Friday, October 12, 2012

સફેદ વાળ, ટાલ તથા રોજીંદા જીવન માટે ના અનોખા ઉપાયો

 
 
( તજ ) :
 
> તજનું તેલ દર્દ, ઘાવ અને સોજામાં રાહત આપે છે.
 
> તજને તલનું તેલ, પાણી, મધમાં મેળવી ઉપયોગ કરવો જાઈએ. દુખાવા વાળા અંગ પર માલિશ કરી તેને રાતભર રહેવા દો. માલિશ જો દિવસે કરો તો 2-3 કલાક રાખો.
 
> તજ એ ચામડીને નીખાર આપે છે તથા ખુજલીના રોગને દૂર કરે છે.
> તે પાચક રસોના સ્ત્રાવને ઉત્તેજીત કરે છે. દાંતના દુખાવામાં પણ એ ઉપયોગી થાય છે.
> રાતના સુતા સમયે નિયમિત રૂપે એક ચપટી તજનો પાઉડર મધ સાથે ભેળવીને લેવાથી માનસિક તાણમાં રાહત મળે છે અને સ્મરણ શક્તિ વધે છે.
> તજના નિયમિત પ્રયોગથી મોસમી બીમારીઓને દૂર રાખે છે.
> ઠંડી હવાથી માથાના દુખાવાથી રાહત મેળવવા માટે તજના પાઙડરને પાણીમાં મેળવી પેસ્ટ બનાવી માથા પર લગાઓ.
> તજના પાઉડરમાં લીંબુનો રસ મેળવી લગાડવાથી ખીલ તથા બ્લેકહૈડસ મટી જાય છે.
> તજ, ડાયરીયા તથા ચક્કરમાં પણ ઔષધીના રૂપમાં કામ લાગે છે.
> મોં માંથી વાસ આવે ત્યારે તજનો નાનો ટૂકડો ચૂસવો. તજ એક સારી માઉથફ્રેશર પણ છે.
> આર્થરાઈટિસના દુખાવાને મટાડવા માટે તજ-મધનું મિશ્રણ ઘણું કારગત નીવડે છે.
> તાલ પડવી કે વાળનું ખરવું સામાન્ય થતું જાય છે. તેનાથી છુટકારો મેળવવા ગરમ ઓલિવ તેલમાં એક ચમચી મધ અને એક ચમચી તજનો પાઉડર ભેળવી લગાવો.
 
> કલમી શોરા(Saltpeter)(સફેદ ખારો) 20 ગ્રામ લઈ ગ્રામ કાગજી લીંબુ(Paper Lemon) ના રસને ખરલમાં પીસી લો. મિશ્રણને ટાલના ભાગે લગાવી દો. બે કલાક પછી સાબુથી ધોઈ નારિયળનું તેલ લગાવી દો. સસ્તો અને સરળ નુસખો ક્યારેય ફેલ નથી થતો.
> મીઠાના વધારે પડતા સેવનથી ટાલિયાપણું આવે છે. એક- એક ચમચી બારીક વાટેલુ મીઠુ, કાળી મરી, પાંચ ચમચી નાળિયેરનું તેલ મેળવીને ટાલ પડેલી જગ્યા પર લગાડવાથી વાળ આવે છે.
 
> વાળ જ્યાથી ખરી ગયા હોય તે જગ્યાએ ડુંગળીનો રસ રગડવાથી પણ વાળ આવવા લાગે છે.
 
> વાળ ખરવાની કે ટાલની સમસ્યાથી પીડાતા હોય તો લસણનો વધારે પ્રયોગ કરો.
> અડદની દાળને ઉકાળીને પીસી લો. તેનો સુતા સમયે ટાલની જગ્યાએ લેપ કરો.

> લીલી કોથમીરનો લેપ કરવાથી પણ વાળ આવવા લાગે છે.
> દાડમનાં પાનમને પાણીમાં વાટીને તેનો માથા પર લેપ કરવાથી ટાલિયાપણું દુર થાય છે.

> એક ચમચી તજનો પઉડર અને પોંચ ચમચી મધ મેળવી બનાવેલ પેસ્ટને દાંતની દુખતી જગ્યા પર લગાવાથી તરત રાહત મળશે.
> શરદી-કફમાં હોય તો એક ચમચી મધમાં ચમચીના પા ભાગની પાઉડર ભેળવી દિવસમાં ત્રણવાર ખાવો. જુના કફ-શરદીમાં રાહત રહેશે.
> પેટના દુખાવામાં મધ સાથે તજના પાઉડર લેવાથી પેટના દુખાવામાં રાહત મળે છે.
> ખાલી પેટ રોજ સવારે એક કપ ગરમ પાણીમાં મધ અને તજ પાઉડર ભેળવી પીવાથી ફેટ ઓછું થાય છે. તેનાથી જાડામાં જાડો વ્યક્તિ પણ દુબળો થઈ જાય છે.

> ડેન્ડ્રફની ફરિયાદ હોય તો દહીમાં કાળીમરીનું ચૂર્ણ મેળવી ધુઓ. એમ અઠવાડિયામાં બે વાર ચોક્કસ કરજો.તેનાથી જ્યાં વાળની ડેન્ડ્રફની સમસ્યા ખતમ થઈ જશે, તો વાળ મુલાયમ, કાળા, લાંબા અને ઘાટ્ટા થઈ જશે જે તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે
 
> કાળી માટી વાળ માટે ખૂબ સારી માનવામાં આવે છે, કાળી માટીને બે કલાક પહેલા પલાળી તેનાથી માથું ધૂવો, તેનાથી વાળ મુલાયમ થાય છે.
 
> નારિયળના તેલમાં લીંબુનો રસ મેળવી વાળની જડમાં લગાવવાથી વાળ કસમયે પાકી જવા કે ઝડી જવાનું અટકી જાય છે.
> દહીંમાં બેસન મિક્સકરી વાળના મૂળમાં લગાવી એક કલાક પછી માથું ધોઈ લો. તેનાથી વાળની ચમક પાછી આવી જશે અને વાળમાંથી ખોડાની સમસ્યા પણ દૂર થઈ જશે.
 
નોંધઃ-કોઈપણ ઉપાય કરતા પહેલા તમારા આયુર્વેદિક ડોક્ટરની સલાહ જરૂર લો.
 
 


No comments:

Post a Comment