Tuesday, February 22, 2011

ધન પ્રાપ્તિ માટે મંત્ર,


આનાથી ધન સમૃદ્ધિની યોગ્ય વ્યવસ્થા થશે


સંસારી જીવનની મુખ્ય જરૂરિયાત છે ધન સંપત્તિ. આ અનિવાર્ય આવશ્યકતાની પૂર્તિ માટે મનુષ્યએ પુરુષાર્થ તો કરવો જ જોઇએ.


એક વર્ષ બાદ ફરીથી એ જ દુર્લભ મુહૂર્ત આવી ગયું છે જેની દરેક ક્ષેત્રના સાધકો આતુરતા પૂર્વક રાહ જોતા હતા. આ 16 મેના દિવસે અક્ષય તૃતીયાનું શુભ મુહૂર્ત આવે છે. અખાત્રીજની ગરિમા અને તેનું પ્રતિફળ જોતા તેને ચાર સ્વયંસિદ્ધ મુહૂર્તોમાં સમાવવામાં આવી છે. સંસારી જીવનની મુખ્ય જરૂરિયાત છે ધન સંપત્તિ. આ અનિવાર્ય આવશ્યકતાની પૂર્તિ માટે મનુષ્યએ પુરુષાર્થ તો કરવો જ જોઇએ. જો કે, ઉપાય પણ એવી વસ્તુ છે જેનો કોઇ ઇનકાર નહીં કરે. તો આવો, કેટલાક સિદ્ધ ઉપાયો પર નજર કરીએ-


પ્રયોગ વિધિ- અખાત્રીજની રાત્રે સાધકે લાલ લંગોટ પહેરવું. સાધકનું આસન પણ લાલ રંગનું જ હોવું જોઇએ. આ આસન પર ઊભા રહીને નીચેના મંત્રની 11 માળા જપવી. આ સાધના બાદ પછીના 51 દિવસ સુધી દરેક પરિસ્થિતિમાં સૂર્યોદય પહેલા ઊઠીને ઉગતા સૂર્યને અને પીપળાના વૃક્ષને જળ ચઢાવવું.


મંત્ર- અઘોર લક્ષ્મી મમ ગૃહે આગચ્છ સ્થાપય તુષ્ટય પૂર્ણત્વ દેહિ ફટ્ |


આ પ્રયોગ બાદ આપના ઘરમાં ધન સમૃદ્ધિની યોગ્ય વ્યવસ્થા થશે.



ધન સમૃદ્ધિનું વશીકરણ કેવી રીતે કરશો?


નર્કીય જીવનથી છૂટકારો મેળવવા માટેના પ્રબળ પુરુષાર્થ કરવાની સાથે મનુષ્યએ બચત, સાદગી તો કરવી જ જોઇએ, સાથે એ ગુપ્ત વિજ્ઞાનનો પ્રયોગ પણ કરવો જોઇએ જે કપાળ પર લખેલા કુઅંકને દૂર કરી શકે.

અર્થ પ્રધાન યુગમાં ધનહીન એટલે કે ગરીબ માણસની લાચારી સામે પથ્થર પણ પીગળી જાય છે પણ પ્રારબ્ધ ટસનું મસ નથી થતું. ધનહીન માણસની હાલત એ સાપ જેવી હોય છે જે પોતાનું મણી ગુમાવી દીધા બાદ દિવસ-રાત નિસ્તેજ અવસ્થામાં પોતાનું જીવન વિતાવ્યા કરે છે.

આવા નર્કીય જીવનથી છૂટકારો મેળવવા માટેના પ્રબળ પુરુષાર્થ કરવાની સાથે મનુષ્યએ બચત, સાદગી તો કરવી જ જોઇએ, સાથે એ ગુપ્ત વિજ્ઞાનનો પ્રયોગ પણ કરવો જોઇએ જે કપાળ પર લખેલા કુઅંકને દૂર કરી શકે.

અહીં એક એવો મંત્ર છે જેનો જાપ નિયમબદ્ધ રીતે કરવાથી તે લાભ કરાવે છે. મંત્ર અને તેના નિયમો આ પ્રમાણે છે.

મંત્ર-
ઓમ નમો પદ્માવતી પદ્મનયે લક્ષ્મી દાયિની વાંક્ષાભૂત પ્રેત વિંદ્યવાસિની સર્વ શત્રુ સંહારિણી દુર્જન મોહિની ઋદ્ધિ-સિદ્ધિ વૃદ્ધિ કરુ કરુ સ્વાહા | ઓમ ક્લીં શ્રીં પદ્માવત્યે નમ: ||

નિયમ –

- સૂર્યોદય પહેલા જ મંત્ર જાપ સંપન્ન કરી લેવા.- સાધનામાં સામેલ બધી વસ્તુઓ લાલ રંગની જ હોય.- સાધના 21 દિવસ સુધી કોઇ પણ ચૂક વગર ચાલુ રાખવી.- 21 દિવસ સુધી ઘરના તમામ સભ્યોએ સૂર્યોદય પહેલા જાગીને પીપળાના વૃક્ષને જળ ચડાવવું.- પોતાના કાર્યસ્થળ પર હંમેશા સમય કરતા 21 મિનિટ વહેલા પહોંચી તાંબાના શ્રીયંત્ર ઉપર લાલ ફૂલ અર્પિત કરવા.




કાળીચૌદસે તંત્રસિદ્ધિ દ્વારા સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય

તંત્રશાસ્ત્રના સહયોગ વિના મંત્રસાધના ન ફળે : મિત્રાનંદસાગરજી

તંત્રશાસ્ત્રમાં કાળીચૌદસ સિદ્ધ દિવસ ગણાય છે. આ રાત્રિએ કરાતી ઉપાસના, સાધના સિદ્ધિદાયક છે. કાળીચૌદસે સંઘ્યા સમય બાદ ‘‘ઓમ શ્રી શ્રિયે સ્વાહા’’ આ મંત્રની ૧૨૫ માળા ગણવાથી ૧૨,૫૦૦ હજાર જાપની પૂણાર્હુતિ થાય છે અને જપ કરનાર પર મહાલક્ષ્મીજીની અચૂક કૃપા ઉતરે છે.

દરેક માળા પૂણર્ થયે મહાલક્ષ્મીજીની તસવીર અથવા શ્રીયંત્ર કે લક્ષ્મીધારાયંત્ર સમક્ષ એક ગુલાબ અર્પણ કરવું અને ૧૨૫ માળા પછી ગૂંગળથી આ મંત્રની દશાંશ આહૂતિ આપવાતી આ મંત્ર સિઘ્ધ થાય છે. સાધક, ધન, ધાન્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. એમ તંત્રસાતા જૈન મુનિ મિત્રાનંદ સાગરજીએ જણાવ્યું હતું.

No comments:

Post a Comment