Saturday, May 21, 2011

ધનની પ્રાપ્તિને માટે



અમીર હોય કે ગરીબ દરેકને પોતાની પાસે છે તેનાથી પણ વધારે ધન અને આર્થિક સંપન્નતા પ્રાપ્ત કરવી છે. આ માટે લોકો મંત્ર, જપ, સાધના, પૂજા, ઉપાસના વગેરે કરે છે. અહીં આપેલા ઉપાયો કરવામાં ખૂબ જ સરળ છે અને તેનાથી ધનપ્રાપ્તિમાં સરળતા રહે છે.

* ધનલક્ષ્મીની કૃપાને માટે

દરેક શુક્રવારે કોઈ પણ જાણીતા લક્ષ્મી-નારાયણ મંદિરમાં જઈને સુગંધિત ચંદન વગેરેની અગરબત્તી અર્પણ કરવી. આ પ્રયોગ થકી આપના પર શ્રી ધનલક્ષ્મીની કૃપા વરસતી રહેશે.

* આર્થિક લાભને માટે

કોઈ પણ માસના શુક્લ (સુદ) પક્ષના પ્રથમ શુક્રવારથી આ પ્રયોગ આરંભ કરી સતત ત્રણ શુક્રવાર સુધી કરવો. કોઈ પણ જૂના લક્ષ્મી નારાયણ મંદિરમાં સંધ્યાકાળે કોઈ નવ વર્ષથી ઓછી વયની અગિયાર કન્યાઓને ખીરની સાથે મિશ્રીનું ભોજન કરાવવું તથા તેને ઉપહારમાં લાલ વસ્ત્રનું દાન કરવું. આ ઉપાયથી તરત જ આર્થિક લાભની પ્રાપ્તિ થાય છે.

* ધનના અભાવના ઉપાયને માટે

સ્નાન કર્યા પછી શ્વેત સૂતરનું વસ્ત્ર ધારણ કરીને શ્વેત ઊનમાંથી બનાવાયેલા આસન પર બેસવું. મુખ ઉત્તર દિશા તરફ રાખવું. તે પછી લાલ રંગના મણકામાંથી બનાવેલ માળાથી આપેલા મંત્રનો જપ કરવો. આ મંત્રની ચાલીસ માળા ધનતેરસે, બેતાળીસ માળા કાળી ચૌદશે અને તેંતાળીસ માળા દીપાવલીની સંધ્યાએ જપ કરવી. આ પ્રયોગથી ધનનો અભાવ ક્યારેય નડશે નહીં.

ઓમ હ્રીં શ્રીં ક્લીં કૌં ઓમ ઘંટાકર્ણ મહાવીર

લક્ષ્મી પૂરય પૂરય સુખ સૌભાગ્યં કુરુ કુરુ સ્વાહા!


* ધનની પ્રાપ્તિને માટે

જો નાણાં ક્યાંય પણ ફસાઈ ગયાં હોય એટલે કે આપનાં નાણાં લઇને આપતા ન હોય તો આનાકાની વખતે અંધારું થતાં એક ગોમતી ચક્ર લઈ કોઈ ચકલા તરફ જવું. ત્યાં એક નાનો ખાડો કરીને તે વ્યક્તિનું નામ સ્મરણ કરતાં કરતાં આ ગોમતી ચક્ર તેમાં દાટી દેવું. આ પ્રયોગથી થોડાક સમયમાં તે ધન પરત આવી જશે.

* ધન-વૈભવની વૃદ્ધિને માટે

અબાબીલની ડાળી આંખને સૂકવીને તે સોનાની વીંટીમાં ચઢાવીને ડાબી હાથની ડાબી આંગળીમાં ધારણ કરવાથી ધન-વૈભવમાં વૃદ્ધિ થાય છે.

* ધનની વૃદ્ધિને માટે

પુષ્પ નક્ષત્રમાં વિધિવત રીતે મેળવેલ શંખપુષ્પીના મૂળને ચાંદીની ડબ્બીમાં મૂકી તેને ધૂપાદિ ભગવાન સદાશિવનું ધ્યાન કરતાં કરતાં શ્રદ્ધાભાવપૂર્વક તિજોરીમાં મૂકવું. આ પ્રયોગથી ધનની વૃદ્ધિ જરૂર થાય છે.

* ધનની વૃદ્ધિ માટે

બેંકમાં જ્યારે પણ રૂપિયા જમા કરાવવા જવાય તે વખતે પશ્ચિમ મુખી થઈને કાર્ય કરવું તથા માનસિકરૂપે મા લક્ષ્મીના કોઈ પણ મંત્રનો જપ અવશ્ય કરવો. જો લક્ષ્મીનો કોઈ મંત્ર જપ યાદ ન હોય તો આપેલા મંત્રનો જપ કરવો. આ પ્રયોગથી ધન સદા વધતું રહે છે.

ઓમ શ્રીં શ્રીં શ્રીં

* ધનના લાભને માટે

પીપળાનાં પાન પર ‘રામ’ શબ્દ લખીને તેમજ કંઈક મીઠાઈ મૂકીને તે હનુમાનજી મંદિરે જઈ ચઢાવી આવવું. આ પ્રયોગથી અવશ્ય ધનનો લાભ થશે. આ ઉપરાંત દરરોજ પ્રાતઃકાળે લક્ષ્મીજીને લાલ પુષ્પ અર્પણ કરી દૂધમાંથી બનાવેલ મિષ્ટાન્નનો ભોગ ધરાવવા થકી અવશ્ય ધનનો લાભ થશે.

* તિજોરી ધનનથી ભરેલી રહે તે માટે

શનિવારના દિવસે પીપળાનું એક અખંડિત પાન તોડી લાવી તેને ગંગાજળ વડે ધોઈ નાખી તેના ઉપર હળદર તથા દહીંને ઘોળી પોતાના ડાબા હાથની અનામિકા આંગળી દ્વારા એક વર્ગની અંદર ‘હ્રીં’ લખવું. તે પછી દૂધ-દીપ બતાવી તે પાન વાળીને પોતાના ધનની તિજોરીમાં મૂકવું. દરેક શનિવારે પૂજા સાથે આ પાન બદલતા રહેવું. આપની તિજોરી કદાપિ ધનથી ખાલી રહેશે નહીં. જૂનું પાન ઘરની બહાર કોઈ પવિત્ર સ્થળ પર મૂકી આવવું.

* આકસ્મિક ધનલાભ માટે

મરિયાના પાંચ દાણા પોતાના માથા પર સાત વખત ઉતારીને ચાર દાણા ચારેય દિશાઓમાં ફેંકી દેવા તથા પાંચમા દાણાને આકાશ તરફ ઉછાળી નાખવો. આ પ્રયોગથી અવશ્ય આકસ્મિક ધનલાભ થશે.

* ધનની વૃદ્ધિ માટે

ધનની તિજોરીમાં લાલ વસ્ત્ર પાથરી તેના પર મુંજા વનસ્પતિનાં બીજ મૂકવાથી ધનની વૃદ્ધિ અવશ્ય થાય છે.

કોઈ પણ માસના પ્રથમ ગુરુવારે ત્રણ અભિમંત્રિત ગોમતી ચક્ર, ત્રણ ધનકારક પીળી કોડિયો તથા હળદરની ત્રણ ગાંઠોને એકી સાથે કોઈ પીળા કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવાથી ધનની વૃદ્ધિ થશે.

* દીપાવલીની રાત્રિએ એક મોતી, શંખ યા દક્ષિણાવર્ણી શંખનું પૂજન દીપાવલીમાં પૂજન સાથે કરવું. પછી લક્ષ્મી મંત્રની પાંચ માળાનો જપ કરવો. આ શંખને પૂજાના સ્થાને જ મૂકવો. આગલા દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી લાલ આસન પર બેસીને પોતાની સામે આ શંખને મૂકીને લક્ષ્મી મંત્રનો જપ કરવો. દરેક મંત્રના જપ પછી આખા ચોખાના દાણા શંખમાં પધરાવવા. આમ દરરોજ મંત્ર જપ કરવા.

જ્યાં સુધી શંખ ચોખાના દાણાથી ભરાઈ રહે નહીં ત્યાં સુધી લક્ષ્મી મંત્રનો જપ કરતા રહેવું. જે દિવસે શંખ ચોખાથી ભરાઈ રહે તે દિવસે સાંજે એક નવ વર્ષથી ઓછી વયની પાંચ કન્યાઓ અને બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણ આપી વિદાય કરવાં. પછી આ શંખને લાલ કપડામાં બાંધી તિજોરીમાં મૂકવો. જ્યાં સુધી આ પ્રયોગ પૂરો કરાય તેનાથી આગલા દિવસથી સતત ચાલીસ દિવસો સુધી તિજોરીમાં ધૂપ અવશ્ય કરવો. આ પ્રયોગથી લક્ષ્મી સ્થાયીરૂપે વાસ કરે છે.











No comments:

Post a Comment