વાર આપને સમજાવ્યા હતાં. પણ આપે મારી વાત માની નહીં. આપ જે માર્ગે ગયા છો ત્યાં મને પણ આપની સાથે લઈ જાઓ."
વિભીષણ પણ તેના ભાઈના પ્રેમને યાદ કરીને વિલાપ કરવા લાગ્યો. રામે તેને સમજાવીને શાંત કર્યો અને તેને રાવણની અંતિમક્રિયા કરવાનું સૂચન કર્યું.
વિભીષણે રાવણની રાણીઓ આશ્વાસન આપ્યું. પછી વિભીષણે એક પવિત્ર સ્થાનમાં તેના ભાઈના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કર્યો. રામે પોતાના વચન મુજબ વિભીષણનો રાજ્યાભિષેક કર્યો.
લાંબા સમયના વિયોગ બાદ રામ અને સીતાનું સુખદ મિલન થયું. પછી રામ, લક્ષ્મણ અને સીતા વિભીષણ, સુગ્રીવ, હનુમાન વગેરે સાથે પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા જવા રવાના થયા. આ પુષ્પક વિમાન રાવણે કુબેર પાસેથી પડાવી લીધું હતું.





38. રામનો રાજ્યાભિષેક

રામે સીતાને લંકાથી પંચવટી સુધીનાં વિવિધ સ્થળો બતાવ્યાં જ્યાં એ લક્ષ્મણની સાથે સીતાને શોધવા માટે ફર્યા હતા. એમણે એ સ્થળોની સાથે જોડાયેલી યાદગાર ઘટનાઓ તેમજ પોતાના અનુભવોની વાતો કરી.
રામે વિમાનને ભરદ્વાજ મુનિના આશ્રમ પાસે ઉતાર્યું. એમણે નિષાદરાજ ગુહ તથા ભરતને પોતાના આગમનના સમાચાર આપવા માટે હનુમાનને આગળ મોકલી દેધા. હનુમાને પહેલાં ગુહને પછી ભરતને મળીને રામના આગમનના સમાચાર આપ્યાં.
રામના આગમનના સમાચાર સાંભળી ભરતની આંખો ખુશીથી છલકાઈ ગઈ. એણ હનુમાનનો સત્કાર કરી તેમને રામ, સીતા અને લક્ષ્મણના કુશળક્ષેમની પૂછપરછ કરી. હનુમાને ભરતને બધી ઘટનાઓ વિગતવાર કહી સંભળાવી.
ભરત અને શત્રુઘ્ને નંદિગ્રામમાં રામના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરી. નંદિગ્રામથી અયોધ્યા સુધીનો માર્ગ શણગારવામાં આવ્યો.
ધૃષ્ટ, જયંત, વિજય, સિદ્ધાર્થ, અર્થસાધક, અશોક, મંત્રપાલ અને સુમંત્ર - એ આઠ મંત્રીઓ, અનેક અશ્વારોહી મહારથીઓ, શસ્ત્રસજ્જ સૈનિકો, દશરથની ત્રણે રાણીઓ અને અયોધ્યાના નગરજનો રામને આવકારવા નંદિગ્રામ આવી પહોંચ્યાં. ભરતે રામને દંડવત પ્રણામ કર્યા. પછી ભરત અને શત્રુધ્ન લક્ષ્મણ, સીતા, સુગ્રીવ તથા વિભીષણને મળ્યા.

રામે ભરત-શત્રુધ્નને સુગ્રીવ, વિભીષણ, હનુમાન વગેરેનો પરિચય આપી એમણે લંકાના યુદ્ધમાં પોતાને કરેલી મદદનો વિગતવાર ખ્યાલ આપ્યો.
બીજે દિવસે અયોધ્યામાં એક ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો. એમાં રામનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો.
હનુમાન, જાંબવાન, સુગ્રીવ, વિભીષણ વગેરે થોડા દિવસ અયોધ્યામાં રોકાઈને પછી રામની વિદાય લઈ પોતપોતાના દેશમાં પાછા ફર્યા.
રામે વર્ષો સુધી અયોધ્યાના રાજ્યનો વહીવટ કર્યો. એમણે અનેક યજ્ઞો કર્યા અને રાજ્યની પ્રજાને ખૂબ સુખી તથા સમૃદ્ધ બનાવી. એમના શાસનમાં દુઃખ, દર્દ કે અભાવનું ક્યાંય નામોનિશાન નહોતું. રામનું રાજ્ય આદર્શ કલ્યાણરાજ્ય હતું. તેથી આજે પણ શ્રેષ્ઠ રાજ્ય-વ્યવસ્થા માટે રામરાજ્યનો આદર્શ રજૂ કરવામાં આવે છે.

બોલો શ્રી રામચંદ્ર કી જય


રામાયણ ગુજરાતી કથા - રામાયણ ભાગ ૮





36. રામ રાવણનું યુદ્ધ

રાવણે વિરાટ રાક્ષસસેના સાથે યુદ્ધભૂમિ તરફ પ્રયાણ કર્યું. ચોતરફ એમના શંખ-મૃદંગનો ધ્વનિ અને રાક્ષસોનો કોલાહલ ગાજી રહ્યો. રાવણે યુદ્ધભૂમિમાં પગ મૂકતાં જ વાનરોનો સંહાર શરૂ કર્યો. તેથી વાનરો ડરના માર્યા નાસભાગ કરવા લાગ્યા.
રાક્ષસસેના અને વાનરસેના વચ્ચે સતત તેરતેર દિવસથી યુદ્ધ ચાલી રહ્યું હતું. એ યુદ્ધનો ચૌદમો દિવસ આવ્યો. રાવણની નજર સામે જ બલિષ્ઠ રાક્ષસવીરો હણાઈ ગયા. તેથી રાવણ મૂંઝાઈ ગયો.
હવે રામ-લક્ષ્મણનો વધ કરવો એ જ તેનું મુખ્ય લક્ષ્ય હતું. હજારો વાનરો ભેદી ન શકાય તેવી દિવાલની જેમ રામની આગળ ગોઠવાયેલા હતા. રાવણે 'તમસ' નામના અસ્ત્ર વ૵ડે એમને ભસ્મીભૂત કરવા માંડ્યા. તેથી વાનરો આઘાપાછા થઈ ગયા. લક્ષ્મણે રાવણને રોકવા અસંખ્ય બાણો વરસાવ્યાં. પણ રાવણ લક્ષ્મણનાં બાણોને અટકાવીને રામ સામે પહોંચી ગયો.
રામ અને રાવણ વચ્ચે ઘોર સંગ્રામ થયો. રામે રાવણ પર રૌદ્રાસ્ત્ર અને આગ્નેયાસ્ત્રનો પ્રયોગ કર્યો. રાવણે રામની ઉપર માયાસુરનું અસ્ત્ર ચલાવ્યું. રામે એને ગંધર્વ અસ્ત્ર વડે નિષ્ફળ બનાવી દીધું.

પછી રાવણે સૂર્યાસ્ત્રનો પ્રયોગ કર્યો. એમાંથી મોટાંમોટાં તેજવલયો નીકળતાં હતાં. રામે એના ટુકડેટુકડા કરી દીધા. રામ અને રાવણ બંને લડતાં લડતાં સારી પેઠે ઘાયલ થઈ ગયા હતા. એવામાં લક્ષ્મણે રાવણનું ધનુષ્ય તોડી નાખ્યું અને તેના સારથિનું મસ્તક ઉડાવી દીધું. વિભીષણે રાવણના રથના અશ્વોને ઢાળી દીધા.
રાવણને ભારે હાનિ થતાં એ છંછેડાઈ ગયો. તેણે વિભીષણની ઉપર બે વખત દિવ્ય શક્તિનો ઉપયોગ કર્યો. એને બચાવવા જતાં લક્ષ્મણ એ શક્તિનો ભોગ બન્યો અને મૂર્છિત થઈ ઢળી પડ્યો. રામે લક્ષ્મણની છાતીમાંથી એ શક્તિ બહાર ખેંચી કાઢી.
ત્યાર પછી રામે રાવણ પર ભારે બાણવર્ષા કરી. રાવણ એનો જીવ બચાવવા નાસી ગયો. પછી રામ લક્ષ્મણ પાસે આવ્યા. લક્ષ્મણને બેહોશ અને લોહીલુહાણ થઈ ગયેલો જોઈને એ વ્યથિત થઈ ગયા. સુષેણે એમને સાંત્વન આપીને સંજીવની ઔષધિ વડે લક્ષ્મણનો ઉપચાર કર્યો. લક્ષ્મણ પાછો ભાનમાં આવ્યો ત્યારે રામના જીવમાં જીવ આવ્યો.




37. રાવણનો વધ

રાવણ નવા રથ અને સારથિને લઈને રણભૂમિ પર આવી પહોંચ્યો. રામ જમીન પર ઊભા રહીને એની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેથી ઇન્દ્રે પોતાના સારથિ માતલિ સાથે એક દિવ્ય રથ રામની પાસે મોકલી આપ્યો.
રામ ઇન્દ્રના રથની પ્રદક્ષિણા કરીને તેમાં સવાર થયા. ત્યાર પછી રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું.
રાવણે રામની ઉપર શૂળનો પ્રહાર કર્યો. રામે ઇન્દ્રની શક્તિ વડે એને નિષ્ફળ બનાવ્યું. એમનાં શસ્ત્રો એકબીજા સાથે અથડાતાં હતાં ત્યારે પ્રચંડ અવાજો થતા હતા. એમણે વરસાવેલાં બાણો વડે આકાશ ઢંકાઈ ગયું. રાક્ષસો અને વાનરો યુદ્ધ કરવાનું છોડીને આ બે મહારથીઓનું યુદ્ધકૌશલ જોવા લાગ્યા. રાવણ એનાં ધારદાર બાણો વડે રામને ઘાયલ કરવામાં સફળ થયો.
રામે એક બાણ વડે રાવણનું એક મસ્તક છેદી નાખ્યું. રાવણ દશાનન હતો. એને દસ માથાં હતાં. તેણે એવી માયાજાળ બિછાવી હતી કે તેનું એક મસ્તક કપાઈ જાય તો તેને સ્થાને તરત જ બીજું મસ્તક આવી જતું. રામે એની છાતીમાં અનેક બાણો માર્યાં. તે છતાં રાવણ ઉપર તેની કશી અસર ન થઈ. આથી રામે વિભીષણ સામે જોયું.
વિભીષણને રાવણના મૃત્યુનું રહસ્ય યાદ આવ્યું. તેણે રામને જણાવ્યું, "રાવણની નાભિમાં સંજીવની દ્રવ્ય છુપાયેલું છે. આપ તેની નાભિમાં બાણ મારશો તો જ એ મરશે."
આ સાંભળી રામે નિશાન તાકી બાણ છોડ્યું - બાણે રાવણની નાભિ વીંધી કાઢી. એમાં રહેલું સંજીવની દ્રવ્ય બહાર નીકળી ગયું ને રાવણ મરણને શરણ થઈ ઢળી પડ્યો. રાવણનો વધ થઈ જવાથી રાક્ષસો રણભૂમિ પરથી નાસી છૂટ્યા.

લંકામાં રાવણવધના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. એથી આખા નગરમાં હાહાકાર મચી ગયો. રાવણની પટરાણી મંદોદરી અને અંતઃપુરની સમસ્ત રાણીઓ હ્રદયસ્પર્શી રુદન કરતી કરતી રાવણના મૃતદેહની પાસે દોડી આવી. તેમણે રાવણના સદ્દગુણો અને તેના બાહુબળની પ્રશંસા કરતાં કરતાં ભારે રોકકળ કરી મૂકી. મંદોદરી રાવણને ઉદ્દેશીને બોલી, "હે નાથ ! મેં સીતાજીને શ્રીરામ પાસે પાછાં મોકલી આપવા અનેક વાર આપને સમજાવ્યા હતાં. પણ આપે મારી વાત માની નહીં. આપ જે માર્ગે ગયા છો ત્યાં મને પણ આપની સાથે લઈ જાઓ."
વિભીષણ પણ તેના ભાઈના પ્રેમને યાદ કરીને વિલાપ કરવા લાગ્યો. રામે તેને સમજાવીને શાંત કર્યો અને તેને રાવણની અંતિમક્રિયા કરવાનું સૂચન કર્યું.
વિભીષણે રાવણની રાણીઓ આશ્વાસન આપ્યું. પછી વિભીષણે એક પવિત્ર સ્થાનમાં તેના ભાઈના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કર્યો. રામે પોતાના વચન મુજબ વિભીષણનો રાજ્યાભિષેક કર્યો.
લાંબા સમયના વિયોગ બાદ રામ અને સીતાનું સુખદ મિલન થયું. પછી રામ, લક્ષ્મણ અને સીતા વિભીષણ, સુગ્રીવ, હનુમાન વગેરે સાથે પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા જવા રવાના થયા. આ પુષ્પક વિમાન રાવણે કુબેર પાસેથી પડાવી લીધું હતું.





38. રામનો રાજ્યાભિષેક

રામે સીતાને લંકાથી પંચવટી સુધીનાં વિવિધ સ્થળો બતાવ્યાં જ્યાં એ લક્ષ્મણની સાથે સીતાને શોધવા માટે ફર્યા હતા. એમણે એ સ્થળોની સાથે જોડાયેલી યાદગાર ઘટનાઓ તેમજ પોતાના અનુભવોની વાતો કરી.
રામે વિમાનને ભરદ્વાજ મુનિના આશ્રમ પાસે ઉતાર્યું. એમણે નિષાદરાજ ગુહ તથા ભરતને પોતાના આગમનના સમાચાર આપવા માટે હનુમાનને આગળ મોકલી દેધા. હનુમાને પહેલાં ગુહને પછી ભરતને મળીને રામના આગમનના સમાચાર આપ્યાં.
રામના આગમનના સમાચાર સાંભળી ભરતની આંખો ખુશીથી છલકાઈ ગઈ. એણ હનુમાનનો સત્કાર કરી તેમને રામ, સીતા અને લક્ષ્મણના કુશળક્ષેમની પૂછપરછ કરી. હનુમાને ભરતને બધી ઘટનાઓ વિગતવાર કહી સંભળાવી.
ભરત અને શત્રુઘ્ને નંદિગ્રામમાં રામના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરી. નંદિગ્રામથી અયોધ્યા સુધીનો માર્ગ શણગારવામાં આવ્યો.
ધૃષ્ટ, જયંત, વિજય, સિદ્ધાર્થ, અર્થસાધક, અશોક, મંત્રપાલ અને સુમંત્ર - એ આઠ મંત્રીઓ, અનેક અશ્વારોહી મહારથીઓ, શસ્ત્રસજ્જ સૈનિકો, દશરથની ત્રણે રાણીઓ અને અયોધ્યાના નગરજનો રામને આવકારવા નંદિગ્રામ આવી પહોંચ્યાં. ભરતે રામને દંડવત પ્રણામ કર્યા. પછી ભરત અને શત્રુધ્ન લક્ષ્મણ, સીતા, સુગ્રીવ તથા વિભીષણને મળ્યા.

રામે ભરત-શત્રુધ્નને સુગ્રીવ, વિભીષણ, હનુમાન વગેરેનો પરિચય આપી એમણે લંકાના યુદ્ધમાં પોતાને કરેલી મદદનો વિગતવાર ખ્યાલ આપ્યો.
બીજે દિવસે અયોધ્યામાં એક ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો. એમાં રામનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો.
હનુમાન, જાંબવાન, સુગ્રીવ, વિભીષણ વગેરે થોડા દિવસ અયોધ્યામાં રોકાઈને પછી રામની વિદાય લઈ પોતપોતાના દેશમાં પાછા ફર્યા.
રામે વર્ષો સુધી અયોધ્યાના રાજ્યનો વહીવટ કર્યો. એમણે અનેક યજ્ઞો કર્યા અને રાજ્યની પ્રજાને ખૂબ સુખી તથા સમૃદ્ધ બનાવી. એમના શાસનમાં દુઃખ, દર્દ કે અભાવનું ક્યાંય નામોનિશાન નહોતું. રામનું રાજ્ય આદર્શ કલ્યાણરાજ્ય હતું. તેથી આજે પણ શ્રેષ્ઠ રાજ્ય-વ્યવસ્થા માટે રામરાજ્યનો આદર્શ રજૂ કરવામાં આવે છે.

બોલો શ્રી રામચંદ્ર કી જય


રામાયણ ગુજરાતી કથા - રામાયણ ભાગ ૭





31. અંગદનું દૂતકાર્ય

સુગ્રીવ અને વિભીષણે એમના સૈન્યની વ્યુહરચના ગોઠવી દીધી. પછી રામે એમના તમામ સલાહકારોને એકઠા કરીને તેમની સાથે ચર્ચાવિચારણા કરી. ત્યારે જાંબવાને રામને કહ્યું, "મારી સૂઝ અનુસાર હું આપને એક નમ્ર સૂચન કરું છું કે જો બની શકે તો આપણે અંગદને દૂત તરીકે રાવણની પાસે મોકલીને સમાધાનનો એક છેલ્લો પ્રયત્ન કરી લેવો જોઈએ."
બધા તેની સાથે સંમત હતા. તેથી રામે અંગદને બોલાવીને કહ્યું, "વાલિપુત્ર અંગદ, તું બળ, બુદ્ધિ અને ગુણોનો ભંડાર છે. એટલે શત્રુ સાથે એવી રીતે વાતચીત કરજે જેનાથી આપણું કાર્ય સિદ્ધ થાય અને શત્રુનું પણ કંઈક કલ્યાણ થાય."
રામની આજ્ઞા માથે ચડાવીને અંગદ આનંદપૂર્વક લંકા તરફ ઊપડ્યો. લંકામાં પ્રવેશ કરી તે રાવણના દરબારમાં પ્રવેશ્યો. રાવણે તોછડાઈથી તેને પૂછ્યું, "અરે વાનર ! તું કોણ છે.?"
અંગદે કહ્યું, "હે દશાનન, હું શ્રીરામનો દૂત છું. મારા પિતા વાલિ તમારા મિત્ર હતા. એટલે હું તમારી ભલાઇને માટે અહીં આવ્યો છું. શ્રીરામના શરણે આવો. તેનાથી તમારા પર પ્રભુની કૃપા ઊતરશે અને ભગવાન શ્રીરામ તમને અભયવચન આપશે."
રાવણે તુચ્છકારપૂર્વક અંગદને કહ્યું, "અરે મૂર્ખ વાનર, જરા સંભાળીને બોલ. તને જ્ઞાન
નથી કે તું કોની સાથે વાત કરી રહ્યો છે. વાલિ મારો મિત્ર હતો તેથી મેં તારી વાતો સાંભળી લીધી છે, તું જેનાં ગુણગાન ગાઈ રહ્યો છે તેનામાં, બળ, બુદ્ધિ, પ્રતાપ કે તેજ કશું જ નથી. એને નગુણો સમજીને જ તેના પિતાએ તેને વનમાં મોકલી આપ્યો છે. વળી એ તો એની પત્નીના વિરહમાં નબળો પડી ગયેલો છે અને તેને રાતદિવસ મારો ભય સતાવ્યા કરે છે. અરે મૂર્ખ, તું તારી જીદ છોડ અને અહીંથી રવાના થા."
રાવણે રામની નિંદા કરી તેથી અંગદનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. એણે તેના બે હાથથી પૃથ્વી પર એવા મુક્કા લગાવ્યા કે આખી ધરતી ધુજી ઊઠી. રાવણ પણ જમીન પર ગબડી પડ્યો.
રાવણ અંગદની હરકતથી ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. એણે તેના સૈનિકોને આજ્ઞા કરી, "આ ઉદ્ધત વાનરને પકડીને મારી નાખો."
પાંચ-સાત સૈનિકો અંગદને પકડવા દોડ્યા. અંગદે એમને ધૂળચાટતા કરી દીધા. પછી તેણે રાવણના મહેલ પર ચઢીને તેના ઘુમ્મટ અને મિનારા તોડી નાખ્યા. ત્યાર બાદ તે એક છલાંગ લગાવીને રામની પાસે પાછો આવી પહોંચ્યો. અંગદની સાથે વાતચીત કરીને રામે તેમના સૈન્યને લંકા પર આક્રમણ કરવાની સૂચના આપી.
રાવણે સીતાને ભોળવવા માટે એક છેલ્લો પાસો અજમાવ્યો. તે મેલીવિદ્યાના સાધક વિદ્યુજ્જિહ્વને લઈને અશોકવનમાં ગયો. એણે સીતાને કહ્યું, "મારા સૈનિકોએ રામને હણી નાખ્યા છે. તેઓ રામનું મસ્તક એમની સાથે લઈ આવ્યા છે. હવે તારે કોઈ આધાર રહ્યો નથી. માટે તું મારી પટરાણી બની જા."
પછી વિદ્યુજ્જિહ્વે એની માયાથી રામનું કપાયેલું મસ્તક રચીને સીતા પાસે મૂક્યું. એ જોઈ સીતાનું હ્રદય કકળી ઊઠ્યુ અને એણે હ્રદયદ્રાવક વિલાપ કર્યો.
એટલામાં રામનું સૈન્ય લંકાના કિલ્લા પાસે આવી પહોંચ્યું. સેનાપતિ પ્રહસ્તનો સંદેશો મળતાં રાવણે તરત ત્યાંથી પાછા ફરવું પડ્યું. રાવણ ગયો એટલે રાક્ષસની માયાનો પણ લોપ થઈ ગયો. રામનું બનાવટી મુખ અર્દશ્ય થઈ ગયું.
સરમા નામની રાક્ષસીએ સીતાને રામના મુખ વિશે સાચી વાત જણાવી દીધી. એટલામાં વાનર સેન્યનાં અવાજો સંભળાવા લાગ્યા. તેથી સીતાને ખાતરી થઈ ગઈ કે હવે રાવણનો અંત અને રામનું મિલન હાથવેંતમાં છે.





32. સર્પબાણનો પ્રયોગ

સુગ્રીવનું સૈન્ય રામ, લક્ષ્મણ અને સુગ્રીવનો જયઘોષ કરતું લંકાના કિલ્લા તરફ ધસી ગયું. વાનરોએ વિશાળ વૃક્ષોના પ્રહારો વડે કિલ્લાના પ્રવેશદ્વારોને તોડી નાખ્યા.
વૃક્ષો, ખડકો, શિલાઓ, નખ અને મુક્કા-એ વાનરોનાં શસ્ત્રો હતાં. જ્યારે રાક્ષસો પાસે જાતજાતનાં આયુધો હતાં. જોતજોતામાં બંને પક્ષે હજારો સૈનિકોની ખુવારી થઈ ગઈ.
અંગદે ઇન્દ્રજિતની સાથે, વિભીષણના મંત્રી સંપાતિએ પ્રજંઘ સાથે, હનુમાને જાંબમાલિ સાથે, નીલે નિકુંભ સાથે અને લક્ષ્મણે વિરૂપાક્ષની સાથે યુદ્ધ કર્યું. રામે એમનાં બાણો વડે હજારો રાક્ષસોને વીંધી નાખ્યા. સુગ્રીવે પ્રઘસને અને લક્ષ્મણે વિરૂપાક્ષને હણી નાખ્યા.
અંગદે ઇન્દ્રજિતના રથને તોડી નાખી તેના અશ્વોને મારી નાખ્યા. તેથી ઇન્દ્રજિત ઉશ્કેરાઈને અર્દશ્ય થઈ ગયો. તેણે અર્દશ્ય રહીને રામ અને લક્ષ્મણની ઉપર અસંખ્ય તીરો વરસાવવા માંડ્યા. તેનાથી રામ અને લક્ષ્મણ ગૂંચવાઈ ગયા. ઇન્દ્રજિતે તેમની એ મૂંઝવણનો લાભ ઉઠાવી તેમની ઉપર સર્પબાણનો પ્રયોગ કર્યો. રામ અને લક્ષ્મણ સર્પોના બંધનમાં જકડાઈ ગયા અને તરત જ મૂર્છિત થઈ ગયા.
વિભીષણે હિંમત આપતાં કહ્યું, "હિંમત હારશો નહીં. રામ અને લક્ષ્મણ જીવિત છે. તેઓ થોડી વારમાં ભાનમાં આવી જશે અને પાછા યુદ્ધ કરવામાં જોડાઈ જશે."

રાવણે સીતાને રામ-લક્ષ્મણના મૃત્યુના સમાચાર કહેવડાવ્યા. સીતા દુઃખી થઈને વિલાપ કરવા માંડ્યાં. ત્યારે ત્રિજટા નામની એક રાક્ષસીએ એમને સાંત્વન આપતાં કહ્યું, "રામ અને લક્ષ્મણ ફક્ત મૂર્છિત થઈ ગયા છે."
થોડી વારમાં રામની મૂર્છા દૂર થઈ ગઈ. તે લક્ષ્મણને મૃત સમજીને વિલાપ કરવા લાગ્યા. એ જોઈને વિભીષણ પણ રડવા લાગ્યા. વાનર સરદાર સુષેણે હનુમાન પાસે હિમાલય પરથી સંજીવની ઔષધિ મંગાવવાની તજવીજ શરૂ કરી. એટલામાં પક્ષીરાજ ગરુડ ત્યાં આવી ચડ્યા.
ગરુડનું આગમન થતાં જ રામ-લક્ષ્મણને વીંટળાઈને રહેલા સર્પ નાસી ગયા. ગરુડે બંને ભાઈઓના દેહને પંપાળ્યા. એથી રામ અને લક્ષ્મણના બધા ઘા રુઝાઈ ગયા.
ત્યાર પછી ગરુડરાજ આકાશમાં ઊડી ગયા. રામ અને લક્ષ્મણ સ્વસ્થ થઈ જતાં વાનરો ઉત્સાહમાં આવી ગયા. એમણે લંકા પર બમણા વેગે આક્રમણ કર્યું.





33. યુદ્ધમાં રામનું પલ્લું નમી ગયું

રામ અમે લક્ષ્મણ મૃત્યું પામ્યા છે એવું સમજી હવે રાવણ નિશ્ચિંત થઈ ગયો હતો. એટલામાં સૈનિકોએ આવી રાવણને કહ્યું, "રામ અને લક્ષ્મણ સર્પબાણના બંધનમાંથી મુક્ત થઈ પાછા યુદ્ધ કરવા લાગ્યા છે."
આ સાંભળીને રાવણે વિચાર્યું, "સર્પબાણના બંધનમાંથી હજુ સુધી તો કોઈ મુક્ત થઈ શક્યું નથી. જ્યારે આ બે માનવો એના બંધનમાંથી મુક્ત થઈ શક્યા છે. એટલે તે મારા માટે ચોક્કસ ભયજનક પુરવાર થશે."
રાવણે ધૂમ્રાક્ષને રણભૂમિ પર મોકલ્યો. ધૂમ્રાક્ષ અને હનુમાન વચ્ચે જંગ ખેલાયો. એમાં હનુમાને ધૂમ્રાક્ષ અને તેની સાથેના તમામ રાક્ષસોને ભોંય ભેગા કરી દીધા.
પછી રાવણે વજ્રદંષ્ટને બળવાન રાક્ષસોની સેના સાથે રણભૂમિ પર મોકલ્યો. અંગદે તેનો વીરતાથી સામનો કર્યો, છતાં બંને પક્ષે સારી એવી ખુવારી થઈ ગઈ. વજ્રદંષ્ટે યુદ્ધમાં અપ્રતિમ શૌર્ય બતાવ્યું. આખરે અંગદે દ્વંદ્વયુદ્ધમાં તેને હણી નાખ્યો. એથી રાક્ષસોની સેનામાં ભંગાણ પડી ગયું.

એ પછી રાવણના પુત્ર અકંપને રણભૂમિ પર આવીને વાનરસેનામાં હાહાકાર વરતાવી દીધો. છેવટે હનુમાને અકંપનને મારી નાખ્યો ત્યારે રાવણની હિંમત તૂટી ગઈ. હવે એણે એનો વ્યુહ બદલીને મહાયુદ્ધનું આયોજન કર્યું.
રાવણનો સેનાપતિ પ્રહસ્ત યુદ્ધમાં દેવોને પણ ભારે પડે એવો યોદ્ધો હતો. તેના મૃત્યુથી રાવણને આઘાત અને આશ્ચર્ય થયાં. એ ગુસ્સે થઈને પોતાના પુત્ર ઇન્દ્રજિતને સાથે લઈને શત્રુઓ પર ત્રાટકવા નીકળી પડ્યો.
દૂરથી નવી રાક્ષસસેનાને આવતી જોઈ વાનરો લડવા માટે સજ્જ થઈ ગયા. વિભીષણે રામને રાવણ, ઇન્દ્રજિત અને અન્ય રાક્ષસયોદ્ધાઓનો પરિચય આપ્યો. રામ રાવણનું ભવ્ય અને તેજસ્વી વ્યક્તિત્વ જોઈ પ્રભાવિત થયા. રામને વિચાર આવ્યો, "રાવણ ખરેખર પ્રભાવશાળી અને પ્રતાપી રાજા છે. પણ એની દુષ્ટતાને લીધે મારે તેને હણવો પડશે."
રાવણે યુદ્ધભૂમિમાં આવતાંની સાથે અનેક વાનર વીરોને પરાસ્ત કર્યા. લક્ષ્મણ રાવણ સાથે લડતાં લડતાં ઘવાયો હતો. તેથી હનુમાન તેને ઊંચકીને રામની પાસે મૂકી આવ્યા. રામે હનુમાનના ખભે બેસીને રાવણ સાથે ભયાનક યુદ્ધ કર્યું. એમાં રામે રાવણનાં મુગટ, રથ અને શસ્ત્રોનો નાશ કરી નાખ્યો. રાવણ રણભૂમિ પર શસ્ત્રહીન, ઘાયલ અને અસહાય દશામાં મુકાઈ ગયો.




34. કુંભકર્ણનો વધ

રામને હાથે જીવતદાન પામીને રાવણ શરમનો માર્યો તેના મહેલમાં જતો રહ્યો.તે ઘણી વાર સુધી સૂનમૂન બેસી રહ્યો. એણે એના મંત્રીઓને બોલાવી કુંભકર્ણને જગાડી લાવવા કહ્યું.
કુંભકર્ણને એવો શાપ મળેલો હતો કે તે એક વાર ઊંઘી જાય તો છ મહિના સુધી જાગી ન શકે. રાવણના મંત્રીઓએ કુંભકર્ણના ભોજનનો પ્રબંધ કરીને તેને જગાડવા ભારે પુરુષાર્થ શરૂ કર્યો. પરંતુ કંભકર્ણ પર તેની કંઈ અસર થઈ નહીં. એના દેહ પરથી હાથી ચલાવવામાં આવ્યા, એને ડંડાના પ્રહારો કરવામાં આવ્યા. અંતે મહામુશ્કેલીએ કુંભકર્ણ જાગ્યો. એણે જાગીને તરત જ ઢગલાબંધ આહાર કર્યો.
કુંભકર્ણ રાવણના મહેલ તરફ ચાલ્યો. રાવણ દોડીને તેને ભેટી પડ્યો. એણે કુંભકર્ણને શરૂઆતથી અંત સુધીની ઘટના કહીને તેને કહ્યું, "રામ, લક્ષ્મણ તથા વાનરો મારે માટે ત્રાસરૂપ બની ગયા છે. તું એમને હણીને લંકાને તથા આપણી રાક્ષસ જાતિને વિનાશમાંથી ઉગારી લે."

કુંભકર્ણએ રાવણને કહ્યું, "લંકેશ ! તમે બધી ચિંતા છોડી દો. હું હમણાં જ યુદ્ધભૂમિ પર જઉં છું. હું રામ અને લક્ષ્મણનાં માથાં કાપી લાવીને તમારા ચરણોમાં મૂકીશ. હું જીવિત હોઈશ ત્યાં સુધી રામ તમારા સુધી પહોંચી શકશે નહીં તેની ખાતરી રાખજો."
આ સાંભળી રાવણના મનમાં નવી આશા જન્મી. એણે કુંભકર્ણને કિંમતી વસ્ત્રો અને અલંકારો પહેરાવ્યાં. જ્યારે કુંભકર્ણ એનો ભાલો ઉઠાવીને યુદ્ધભૂમિ તરફ જવા નીકળ્યો ત્યારે રાવણે એક બળવાન સૈન્યને પણ તેની સાથે રવાના કર્યું.
નગરજનોની શુભેચ્છાઓ અને પુષ્પવૃષ્ટિ ઝીલતો કુંભકર્ણ આંધીની જેમ વાનરસેના તરફ ધસી ગયો. એની તોફાની ગતિથી વાનરસૈન્ય ભયથી ખળભળી ઊઠ્યું. વાનરો ચારે બાજુ નાસભાગ કરવા લાગ્યા. અંગદે એમને મહામુશ્કેલીએ સંગઠિત કરી કુંભકર્ણનો વીરતાપૂર્વક સામનો કરવાનો આદેશ આપ્યો.
અંગદે કુંભકર્ણ પર ફેંકેલાં મોટાં વૃક્ષો અને શિલાઓની તેના પર કશી અસર થતી ન હતી. વાનરો રાક્ષસ સૈનિકો સાથે આસાનીથી લડતા હતા પણ તે કુંભકર્ણથી દૂર ભાગતા હતા. હનુમાને એને એક મોટી શિલા વડે થોડોક ઘાયલ કર્યો, તો કુંભકર્ણે હનુમાનની છાતીમાં ત્રિશૂળ મારી દીધું. એ પછી પણ એણે અનેક વાનર યોદ્ધાઓને શસ્ત્રાસ્ત્રના પ્રહારો વડે મૂર્છિત કરી દીધા. અંગદ અને સુગ્રીવ પણ મૂર્છિત થઈ ગયા. કુંભકર્ણ સુગ્રીવને ઉઠાવીને લંકા તરફ જવા લાગ્યો. રસ્તામાં સુગ્રીવને ભાન આવતાં એણે કુંભકર્ણના મોં પર પોતાના નખ વડે
હુમલો કર્યો. કુંભકર્ણે એ ત્રાસથી બચવા સુગ્રીવને છોડી મૂક્યો. સુગ્રીવ તરત જ પોતાના સૈન્યમાં પાછો ફર્યો.
કુંભકર્ણ ફરીથી વાનરસેના પર તૂટી પડ્યો ત્યારે લક્ષ્મણે એનો વીરતાપૂર્વક સામનો કર્યો અને તેને પીછેહઠ કરવાની ફરજ પાડી. કુંભકર્ણે લક્ષ્મણની પ્રશંસા કરતાં કહ્યું, "હે ધનુર્ધારી ! તું ખરેખરે યુદ્ધકલામાં પારંગત છે. હું તારા કૌશલથી ખુશ થઈ ગયો છું. મારું
મુખ્ય લક્ષ્ય રામ છે. તું મને એની પાસે જવા દે." ત્યાર બાદ કુંભકર્ણ અને રામ વચ્ચે ભારે જંગ ખેલાયો. રામે એક બાણ વડે કુંભકર્ણનો જમણો હાથ કાપી નાખ્યો. એ હાથ રણભૂમિમાં પડતાં તેની નીચે અનેક વાનરો ચગદાઈ ગયા. કુંભકર્ણ એના ડાબા હાથમાં એક વૃક્ષ લઈને રામ પર હુમલો કર્યો. રામે તેનો એ હાથ પણ કાપી નાખ્યો. કુંભકર્ણ રોષપૂર્વક પોતાનું મોં ફાડીને રામ તરફ દોડ્યો. ત્યારે રામે તેના બંને પગ પણ કાપી નાખ્યા. આમ છતાં તે હુમલો
કરવા થનગની રહ્યો હતો. તેથી રામે એક બાણ વડે તેનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. વાનરસેનાએ ખુશખુશાલ થઈ રામનો જયજયકાર કર્યો. બચી ગયેલા રાક્ષસો લંકા તરફ નાસી ગયા.







35. ઇન્દ્રજિત હણાયો

કુંભકર્ણના મૃત્યુના સમાચાર જાણીને રાવણને પ્રચંડ આઘાત લાગ્યો. એ પોતાના મૃત ભાઈને યાદ કરી વારંવાર વિલાપ કરવા લાગ્યો. એના પુત્રો દેવાંતક, નરાંતક, ત્રિશીર્ષ અને અતિકાય તેની પાસે આવ્યા. તેમણે રાવણને આશ્વાસન આપી યુદ્ધ કરવા જવાની ઇચ્છા પ્રગટ કરી. રાવણે તેના ભાઈઓ મહોદર અને મહાપાર્શ્વની સાથે તેમને યુદ્ધભૂમિ પર જવા સંમતિ આપી.
રાવણના ભાઇઓ અને પુત્રોએ રણભૂમિ પર જઈ વાનરસૈન્ય સામે અપૂર્વ શૌર્ય બતાવ્યું. નરાંતકે સુગ્રીવ પર હુમલો કર્યો ત્યારે અંગદે વચ્ચે આવી જઈને તેને હણી નાખ્યો. હનુમાને દેવાંતક અને ત્રિશીર્ષને હણી નાખ્યા. મહોદર નીલને હાથે વીરગતિ પામ્યો. ઋષભે મહાપાર્શ્વનો વધ કર્યો અને લક્ષ્મણનાં બાણોથી અતિકાયનો અંત આવી ગયો. આમ રાવણના આ અજેય યોદ્ધાઓ પણ યુદ્ધભૂમિ પર ચિર નિદ્રામાં પોઢી ગયા.
હવે રાવણ હિંમત હારી બેઠો હતો. એને મોડે મોડે પણ રામની દૈવી શક્તિનો અહેસાસ થયો. તેનો પુત્ર ઇન્દ્રજિત એને સાંત્વન આપી યુદ્ધભૂમિ પર ગયો.
ઇન્દ્રજિતે હજારો વાનરોને હણી નાખ્યા. એણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો જેથી લક્ષ્મણ મૂર્છિત થઈને ઢળી પડ્યા.
જાંબવાને હનુમાનને કહ્યું, "તું ઝડપથી હિમાલય પર જા, ત્યાં કૈલાસ અને ઋષભ પર્વત વચ્ચે દ્રોણાચલ નામે એક ટેકરી આવેલી છે. તેના પરથી મૃતસંજીવની, વિશલ્યકરણી, સાવર્ણકરણી અને સંધાનકરણી ઔષધિઓ લઈ આવ."
હનુમાન ઊડીને હિમાલય પર આવી પહોંચ્યા. એમણે દ્રોણાચલ ટેકરી શોધી કાઢી. પણ જાંબવાને સૂચવીલી વનસ્પતિને તે ઓળખી શક્યા નહીં એટલે તે આખી ઔષધટેકરીને ઊંચકીને જાંબવાનની પાસે લઈ આવ્યા.
સંજીવની ઔષધ વડે લક્ષ્મણની મૂર્છા દૂર થઈ ગઈ.. તેઓ નવી શક્તિ મેળવીને લડવા માટે પાછા સક્રિય થઈ ગયા.

રાવણે ઇન્દ્રજિતને ફરીથી યુદ્ધ કરવા મોકલ્યો. ઇન્દ્રજિતે નિકુંભલા દેવીના મંદિરમાં જઈને ત્યાં આસુરી યજ્ઞ શરૂ કર્યો. વિભીષણે લક્ષ્મણને ઇન્દ્રજિતનો યજ્ઞ ભંગ કરવા સૂચવ્યું.
ઇન્દ્રજિત યજ્ઞમાં બલિ આપી રહ્યો હતો એ જ સમયે લક્ષ્મણે એના યજ્ઞમાં ભંગાણ પાડ્યું. તેથી ઇન્દ્રજિતે લક્ષ્મણ સાથે ફરજિયાત યુદ્ધ કરવું પડ્યું. બંને વચ્ચે ભીષણ સંગ્રામ થયો. લક્ષ્મણે રામનું સ્મરણ કરીને ઇન્દ્રજિત પર ઇન્દ્રાસ્ત્ર છોડી દીધું. તેનાથી ઇન્દ્રજિતનું મસ્તક છેદાઈ ગયું અને તે ધરતી પર ઢળી પડ્યો..
કોઈ મનુષ્ય ઇન્દ્રજિતને હણી શકે એ વાત માનવા રાવણ તૈયાર જ ન હતો. એને થયું કે એના પરિવારના આ વિનાશના મૂળમાં સીતા રહેલી છે. તેથી તે તલવાર લઈને સીતાની હત્યા કરવા દોડ્યો. એના પ્રધાન સુપાર્શ્વે એને સમજાવીને રોકી લેતાં કહ્યું, "મહારજ, આપના જેવા ધર્માત્માને સ્ત્રીવધનું કુકર્મ કરવું શોભાસ્પદ નથી. આપનો ક્રોધ રામની ઉપર ઉતારો એ જ ઉચિત છે."
રાવણે સુપાર્શ્વની વાત સ્વીકારી લીધી. તેણે તેના સેનાનાયકોને કહ્યું, "હવે તમે યુદ્ધભૂમિમાં જઈને રામ અને લક્ષ્મણનો ગમે તે ભોગે વધ કરો. આ કાર્ય તમારાથી નહીં થઈ શકે તો કાલે સવારે હું પોતે તેમની સાથે યુદ્ધ કરીને તેમને હણી નાખીશ."

બોલો શ્રી રામચંદ્ર કી જય

રામાયણ ગુજરાતી કથા - રામાયણ ભાગ ૭





31. અંગદનું દૂતકાર્ય

સુગ્રીવ અને વિભીષણે એમના સૈન્યની વ્યુહરચના ગોઠવી દીધી. પછી રામે એમના તમામ સલાહકારોને એકઠા કરીને તેમની સાથે ચર્ચાવિચારણા કરી. ત્યારે જાંબવાને રામને કહ્યું, "મારી સૂઝ અનુસાર હું આપને એક નમ્ર સૂચન કરું છું કે જો બની શકે તો આપણે અંગદને દૂત તરીકે રાવણની પાસે મોકલીને સમાધાનનો એક છેલ્લો પ્રયત્ન કરી લેવો જોઈએ."
બધા તેની સાથે સંમત હતા. તેથી રામે અંગદને બોલાવીને કહ્યું, "વાલિપુત્ર અંગદ, તું બળ, બુદ્ધિ અને ગુણોનો ભંડાર છે. એટલે શત્રુ સાથે એવી રીતે વાતચીત કરજે જેનાથી આપણું કાર્ય સિદ્ધ થાય અને શત્રુનું પણ કંઈક કલ્યાણ થાય."
રામની આજ્ઞા માથે ચડાવીને અંગદ આનંદપૂર્વક લંકા તરફ ઊપડ્યો. લંકામાં પ્રવેશ કરી તે રાવણના દરબારમાં પ્રવેશ્યો. રાવણે તોછડાઈથી તેને પૂછ્યું, "અરે વાનર ! તું કોણ છે.?"
અંગદે કહ્યું, "હે દશાનન, હું શ્રીરામનો દૂત છું. મારા પિતા વાલિ તમારા મિત્ર હતા. એટલે હું તમારી ભલાઇને માટે અહીં આવ્યો છું. શ્રીરામના શરણે આવો. તેનાથી તમારા પર પ્રભુની કૃપા ઊતરશે અને ભગવાન શ્રીરામ તમને અભયવચન આપશે."
રાવણે તુચ્છકારપૂર્વક અંગદને કહ્યું, "અરે મૂર્ખ વાનર, જરા સંભાળીને બોલ. તને જ્ઞાન
નથી કે તું કોની સાથે વાત કરી રહ્યો છે. વાલિ મારો મિત્ર હતો તેથી મેં તારી વાતો સાંભળી લીધી છે, તું જેનાં ગુણગાન ગાઈ રહ્યો છે તેનામાં, બળ, બુદ્ધિ, પ્રતાપ કે તેજ કશું જ નથી. એને નગુણો સમજીને જ તેના પિતાએ તેને વનમાં મોકલી આપ્યો છે. વળી એ તો એની પત્નીના વિરહમાં નબળો પડી ગયેલો છે અને તેને રાતદિવસ મારો ભય સતાવ્યા કરે છે. અરે મૂર્ખ, તું તારી જીદ છોડ અને અહીંથી રવાના થા."
રાવણે રામની નિંદા કરી તેથી અંગદનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. એણે તેના બે હાથથી પૃથ્વી પર એવા મુક્કા લગાવ્યા કે આખી ધરતી ધુજી ઊઠી. રાવણ પણ જમીન પર ગબડી પડ્યો.
રાવણ અંગદની હરકતથી ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. એણે તેના સૈનિકોને આજ્ઞા કરી, "આ ઉદ્ધત વાનરને પકડીને મારી નાખો."
પાંચ-સાત સૈનિકો અંગદને પકડવા દોડ્યા. અંગદે એમને ધૂળચાટતા કરી દીધા. પછી તેણે રાવણના મહેલ પર ચઢીને તેના ઘુમ્મટ અને મિનારા તોડી નાખ્યા. ત્યાર બાદ તે એક છલાંગ લગાવીને રામની પાસે પાછો આવી પહોંચ્યો. અંગદની સાથે વાતચીત કરીને રામે તેમના સૈન્યને લંકા પર આક્રમણ કરવાની સૂચના આપી.
રાવણે સીતાને ભોળવવા માટે એક છેલ્લો પાસો અજમાવ્યો. તે મેલીવિદ્યાના સાધક વિદ્યુજ્જિહ્વને લઈને અશોકવનમાં ગયો. એણે સીતાને કહ્યું, "મારા સૈનિકોએ રામને હણી નાખ્યા છે. તેઓ રામનું મસ્તક એમની સાથે લઈ આવ્યા છે. હવે તારે કોઈ આધાર રહ્યો નથી. માટે તું મારી પટરાણી બની જા."
પછી વિદ્યુજ્જિહ્વે એની માયાથી રામનું કપાયેલું મસ્તક રચીને સીતા પાસે મૂક્યું. એ જોઈ સીતાનું હ્રદય કકળી ઊઠ્યુ અને એણે હ્રદયદ્રાવક વિલાપ કર્યો.
એટલામાં રામનું સૈન્ય લંકાના કિલ્લા પાસે આવી પહોંચ્યું. સેનાપતિ પ્રહસ્તનો સંદેશો મળતાં રાવણે તરત ત્યાંથી પાછા ફરવું પડ્યું. રાવણ ગયો એટલે રાક્ષસની માયાનો પણ લોપ થઈ ગયો. રામનું બનાવટી મુખ અર્દશ્ય થઈ ગયું.
સરમા નામની રાક્ષસીએ સીતાને રામના મુખ વિશે સાચી વાત જણાવી દીધી. એટલામાં વાનર સેન્યનાં અવાજો સંભળાવા લાગ્યા. તેથી સીતાને ખાતરી થઈ ગઈ કે હવે રાવણનો અંત અને રામનું મિલન હાથવેંતમાં છે.





32. સર્પબાણનો પ્રયોગ

સુગ્રીવનું સૈન્ય રામ, લક્ષ્મણ અને સુગ્રીવનો જયઘોષ કરતું લંકાના કિલ્લા તરફ ધસી ગયું. વાનરોએ વિશાળ વૃક્ષોના પ્રહારો વડે કિલ્લાના પ્રવેશદ્વારોને તોડી નાખ્યા.
વૃક્ષો, ખડકો, શિલાઓ, નખ અને મુક્કા-એ વાનરોનાં શસ્ત્રો હતાં. જ્યારે રાક્ષસો પાસે જાતજાતનાં આયુધો હતાં. જોતજોતામાં બંને પક્ષે હજારો સૈનિકોની ખુવારી થઈ ગઈ.
અંગદે ઇન્દ્રજિતની સાથે, વિભીષણના મંત્રી સંપાતિએ પ્રજંઘ સાથે, હનુમાને જાંબમાલિ સાથે, નીલે નિકુંભ સાથે અને લક્ષ્મણે વિરૂપાક્ષની સાથે યુદ્ધ કર્યું. રામે એમનાં બાણો વડે હજારો રાક્ષસોને વીંધી નાખ્યા. સુગ્રીવે પ્રઘસને અને લક્ષ્મણે વિરૂપાક્ષને હણી નાખ્યા.
અંગદે ઇન્દ્રજિતના રથને તોડી નાખી તેના અશ્વોને મારી નાખ્યા. તેથી ઇન્દ્રજિત ઉશ્કેરાઈને અર્દશ્ય થઈ ગયો. તેણે અર્દશ્ય રહીને રામ અને લક્ષ્મણની ઉપર અસંખ્ય તીરો વરસાવવા માંડ્યા. તેનાથી રામ અને લક્ષ્મણ ગૂંચવાઈ ગયા. ઇન્દ્રજિતે તેમની એ મૂંઝવણનો લાભ ઉઠાવી તેમની ઉપર સર્પબાણનો પ્રયોગ કર્યો. રામ અને લક્ષ્મણ સર્પોના બંધનમાં જકડાઈ ગયા અને તરત જ મૂર્છિત થઈ ગયા.
વિભીષણે હિંમત આપતાં કહ્યું, "હિંમત હારશો નહીં. રામ અને લક્ષ્મણ જીવિત છે. તેઓ થોડી વારમાં ભાનમાં આવી જશે અને પાછા યુદ્ધ કરવામાં જોડાઈ જશે."

રાવણે સીતાને રામ-લક્ષ્મણના મૃત્યુના સમાચાર કહેવડાવ્યા. સીતા દુઃખી થઈને વિલાપ કરવા માંડ્યાં. ત્યારે ત્રિજટા નામની એક રાક્ષસીએ એમને સાંત્વન આપતાં કહ્યું, "રામ અને લક્ષ્મણ ફક્ત મૂર્છિત થઈ ગયા છે."
થોડી વારમાં રામની મૂર્છા દૂર થઈ ગઈ. તે લક્ષ્મણને મૃત સમજીને વિલાપ કરવા લાગ્યા. એ જોઈને વિભીષણ પણ રડવા લાગ્યા. વાનર સરદાર સુષેણે હનુમાન પાસે હિમાલય પરથી સંજીવની ઔષધિ મંગાવવાની તજવીજ શરૂ કરી. એટલામાં પક્ષીરાજ ગરુડ ત્યાં આવી ચડ્યા.
ગરુડનું આગમન થતાં જ રામ-લક્ષ્મણને વીંટળાઈને રહેલા સર્પ નાસી ગયા. ગરુડે બંને ભાઈઓના દેહને પંપાળ્યા. એથી રામ અને લક્ષ્મણના બધા ઘા રુઝાઈ ગયા.
ત્યાર પછી ગરુડરાજ આકાશમાં ઊડી ગયા. રામ અને લક્ષ્મણ સ્વસ્થ થઈ જતાં વાનરો ઉત્સાહમાં આવી ગયા. એમણે લંકા પર બમણા વેગે આક્રમણ કર્યું.





33. યુદ્ધમાં રામનું પલ્લું નમી ગયું

રામ અમે લક્ષ્મણ મૃત્યું પામ્યા છે એવું સમજી હવે રાવણ નિશ્ચિંત થઈ ગયો હતો. એટલામાં સૈનિકોએ આવી રાવણને કહ્યું, "રામ અને લક્ષ્મણ સર્પબાણના બંધનમાંથી મુક્ત થઈ પાછા યુદ્ધ કરવા લાગ્યા છે."
આ સાંભળીને રાવણે વિચાર્યું, "સર્પબાણના બંધનમાંથી હજુ સુધી તો કોઈ મુક્ત થઈ શક્યું નથી. જ્યારે આ બે માનવો એના બંધનમાંથી મુક્ત થઈ શક્યા છે. એટલે તે મારા માટે ચોક્કસ ભયજનક પુરવાર થશે."
રાવણે ધૂમ્રાક્ષને રણભૂમિ પર મોકલ્યો. ધૂમ્રાક્ષ અને હનુમાન વચ્ચે જંગ ખેલાયો. એમાં હનુમાને ધૂમ્રાક્ષ અને તેની સાથેના તમામ રાક્ષસોને ભોંય ભેગા કરી દીધા.
પછી રાવણે વજ્રદંષ્ટને બળવાન રાક્ષસોની સેના સાથે રણભૂમિ પર મોકલ્યો. અંગદે તેનો વીરતાથી સામનો કર્યો, છતાં બંને પક્ષે સારી એવી ખુવારી થઈ ગઈ. વજ્રદંષ્ટે યુદ્ધમાં અપ્રતિમ શૌર્ય બતાવ્યું. આખરે અંગદે દ્વંદ્વયુદ્ધમાં તેને હણી નાખ્યો. એથી રાક્ષસોની સેનામાં ભંગાણ પડી ગયું.

એ પછી રાવણના પુત્ર અકંપને રણભૂમિ પર આવીને વાનરસેનામાં હાહાકાર વરતાવી દીધો. છેવટે હનુમાને અકંપનને મારી નાખ્યો ત્યારે રાવણની હિંમત તૂટી ગઈ. હવે એણે એનો વ્યુહ બદલીને મહાયુદ્ધનું આયોજન કર્યું.
રાવણનો સેનાપતિ પ્રહસ્ત યુદ્ધમાં દેવોને પણ ભારે પડે એવો યોદ્ધો હતો. તેના મૃત્યુથી રાવણને આઘાત અને આશ્ચર્ય થયાં. એ ગુસ્સે થઈને પોતાના પુત્ર ઇન્દ્રજિતને સાથે લઈને શત્રુઓ પર ત્રાટકવા નીકળી પડ્યો.
દૂરથી નવી રાક્ષસસેનાને આવતી જોઈ વાનરો લડવા માટે સજ્જ થઈ ગયા. વિભીષણે રામને રાવણ, ઇન્દ્રજિત અને અન્ય રાક્ષસયોદ્ધાઓનો પરિચય આપ્યો. રામ રાવણનું ભવ્ય અને તેજસ્વી વ્યક્તિત્વ જોઈ પ્રભાવિત થયા. રામને વિચાર આવ્યો, "રાવણ ખરેખર પ્રભાવશાળી અને પ્રતાપી રાજા છે. પણ એની દુષ્ટતાને લીધે મારે તેને હણવો પડશે."
રાવણે યુદ્ધભૂમિમાં આવતાંની સાથે અનેક વાનર વીરોને પરાસ્ત કર્યા. લક્ષ્મણ રાવણ સાથે લડતાં લડતાં ઘવાયો હતો. તેથી હનુમાન તેને ઊંચકીને રામની પાસે મૂકી આવ્યા. રામે હનુમાનના ખભે બેસીને રાવણ સાથે ભયાનક યુદ્ધ કર્યું. એમાં રામે રાવણનાં મુગટ, રથ અને શસ્ત્રોનો નાશ કરી નાખ્યો. રાવણ રણભૂમિ પર શસ્ત્રહીન, ઘાયલ અને અસહાય દશામાં મુકાઈ ગયો.




34. કુંભકર્ણનો વધ

રામને હાથે જીવતદાન પામીને રાવણ શરમનો માર્યો તેના મહેલમાં જતો રહ્યો.તે ઘણી વાર સુધી સૂનમૂન બેસી રહ્યો. એણે એના મંત્રીઓને બોલાવી કુંભકર્ણને જગાડી લાવવા કહ્યું.
કુંભકર્ણને એવો શાપ મળેલો હતો કે તે એક વાર ઊંઘી જાય તો છ મહિના સુધી જાગી ન શકે. રાવણના મંત્રીઓએ કુંભકર્ણના ભોજનનો પ્રબંધ કરીને તેને જગાડવા ભારે પુરુષાર્થ શરૂ કર્યો. પરંતુ કંભકર્ણ પર તેની કંઈ અસર થઈ નહીં. એના દેહ પરથી હાથી ચલાવવામાં આવ્યા, એને ડંડાના પ્રહારો કરવામાં આવ્યા. અંતે મહામુશ્કેલીએ કુંભકર્ણ જાગ્યો. એણે જાગીને તરત જ ઢગલાબંધ આહાર કર્યો.
કુંભકર્ણ રાવણના મહેલ તરફ ચાલ્યો. રાવણ દોડીને તેને ભેટી પડ્યો. એણે કુંભકર્ણને શરૂઆતથી અંત સુધીની ઘટના કહીને તેને કહ્યું, "રામ, લક્ષ્મણ તથા વાનરો મારે માટે ત્રાસરૂપ બની ગયા છે. તું એમને હણીને લંકાને તથા આપણી રાક્ષસ જાતિને વિનાશમાંથી ઉગારી લે."

કુંભકર્ણએ રાવણને કહ્યું, "લંકેશ ! તમે બધી ચિંતા છોડી દો. હું હમણાં જ યુદ્ધભૂમિ પર જઉં છું. હું રામ અને લક્ષ્મણનાં માથાં કાપી લાવીને તમારા ચરણોમાં મૂકીશ. હું જીવિત હોઈશ ત્યાં સુધી રામ તમારા સુધી પહોંચી શકશે નહીં તેની ખાતરી રાખજો."
આ સાંભળી રાવણના મનમાં નવી આશા જન્મી. એણે કુંભકર્ણને કિંમતી વસ્ત્રો અને અલંકારો પહેરાવ્યાં. જ્યારે કુંભકર્ણ એનો ભાલો ઉઠાવીને યુદ્ધભૂમિ તરફ જવા નીકળ્યો ત્યારે રાવણે એક બળવાન સૈન્યને પણ તેની સાથે રવાના કર્યું.
નગરજનોની શુભેચ્છાઓ અને પુષ્પવૃષ્ટિ ઝીલતો કુંભકર્ણ આંધીની જેમ વાનરસેના તરફ ધસી ગયો. એની તોફાની ગતિથી વાનરસૈન્ય ભયથી ખળભળી ઊઠ્યું. વાનરો ચારે બાજુ નાસભાગ કરવા લાગ્યા. અંગદે એમને મહામુશ્કેલીએ સંગઠિત કરી કુંભકર્ણનો વીરતાપૂર્વક સામનો કરવાનો આદેશ આપ્યો.
અંગદે કુંભકર્ણ પર ફેંકેલાં મોટાં વૃક્ષો અને શિલાઓની તેના પર કશી અસર થતી ન હતી. વાનરો રાક્ષસ સૈનિકો સાથે આસાનીથી લડતા હતા પણ તે કુંભકર્ણથી દૂર ભાગતા હતા. હનુમાને એને એક મોટી શિલા વડે થોડોક ઘાયલ કર્યો, તો કુંભકર્ણે હનુમાનની છાતીમાં ત્રિશૂળ મારી દીધું. એ પછી પણ એણે અનેક વાનર યોદ્ધાઓને શસ્ત્રાસ્ત્રના પ્રહારો વડે મૂર્છિત કરી દીધા. અંગદ અને સુગ્રીવ પણ મૂર્છિત થઈ ગયા. કુંભકર્ણ સુગ્રીવને ઉઠાવીને લંકા તરફ જવા લાગ્યો. રસ્તામાં સુગ્રીવને ભાન આવતાં એણે કુંભકર્ણના મોં પર પોતાના નખ વડે
હુમલો કર્યો. કુંભકર્ણે એ ત્રાસથી બચવા સુગ્રીવને છોડી મૂક્યો. સુગ્રીવ તરત જ પોતાના સૈન્યમાં પાછો ફર્યો.
કુંભકર્ણ ફરીથી વાનરસેના પર તૂટી પડ્યો ત્યારે લક્ષ્મણે એનો વીરતાપૂર્વક સામનો કર્યો અને તેને પીછેહઠ કરવાની ફરજ પાડી. કુંભકર્ણે લક્ષ્મણની પ્રશંસા કરતાં કહ્યું, "હે ધનુર્ધારી ! તું ખરેખરે યુદ્ધકલામાં પારંગત છે. હું તારા કૌશલથી ખુશ થઈ ગયો છું. મારું
મુખ્ય લક્ષ્ય રામ છે. તું મને એની પાસે જવા દે." ત્યાર બાદ કુંભકર્ણ અને રામ વચ્ચે ભારે જંગ ખેલાયો. રામે એક બાણ વડે કુંભકર્ણનો જમણો હાથ કાપી નાખ્યો. એ હાથ રણભૂમિમાં પડતાં તેની નીચે અનેક વાનરો ચગદાઈ ગયા. કુંભકર્ણ એના ડાબા હાથમાં એક વૃક્ષ લઈને રામ પર હુમલો કર્યો. રામે તેનો એ હાથ પણ કાપી નાખ્યો. કુંભકર્ણ રોષપૂર્વક પોતાનું મોં ફાડીને રામ તરફ દોડ્યો. ત્યારે રામે તેના બંને પગ પણ કાપી નાખ્યા. આમ છતાં તે હુમલો
કરવા થનગની રહ્યો હતો. તેથી રામે એક બાણ વડે તેનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. વાનરસેનાએ ખુશખુશાલ થઈ રામનો જયજયકાર કર્યો. બચી ગયેલા રાક્ષસો લંકા તરફ નાસી ગયા.







35. ઇન્દ્રજિત હણાયો

કુંભકર્ણના મૃત્યુના સમાચાર જાણીને રાવણને પ્રચંડ આઘાત લાગ્યો. એ પોતાના મૃત ભાઈને યાદ કરી વારંવાર વિલાપ કરવા લાગ્યો. એના પુત્રો દેવાંતક, નરાંતક, ત્રિશીર્ષ અને અતિકાય તેની પાસે આવ્યા. તેમણે રાવણને આશ્વાસન આપી યુદ્ધ કરવા જવાની ઇચ્છા પ્રગટ કરી. રાવણે તેના ભાઈઓ મહોદર અને મહાપાર્શ્વની સાથે તેમને યુદ્ધભૂમિ પર જવા સંમતિ આપી.
રાવણના ભાઇઓ અને પુત્રોએ રણભૂમિ પર જઈ વાનરસૈન્ય સામે અપૂર્વ શૌર્ય બતાવ્યું. નરાંતકે સુગ્રીવ પર હુમલો કર્યો ત્યારે અંગદે વચ્ચે આવી જઈને તેને હણી નાખ્યો. હનુમાને દેવાંતક અને ત્રિશીર્ષને હણી નાખ્યા. મહોદર નીલને હાથે વીરગતિ પામ્યો. ઋષભે મહાપાર્શ્વનો વધ કર્યો અને લક્ષ્મણનાં બાણોથી અતિકાયનો અંત આવી ગયો. આમ રાવણના આ અજેય યોદ્ધાઓ પણ યુદ્ધભૂમિ પર ચિર નિદ્રામાં પોઢી ગયા.
હવે રાવણ હિંમત હારી બેઠો હતો. એને મોડે મોડે પણ રામની દૈવી શક્તિનો અહેસાસ થયો. તેનો પુત્ર ઇન્દ્રજિત એને સાંત્વન આપી યુદ્ધભૂમિ પર ગયો.
ઇન્દ્રજિતે હજારો વાનરોને હણી નાખ્યા. એણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો જેથી લક્ષ્મણ મૂર્છિત થઈને ઢળી પડ્યા.
જાંબવાને હનુમાનને કહ્યું, "તું ઝડપથી હિમાલય પર જા, ત્યાં કૈલાસ અને ઋષભ પર્વત વચ્ચે દ્રોણાચલ નામે એક ટેકરી આવેલી છે. તેના પરથી મૃતસંજીવની, વિશલ્યકરણી, સાવર્ણકરણી અને સંધાનકરણી ઔષધિઓ લઈ આવ."
હનુમાન ઊડીને હિમાલય પર આવી પહોંચ્યા. એમણે દ્રોણાચલ ટેકરી શોધી કાઢી. પણ જાંબવાને સૂચવીલી વનસ્પતિને તે ઓળખી શક્યા નહીં એટલે તે આખી ઔષધટેકરીને ઊંચકીને જાંબવાનની પાસે લઈ આવ્યા.
સંજીવની ઔષધ વડે લક્ષ્મણની મૂર્છા દૂર થઈ ગઈ.. તેઓ નવી શક્તિ મેળવીને લડવા માટે પાછા સક્રિય થઈ ગયા.

રાવણે ઇન્દ્રજિતને ફરીથી યુદ્ધ કરવા મોકલ્યો. ઇન્દ્રજિતે નિકુંભલા દેવીના મંદિરમાં જઈને ત્યાં આસુરી યજ્ઞ શરૂ કર્યો. વિભીષણે લક્ષ્મણને ઇન્દ્રજિતનો યજ્ઞ ભંગ કરવા સૂચવ્યું.
ઇન્દ્રજિત યજ્ઞમાં બલિ આપી રહ્યો હતો એ જ સમયે લક્ષ્મણે એના યજ્ઞમાં ભંગાણ પાડ્યું. તેથી ઇન્દ્રજિતે લક્ષ્મણ સાથે ફરજિયાત યુદ્ધ કરવું પડ્યું. બંને વચ્ચે ભીષણ સંગ્રામ થયો. લક્ષ્મણે રામનું સ્મરણ કરીને ઇન્દ્રજિત પર ઇન્દ્રાસ્ત્ર છોડી દીધું. તેનાથી ઇન્દ્રજિતનું મસ્તક છેદાઈ ગયું અને તે ધરતી પર ઢળી પડ્યો..
કોઈ મનુષ્ય ઇન્દ્રજિતને હણી શકે એ વાત માનવા રાવણ તૈયાર જ ન હતો. એને થયું કે એના પરિવારના આ વિનાશના મૂળમાં સીતા રહેલી છે. તેથી તે તલવાર લઈને સીતાની હત્યા કરવા દોડ્યો. એના પ્રધાન સુપાર્શ્વે એને સમજાવીને રોકી લેતાં કહ્યું, "મહારજ, આપના જેવા ધર્માત્માને સ્ત્રીવધનું કુકર્મ કરવું શોભાસ્પદ નથી. આપનો ક્રોધ રામની ઉપર ઉતારો એ જ ઉચિત છે."
રાવણે સુપાર્શ્વની વાત સ્વીકારી લીધી. તેણે તેના સેનાનાયકોને કહ્યું, "હવે તમે યુદ્ધભૂમિમાં જઈને રામ અને લક્ષ્મણનો ગમે તે ભોગે વધ કરો. આ કાર્ય તમારાથી નહીં થઈ શકે તો કાલે સવારે હું પોતે તેમની સાથે યુદ્ધ કરીને તેમને હણી નાખીશ."

બોલો શ્રી રામચંદ્ર કી જય

રામાયણ ગુજરાતી કથા - રામાયણ ભાગ ૬





૨૬. હનુમાન અને સીતાની મુલાકાત


અશોકવનમાં એક અશોકવૃક્ષની ટોચે બેઠેલા હનુમાન સીતાજીની સાથે વાત કરવાની કોઈ તક શોધી રહ્યા હતા. એવામાં રાવણ અશોકવનમાં આવતો દેખાયો. એટલે હનુમાન પાંદડાંની વચ્ચે છુપાઈ ગયા.
રાવણ સીતાની સામે જઈને ઊભો રહ્યો. એને જોઈને સીતાજી ધ્રુજવા લાગ્યાં. રાવણે સીતાને જાતજાતના લોભ-લાલચ અને ભય બતાવી પોતાને તાબે થઈ જવા જણાવ્યું. સીતાએ એનો ર્દઢતાથી ઇન્કાર કર્યો.
સીતાઆવા વર્તનથી રાવણ ઉશ્કેરાઈ ગયો. એણે સીતાને કહ્યું, "હે સુંદરી ! જો તું મારે તાબે નહીં થાય તો હું મારી તલવાર વડે તારા શરીરના ટુકડેટુકડા કરી નાખીશ."
રાવણની એક રાણીએ એને શાંત પાડ્યો. પછી રાવણ એના મહેલ તરફ પાછો ફર્યો. રાક્ષસીઓ સીતાની પાસે આવીને તેને વીંટળાઈ વળી તેમણે સીતાને રાવણની વાત માની લેવા ખૂબ દબાણ કર્યું. સીતાએ એમની વાતો પર બિલકુલ ધ્યાન ન આપ્‍યું.
રાક્ષસીઓ સીતાથી થોડે દૂર બેસીને અંદરોઅંદર વાતચીત કરવા લાગી. એ વખતે સીતા ભયથી ધ્રુજી રહ્યાં હતાં અને મોટે અવાજે રામનું નામ લઈ રહ્યાં હતાં. એમના મુખેથી રામનું નામ સાંભળી હનુમાનને ખાતરી થઈ ગઈ કે એ જ સીતાજી છે.
ત્રિજટા નામની એક રાક્ષસીને સીતા તરફ પ્રેમભાવ હતો. એણે બધી રાક્ષસીઓને ધમકાવીને ચૂપ કરી.
અશોકવૃક્ષ પર પાંદડાંના ઝુંડમાં છુપાઈને બેઠેલા હનુમાને વિચાર્યું કે? ‘જો પોતે એકદમ સીતાની સામે જઈને ઊભા રહેશે તો સીતા તેમને કોઈ માયાવી રાક્ષસ સમજી બેસશે,‘ માટે હનુમાને ખૂબ ધીમા અવાજે રામનો વૃત્તાંત કહેવાનું શરૂ કર્યું.
હનુમાને માત્ર સીતા સાંભળી શકે એવી રીતે અયોધ્યાનો મહિમા, દશરથનો વૈભવ, રામનો જન્મ, રામવિવાહ, કૈકેયીનાં બે વરદાન, રામનો વનવાસ, સીતાહરણ, રામ અને સુગ્રીવની મૈત્રી, વાલિનો વધ અને પછી વાનરોએ આદરેલી સીતાની શોધનું સંક્ષિ‍પ્‍ત વર્ણન કર્યું.
સીતાને ખૂબ લાંબા સમય બાદ પોતીકાં સ્વજનો અને બનાવો વિશે સાંભળવા મળ્યું હતું. તેથી એમના હૈયાને ટાઢક વળી.

હનુમાન અશોકવૃક્ષ પરથી નીચે ઊતર્યા. એમણે સીતાને રામની મુદ્રિકા (વીંટી) બતાવીને રામદૂત તરીકે પોતાનો પરિચય આપ્‍યો. સીતાને તેમની ઉપર બરાબર વિશ્વાસ બેઠો. પછી હનુમાને એમને રામની વ્યથા વિશે કહ્યું અને સીતાના ખબર-અંતર પૂછી લીધા. ત્યાર બાદ એમણે સીતાને ધીરજ આપતાં કહ્યું, "માતાજી ! હું અહીંથી પાછો રામની પાસે જઈ એમને આપના સમાચાર આપીશ. "
સીતાએ એમની સાડીના છેડે બાંધી રાખેલું રત્ન હનુમાનને આપીને કહ્યું : "તમે રામને મારી નિશાની તરીકે આ રત્ન આપજો અને લક્ષ્‍મણને મારાં આશિષ કહેજો. તેમને કહેજો કે હવે તે બંને વિના વિલંબે અહીં આવીને દુષ્‍ટ રાક્ષસના હાથમા;થી મને છોડાવે."
હનુમાને એમને દિલાસો આપ્‍યો અને પછી તેમની વિદાય લીધી.








૨૭. લંકાદહન


સીતાને મળી લીધા પછી હનુમાને દુશ્મનોને પોતાની શક્તિનો પરચો બતાવી એમની શક્તિનું પારખું કરવાનો નિર્ણય કર્યો. પ્રથમ તેમણે અશોકવનનાં કેટલાંય વૃક્ષો ઉખેડી નાખ્યાં. પછી એ વખતે ત્રિજટા વગેરે રાક્ષસીઓ થાકીને ઊંઘી ગઈ હતી. તોતિંગ વૃક્ષો તૂટી પડવાના અવાજો થતાં એ સફાળી જાગી ઊઠી. એ રાક્ષસીઓએ રાવણને અશોકવનની દુર્દશાના સમાચાર આપી હનુમાનની ફરિયાદ કરી.
એક વાનરે અશોકવનને ઉજ્જડ કરી નાખ્યું છે, એ જાણીને રાવણ ક્રોધે ભરાયો. એણે સેવકોને બોલાવી એ તોફાની વાનરને પકડી લાવવાનો હુકમ કર્યો.
હનુમાને રામ, લક્ષ્‍મણ અને સુગ્રીવનો જયઘોષ કરતાં કરતાં રાવણના સેવકોને હણી નાખ્યા.
ત્યાર પછી રાવણે તેના મંત્રી પ્રહસ્તના પુત્ર જાંબુમાલિને અશોકવનમાં મોકલ્યો. હનુમાને જાંબુમાલિને પણ ઘાયલ કરી નાખ્યો. આ સમાચાર મળતાં રાવણ સમજી ગયો કે આ કોઈ મામૂલી વાનર નથી. એટલે તેણે આ વાનરને સજા કરવા માટે પોતાના પુત્ર અક્ષને વિશાળ સૈન્ય સાથે મોકલ્યો. અક્ષ એક ગદા લઈ હનુમાન સાથે દ્વંદ્વયુદ્ધ કરવા આવ્યો. હનુમાને અક્ષ ઉપર વૃક્ષનો પ્રહાર કરતાં અક્ષ મૃત્યુ પામ્યો.
અક્ષના મૃત્યુથી રાવણ આઘાત અને આશ્ચર્યથી દિડ્મૂઢ થઈ ગયો. હવે તેને આ વાનરનો ભય પણ લાગ્યો હતો.
રાવણનો પુત્ર મેઘનાદ મહાપરાક્રમી હતો. તેણે ઇન્દ્ર્ની સાથે યુદ્ધ કરીને તેની ઉપર વિજય મેળવ્યો હતો. એટલે તેનું નામ 'ઇન્દ્રજિત' પડ્યું હતું. રાવણે ઇન્દ્રજિતને બોલાવી તોફાની વાનરને પકડી લાવવાની સૂચના આપી.
બન્ને વચ્ચે યુદ્ધ થયું છેવટે ઇન્દ્રજિતે કંટાળીને હનુમાન પર બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. હનુમાને બ્રહ્માસ્ત્રનું માન રાખ્યું. તે બ્રહ્માસ્ત્ર વડે બંધાઈ ગયા.


ઇન્દ્રજિતના સૈનિકોએ હનુમાનને જાડાં દોરડાંઓ વડે બાંધીને રાવણના દરબારમાં રજૂ કર્યો. સુવર્ણના રત્નજડિત સિંહાસન પર સૂર્ય જેવો તેજસ્વી લંકાપતિ રાવણ બેઠેલો હતો. સેનાપતિ પ્રહસ્તે હનુમાનને પૂછ્યું, "તમે ક્યા દેવના દૂત છો ? તમે અહીં કેમ આવ્યા છો ? તમે શા માટે અશોકવનને નુકશાન પહોંચાડ્યું છે ? તમે અમારા માણસોને કેમ મારી નાખ્યા ? "
હનુમાને સેનાપતિ પ્રહસ્તને બદલે સીધો રાવણને જવાબ આપ્યો, "મારું નામ હનુમાન છે. હું કિષ્કિન્ધાના વાનરરાજ સુગ્રીવનો મંત્રી છું. સુગ્રીવ રામના મિત્ર હોવાથી એમણે મને સીતાજીની તપાસ કરવા માટે અહીં મોકલ્યો છે. મારે મહારાજ રાવણના દર્શન કરવાં હતાં. એટલે મેં અશોકવનમાં તોફાન કર્યું હતું. તમારા માણસોએ મારા પર હુમલો કર્યો તેથી મેં મારો બચાવ કરવા પ્રયત્ન કર્યો. એમાં તેઓ મારા હાથે હણાઈ ગયા. તેમાં મારો કશો જ વાંક નથી.
વાનરરાજ સુગ્રીવે કહેવડાવ્યું છે કે તમે સીતાજીને માનભેર રામની પાસે મોકલી આપશો તો શ્રીરામ તમને ક્ષમા આપશે. "
રાવણે ગુસ્સો પ્રગટ કરીને સેનાપતિ પ્રહસ્તને, હનુમાનનો વધ કરી દેવાની સૂચના આપી; પણ રાવણને તેના ભાઈ વિભીષણે દૂતનો વધ નહીં કરવા સમજાવ્યો. એટલે રાવણે પ્રહસ્ત્ને કહ્યું, "આ દુષ્ટ વાનરની પૂંછડીમાં આગ લગાડી અને આખા નગરમાં ફેરવો. આથી એની સાન ઠેકાણે આવશે."


રાવણના સૈનિકોએ હનુમાનની પૂંછડીના છેડે આગ ચાંપી દીધી. પછી તેઓ હનુમાનને બાંધીને નગરના રસ્તાઓ પર ફરવા લઈ ચાલ્યાં. હનુમાનને આ સજાને બહાને લંકાના રસ્તાઓને બરોબર જોઈ લેવાની તક મળી ગઈ. અશોકવનની રાક્ષસીઓએ સીતાને હનુમાનની આ દુર્ગતિના સમાચાર આપ્યા. સીતાને હનુમાનની ચિંતા થવા લાગી. તેથી એમણે અગ્નિદેવને પ્રાર્થના કરી, "હે અગ્નિદેવતા ! જો હું મન-વચન અને કર્મથી પવિત્ર હોઉં તો મારા સ્વામીના દૂત હનુમાનની તમે રક્ષા કરજો."
હનુમાનને લંકાના રસ્તાઓ ઉપર ફરતાં ફરતાં કંટાળો આવ્યો ત્યારે એમણે એમનું કદ સંકોચી લીધું. તેથી એ દોરડાના બંધનમાંથી છૂટી ગયા. ત્યાર પછી તે એક છલાંગ મારીને એક મોટી ઇમારત ઉપર ચઢી ગયા. એમના સળગતા પૂંછડાથી એ ઇમારતમાં આગ લાગી ગઈ. પછી તો હનુમાન લંકાની ઘણી ઇમારતો પર ફરી વળ્યા. એથી લંકામાં ચોતરફ આગ ફાટી નીકળી.


લંકાદહનનું કામ પૂરું કરીને હનુમાને સમુદ્રના પાણીમાં એક ડૂબકી લગાવીને તેમની પૂંછડીની આગ બુઝાવી દીધી. તેમની પૂંછડીને અગ્નિનો સ્પર્શ પણ થયો નહીં એ જોઈ તેમને ભારે આશ્ચર્ય થયું. પછી તેમને સીતાજીની ચિંતા થવા લાગી. હનુમાન સીતાજીને જોવા અશોકવનમાં દોડી આવ્યા. આખી લંકા સળગી રહી હતી પણ અશોકવનને આગનો સ્પર્શ પણ થયો નહોતો. એમણે સીતાને મળી તેમની રજા માંગી.
તેમણે હનુમાનને આશીર્વાદ આપ્યા. હનુમાને એમને ધીરજ રાખવાનું કહી ત્યાંથી વિદાય લીધી.






૨૮. વિજયકૂચનું પ્રથમ પગલું


સીતાની વિદાય લઈ હનુમાન અરિષ્ટ પર્વત પર આવ્યા. એમણે પ્રચંડ સિંહનાદ વડે એમનો આનંદ પ્રગટ કર્યો. એનો અવાજ દસેય દિશાઓમાં ફેલાય ગયો. હનુમાન એક છલાંગ મારીને આકાશમાર્ગે ઊડવા લાગ્યા. દૂરથી મહેન્દ્ર પર્વતનું શિખર નજરે પડતાં હનુમાને હર્ષનાદ કર્યો.
અંગદ, તાર, જાંબવાન, નલ,નીલ વગેરે આતુરતાથી હનુમાનની રાહ જોઈ રહ્યા હતા. એમણે હનુમાનના અવાજને ઓળખી લીધો. એ બધા પર્વતો અને વૃક્ષો પર ચઢીને અવાજની દિશામાં જોવા લાગ્યા.?
થોડી વારમા રામ-લક્ષ્મણ અને સુગ્રીવનો જયઘોષ પોકારીને હનુમાન મહેન્દ્ર પર્વત ઉપર ઉતર્યા. અંગદ અને જાંબવાન હનુમાનને ભેટી પડ્યા.
હનુમાને એક શિલા ઉપર બેસીને તેમના સાથીઓને પોતાની સમુદ્રયાત્રા અને લંકાની સઘળી વાતો કહી સંભળાવી. અંગદ ખુશીના આ સમાચાર રામ અને સુગ્રીવને પહોંચાડવા ખૂબ આતુર થઈ ગયો. એણે સૌને એકઠા કરીને કિષ્કિન્ધા તરફ કૂચ કરી. તાર અને અંગદે રસ્તામાં હનુમાનને પ્રશ્નો પૂછી પૂછીને એમની લંકાયાત્રાની રજેરજ વિગત મેળવી લીધી. હનુમાને તેમને જણાવ્યું, "રાવણ કોઈ સામાન્ય રાજા નથી. એની સુરક્ષાની વ્યવસ્થા અને વ્યુહરચના અજોડ છે. એના મંત્રીઓ પણ કાબેલ અને પોતાના રાજાને વફાદાર છે. તેથી રાવણને હરાવવા માટે આપણે પુષ્કળ બળ અને બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે."
તાર અને અંગદના નેતૃત્વમાં વાનરસેના પ્રસ્રવણ પર્વત પર જઈ પહોંચ્યાં. એમણે સુગ્રીવ અને રામનો જયનાદ કર્યો. અંગદ અને જાંબવાને રામ અને સુગ્રીવને હનુમાનનાં પરાક્રમો અને સીતાજી વિષે વિગતવાર સમાચાર આપ્યા.
સીતાજીએ આપેલું રત્ન રામના હાથમાં મૂકીને હનુમાને રામને સીતાનો સંદેશો કહ્યો. હનુમાને રામને કહ્યું, "સીતામૈયાએ કહ્યું છે કે રાવણ તેમને ઉઠાવીને લઈ ગયો એ દિવસથી એ? આપની પ્રતીક્ષા કરી રહ્યાં છે. એમણે ભાઈ લક્ષ્મણને આશિષ કહ્યાં છે. વળી એમણે જેમ બને તેમ જલદી રાવણની કેદમાંથી પોતાને મુક્તિ અપાવવા આપને વિનંતી કરી છે."
અંગદ અને જાંબવાને લંકામાં હનુમાને કરેલાં પરાક્રમોની વિસ્તારપૂર્વક વાત કરી. તેથી રામ અને સુગ્રીવને હનુમાન પ્રત્યે ખૂબ માન ઊપજ્યું.
રામે સુગ્રીવને કહ્યું, "મિત્ર ! હું હવે ધીરજ રાખી શકીશ નહીં. તમે સૈન્યને લંકા તરફ કૂચ કરવાની આજ્ઞા આપો."




૨૯. સમુદ્ર પર સેતુની રચના


વાનરરાજ સુગ્રીવે તેના સૈન્યને કૂચ કરવા માટે સજ્જ થવાનો આદેશ આપ્યો. રામ અને સુગ્રીવનો જયનાદ કરી વાનર સેનાએ લંકા તરફ કૂચ કરી.
સૈનિકો દિવસ-રાત કૂચ કરીને મહેન્દ્ર પર્વત પર આવી પહોંચ્યા અને તેમણે ત્યાં પડાવ નાખ્યો.
લંકામાં રાવણે મંત્રીઓ અને સેનાપતિઓની સભા ભરીને તેમને કહ્યું, "થોડા વખતમાં રામ સુગ્રીવની સેના સાથે સમુદ્ર ઓળંગીને લંકામાં આવે એવો સંભવ છે. એમનો સામનો કરવા માટે તમારાં કોઈ સૂચનો હોય, તો તે મને જણાવો."
સભાજનોએ રાવણ અને ઇન્દ્રજિતનાં બળ તથા પરાક્રમની પ્રશંસા કરીને વિજય અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો.
રાવણના સૌથી નાના ભાઈ વિભીષણે કહ્યું, "વડીલ બંધુ ! રામની સાથે સમાધાન કરી લો. એથી આપણે મોટા વિનાશમાંથી ઊગરી જઈશું."
પણ રાવણ માન્યો નહીં. રાવણે વિભીષણનો તિરસ્કાર કરીને કહ્યું, "તારા જેવા રાજદ્રોહી માટે મારા રાજ્યમાં કોઈ સ્થાન નથી."
રાવણ દ્વારા અપમાનિત થયેલો વિભીષણ રામના પડાવ પાસે આવ્યો. સુગ્રીવે રામને રાવણના ભાઈ વિભીષણના આગમનના સમાચાર આપ્યા. રામે જણાવ્યું, "મારે શરણે આવેલાને નિરાશ ન કરવા , એવો મારો નિયમ છે. વિભીષણને માનપૂર્વક અહીં લઈ આવો."
હનુમાને વિભીષણને રામ સમક્ષ હાજર કર્યો. વિભીષણે રામના ચરણોમાં ભક્તિપૂર્વક વંદન કર્યાં. ત્યાર બાદ તેણે પોતાની સ્થિતિ વિશે સ્પષ્ટતા કરીને આશ્રયની માગણી કરી. રામે એનો સ્વીકાર કરી તેને લંકાના યોદ્ધાઓ વિશે પૂછપરછ કરી. વિભીષણે રામને રાવણ, કુંભકર્ણ, ઇન્દ્રજિત, વગેરે યોદ્ધાઓનાં બળ-બુદ્ધિ અને સામર્થ્યનો ખ્યાલ આપ્યો, તેમજ રાવણે બ્રહ્મા અને શંકર પાસેથી મેળવેલાં વરદાનોની પણ વાત કરી. પછી રામે કહ્યું, "હું લંકાનું રાજ્ય તમારા હાથમાં સોંપીશ. આ તમને રઘુવંશી રામનું વચન છે."
વિભીષણે પણ રામને વચન આપતાં કહ્યું, "મહારાજ ! હું આપને યુદ્ધમાં બધી રીતે મદદ કરીશ.."
હવે રામે સમુદ્રને પાર કરવાની સમસ્યા વિશે વિચાર કર્યો. તે સમુદ્રની બેસી ગયા. સમુદ્ર માર્ગ આપે એ માટે એમણે આ જ સ્થિતિમાં ત્રણ દિવસ સુધી પ્રતીક્ષા કરી. ચોથા દિવસે રામે રોષપૂર્વક એમના ધનુષ્ય પર બાણ ચડાવી સમુદ્ર તરફ લક્ષ્ય તાક્યું. સમુદ્રદેવ તરત જ રામની સામે પ્રગટ થયા. એમણે રામને પ્રણામ કરીને કહ્યું, "તમારા સૈન્યમાં નલ નામનો વાનર છે. તે તેના પિતા વિશ્વકર્મા પાસેથી સેતુ (પુલ) બનાવવાની વિદ્યા શીખ્યો છે. એ તમને મારી ઉપર સેતુ બનાવી આપશે. હવે તમે તમારું બાણ મારા ઉત્તર તટે વસેલા દુષ્ટો ઉપર ચલાવી તેમનો સંહાર કરો."
આમ કહી સમુદ્રદેવતા અર્દશ્ય થઈ ગયા. પછી રામે સમુદ્રના ઉત્તર કિનારા બાણ છોડી દુષ્ટોનો સંહાર કર્યો.
બીજા દિવસે સવારથી જ સમુદ્ર પર સેતુ બાંધવાનું કામ શરૂ થઈ ગયું વાનરો મોટી શીલાઓ અને વૃક્ષો ઊંચકી લાવીને નલને આપતા હતા. નલ એને સમુદ્રના પાણીમાં? ગોઠવીને સેતુનું બાંધકામ કરતો હતો. પ્રથમ દિવસે ચૌદ યોજન, બીજા દિવસે વીસ યોજન, ત્રીજા દિવસે? એકવીસ યોજન, ચોથા દિવસે બાવીસ યોજન અને પાંચમાં દિવસે ત્રેવીસ યોજન વિસ્તારમાં સેતુનું બાંધકામ કરવામાં આવ્યું. આમ સમુદ્રના આ તરફના છેડેથી સામા કિનારે આવેલા સુવેલ પર્વત સુધી સો યોજન લાંબા સેતુનું નિર્માણ કરવામાં આવ્યું.
સેતુ તૈયાર થઈ જતાં સુગ્રીવ થોડા સૈનિકો સાથે સુવેલ પર્વત પાસે ઊભા રહીને સેતુની રક્ષા કરવા લાગ્યો.
હનુમાને રામને અને અંગદે લક્ષ્મણને ઊંચકી લીધા. પછી રામ, લક્ષ્મણ અને વાનરસેનાએ સેતુ પર થઈ સમુદ્ર ઓળંગી સુવેલ પર્વત ઉપર પડાવ નાખી દીધો. ત્યાર બાદ રામે સુગ્રીવ, વિભીષણ, જાંબવાન, અંગદ, નલ, નીલ, તાર વગેરેની સાથે બેસીને યુદ્ધની વ્યુહરચના વિશે ચર્ચા શરૂ કરી.








30. યુદ્ધની વ્યુહરચના


રામની સેના એ સેતુ પર થઈને લંકાના કિનારે આવી પહોંચી. સો યોજન જેટલા લાંબા સમુદ્ર પર પુલ પણ બની શકે છે એવું રાવણે સપનામાં પણ વિચાર્યું ન હતું. એટલે રાવણ આશ્ચર્ય અને ભય પામ્યો. એણે શુક અને સારણ નામના તેના બે ચતુર મંત્રીઓને રામની સેનાનું સંખ્યાબળ અને એમની વ્યુહરચનાની તપાસ કરવા માટે મોકલ્યા.
શુક અને સારણ વાનરનું રૂપ લઈ વાનરસેનામાં ભળી ગયા અને સાવધાનીપૂર્વક ચોમેર નિરીક્ષણ કરવા લાગ્યા. વિભીષણે એમને જોતાંની સાથે જ ઓળખી લીધા. તેણે એમને પકડીને રામ સમક્ષ રજૂ કર્યા. રામે તેમને કહ્યું, " તમે રાવણ પાસે જઈને કહેજો કે કાલે સવારે જ રાવણ તેની લંકા અને એની સેનાને મારાં બાણો વડે ધ્વસ્ત થતી જોશે."
શુક અને સારણે લંકામાં જઈ રાવણને રામનો સંદેશો જણાવ્યો અને રાવણને કહ્યું કે, "વિભીષણ રામની સાથે મળી જતાં હવે તમારો કોઈ ભેદ રામથી છૂપો નથી રહ્યો. રામ અને એમની સેના અજેય છે."?
રાવણે શુક અને સારણને સાથે રાખીને કિલ્લાની અટારી પરથી રામની છાવણીનું નિરીક્ષણ કર્યું. શુકે રાવણને મુખ્ય વાનરવીરોનો પરિચય આપ્યો. તેથી રાવણ મનોમન બેચેન થઈ ગયો.
એટલામાં એના માતામહ (નાનાજી) માલ્યરાજ આવીને તેને મળ્યા. એમણે રાવણને સલાહ આપતાં કહ્યું, "ઓ? રાજા ! તમને બ્રહ્મા અને શંકર પાસેથી મળેલા વરદાનને ભરોસે ન રહેશો. મને તો રામ વિષ્ણુ ભગવાનનો અવતાર હોય એમ લાગે છે. એમના સૈનિકોએ કેટલી ઝડપથી સમુદ્ર પર સેતુ બનાવી લીધો ? આટલા વિરાટ અને સમર્થ સૈન્ય સામે લડવાનું તમારા સૈનિકોનું ગજું નથી. તમે રામની સાથે સમાધાન કરી લો."
રાવણને આવી સલાહ સાંભળવાની ટેવ નહોતી. એણે માતામહ માલ્યરાજને ઉદ્ધતાઈ-પૂર્વક ધમકાવતાં કહ્યું, " રામથી મારે શા માટે? બીવું જોઈએ ? એ વાંદરા અને રીંછ જેવાં તુચ્છ પ્રાણીઓની મદદ લઈ મારું શું બગાડી શકશે ? તમે એ યાદ રાખજો કે મારે મરવું પડશે તો હું મરવા તૈયાર થઈશ પણ રામની સાથે સમાધાન તો નહીં જ કરું."
રામ અને રાવણે યુદ્ધ માટે પોતપોતાની વ્યુહરચના ગોઠવી દીધી હતી.
રાવણે પૂર્વંના પ્રવેશદ્વાર પર પ્રહસ્તને, દક્ષિણ છેડે મહાપાર્શ્વ અને મહોદરને તથા પશ્ચિમના છેડે ઇન્દ્રજિતને ગોઠવી દીધા. પોતે ઉત્તર દિશાનો મોરચો સંભાળી લીધો અને વિરૂપાક્ષને નગરરક્ષક દળનું નેતૃત્વ સોંપ્યું.
વિભીષણે રામને જણાવ્યું, "કુબેર સામેના યુદ્ધમાં રાવણની પાસે જે સૈન્ય હતું તેના કરતાં અત્યારે તેનું સૈન્ય સૈનિકોની સંખ્યા, બળ અને પરાક્રમમાં ઘણું ચડિયાતું છે. તેમ છતાં વિજય તો આપણો જ થવાનો છે."
રામના સૈન્યની વ્યુહરચના આ પ્રમાણે ગોઠવવામાં આવી : દક્ષિણ છેડે અંગદે મહાપાર્શ્વ તથા મહોદરને અને પશ્ચિમ મોરચે હનુમાને ઇન્દ્રજિતનો સામનો કરવો. રામ અને લક્ષ્મણે રાવણનો સામનો કરવો અને સુગ્રીવ, જાંબવાન તથા વિભીષણે મુખ્ય સૈન્યની પાછળ રહીને યુદ્ધ કરવું. સુગ્રીવ અને એના ચાર સાથીદારોને ગમે તે રૂપ ધારણ કરવાની છૂટ હતી. જ્યારે અન્ય વાનર અને રીંછ યોદ્ધાઓને તેમના અસલ સ્વરૂપમાં રહેવાની કડક સૂચના આપવામાં આવી, જેથી યુદ્ધ દરમ્યાન દુશ્મનોને ઓળખવામાં સરળતા રહે.
બોલો શ્રી રામચંદ્ર કી જય







રામાયણ ગુજરાતી કથા - રામાયણ ભાગ ૫





૨૧. વાલિનો વધ

રામના પરાક્રમનાં પ્રત્યક્ષ ઉદાહરણો જોયા પછી સુગ્રીવના મનમાંથી વાલિનો ભય સંપૂર્ણપણે દૂર થઈ ગયો. ત્યાર બાદ રામ અને સુગ્રીવ કિષ્કિન્ધા નગરીમાં ગયા. રામ એક વૃક્ષની ઓથે છુપાઈ ગયા. સુગ્રીવે વાલિને યુદ્ધનો પડકાર ફેંક્યો. વાલિ ક્રોધથી ધૂંવાંપૂંવાં થતો મહેલમાંથી બહાર આવ્યો. સુગ્રીવ અને વાલિ વચ્ચે ખૂનખાર ગદાયુદ્ધ થયું.
રામ વાલિનો વધ કરવા માટે ધનુષ્‍ય પર બાણ ચડાવીને ઊભા હતા. પરંતુ સુગ્રીવ અને વાલિ રૂપરંગ તેમજ દેખાવમાં એકસરખા જ લાગતા. આથી એ બંનેમાંથી કોણ વાલિ હશે તે રામ નક્કી કરી શક્યા નહીં. આમ ગૂંચવાડો ઊભો થવાને લીધે રામે બાણ છોડ્યું નહીં.
સુગ્રીવ વાલિની સાથે લડતાં લડતાં થાકી ગયો. સુગ્રીવ વાલિની પક્કડમાંથી છટકીને ઋષ્‍યમૂક પર્વત પર નાસી ગયો. વાલિ તો સુગ્રીવને ફક્ત ડરાવવા જ ઇચ્છતો હતો. આથી તે એના મહેલમાં પાછો જતો રહ્યો.
રામે વાલિનો વધ ન કર્યો. તેથી સુગ્રીવે ગુસ્સે ભરાઈને રામને કહ્યું, "આપ મને મદદ કરવા ઇચ્છતા નહોતા તો આપે મને એવું પહેલેથી જણાવી દેવું હતું. હું તેના હાથમાંથી છૂટીને પાછો આવ્યો તેનું મને ભારે આશ્ચર્ય થાય છે."
રામે સુગ્રીવને જણાવ્યું : "મિત્ર સુગ્રીવ ! ક્રોધ ન કરશો. વચન આપ્‍યા પછી તેને નિભાવવાની અમારા રઘુકુલની રીત છે. પણ તમારા બંનેનાં દેખાવ, વસ્ત્રો, અલંકારો અને શસ્ત્રો એકસરખાં હોવાથી હું એ જ નક્કી કરી શક્યો નહીં કે બેમાંથી વાલિ કોણ હશે. મેં છોડેલું બાણ તમને જ વાગી ગયું હોત તો કેટલો બધો અનર્થ થઈ જાત ?"
એવું કહી રામે સુગ્રીવની પીઠ પર હાથ ફેરવ્યો. રામના સ્પર્શથી સુગ્રીવની વેદના દૂર થઈ ગઈ. એનું શરીર વજ્ર જેવું મજબૂત બની ગયું. ત્યાર પછી રામે પુષ્‍પોની માળા એના ગળામાં પહેરાવીને કહ્યું, "હવે વાલિને હણવામાં મને સહેજ પણ વાર નહીં લાગે."
સુગ્રીવે ફરીથી વાલિના મહેલ આગળ જઈ તેને યુદ્ધ માટે પડકાર્યો.
સાંજનો સમય હોવાથી વાલિ આરામ કરી રહ્યો હતો. સુગ્રીવને ફરીથી લડવા આવેલો જોઈ તે આશ્ચર્ય પામ્યો. તેમ છતાં વાલિ એની સાથે યુદ્ધ કરવા તૈયાર થઈ ગયો.
એની રાણી તારામતીએ તેને રોકવાનો પ્રયત્ન કરતાં કહ્યું, "નાથ ! તમે ક્રોધનો ત્યાગ કરો. મેં સાંભળ્યું છે કે અયોધ્યાના બે રાજકુમારો રામ અને લક્ષ્‍મણ સુગ્રીવને મળ્યા હતા. એમણે સુગ્રીવ સાથે દોસ્તી બાંધી છે અને તેને મદદ કરવાનું વચન આપ્‍યું છે. સુગ્રીવ તમારો એકનો એક ભાઈ છે. તેની સાથે સમાધાન કરી લો. એમાં જ તમારા બંનેનું હિત સમાયેલું છે."
વાલિએ તારામતીને કહ્યું, "સુગ્રીવ મને યુદ્ધ કરવા માટે પડકારે અને હું શાંતિથી બેસી રહું તો મારી અપકીર્તિ થાય. એવી અપકીર્તિ સહન કરીને જીવવાનો શો અર્થ ?
તું રામનો ભય ન રાખીશ. રામ ધર્માત્મા છે. એ સુગ્રીવને કોઈ પ્રપંચમાં સાથ નહીં આપે. સુગ્રીવ મારો ભાઈ છે. તેથી હું કંઈ એને હણવાનો નથી. મારે તો ફક્ત એને એવો પાઠ ભણાવવો છે કે તે ફરીથી અહીં આવીને મને છેડવાની હિંમત ન કરે. તું મને રોકીશ નહીં. હું સુગ્રીવને હરાવીને તરત પાછો ફરીશ." વાલિ આવેશપૂર્વક સુગ્રીવની સામે ધસી ગયો. સુગ્રીવ વાલિથી ડર્યા વિના અડગ ઊભો હતો.
વાલિએ કૂદકો મારીને સુગ્રીવની ઉપર હુમલો કર્યો. સુગ્રીવે વીરતાથી તેનો સામનો કર્યો. વાલિએ સુગ્રીવને એનો જીવ બચાવી ભાગી જવાનું કહ્યું. સુગ્રીવે વાલિની ચેતવણી પર ધ્યાન ન આપ્‍યું. હવે તેને રામની સહાયતાનો પાકો વિશ્વાસ હોવાથી એણે વાલિ સામે જોરદાર ટક્કર લીધી.
સુગ્રીવ લડતાં લડતાં ઘાયલ થઈ ગયો. એની શક્તિ ક્રમશઃ ક્ષીણ થઈ રહી હતી. રામે સુગ્રીવની સ્થિતિ પારખી અને વાલિનું લક્ષ્‍ય સાધી પૂરી તાકાતથી એક બાણ છોડ્યું. વાલિની છાતી વીંધાઈ ગઈ. તે તોતિંગ વૃક્ષની જેમ ઢળી પડ્યો.
હાથમાં ધનુષ્‍ય લઈને ઊભેલા રામને વાલિએ ઓળખી લીધા. વાલિએ એમના પર રીસ ઠાલવતાં કહ્યું, "હે રામ ! આપ ઉત્તમ કુળમાં જન્મ્યા છો. આપને આમ કાયરની જેમ અધર્મનું આચરણ કરવાનું કેમ સૂઝ્યું ? છતાં આપે વૃક્ષની ઓથે છુપાઈને મને શા માટે બાણ માર્યું ? આપે જે અધમ કૃત્ય આચર્યું છે, તેનો તમે જગતને શો જવાબ આપશો ?"
વાલિના આક્ષેપો સાંભળી રામે કહ્યું, "પિતા જીવિત ન હોય ત્યારે મોટા ભાઈએ નાના ભાઈનું પુત્રની જેમ પાલનપોષણ કરવું જોઈએ. જ્યારે તેં એની પત્ની રુમાને એની પાસેથી છીનવી લઈ એને ઘરની બહાર કાઢી મૂક્યો છે. તારાં કર્મો હિંસક પ્રાણીને છાજે તેવાં છે. પ્રાણીને છુપાઈને હણવામાં કોઈ અધર્મ થતો નથી. સુગ્રીવ મારો મિત્ર છે. મેં તને હણીને મારા મિત્રધર્મનું પાલન કર્યું છે."
રામના વચનોથી વાલિના મનનું સમાધાન થઈ ગયું. વાલિએ પોતાને ઇન્દ્ર પાસેથી ભેટમાં મળેલી દિવ્ય માળા સુગ્રીવને પહેરાવી દીધી. પછી એણે હંમેશને માટે તેની આંખો મીંચી દીધી. સુગ્રીવે વિધિપૂર્વક વાલિની અંતિમક્રિયા કરી.
રામે સુગ્રીવને સૂચના આપી. "વાનરરાજ સુગ્રીવ ! હવે તમે કિષ્કિન્ધામાં પ્રવેશ કરો. હું અને લક્ષ્‍મણ પ્રસ્રવણ પર્વત પર રહીને ચોમાસાના આ ચાર મહિના પસાર કરીશું. ચોમાસું પૂરું થશે પછી આપણે સીતાની શોધ શરૂ કરીશું."
રામ અને લક્ષ્‍મણ ચાતુર્માસ ગાળવા માટે પ્રસ્રવણ પર્વત પર ગયા. ત્યાં એક સરસ ગુફામાં એમણે નિવાસ કર્યો.




૨૨. વાલિનો પ્રમાદ

રામ અને લક્ષ્‍મણ પ્રસ્રવણ પર્વત પર જઈને એક ગુફામાં રહેવા લાગ્યા, ધીમે ધીમે ચોમાસાના દિવસો વીતી રહ્યા હતા.
વાલિની પત્ની તારામતી રૂપરૂપનો અંબાર હતી. સુગ્રીવે રાજા બન્યા પછી તેની સાથે લગ્ન કરી લીધા. હવે એને માટે સુખના દિવસો શરૂ થયા. તે ભોગવિલાસમાં એવો ડૂબી ગયો કે રામને આપેલું વચન પણ તેને યાદ ન રહ્યું.
ચોમાસું પૂરું થઈ જતાં હનુમાને સુગ્રીવને તેના મિત્રધર્મની યાદ અપાવી. સુગ્રીવે નીલને બોલાવીને સીતાને શોધવાની કામગીરી શરૂ કરવાનું કહી દીધું. પછી તે પાછો એના ભોગ-વિલાસમાં ગુલતાન થઈ ગયો.
વર્ષાઋતુ ક્યારની પૂરી થઈ ચૂકી હતી. રામનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. એમણે લક્ષ્‍મણને કહ્યું, "લક્ષ્‍મણ ! મને લાગે છે કે સુગ્રીવે રાજમદમાં છકી જઈને મારા કામની ઉપેક્ષા કરી છે. તું હમણાં ને હમણાં સુગ્રીવની પાસે જા. એને કહેજે કે વાલિ જે રસ્તે ગયો છે એ રસ્તો હજુ બંધ થયો નથી. તું તારો ધર્મ ચૂકી જઈશ તો રામ તને પણ એ માર્ગે મોકલી આપશે. માટે જો તારે રામના ક્રોધથી બચવું હોય તો હવે સહેજ પણ વિલંબ કર્યા વિના પ્રસ્રવણ પર્વત પર આવી જા."

રામને વ્યથિત થયેલા જોઈને લક્ષ્‍મણ આવેશમાં આવી ગયો હતો. તે હાથમાં ધનુષ્‍ય-બાણ લઈ કિષ્કિન્ધા નગરી તરફ જવા નીકળ્યો.
લક્ષ્‍મણ ઉશ્કેરાટમાં કોઈ અવિચારી પગલું ન ભરી બેસે એ માટે રામે તેને પાછો બોલાવીને સમજાવ્યો : "તું સુગ્રીવને શાંતિથી એનો દોષ બતાવજે. જે આપણો મિત્ર છે તેથીકોઈ ઉતાવળું પગલું ભરીશ નહીં."
રામે સૂચવ્યું એમ જ વર્તવાની લક્ષ્‍મણે ખાતરી આપી પણ એ પોતાના ક્રોધ ઉપર કાબૂ રાખી શકતો નહોતો. એ કિષ્કિન્ધા નગરીના દરવાજે આવ્યો. અને સીધો
અંતઃપુરની બહાર ઊભા રહી એણે ધનુષ્‍યનો ટંકાર કર્યો. એના ધ્વનિથી આખી નગરી ધ્રુજી ઊઠી. હવે સુગ્રીવ ભયથી થથરી ગયો. લક્ષ્‍મણને સમજાવવા માટે એણે તારામતીને તેની પાસે મોકલી. તારામતીએ લક્ષ્‍મણની માફી માગી અને તેને શાંત કર્યો. ત્યાર પછી એ લક્ષ્‍મણને સુગ્રીવ પાસે લઈ ગઈ. લક્ષ્‍મણનો ક્રોધ ઓછો થઈ ગયો હતો.

સુગ્રીવે તેને કહ્યું, "હે લક્ષ્‍મણ ! હું જાણું છું કે મારા પ્રમાદને લીધે સીતાજીની શોધ શરૂ કરવામાં વિલંબ થયો છે. આપ મારા આ દોષને ઉદારતાથી માફ કરો. હું આ ક્ષણથી જ મારી કામગીરી શરૂ કરી દઉં છું."
સુગ્રીવે રાજ્યના ખૂણે ખૂણેથી વાનરોને બોલાવી લેવા હનુમાનને સૂચના આપી. હનુમાને તરત જ રાજાની આજ્ઞાનો અમલ કર્યો.
સુગ્રીવે લક્ષ્‍મણની સાથે પ્રસ્રવણ પર્વત પર જઈ રામની મુલાકાત કરી અને ક્ષમા માગી.
લક્ષ્‍મણે રામને જણાવ્યું કે સુગ્રીવે સીતાને શોધવાની કામગીરી આરંભી દીધી છે. તેથી રામ પ્રસન્‍ન થઈને સુગ્રીવને ભેટી પડ્યા.





૨૩. વાનરો દક્ષિ‍ણ દિશામાં

રામ અને સુગ્રીવ અરસપરસ વિચારવિમર્શ કરી રહ્યા હતા. એ દરમ્યાન સુગ્રીવે સૈનિકોને એકઠા કરીને તેમને સીતાની શોધ વિશેની કામગીરીની સમજ આપી. એણે સમગ્ર સૈન્યના ચાર ભાગ પાડી દીધા. તેણે એ દરેક ભાગ પર એક-એક નાયકની નિમણૂક કરી.
રામે હનુમાનને બાજુ પર બોલાવી તેમને પોતાની મુદ્રિકા (વીંટી) આપીને કહ્યું, "મારું મન કહે છે કે તમે સીતાને શોધવામાં સફળ થશો. તમે સીતાને આ મુદ્રિકા (વીંટી) બતાવશો એટલે તે સમજી જશે કે મેં જ તમને મોકલ્યા છે. તમે એને મારી વ્યથા વિશે પણ કહેજો."
સુગ્રીવે ચારેય ટુકડીઓને વિદાય આપતાં પહેલાં કહ્યું : "મારા વીરો ! સીતાજીને શોધીને તેમના સમાચાર લઈ આવવા માટે હું તમને એક મહિનાનો સમય આપું છું."
પોતપોતાની ટુકડીઓને લઈને શતબલિ ઉત્તર દિશામાં, વિનત પૂર્વ દિશામાં, સુષેણ પશ્ચિમ દિશામાં અને તાર દ‍ક્ષિ‍ણ દિશામાં ગયા. હનુમાન, અંગદ, જાંબવન, નલ અને નીલ જેવા સુગ્રીવના અંગત સાથીદારો તારની સાથે હતા.
હનુમાન, અંગદ, તાર, નલ, નીલ, જાંબવાન વગેરે વિંધ્યાચલનાં વન, ગુફાઓ અને વિશાળ ભૂવિસ્તાર વટાવીને દક્ષિ‍ણ દિશામાં ખૂબ દૂર નીકળી ગયા.

એક વખત આ દળ તપસ્વિની સ્વયંપ્રભાની ગુફામાં પહોંચી ગયું. સ્વયંપ્રભાએ એમને પોતાના તપોબળ વડે એક સમુદ્રના કિનારે પહોંચાડી દીધા. પોતાના માર્ગમાં અફાટ સમુદ્ર પથરાયેલો જોઈ વાનરો નિરાશ થઈ ગયા. હવે અહીંથી આગળ વધવાનો કોઈ રસ્તો જ નહોતો.
ત્યાં જટાયુનો ભાઈ સંપાતિ રહેતો હતો. એની પાંખો કપાઈ ગઈ હોવાથી એ પોતાની મેળે ક્યાંય જઈ શકતો ન હતો. તેને ઘણા દિવસોના ઉપવાસ થયા હતા. એકસાથે આટલા બધા વાનરોને મરવા માટે ઉત્સુક થયેલા જોઈ તે ભોજન મળવાની આશાથી વાનરોની નજીક જઈને બેસી ગયો.
પોતાની આ સ્થિતિ થઈ તેને માટે વાનરો રામનો વનવાસ, સીતાનું અપહરણ અને જટાયુના મૃત્યુને જવાબદાર ગણાવી કલ્પાંત કરી રહ્યા હતા. વાનરોના મુખે પોતાના ભાઈ જટાયુના
મૃત્યુની વાત સાંભળીને સંપાતિને આશ્ચર્ય થયું. એણે વાનરોને કહ્યું,"ભાઈઓ ! હું જટાયુનો ભાઈ સંપાતિ છું. તમે મહેરબાની કરીને મને જટાયુના મૃત્યુ વિશે વિગતવાર વાત કરો."
અંગદે રામના વનવાસથી શરૂ કરીને અત્યાર સુધીની વિગતો સંપાતિને કહી સંભળાવી. સંપાતિની આંખો આંસુભીની બની ગઈ.
સંપાતિની ર્દષ્ટિ ખૂબ સતેજ હતી. એણે લંકા તરફ નજર કરીને સીતાજીને અશોકવનમાં નજરકેદની સ્થિતિમાં બેઠેલાં જોયાં. પછી તેણે આ બધી માહિતી વાનરોને આપી.
એ જ વખતે સંપાતિને તરત જ એની કપાઈ ગયેલી પાંખો પાછી મળી ગઈ અને તે પાછો શક્તિશાળી બની ગયો.
સંપાતિને એવું વરદાન મળેલું હતું કે જ્યારે તે રામના કામમાં મદદ કરશે ત્યારે તેને તેની પાંખો પાછી મળી જશે અને એની શક્તિ પણ પાછી આવી જશે. સંપાતિને નવું જીવન મળ્યું હોવાથી એ ખુશખુશાલ થઈ ગયો. સંપાતિએ જટાયુનું શ્રાદ્ધ કરી એને અંજલિ આપી.





૨૪. હનુમાનનું પરાક્રમ

વાનરો સંપાતિની સૂચના પ્રમાણે સમુદ્રકિનારે ચાલતાં ચાલતાં દક્ષિ‍ણ દિશામાં ગયા. અહીંથી લંકા સો યોજન દૂર હતી. લંકા પહોંચવા માટે સમુદ્ર ઓળંગવો પડે એમ હતું. વાનરો સો યોજન સુધી વિસ્તરેલો સમુદ્ર જોઈ ભય અને ચિંતાથી ઘેરાઈ ગયા.
અંગદે હનુમાન પાસે જઈ તેને કહ્યું, "હે અંજનીપુત્ર ! તારાં બળ, બુદ્ધિ અને ચતુરાઈ અજોડ છે. તારામાં પણ તારા પિતા વાયુદેવ જેવું જ સામર્થ્ય છે.
તું નાનો હતો ત્યારે તેં સૂર્યને ફળ સમજીને એના તરફ કૂદકો માર્યો હતો. એ વખતે ઇન્દ્રે તારા પર વજ્રનો પ્રહાર કરતાં તારી હનુ(=દાઢી) ખંડિત થઈ ગઈ હતી. એટલે તારું નામ હનુમાન પડ્યું છે. તારા પિતાએ રોષે ભરાઈને પવનની ગતિ રોકી લીધી ત્યારે બ્રહ્મા અને ઇન્દ્રે તને વરદાન આપ્‍યાં હતાં કે તને કોઈ પણ શસ્ત્ર હણી શકશી નહીં અને તું ઇચ્છશે ત્યારે જ તારું મૃત્યુ થશે.
આ સમુદ્ર ઓળંગી જવો એ તો તારા માટે રમતવાત છે. રામનું કાર્ય તું જ કરી શકે છે. હે વાયુપુત્ર ! તું તારી એ અજ્ઞાત શકિતને જાગ્રત કરી અને સમગ્ર વાનરજાતિને જગતમાં યશસ્વી બનાવ." જાંબવાનની પ્રેરણાથી હનુમાનની સુષુપ્‍ત શક્તિઓ જાગ્રત થઈ ગઈ. તે એક ઠેકડો મારીને મહેન્દ્ર પર્વત પર પહોંચી ગયા.
હનુમાને એમની યોગશક્તિ વડે લંકા પર ર્દષ્ટિ સ્થિર કરી. પછી સૂર્ય, ઇન્દ્ર, વાયુ, બ્રહ્મા વગેરે દેવોને પ્રાર્થના કરીને પોતાના જમણા પગને જમીન પર દબાવ્યો.
પછી તેમણે તેમના શરીરના સ્નાયુઓ તાણીને જય શ્રીરામ એવી ગગનભેદી ત્રાડ પાડીને પોતાના શરીરને હવામાં ફંગોળી દીધું. હનુમાન અતિ વેગથી લંકાની દિશામાં ઊડવા લાગ્યા.
થોડે દૂર નાગકન્યા સુરસા વિકરાળ રૂપ ધારણ કરી એમનો માર્ગ રોકીને ઊભી હતી. હનુમાને એને રસ્તામાંથી ખસી જવા વિનંતી કરી પણ તે માની નહીં. હનુમાન એક અંગૂઠા જેટલું કદ ધારણ કરી, તેના મુખમાં પ્રવેશી, તરત જ બહાર નીકળી ગયા. સુરસાએ પોતાનું અસલ નાગકન્યાનું રૂપ પ્રગટ કરી હનુમાનને તેમના કાર્યમાં સફળ થવાના આશીર્વાદ આપ્‍યા.
હનુમાન થોડેક આગળ ગયા ત્યાં સિંહિકા નામની રાક્ષસીએ સમુદ્રના પાણીમાં પડતા તેમના પડછાયાને પકડી લીધો. તેનાથી હનુમાનની ગતિ થંભી ગઈ અને તે સમુદ્ર તરફ ખેંચાવા લાગ્યા. હનુમાને તેનું પેટ ચીરીને તેનો અંત આણ્યો અને આગળની યાત્રા કરી. હનુમાન થોડી વાર પછી લંકાના કિનારે પહોંચી ગયા. હનુમાને કોઈની નજરે ન પડી જવાય એ માટે સામાન્ય વાનરનું રૂપ લીધું. એક પર્વતની ટોચે ઊભા રહી એમણે લંકાની રચનાનો અભ્યાસ કર્યો.
ત્રિકૂટ પર્વત પર વસેલી લંકા નગરીની ફરતે મજબૂત કિલ્લો હતો.
સોનાથી મઢેલા મહેલો, હવેલીઓ અને ઇમારતો સૂર્યના પ્રકાશથી ઝળહળી રહ્યાં હતાં. લંકાનો બુસુમાર વૈભવ, અદ્દભુત શોભા અને સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા જોઈને હનુમાન દંગ થઇ ગયા. એમણે રાતના અંધારામાં લંકામાં પ્રવેશવાનો નિર્ણય કર્યો.




૨૫. લંકામાં સીતાની શોધ

હનુમાને રાતના સમયે લંકામાં પ્રવેશ કર્યો. હનુમાન રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે લંકાની નગરરક્ષક દેવી લંકિનીએ એમને જોઈ લીધા. લંકિનીએ એમને અટકાવીને પૂછ્યું, "અરે વાનર ! તું કોણ છે ? અહીં કેમ આવ્યો છે ?"
હનુમાને લંકિનીને કહ્યું, "દેવી ! હું આ નગર જોવા માટે અહીં આવ્યો છું. નગરને જોઈ લીધા પછી હું પાછો ચાલ્યો જઈશ."
હનુમાનનો જવાબ સાંભળી તે ગુ્સ્સે થઈ ગઈ. એણે હનુમાન પર તેના હાથનો પ્રહાર કર્યો. હનુમાને એનો પ્રહાર ચૂકાવીને લંકિનીના માથા પર એક એવો મુક્કો લગાવ્યો કે તે ઊંધા માથે જમીન પર ગબડી પડી. હનુમાનના પ્રહારથી તે ખૂબ ભયભીત થઈ ગઈ હતી, છતાં તે ઝડપથી ઊભી થઈ ગઈ. તેને આ ભવિષ્‍યવાણી યાદ આવી ગઈ : "જ્યારે કોઈ વાનર લંકામાં આવીને લંકિનીને મારીને જમીન ઉપર પાડી દેશે ત્યારે લંકાનો વિનાશ થશે."
લંકિનીએ વિચાર કર્યો, "રાવણના પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે આ પાપીનો વિનાશ થઈ જાય તેમાં કશું ખોટું નથી."
લંકિની રાવણની દાસી નહોતી. એ તો બ્રહ્માની આજ્ઞાથી નગરની રક્ષા કરી રહી હતી. એણે એક બાજુ ખસી જઈ હનુમાનને આગળ જવા માટે રસ્તો આપ્‍યો.
હનુમાન લંકાના ભવનોની અગાસીઓ પર ઠેકડા મારીને લંકાની એક-એક શેરીમાં ફરી રહ્યા હતા. લંકાના વૈભવ અને સૌંદર્યને જોઈ તે મુગ્ધ થઈ ગયા. હનુમાન લંકાની દરેક ગલી અને દરેક ભવનમાં ઘૂમી વળ્યા. પણ તેમને ક્યાંય સીતાનો પત્તો ન લાગ્યો. છેવટે એ રાવણના મહેલમાં ઘૂસી ગયા. રાવણ એક સુશોભિત પલંગ પર ઊંઘી રહ્યો હતો. એની આસપાસ અનેક સુંદરીઓ નિદ્રાધીન થયેલી હતી.
ત્યાર બાદ હનુમાને રાવણના અંતઃપુરની એકેએક સ્ત્રીનું અવલોકન કર્યું. એમાંની એક પણ સ્ત્રી તેમને સીતાજી જેવી ન લાગી.
હનુમાન અંતઃપુરમાંથી બહાર નીકળીને અશોકવનમાં આવી પહોંચ્યા. પછી તે એક અશોકવૃક્ષની ટોચે ચઢીને સમગ્ર ઉદ્યાનનું નિરીક્ષણ કરવા લાગ્યા. ત્યાં એમને ચિત્ર-વિચિત્ર અને ભયંકર મુખોવાળી રાક્ષસીઓ જોવા મળી. તેમની વચ્ચે એક સ્ત્રી ઉદાસ ચહેરે બેઠેલી હતી. એના મુખ પર સાત્વિક ભાવો હતા અને એની આંખોમાં આંસુ હતાં. હનુમાને એ સ્ત્રીને જોઈને વિચાર કર્યો કે, એ નક્કી સીતાજી જ હોવાં જોઈએ.પછી હનુમાન એમની સાથે વાત કેવી રીતે કરવી એવી મૂંઝવણમાં પડ્યા.

બોલો શ્રી રામચંદ્ર કી જય