202. જેનાં વચન સાંભળવાથી ભગવાનની ભક્તિ ને પોતાના ધર્મ થકી પડી જવાય તેના મુખ થકી ભગવાનની કથાવાર્તા ન સાંભળવી.
203. ક્યારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે બીજા કોઈ ક્ષુદ્ર્નાં સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો. (સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરવો.)
204. માર્ગે જતાં શિવાલયાદિક દેવમંદિર આવે તો નમસ્કાર કરવા અને આદરપૂર્વક દર્શન કરવાં.
205. વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્યએ પાંચ દેવને આદરપૂર્વક માનવા.
206. ચાર વેદ, વ્યાસસૂત્ર, શ્રીમદભાગવત, શ્રીવિષ્ણુસહસ્ત્રનામ, શ્રીમદ્દભગવદગીતા, વિદુરનીતિ, સ્કંદપુરાણના વિષ્ણુખંડમાં આવેલું શ્રીવાસુદેવમાહાત્મ્ય, યાજ્ઞવલ્ક્યસ્મૃતિ – એ આઠ સતશાસ્ત્ર અમને ઇષ્ટ (પ્રિય) છે. એ આઠ સતશાસ્ત્ર સાંભળવાં, વિદ્વાનોએ એ સતશાસ્ત્ર ભણવાં, ભણાવવાં તથા કથા કરવી.
207. આચાર,વ્યવહાર અને પ્રાયશ્ચિત્તનો નિર્ણય કરવા માટે મિતાક્ષરા ટીકાએ યુક્ત યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિનું વચન સ્વીકારવું.
208. સતશાસ્ત્રમાં જે વચન ભગવાનનું સ્વરૂપ, ધર્મ, ભક્તિ તથા વૈરાગ્યનું અતિ ઉત્કર્ષપણું દર્શાવતા હોય તે વચન બીજાં વચન કરતાં મુખ્યપણે માનવાં.
તત્વજ્ઞાન અને એકાંતિક ધર્મ :
209. શ્રુતિ-સ્મૃતિએ પ્રતિપાદન કરેલો સદાચાર તે ધર્મ જાણવો.
210. માહાત્મ્યજ્ઞાને સહિત ભગવાનમાં ઘણો સ્નેહ તે ભક્તિ જાણવી.
211. ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ નહિ તે વૈરાગ્ય જાણવો.
212. જીવ, માયા અને ઈશ્વરના સ્વરૂપને રૂડી રીતે જાણવું તેને જ્ઞાન જાણવું.
213. જીવ હ્રદયને વિષે રહ્યો છે, તે અણુ સરખો સૂક્ષ્મ છે, ચૈતન્યરૂપ છે, જાણનારો છે, અને પોતાની જ્ઞાનશક્તિ વડે નખથી
શિખા પર્યંત સમગ્ર દેહમાં વ્યાપીને રહ્યો છે. અછેદ્ય, અભદ્ય, અજર, અમર ઇત્યાદિક જીવનાં લક્ષણ છે.
214. ઈશ્વર(અહીં ઈશ્વર શબ્દ પરબ્રહ્મ પરમાત્માવાચક છે.) સ્વતંત્ર છે, સર્વ જીવને કર્મફળના આપનારા છે.
215. માયા ત્રિગુણાત્મિકા છે. તે જીવને દેહ તથા દેહના સંબંધીમાં અહં-મમત્વ કરાવે છે.
216. પરબ્રહ્મ, પુરુષોત્તમ એવા ભગવાન તે પરમેશ્વર છે, તે આપણા ઇષ્ટદેવ છે, ઉપાસના કરવા યોગ્ય છે અને સર્વ અવતારના
કારણ છે.
217. જેમ હ્રદયમાં જીવ રહ્યો છે તેમ તે જીવમાં અંતર્યામીપણે ભગવાન રહ્યા છે.
218. ભગવાનની ભક્તિ સર્વે મનુષ્યે કરવી; તે ભક્તિ કરતાં વિશેષ બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી.
219. ભક્તિ ને સત્સંગ – એ બે વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે છે.
220. ભગવાનને વિષે ભક્તિ અને સત્સંગ એ જ વિદ્યાદિક ગુણવાળી વ્યક્તિના ગુણવાનપણાનું પરમ ફળ જાણવું.
221. ભગવાન સિવાય, મનુષ્ય તથા દેવાદિક જીવ તો ભગવાનના ભક્ત હોય અને બ્રહ્મવેત્તા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી.
222. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ થકી વિલક્ષણ એવા પોતાના જીવાત્માને બ્રહ્મરૂપની ભાવના કરીને, પરબ્રહ્મની ભક્તિ સદા કરવી.
223. વિશિસ્ટાદ્વૈત મત અમને ગમે છે.
224. ભગવાનના ધામમાં બ્રહ્મરૂપે રહીને ભગવાનની સેવા કરવી તે મુક્તિ છે.
શિક્ષાપત્રી મહિમા
આ શિક્ષાપત્રી -
- સંસારરૂપી કાદવને દૂર કરી નિર્મળ બનાવનાર છે.
- અવિદ્યારૂપી ગાઢ અંધકારને દૂર કરનાર છે.
- અંતરના અજ્ઞાનને દૂર કરનાર અંજનશલાકા છે.
- સંસારથી નિવૃત્ત કરનાર માતા છે.
- સમસ્ત શાસ્ત્રરૂપી ક્ષીર-સાગરમાંથી દોહન કરી મેળવેલું અપૂર્વ અમૃત છે.
145. ત્યાગીએ સ્ત્રીમાત્રનો સ્પર્શ ન કરવો, સ્ત્રીઓ સંગાથે બોલવું નહિ અને જાણીને સ્ત્રીઓ સન્મુખ જોવું નહિ.
146. સ્ત્રીઓની વાત ક્યારેય ન કરવી અને ન સાંભળવી.
147. જે સ્થાનમાં સ્ત્રીઓનો પગફેર હોય તે સ્થાને સ્નાનાદિક ક્રિયા કરવા ન જવું
148. દેવતાની પ્રતિમા વિના બીજી સ્ત્રીની ચિત્રની અથવા કાષ્ઠાદિકની પ્રતિમાનો સ્પર્શ ન કરવો. જાણીને તે પ્રતિમાને જોવી પણ નહિ.
149. સ્ત્રીની પ્રતિમા ન કરવી.
150. સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારીને ઉતારેલા વસ્ત્રને અડવું નહિ.
151. મૈથુનાસક્ત પશુપક્ષીને જાણીને જોવાં નહિ.
152. સ્ત્રીના વેષધારી પુરુષને અડવું નહિ, તેની સામું જોવું નહિ અને તે સાથે બોલવું નહિ.
153. સ્ત્રીને ઉદ્દેશીને ભગવાનની કથા-વાર્તા કીર્તન પણ ન કરવાં.
154. પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ થાય એવું વચન પોતાના ગુરુનું હોય તો પણ ન માનવું.
155. સદાકાળ ધીરજવાન, સંતોષે યુક્ત ને માને રહિત રહેવું.
156. બળાકાત્કારે કરીને પોતાને સમીપે આવતી સ્ત્રીને બોલીને અથવા તિરસ્કાર કરીને પણ તરત વારવી, પણ સમીપે આવવા દેવી નહિ.
157. જો ક્યારેય સ્ત્રીઓનો અથવા પોતાનો પ્રાણ નાશ થાય એવો આપત્તકાળ આવી પડે ત્યારે તો તે સ્ત્રીઓને અડીને અથવા તે સાથે બોલીને પણ તે સ્ત્રીઓની અને પોતાની રક્ષા કરવી.
158. શરીરે તૈલમર્દન ન કરવું.
159. શસ્ત્ર તથા ભયંકર વેષ ન ધારવાં.
160. જે ઘર સ્ત્રી પીરસનારી હોય ત્યાં ભિક્ષા લેવા જવું નહિ.
161. જે ગૃહસ્થના ઘરે પીરસનારો પુરુષ જ હોય, તથા સ્ત્રીઓનો દર્શનાદિક પ્રસંગ કોઈ રીતે થાય એમ ન હોય તેવા ગૃહસ્થના ઘરે ત્યાગીઓએ જમવા જવું અને તેવું ન હોય તો કાચું અન્ન માગીને પોતાના હાથે રસોઈ કરવી ને ભગવાનને નૈવેદ્ય ધરીને જમવું.
162. વેદ આદિ શાસ્ત્રોનો અભ્યાસ કરવો ને ગુરુની સેવા કરવી.
172. જે વસ્ત્ર બહુ મુલ્યવાળું હોય, ચિત્ર વિચિત્ર ભાતનું હોય, કસુંબાદિક રંગથી રંગેલું હોય, શાલ-દુશાલા હોય વળી, બીજાની ઇચ્છાથી પોતાને પ્રાપ્ત થયું હોય, તો પણ તેવું વસ્ત્ર પહેરવું-ઓઢવું નહિ.
173. ભિક્ષા તથા સભાપ્રસંગ એ બે કાર્ય વિના ગૃહસ્થના ઘરે જવું નહિ.
174. ભગવાનની નવ પ્રકારની ભક્તિ વિના વ્યર્થ સમય વિતાવવો નહિ. નિરંતર ભક્તિ કરીને જ સમય વિતાવવો.
175. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી જડ બ્રાહ્મણ તરીકે જેમ વર્તતા હતા તેમ પરમહંસ એવા અમારા સાધુઓએ વર્તવું.
176. તાંબૂલ (પાન-પાનબીડું) તથા અફીણ તથા તમાકુ ઇત્યાદિકનું ભક્ષણ ન કરવું.
177. ગ્રામ્યવાર્તા કરવી નહિ ને જાણીને સાંભળવી નહિ.
178. રોગાદિક આપત્કાળ પડ્યા વિના ખાટલા ઉપર સૂવું નહિ.
179. મોટા સંતની આગળ નિરંતર નિષ્કપટપણે વર્તવું.
180. કુમતિવાળા દુષ્ટજન ગાળ દે અથવા મારે, તો તેને ક્ષમા આપવી, પણ તેને સામી ગાળ ન દેવી ને મારવું નહિ; અને તેનું જેમ હિત થાય તેમજ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય એવો તો સંકલ્પ પણ ન કરવો.
181. કોઈનું દૂતપણું ન કરવું; ચાડિયાપણું ન કરવું, કોઈના ચારચક્ષુ(ગુપ્તચર) ન થવું.
182. દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી ને સ્વજનાદિકને વિષે મમતા ન કરવી.
183. સૂર્ય ને ચંદ્રમાના ગ્રહણ વખતે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને ભગવાનના મંત્રનો જપ કરવો.
184. ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્રસહિત સ્નાન કરીને ત્યાગીઓએ ભગવાનની પૂજા કરવી.
186. ઉત્સવને દિવસે મંદિરમાં વાજિંત્રે સહિત ભગવાનનાં કીર્તન કરવાં.
187. સર્વ એકાદશીઓનું વ્રત આદરથકી કરવું.
188. જન્માષ્ટમી તથા શિવરાત્રી આદિક વ્રત આદરથકી કરવાં અને તે વ્રતના દિવસે મોટા ઉત્સવ કરવા. ભાદરવા શુદી ચતુર્થીને દિવસે ગણપતિની પૂજા કરવી તથા આસો વદી ચતુર્દશીને દિવસે હનુમાનની પૂજા કરવી. શ્રાવણ માસમાં મહાદેવનું પૂજન પ્રીતિપૂર્વક કરવું અથવા બીજા પાસે કરાવવું.
189. એકાદશી આદિક વ્રતનો ઉપવાસ કર્યો હોય તે દિવસ અતિશય યત્ને કરીને દિવસની નિદ્રાનો ત્યાગ કરવો. મૈથુન અને દિવસની નિદ્રાથી ઉપવાસનો નાશ થઈ જાય છે.
190. સૂર્ય ને ચંદ્રમાના ગ્રહણ વખતે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને ભગવાનના મંત્રનો જપ કરવો.
191. ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્રસહિત સ્નાન કરીને ગૃહસ્થે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું
192. જન્મ તથા મરણનું સૂતક પોતપોતાના સંબંધ અનુસાર શાસ્ત્ર મુજબ પાળવું.
193. ક્યારેક જાણે અથવા અજાણે નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું.
194. આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણ વાનાં દેશ, કાળ, અવસ્થા, દ્રવ્ય, જાતિ અને સામર્થ્ય એટલાં અનુસારે કરવા.
195. દ્વારિકા આદિક તીર્થની યાત્રા પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી.
196. સંસ્કૃત અને પ્રાકૃત એવા સદ્દગ્રંથનો અભ્યાસ પોતાની બુદ્ધિ અનુસાર કરવો.
197. ચાતુર્માસમાં વિશેષ નિયમ ધારવો. ભગવાનની કથાનું શ્રવણ કરવું, કથા વાંચવી, ભગવાનના ગુણનું કીર્તન કરવું, પંચામૃત સ્નાને કરીને ભગવાનની મહાપૂજા કરવી, મંત્રનો જપ કરવો, સ્તોત્રનો પાઠ કરવો, પ્રદક્ષિણાઓ કરવી, સાષ્ટાંગ નમસ્કાર કરવા – એ આઠ પ્રકારના નિયમ અમે ઉત્તમ માન્યા છે. તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ ચોમાસામાં વિશેષપણે ભક્તિપૂર્વક ધારવો. અસમર્થ હોય તેમણે ફક્ત શ્રાવણમાસમાં વિશેષ નિયમ ધારવો.
198. એકાદશી આદિક વ્રતનું ઉદ્યાપન (ઉજવણું) પોતાના સામર્થ્ય પ્રમાણે કરવું. તે મનવાંછિત ફળ આપનારું છે.
117. પુરુષોએ પોતાનાઅ સમીપે સંબંધ વિનાની સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો.
118. આપતકાળ પડ્યા વિના પોતાની યુવાન મા, બહેન અને દીકરી સંગાથે પણ પુરુષોએ એકાંત સ્થળે ન રહેવું.
119. રાજાનો પ્રસંગ હોય તેવી સ્ત્રીનો પ્રસંગ કોઈ પ્રકારે પણ ન કરવો.
120. પોતાનાં અંગ દેખાય તેવું ભૂંડું વસ્ત્ર ન પહેરવું.
121. મંદિરમાં પુરુષોએ સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓએ પુરુષનો સ્પર્શ ન કરવો. મંદિરમાંથી નીસર્યા પછી પોતાપોતાની રીતે વર્તવું.
122. પુરુષોએ બાઈ માણસના મુખ થકી જ્ઞાન-વાર્તા ન સાંભળવી. સ્ત્રીઓ સાથે વિવાદ ન કરવો.
123. પોતાની પત્નીનું દાન કોઈને ન કરવું.
સ્ત્રીઓ માટે :
124. પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્રી હોય, નપુંસક હોય તો પણ તેને ઈશ્વરની પેઠે સેવવો. પતિ પ્રત્યે કટુ વચન ન બોલવું.
125. સ્ત્રીઓએ પોતાના પતિ સિવાય રૂપવાન, યુવાન અને ગુણવાન અન્ય પુરુષોનો પ્રસંગ સહજ સ્વભાવે પણ ન કરવો.
126. પોતાનો પતિ પરદેશ ગયો હોય ત્યારે આકર્ષક વસ્ત્ર-આભૂષણો ન પહેરવાં, પારકા પુરુષના ઘેર બેસવા ન જવું અને હાસ્ય-વિનોદાદિકનો ત્યાગ કરવો.
127. ઓઢ્યાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું.
128. પોતાની નાભિ, સાથળ અને છાતીને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું.
129. વસ્ત્ર પહેર્યા વિના નાહવું નહિ.
130. ભાંડભવાઈ જોવા ન જવું.
131. સ્વૈરિણી,(સ્વચ્છંદી, મન ફાવે તેમ ફરવાવાળી સ્ત્રી) કામિની અને પુંશ્ચલી (વંઠેલ-વ્યભિચારી સ્ત્રી) એવી નિર્લજ્જ સ્ત્રીઓનો સંગ ન કરવો.
132. પોતાનું રજસ્વલાપણું ગુપ્ત ન રાખવું.
133. રજસ્વલા સ્ત્રીઓએ ત્રણ દિવસ સુધી કોઈ મનુષ્ય તથા વસ્ત્રાદિકને અડવું નહિ. ચોથે દિવસે નાહીને અડવું.
વિધવા સ્ત્રીઓના નિયમો :
134. વિધવા સ્ત્રીઓએ પતિબુદ્ધિએ કરીને ભગવાનને સેવવા. પોતાના પિતા, પુત્રાદિક સંબંધિની આજ્ઞામાં વર્તવું, પણ સ્વતંત્રપણે ન વર્તવું.
135. પોતાના સમીપ સંબંધ વિનાના પુરુષનો સ્પર્શ ક્યારેય ન કરવો. આવશ્યક કાર્ય વિના સમીપ સંબંધ વિનાના યુવાન પુરુષ સાથે ક્યારેય પણ બોલવું નહિ. ધાવણા બાળકને કે કોઈ વૃદ્ધ પુરુષને અડી જવાય તથા બોલાય તેમાં દોષ નથી.
136. પોતાના સમીપ સંબંધ વિનાના પુરુષ થકી કોઈ પણ વિદ્યા ન ભણવી.
137. આપત્કાળ પડ્યા વિના યુવાન વિધવા સ્ત્રીએ પોતાના સંબંધી યુવાન પુરુષ સંગાથે પણ એકાંત સ્થળે ન રહેવું.
138. પુરુષના શૃંગાર રસ સંબંધી વાત વિધવાએ ક્યારેય ન કરવી અને ન સાંભળવી.
139. મૈથુનાસક્ત પશુપક્ષી જોવાં નહિ.
140. ગર્ભપાત કરનારનો સંગ ન કરવો.
141. હોળીની રમત ન રમવી, આભૂષણાદિક ધારણ ન કરવાં, સુવર્ણાદિક ધાતુના તારે યુક્ત ઝીણાં વસ્ત્ર ક્યારેય ન પહેરવાં.
142. સધવા સ્ત્રીના જેવો તથા સંન્યાસિની કે વેરાગિણીના જેવો વેષ ન ધારવો. પોતાના દેશ, કુળ અને આચાર વિરુદ્ધ વેષ ક્યારેય ન ધારવો.
143. વ્રત-ઉપવાસ કરીને પોતાના દેહનું દમન કરવું.
144. પોતાના જીવનપર્યંત દેહનિર્વાહ થાય એટલું જ જો ધન હોય તો, વિધવા સ્ત્રીઓએ તે ધન ધર્મકાર્યમાં પણ ન આપવું. જો તેથી અધિક હોય તો આપવું.
રાવણે વિરાટ રાક્ષસસેના સાથે યુદ્ધભૂમિ તરફ પ્રયાણ કર્યું. ચોતરફ એમના શંખ-મૃદંગનો ધ્વનિ અને રાક્ષસોનો કોલાહલ ગાજી રહ્યો. રાવણે યુદ્ધભૂમિમાં પગ મૂકતાં જ વાનરોનો સંહાર શરૂ કર્યો. તેથી વાનરો ડરના માર્યા નાસભાગ કરવા લાગ્યા.
રાક્ષસસેના અને વાનરસેના વચ્ચે સતત તેરતેર દિવસથી યુદ્ધ ચાલી રહ્યું હતું. એ યુદ્ધનો ચૌદમો દિવસ આવ્યો. રાવણની નજર સામે જ બલિષ્ઠ રાક્ષસવીરો હણાઈ ગયા. તેથી રાવણ મૂંઝાઈ ગયો.
હવે રામ-લક્ષ્મણનો વધ કરવો એ જ તેનું મુખ્ય લક્ષ્ય હતું. હજારો વાનરો ભેદી ન શકાય તેવી દિવાલની જેમ રામની આગળ ગોઠવાયેલા હતા. રાવણે 'તમસ' નામના અસ્ત્ર વડે એમને ભસ્મીભૂત કરવા માંડ્યા. તેથી વાનરો આઘાપાછા થઈ ગયા. લક્ષ્મણે રાવણને રોકવા અસંખ્ય બાણો વરસાવ્યાં. પણ રાવણ લક્ષ્મણનાં બાણોને અટકાવીને રામ સામે પહોંચી ગયો.
રામ અને રાવણ વચ્ચે ઘોર સંગ્રામ થયો. રામે રાવણ પર રૌદ્રાસ્ત્ર અને આગ્નેયાસ્ત્રનો પ્રયોગ કર્યો. રાવણે રામની ઉપર માયાસુરનું અસ્ત્ર ચલાવ્યું. રામે એને ગંધર્વ અસ્ત્ર વડે નિષ્ફળ બનાવી દીધું.
પછી રાવણે સૂર્યાસ્ત્રનો પ્રયોગ કર્યો. એમાંથી મોટાંમોટાં તેજવલયો નીકળતાં હતાં. રામે એના ટુકડેટુકડા કરી દીધા. રામ અને રાવણ બંને લડતાં લડતાં સારી પેઠે ઘાયલ થઈ ગયા હતા. એવામાં લક્ષ્મણે રાવણનું ધનુષ્ય તોડી નાખ્યું અને તેના સારથિનું મસ્તક ઉડાવી દીધું. વિભીષણે રાવણના રથના અશ્વોને ઢાળી દીધા.
રાવણને ભારે હાનિ થતાં એ છંછેડાઈ ગયો. તેણે વિભીષણની ઉપર બે વખત દિવ્ય શક્તિનો ઉપયોગ કર્યો. એને બચાવવા જતાં લક્ષ્મણ એ શક્તિનો ભોગ બન્યો અને મૂર્છિત થઈ ઢળી પડ્યો. રામે લક્ષ્મણની છાતીમાંથી એ શક્તિ બહાર ખેંચી કાઢી.
ત્યાર પછી રામે રાવણ પર ભારે બાણવર્ષા કરી. રાવણ એનો જીવ બચાવવા નાસી ગયો. પછી રામ લક્ષ્મણ પાસે આવ્યા. લક્ષ્મણને બેહોશ અને લોહીલુહાણ થઈ ગયેલો જોઈને એ વ્યથિત થઈ ગયા. સુષેણે એમને સાંત્વન આપીને સંજીવની ઔષધિ વડે લક્ષ્મણનો ઉપચાર કર્યો. લક્ષ્મણ પાછો ભાનમાં આવ્યો ત્યારે રામના જીવમાં જીવ આવ્યો.
37. રાવણનો વધ
રાવણ નવા રથ અને સારથિને લઈને રણભૂમિ પર આવી પહોંચ્યો. રામ જમીન પર ઊભા રહીને એની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેથી ઇન્દ્રે પોતાના સારથિ માતલિ સાથે એક દિવ્ય રથ રામની પાસે મોકલી આપ્યો.
રામ ઇન્દ્રના રથની પ્રદક્ષિણા કરીને તેમાં સવાર થયા. ત્યાર પછી રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું.
રાવણે રામની ઉપર શૂળનો પ્રહાર કર્યો. રામે ઇન્દ્રની શક્તિ વડે એને નિષ્ફળ બનાવ્યું. એમનાં શસ્ત્રો એકબીજા સાથે અથડાતાં હતાં ત્યારે પ્રચંડ અવાજો થતા હતા. એમણે વરસાવેલાં બાણો વડે આકાશ ઢંકાઈ ગયું. રાક્ષસો અને વાનરો યુદ્ધ કરવાનું છોડીને આ બે મહારથીઓનું યુદ્ધકૌશલ જોવા લાગ્યા. રાવણ એનાં ધારદાર બાણો વડે રામને ઘાયલ કરવામાં સફળ થયો.
રામે એક બાણ વડે રાવણનું એક મસ્તક છેદી નાખ્યું. રાવણ દશાનન હતો. એને દસ માથાં હતાં. તેણે એવી માયાજાળ બિછાવી હતી કે તેનું એક મસ્તક કપાઈ જાય તો તેને સ્થાને તરત જ બીજું મસ્તક આવી જતું. રામે એની છાતીમાં અનેક બાણો માર્યાં. તે છતાં રાવણ ઉપર તેની કશી અસર ન થઈ. આથી રામે વિભીષણ સામે જોયું.
વિભીષણને રાવણના મૃત્યુનું રહસ્ય યાદ આવ્યું. તેણે રામને જણાવ્યું, "રાવણની નાભિમાં સંજીવની દ્રવ્ય છુપાયેલું છે. આપ તેની નાભિમાં બાણ મારશો તો જ એ મરશે."
આ સાંભળી રામે નિશાન તાકી બાણ છોડ્યું - બાણે રાવણની નાભિ વીંધી કાઢી. એમાં રહેલું સંજીવની દ્રવ્ય બહાર નીકળી ગયું ને રાવણ મરણને શરણ થઈ ઢળી પડ્યો. રાવણનો વધ થઈ જવાથી રાક્ષસો રણભૂમિ પરથી નાસી છૂટ્યા.
લંકામાં રાવણવધના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. એથી આખા નગરમાં હાહાકાર મચી ગયો. રાવણની પટરાણી મંદોદરી અને અંતઃપુરની સમસ્ત રાણીઓ હ્રદયસ્પર્શી રુદન કરતી કરતી રાવણના મૃતદેહની પાસે દોડી આવી. તેમણે રાવણના સદ્દગુણો અને તેના બાહુબળની પ્રશંસા કરતાં કરતાં ભારે રોકકળ કરી મૂકી. મંદોદરી રાવણને ઉદ્દેશીને બોલી, "હે નાથ ! મેં સીતાજીને શ્રીરામ પાસે પાછાં મોકલી આપવા અનેક વાર આપને સમજાવ્યા હતાં. પણ આપે મારી વાત માની નહીં. આપ જે માર્ગે ગયા છો ત્યાં મને પણ આપની સાથે લઈ જાઓ."
વિભીષણ પણ તેના ભાઈના પ્રેમને યાદ કરીને વિલાપ કરવા લાગ્યો. રામે તેને સમજાવીને શાંત કર્યો અને તેને રાવણની અંતિમક્રિયા કરવાનું સૂચન કર્યું.
વિભીષણે રાવણની રાણીઓ આશ્વાસન આપ્યું. પછી વિભીષણે એક પવિત્ર સ્થાનમાં તેના ભાઈના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કર્યો. રામે પોતાના વચન મુજબ વિભીષણનો રાજ્યાભિષેક કર્યો.
લાંબા સમયના વિયોગ બાદ રામ અને સીતાનું સુખદ મિલન થયું. પછી રામ, લક્ષ્મણ અને સીતા વિભીષણ, સુગ્રીવ, હનુમાન વગેરે સાથે પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા જવા રવાના થયા. આ પુષ્પક વિમાન રાવણે કુબેર પાસેથી પડાવી લીધું હતું.
38. રામનો રાજ્યાભિષેક
રામે સીતાને લંકાથી પંચવટી સુધીનાં વિવિધ સ્થળો બતાવ્યાં જ્યાં એ લક્ષ્મણની સાથે સીતાને શોધવા માટે ફર્યા હતા. એમણે એ સ્થળોની સાથે જોડાયેલી યાદગાર ઘટનાઓ તેમજ પોતાના અનુભવોની વાતો કરી.
રામે વિમાનને ભરદ્વાજ મુનિના આશ્રમ પાસે ઉતાર્યું. એમણે નિષાદરાજ ગુહ તથા ભરતને પોતાના આગમનના સમાચાર આપવા માટે હનુમાનને આગળ મોકલી દેધા. હનુમાને પહેલાં ગુહને પછી ભરતને મળીને રામના આગમનના સમાચાર આપ્યાં.
રામના આગમનના સમાચાર સાંભળી ભરતની આંખો ખુશીથી છલકાઈ ગઈ. એણ હનુમાનનો સત્કાર કરી તેમને રામ, સીતા અને લક્ષ્મણના કુશળક્ષેમની પૂછપરછ કરી. હનુમાને ભરતને બધી ઘટનાઓ વિગતવાર કહી સંભળાવી.
ભરત અને શત્રુઘ્ને નંદિગ્રામમાં રામના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરી. નંદિગ્રામથી અયોધ્યા સુધીનો માર્ગ શણગારવામાં આવ્યો.
ધૃષ્ટ, જયંત, વિજય, સિદ્ધાર્થ, અર્થસાધક, અશોક, મંત્રપાલ અને સુમંત્ર - એ આઠ મંત્રીઓ, અનેક અશ્વારોહી મહારથીઓ, શસ્ત્રસજ્જ સૈનિકો, દશરથની ત્રણે રાણીઓ અને અયોધ્યાના નગરજનો રામને આવકારવા નંદિગ્રામ આવી પહોંચ્યાં. ભરતે રામને દંડવત પ્રણામ કર્યા. પછી ભરત અને શત્રુધ્ન લક્ષ્મણ, સીતા, સુગ્રીવ તથા વિભીષણને મળ્યા.
બીજે દિવસે અયોધ્યામાં એક ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો. એમાં રામનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો.
હનુમાન, જાંબવાન, સુગ્રીવ, વિભીષણ વગેરે થોડા દિવસ અયોધ્યામાં રોકાઈને પછી રામની વિદાય લઈ પોતપોતાના દેશમાં પાછા ફર્યા.
રામે વર્ષો સુધી અયોધ્યાના રાજ્યનો વહીવટ કર્યો. એમણે અનેક યજ્ઞો કર્યા અને રાજ્યની પ્રજાને ખૂબ સુખી તથા સમૃદ્ધ બનાવી. એમના શાસનમાં દુઃખ, દર્દ કે અભાવનું ક્યાંય નામોનિશાન નહોતું. રામનું રાજ્ય આદર્શ કલ્યાણરાજ્ય હતું. તેથી આજે પણ શ્રેષ્ઠ રાજ્ય-વ્યવસ્થા માટે રામરાજ્યનો આદર્શ રજૂ કરવામાં આવે છે.
રાવણે વિરાટ રાક્ષસસેના સાથે યુદ્ધભૂમિ તરફ પ્રયાણ કર્યું. ચોતરફ એમના શંખ-મૃદંગનો ધ્વનિ અને રાક્ષસોનો કોલાહલ ગાજી રહ્યો. રાવણે યુદ્ધભૂમિમાં પગ મૂકતાં જ વાનરોનો સંહાર શરૂ કર્યો. તેથી વાનરો ડરના માર્યા નાસભાગ કરવા લાગ્યા.
રાક્ષસસેના અને વાનરસેના વચ્ચે સતત તેરતેર દિવસથી યુદ્ધ ચાલી રહ્યું હતું. એ યુદ્ધનો ચૌદમો દિવસ આવ્યો. રાવણની નજર સામે જ બલિષ્ઠ રાક્ષસવીરો હણાઈ ગયા. તેથી રાવણ મૂંઝાઈ ગયો.
હવે રામ-લક્ષ્મણનો વધ કરવો એ જ તેનું મુખ્ય લક્ષ્ય હતું. હજારો વાનરો ભેદી ન શકાય તેવી દિવાલની જેમ રામની આગળ ગોઠવાયેલા હતા. રાવણે 'તમસ' નામના અસ્ત્ર વડે એમને ભસ્મીભૂત કરવા માંડ્યા. તેથી વાનરો આઘાપાછા થઈ ગયા. લક્ષ્મણે રાવણને રોકવા અસંખ્ય બાણો વરસાવ્યાં. પણ રાવણ લક્ષ્મણનાં બાણોને અટકાવીને રામ સામે પહોંચી ગયો.
રામ અને રાવણ વચ્ચે ઘોર સંગ્રામ થયો. રામે રાવણ પર રૌદ્રાસ્ત્ર અને આગ્નેયાસ્ત્રનો પ્રયોગ કર્યો. રાવણે રામની ઉપર માયાસુરનું અસ્ત્ર ચલાવ્યું. રામે એને ગંધર્વ અસ્ત્ર વડે નિષ્ફળ બનાવી દીધું.
પછી રાવણે સૂર્યાસ્ત્રનો પ્રયોગ કર્યો. એમાંથી મોટાંમોટાં તેજવલયો નીકળતાં હતાં. રામે એના ટુકડેટુકડા કરી દીધા. રામ અને રાવણ બંને લડતાં લડતાં સારી પેઠે ઘાયલ થઈ ગયા હતા. એવામાં લક્ષ્મણે રાવણનું ધનુષ્ય તોડી નાખ્યું અને તેના સારથિનું મસ્તક ઉડાવી દીધું. વિભીષણે રાવણના રથના અશ્વોને ઢાળી દીધા.
રાવણને ભારે હાનિ થતાં એ છંછેડાઈ ગયો. તેણે વિભીષણની ઉપર બે વખત દિવ્ય શક્તિનો ઉપયોગ કર્યો. એને બચાવવા જતાં લક્ષ્મણ એ શક્તિનો ભોગ બન્યો અને મૂર્છિત થઈ ઢળી પડ્યો. રામે લક્ષ્મણની છાતીમાંથી એ શક્તિ બહાર ખેંચી કાઢી.
ત્યાર પછી રામે રાવણ પર ભારે બાણવર્ષા કરી. રાવણ એનો જીવ બચાવવા નાસી ગયો. પછી રામ લક્ષ્મણ પાસે આવ્યા. લક્ષ્મણને બેહોશ અને લોહીલુહાણ થઈ ગયેલો જોઈને એ વ્યથિત થઈ ગયા. સુષેણે એમને સાંત્વન આપીને સંજીવની ઔષધિ વડે લક્ષ્મણનો ઉપચાર કર્યો. લક્ષ્મણ પાછો ભાનમાં આવ્યો ત્યારે રામના જીવમાં જીવ આવ્યો.
37. રાવણનો વધ
રાવણ નવા રથ અને સારથિને લઈને રણભૂમિ પર આવી પહોંચ્યો. રામ જમીન પર ઊભા રહીને એની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તેથી ઇન્દ્રે પોતાના સારથિ માતલિ સાથે એક દિવ્ય રથ રામની પાસે મોકલી આપ્યો.
રામ ઇન્દ્રના રથની પ્રદક્ષિણા કરીને તેમાં સવાર થયા. ત્યાર પછી રામ અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું.
રાવણે રામની ઉપર શૂળનો પ્રહાર કર્યો. રામે ઇન્દ્રની શક્તિ વડે એને નિષ્ફળ બનાવ્યું. એમનાં શસ્ત્રો એકબીજા સાથે અથડાતાં હતાં ત્યારે પ્રચંડ અવાજો થતા હતા. એમણે વરસાવેલાં બાણો વડે આકાશ ઢંકાઈ ગયું. રાક્ષસો અને વાનરો યુદ્ધ કરવાનું છોડીને આ બે મહારથીઓનું યુદ્ધકૌશલ જોવા લાગ્યા. રાવણ એનાં ધારદાર બાણો વડે રામને ઘાયલ કરવામાં સફળ થયો.
રામે એક બાણ વડે રાવણનું એક મસ્તક છેદી નાખ્યું. રાવણ દશાનન હતો. એને દસ માથાં હતાં. તેણે એવી માયાજાળ બિછાવી હતી કે તેનું એક મસ્તક કપાઈ જાય તો તેને સ્થાને તરત જ બીજું મસ્તક આવી જતું. રામે એની છાતીમાં અનેક બાણો માર્યાં. તે છતાં રાવણ ઉપર તેની કશી અસર ન થઈ. આથી રામે વિભીષણ સામે જોયું.
વિભીષણને રાવણના મૃત્યુનું રહસ્ય યાદ આવ્યું. તેણે રામને જણાવ્યું, "રાવણની નાભિમાં સંજીવની દ્રવ્ય છુપાયેલું છે. આપ તેની નાભિમાં બાણ મારશો તો જ એ મરશે."
આ સાંભળી રામે નિશાન તાકી બાણ છોડ્યું - બાણે રાવણની નાભિ વીંધી કાઢી. એમાં રહેલું સંજીવની દ્રવ્ય બહાર નીકળી ગયું ને રાવણ મરણને શરણ થઈ ઢળી પડ્યો. રાવણનો વધ થઈ જવાથી રાક્ષસો રણભૂમિ પરથી નાસી છૂટ્યા.
લંકામાં રાવણવધના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા. એથી આખા નગરમાં હાહાકાર મચી ગયો. રાવણની પટરાણી મંદોદરી અને અંતઃપુરની સમસ્ત રાણીઓ હ્રદયસ્પર્શી રુદન કરતી કરતી રાવણના મૃતદેહની પાસે દોડી આવી. તેમણે રાવણના સદ્દગુણો અને તેના બાહુબળની પ્રશંસા કરતાં કરતાં ભારે રોકકળ કરી મૂકી. મંદોદરી રાવણને ઉદ્દેશીને બોલી, "હે નાથ ! મેં સીતાજીને શ્રીરામ પાસે પાછાં મોકલી આપવા અનેક વાર આપને સમજાવ્યા હતાં. પણ આપે મારી વાત માની નહીં. આપ જે માર્ગે ગયા છો ત્યાં મને પણ આપની સાથે લઈ જાઓ."
વિભીષણ પણ તેના ભાઈના પ્રેમને યાદ કરીને વિલાપ કરવા લાગ્યો. રામે તેને સમજાવીને શાંત કર્યો અને તેને રાવણની અંતિમક્રિયા કરવાનું સૂચન કર્યું.
વિભીષણે રાવણની રાણીઓ આશ્વાસન આપ્યું. પછી વિભીષણે એક પવિત્ર સ્થાનમાં તેના ભાઈના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કર્યો. રામે પોતાના વચન મુજબ વિભીષણનો રાજ્યાભિષેક કર્યો.
લાંબા સમયના વિયોગ બાદ રામ અને સીતાનું સુખદ મિલન થયું. પછી રામ, લક્ષ્મણ અને સીતા વિભીષણ, સુગ્રીવ, હનુમાન વગેરે સાથે પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા જવા રવાના થયા. આ પુષ્પક વિમાન રાવણે કુબેર પાસેથી પડાવી લીધું હતું.
38. રામનો રાજ્યાભિષેક
રામે સીતાને લંકાથી પંચવટી સુધીનાં વિવિધ સ્થળો બતાવ્યાં જ્યાં એ લક્ષ્મણની સાથે સીતાને શોધવા માટે ફર્યા હતા. એમણે એ સ્થળોની સાથે જોડાયેલી યાદગાર ઘટનાઓ તેમજ પોતાના અનુભવોની વાતો કરી.
રામે વિમાનને ભરદ્વાજ મુનિના આશ્રમ પાસે ઉતાર્યું. એમણે નિષાદરાજ ગુહ તથા ભરતને પોતાના આગમનના સમાચાર આપવા માટે હનુમાનને આગળ મોકલી દેધા. હનુમાને પહેલાં ગુહને પછી ભરતને મળીને રામના આગમનના સમાચાર આપ્યાં.
રામના આગમનના સમાચાર સાંભળી ભરતની આંખો ખુશીથી છલકાઈ ગઈ. એણ હનુમાનનો સત્કાર કરી તેમને રામ, સીતા અને લક્ષ્મણના કુશળક્ષેમની પૂછપરછ કરી. હનુમાને ભરતને બધી ઘટનાઓ વિગતવાર કહી સંભળાવી.
ભરત અને શત્રુઘ્ને નંદિગ્રામમાં રામના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરી. નંદિગ્રામથી અયોધ્યા સુધીનો માર્ગ શણગારવામાં આવ્યો.
ધૃષ્ટ, જયંત, વિજય, સિદ્ધાર્થ, અર્થસાધક, અશોક, મંત્રપાલ અને સુમંત્ર - એ આઠ મંત્રીઓ, અનેક અશ્વારોહી મહારથીઓ, શસ્ત્રસજ્જ સૈનિકો, દશરથની ત્રણે રાણીઓ અને અયોધ્યાના નગરજનો રામને આવકારવા નંદિગ્રામ આવી પહોંચ્યાં. ભરતે રામને દંડવત પ્રણામ કર્યા. પછી ભરત અને શત્રુધ્ન લક્ષ્મણ, સીતા, સુગ્રીવ તથા વિભીષણને મળ્યા.
બીજે દિવસે અયોધ્યામાં એક ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો. એમાં રામનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો.
હનુમાન, જાંબવાન, સુગ્રીવ, વિભીષણ વગેરે થોડા દિવસ અયોધ્યામાં રોકાઈને પછી રામની વિદાય લઈ પોતપોતાના દેશમાં પાછા ફર્યા.
રામે વર્ષો સુધી અયોધ્યાના રાજ્યનો વહીવટ કર્યો. એમણે અનેક યજ્ઞો કર્યા અને રાજ્યની પ્રજાને ખૂબ સુખી તથા સમૃદ્ધ બનાવી. એમના શાસનમાં દુઃખ, દર્દ કે અભાવનું ક્યાંય નામોનિશાન નહોતું. રામનું રાજ્ય આદર્શ કલ્યાણરાજ્ય હતું. તેથી આજે પણ શ્રેષ્ઠ રાજ્ય-વ્યવસ્થા માટે રામરાજ્યનો આદર્શ રજૂ કરવામાં આવે છે.
સુગ્રીવ અને વિભીષણે એમના સૈન્યની વ્યુહરચના ગોઠવી દીધી. પછી રામે એમના તમામ સલાહકારોને એકઠા કરીને તેમની સાથે ચર્ચાવિચારણા કરી. ત્યારે જાંબવાને રામને કહ્યું, "મારી સૂઝ અનુસાર હું આપને એક નમ્ર સૂચન કરું છું કે જો બની શકે તો આપણે અંગદને દૂત તરીકે રાવણની પાસે મોકલીને સમાધાનનો એક છેલ્લો પ્રયત્ન કરી લેવો જોઈએ."
બધા તેની સાથે સંમત હતા. તેથી રામે અંગદને બોલાવીને કહ્યું, "વાલિપુત્ર અંગદ, તું બળ, બુદ્ધિ અને ગુણોનો ભંડાર છે. એટલે શત્રુ સાથે એવી રીતે વાતચીત કરજે જેનાથી આપણું કાર્ય સિદ્ધ થાય અને શત્રુનું પણ કંઈક કલ્યાણ થાય."
રામની આજ્ઞા માથે ચડાવીને અંગદ આનંદપૂર્વક લંકા તરફ ઊપડ્યો. લંકામાં પ્રવેશ કરી તે રાવણના દરબારમાં પ્રવેશ્યો. રાવણે તોછડાઈથી તેને પૂછ્યું, "અરે વાનર ! તું કોણ છે.?"
અંગદે કહ્યું, "હે દશાનન, હું શ્રીરામનો દૂત છું. મારા પિતા વાલિ તમારા મિત્ર હતા. એટલે હું તમારી ભલાઇને માટે અહીં આવ્યો છું. શ્રીરામના શરણે આવો. તેનાથી તમારા પર પ્રભુની કૃપા ઊતરશે અને ભગવાન શ્રીરામ તમને અભયવચન આપશે."
નથી કે તું કોની સાથે વાત કરી રહ્યો છે. વાલિ મારો મિત્ર હતો તેથી મેં તારી વાતો સાંભળી લીધી છે, તું જેનાં ગુણગાન ગાઈ રહ્યો છે તેનામાં, બળ, બુદ્ધિ, પ્રતાપ કે તેજ કશું જ નથી. એને નગુણો સમજીને જ તેના પિતાએ તેને વનમાં મોકલી આપ્યો છે. વળી એ તો એની પત્નીના વિરહમાં નબળો પડી ગયેલો છે અને તેને રાતદિવસ મારો ભય સતાવ્યા કરે છે. અરે મૂર્ખ, તું તારી જીદ છોડ અને અહીંથી રવાના થા."
રાવણે રામની નિંદા કરી તેથી અંગદનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. એણે તેના બે હાથથી પૃથ્વી પર એવા મુક્કા લગાવ્યા કે આખી ધરતી ધુજી ઊઠી. રાવણ પણ જમીન પર ગબડી પડ્યો.
રાવણ અંગદની હરકતથી ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. એણે તેના સૈનિકોને આજ્ઞા કરી, "આ ઉદ્ધત વાનરને પકડીને મારી નાખો."
પાંચ-સાત સૈનિકો અંગદને પકડવા દોડ્યા. અંગદે એમને ધૂળચાટતા કરી દીધા. પછી તેણે રાવણના મહેલ પર ચઢીને તેના ઘુમ્મટ અને મિનારા તોડી નાખ્યા. ત્યાર બાદ તે એક છલાંગ લગાવીને રામની પાસે પાછો આવી પહોંચ્યો. અંગદની સાથે વાતચીત કરીને રામે તેમના સૈન્યને લંકા પર આક્રમણ કરવાની સૂચના આપી.
રાવણે સીતાને ભોળવવા માટે એક છેલ્લો પાસો અજમાવ્યો. તે મેલીવિદ્યાના સાધક વિદ્યુજ્જિહ્વને લઈને અશોકવનમાં ગયો. એણે સીતાને કહ્યું, "મારા સૈનિકોએ રામને હણી નાખ્યા છે. તેઓ રામનું મસ્તક એમની સાથે લઈ આવ્યા છે. હવે તારે કોઈ આધાર રહ્યો નથી. માટે તું મારી પટરાણી બની જા."
પછી વિદ્યુજ્જિહ્વે એની માયાથી રામનું કપાયેલું મસ્તક રચીને સીતા પાસે મૂક્યું. એ જોઈ સીતાનું હ્રદય કકળી ઊઠ્યુ અને એણે હ્રદયદ્રાવક વિલાપ કર્યો.
એટલામાં રામનું સૈન્ય લંકાના કિલ્લા પાસે આવી પહોંચ્યું. સેનાપતિ પ્રહસ્તનો સંદેશો મળતાં રાવણે તરત ત્યાંથી પાછા ફરવું પડ્યું. રાવણ ગયો એટલે રાક્ષસની માયાનો પણ લોપ થઈ ગયો. રામનું બનાવટી મુખ અર્દશ્ય થઈ ગયું.
સરમા નામની રાક્ષસીએ સીતાને રામના મુખ વિશે સાચી વાત જણાવી દીધી. એટલામાં વાનર સેન્યનાં અવાજો સંભળાવા લાગ્યા. તેથી સીતાને ખાતરી થઈ ગઈ કે હવે રાવણનો અંત અને રામનું મિલન હાથવેંતમાં છે.
32. સર્પબાણનો પ્રયોગ
સુગ્રીવનું સૈન્ય રામ, લક્ષ્મણ અને સુગ્રીવનો જયઘોષ કરતું લંકાના કિલ્લા તરફ ધસી ગયું. વાનરોએ વિશાળ વૃક્ષોના પ્રહારો વડે કિલ્લાના પ્રવેશદ્વારોને તોડી નાખ્યા.
વૃક્ષો, ખડકો, શિલાઓ, નખ અને મુક્કા-એ વાનરોનાં શસ્ત્રો હતાં. જ્યારે રાક્ષસો પાસે જાતજાતનાં આયુધો હતાં. જોતજોતામાં બંને પક્ષે હજારો સૈનિકોની ખુવારી થઈ ગઈ.
અંગદે ઇન્દ્રજિતની સાથે, વિભીષણના મંત્રી સંપાતિએ પ્રજંઘ સાથે, હનુમાને જાંબમાલિ સાથે, નીલે નિકુંભ સાથે અને લક્ષ્મણે વિરૂપાક્ષની સાથે યુદ્ધ કર્યું. રામે એમનાં બાણો વડે હજારો રાક્ષસોને વીંધી નાખ્યા. સુગ્રીવે પ્રઘસને અને લક્ષ્મણે વિરૂપાક્ષને હણી નાખ્યા.
અંગદે ઇન્દ્રજિતના રથને તોડી નાખી તેના અશ્વોને મારી નાખ્યા. તેથી ઇન્દ્રજિત ઉશ્કેરાઈને અર્દશ્ય થઈ ગયો. તેણે અર્દશ્ય રહીને રામ અને લક્ષ્મણની ઉપર અસંખ્ય તીરો વરસાવવા માંડ્યા. તેનાથી રામ અને લક્ષ્મણ ગૂંચવાઈ ગયા. ઇન્દ્રજિતે તેમની એ મૂંઝવણનો લાભ ઉઠાવી તેમની ઉપર સર્પબાણનો પ્રયોગ કર્યો. રામ અને લક્ષ્મણ સર્પોના બંધનમાં જકડાઈ ગયા અને તરત જ મૂર્છિત થઈ ગયા.
વિભીષણે હિંમત આપતાં કહ્યું, "હિંમત હારશો નહીં. રામ અને લક્ષ્મણ જીવિત છે. તેઓ થોડી વારમાં ભાનમાં આવી જશે અને પાછા યુદ્ધ કરવામાં જોડાઈ જશે."
રાવણે સીતાને રામ-લક્ષ્મણના મૃત્યુના સમાચાર કહેવડાવ્યા. સીતા દુઃખી થઈને વિલાપ કરવા માંડ્યાં. ત્યારે ત્રિજટા નામની એક રાક્ષસીએ એમને સાંત્વન આપતાં કહ્યું, "રામ અને લક્ષ્મણ ફક્ત મૂર્છિત થઈ ગયા છે."
થોડી વારમાં રામની મૂર્છા દૂર થઈ ગઈ. તે લક્ષ્મણને મૃત સમજીને વિલાપ કરવા લાગ્યા. એ જોઈને વિભીષણ પણ રડવા લાગ્યા. વાનર સરદાર સુષેણે હનુમાન પાસે હિમાલય પરથી સંજીવની ઔષધિ મંગાવવાની તજવીજ શરૂ કરી. એટલામાં પક્ષીરાજ ગરુડ ત્યાં આવી ચડ્યા.
ગરુડનું આગમન થતાં જ રામ-લક્ષ્મણને વીંટળાઈને રહેલા સર્પ નાસી ગયા. ગરુડે બંને ભાઈઓના દેહને પંપાળ્યા. એથી રામ અને લક્ષ્મણના બધા ઘા રુઝાઈ ગયા.
ત્યાર પછી ગરુડરાજ આકાશમાં ઊડી ગયા. રામ અને લક્ષ્મણ સ્વસ્થ થઈ જતાં વાનરો ઉત્સાહમાં આવી ગયા. એમણે લંકા પર બમણા વેગે આક્રમણ કર્યું.
33. યુદ્ધમાં રામનું પલ્લું નમી ગયું
રામ અમે લક્ષ્મણ મૃત્યું પામ્યા છે એવું સમજી હવે રાવણ નિશ્ચિંત થઈ ગયો હતો. એટલામાં સૈનિકોએ આવી રાવણને કહ્યું, "રામ અને લક્ષ્મણ સર્પબાણના બંધનમાંથી મુક્ત થઈ પાછા યુદ્ધ કરવા લાગ્યા છે."
આ સાંભળીને રાવણે વિચાર્યું, "સર્પબાણના બંધનમાંથી હજુ સુધી તો કોઈ મુક્ત થઈ શક્યું નથી. જ્યારે આ બે માનવો એના બંધનમાંથી મુક્ત થઈ શક્યા છે. એટલે તે મારા માટે ચોક્કસ ભયજનક પુરવાર થશે."
રાવણે ધૂમ્રાક્ષને રણભૂમિ પર મોકલ્યો. ધૂમ્રાક્ષ અને હનુમાન વચ્ચે જંગ ખેલાયો. એમાં હનુમાને ધૂમ્રાક્ષ અને તેની સાથેના તમામ રાક્ષસોને ભોંય ભેગા કરી દીધા.
પછી રાવણે વજ્રદંષ્ટને બળવાન રાક્ષસોની સેના સાથે રણભૂમિ પર મોકલ્યો. અંગદે તેનો વીરતાથી સામનો કર્યો, છતાં બંને પક્ષે સારી એવી ખુવારી થઈ ગઈ. વજ્રદંષ્ટે યુદ્ધમાં અપ્રતિમ શૌર્ય બતાવ્યું. આખરે અંગદે દ્વંદ્વયુદ્ધમાં તેને હણી નાખ્યો. એથી રાક્ષસોની સેનામાં ભંગાણ પડી ગયું.
એ પછી રાવણના પુત્ર અકંપને રણભૂમિ પર આવીને વાનરસેનામાં હાહાકાર વરતાવી દીધો. છેવટે હનુમાને અકંપનને મારી નાખ્યો ત્યારે રાવણની હિંમત તૂટી ગઈ. હવે એણે એનો વ્યુહ બદલીને મહાયુદ્ધનું આયોજન કર્યું.
રાવણનો સેનાપતિ પ્રહસ્ત યુદ્ધમાં દેવોને પણ ભારે પડે એવો યોદ્ધો હતો. તેના મૃત્યુથી રાવણને આઘાત અને આશ્ચર્ય થયાં. એ ગુસ્સે થઈને પોતાના પુત્ર ઇન્દ્રજિતને સાથે લઈને શત્રુઓ પર ત્રાટકવા નીકળી પડ્યો.
દૂરથી નવી રાક્ષસસેનાને આવતી જોઈ વાનરો લડવા માટે સજ્જ થઈ ગયા. વિભીષણે રામને રાવણ, ઇન્દ્રજિત અને અન્ય રાક્ષસયોદ્ધાઓનો પરિચય આપ્યો. રામ રાવણનું ભવ્ય અને તેજસ્વી વ્યક્તિત્વ જોઈ પ્રભાવિત થયા. રામને વિચાર આવ્યો, "રાવણ ખરેખર પ્રભાવશાળી અને પ્રતાપી રાજા છે. પણ એની દુષ્ટતાને લીધે મારે તેને હણવો પડશે."
રાવણે યુદ્ધભૂમિમાં આવતાંની સાથે અનેક વાનર વીરોને પરાસ્ત કર્યા. લક્ષ્મણ રાવણ સાથે લડતાં લડતાં ઘવાયો હતો. તેથી હનુમાન તેને ઊંચકીને રામની પાસે મૂકી આવ્યા. રામે હનુમાનના ખભે બેસીને રાવણ સાથે ભયાનક યુદ્ધ કર્યું. એમાં રામે રાવણનાં મુગટ, રથ અને શસ્ત્રોનો નાશ કરી નાખ્યો. રાવણ રણભૂમિ પર શસ્ત્રહીન, ઘાયલ અને અસહાય દશામાં મુકાઈ ગયો.
34. કુંભકર્ણનો વધ
રામને હાથે જીવતદાન પામીને રાવણ શરમનો માર્યો તેના મહેલમાં જતો રહ્યો.તે ઘણી વાર સુધી સૂનમૂન બેસી રહ્યો. એણે એના મંત્રીઓને બોલાવી કુંભકર્ણને જગાડી લાવવા કહ્યું.
કુંભકર્ણને એવો શાપ મળેલો હતો કે તે એક વાર ઊંઘી જાય તો છ મહિના સુધી જાગી ન શકે. રાવણના મંત્રીઓએ કુંભકર્ણના ભોજનનો પ્રબંધ કરીને તેને જગાડવા ભારે પુરુષાર્થ શરૂ કર્યો. પરંતુ કંભકર્ણ પર તેની કંઈ અસર થઈ નહીં. એના દેહ પરથી હાથી ચલાવવામાં આવ્યા, એને ડંડાના પ્રહારો કરવામાં આવ્યા. અંતે મહામુશ્કેલીએ કુંભકર્ણ જાગ્યો. એણે જાગીને તરત જ ઢગલાબંધ આહાર કર્યો.
કુંભકર્ણ રાવણના મહેલ તરફ ચાલ્યો. રાવણ દોડીને તેને ભેટી પડ્યો. એણે કુંભકર્ણને શરૂઆતથી અંત સુધીની ઘટના કહીને તેને કહ્યું, "રામ, લક્ષ્મણ તથા વાનરો મારે માટે ત્રાસરૂપ બની ગયા છે. તું એમને હણીને લંકાને તથા આપણી રાક્ષસ જાતિને વિનાશમાંથી ઉગારી લે."
કુંભકર્ણએ રાવણને કહ્યું, "લંકેશ ! તમે બધી ચિંતા છોડી દો. હું હમણાં જ યુદ્ધભૂમિ પર જઉં છું. હું રામ અને લક્ષ્મણનાં માથાં કાપી લાવીને તમારા ચરણોમાં મૂકીશ. હું જીવિત હોઈશ ત્યાં સુધી રામ તમારા સુધી પહોંચી શકશે નહીં તેની ખાતરી રાખજો."
આ સાંભળી રાવણના મનમાં નવી આશા જન્મી. એણે કુંભકર્ણને કિંમતી વસ્ત્રો અને અલંકારો પહેરાવ્યાં. જ્યારે કુંભકર્ણ એનો ભાલો ઉઠાવીને યુદ્ધભૂમિ તરફ જવા નીકળ્યો ત્યારે રાવણે એક બળવાન સૈન્યને પણ તેની સાથે રવાના કર્યું.
નગરજનોની શુભેચ્છાઓ અને પુષ્પવૃષ્ટિ ઝીલતો કુંભકર્ણ આંધીની જેમ વાનરસેના તરફ ધસી ગયો. એની તોફાની ગતિથી વાનરસૈન્ય ભયથી ખળભળી ઊઠ્યું. વાનરો ચારે બાજુ નાસભાગ કરવા લાગ્યા. અંગદે એમને મહામુશ્કેલીએ સંગઠિત કરી કુંભકર્ણનો વીરતાપૂર્વક સામનો કરવાનો આદેશ આપ્યો.
અંગદે કુંભકર્ણ પર ફેંકેલાં મોટાં વૃક્ષો અને શિલાઓની તેના પર કશી અસર થતી ન હતી. વાનરો રાક્ષસ સૈનિકો સાથે આસાનીથી લડતા હતા પણ તે કુંભકર્ણથી દૂર ભાગતા હતા. હનુમાને એને એક મોટી શિલા વડે થોડોક ઘાયલ કર્યો, તો કુંભકર્ણે હનુમાનની છાતીમાં ત્રિશૂળ મારી દીધું. એ પછી પણ એણે અનેક વાનર યોદ્ધાઓને શસ્ત્રાસ્ત્રના પ્રહારો વડે મૂર્છિત કરી દીધા. અંગદ અને સુગ્રીવ પણ મૂર્છિત થઈ ગયા. કુંભકર્ણ સુગ્રીવને ઉઠાવીને લંકા તરફ જવા લાગ્યો. રસ્તામાં સુગ્રીવને ભાન આવતાં એણે કુંભકર્ણના મોં પર પોતાના નખ વડે
હુમલો કર્યો. કુંભકર્ણે એ ત્રાસથી બચવા સુગ્રીવને છોડી મૂક્યો. સુગ્રીવ તરત જ પોતાના સૈન્યમાં પાછો ફર્યો.
કુંભકર્ણ ફરીથી વાનરસેના પર તૂટી પડ્યો ત્યારે લક્ષ્મણે એનો વીરતાપૂર્વક સામનો કર્યો અને તેને પીછેહઠ કરવાની ફરજ પાડી. કુંભકર્ણે લક્ષ્મણની પ્રશંસા કરતાં કહ્યું, "હે ધનુર્ધારી ! તું ખરેખરે યુદ્ધકલામાં પારંગત છે. હું તારા કૌશલથી ખુશ થઈ ગયો છું. મારું
મુખ્ય લક્ષ્ય રામ છે. તું મને એની પાસે જવા દે." ત્યાર બાદ કુંભકર્ણ અને રામ વચ્ચે ભારે જંગ ખેલાયો. રામે એક બાણ વડે કુંભકર્ણનો જમણો હાથ કાપી નાખ્યો. એ હાથ રણભૂમિમાં પડતાં તેની નીચે અનેક વાનરો ચગદાઈ ગયા. કુંભકર્ણ એના ડાબા હાથમાં એક વૃક્ષ લઈને રામ પર હુમલો કર્યો. રામે તેનો એ હાથ પણ કાપી નાખ્યો. કુંભકર્ણ રોષપૂર્વક પોતાનું મોં ફાડીને રામ તરફ દોડ્યો. ત્યારે રામે તેના બંને પગ પણ કાપી નાખ્યા. આમ છતાં તે હુમલો
કરવા થનગની રહ્યો હતો. તેથી રામે એક બાણ વડે તેનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. વાનરસેનાએ ખુશખુશાલ થઈ રામનો જયજયકાર કર્યો. બચી ગયેલા રાક્ષસો લંકા તરફ નાસી ગયા.
35. ઇન્દ્રજિત હણાયો
કુંભકર્ણના મૃત્યુના સમાચાર જાણીને રાવણને પ્રચંડ આઘાત લાગ્યો. એ પોતાના મૃત ભાઈને યાદ કરી વારંવાર વિલાપ કરવા લાગ્યો. એના પુત્રો દેવાંતક, નરાંતક, ત્રિશીર્ષ અને અતિકાય તેની પાસે આવ્યા. તેમણે રાવણને આશ્વાસન આપી યુદ્ધ કરવા જવાની ઇચ્છા પ્રગટ કરી. રાવણે તેના ભાઈઓ મહોદર અને મહાપાર્શ્વની સાથે તેમને યુદ્ધભૂમિ પર જવા સંમતિ આપી.
રાવણના ભાઇઓ અને પુત્રોએ રણભૂમિ પર જઈ વાનરસૈન્ય સામે અપૂર્વ શૌર્ય બતાવ્યું. નરાંતકે સુગ્રીવ પર હુમલો કર્યો ત્યારે અંગદે વચ્ચે આવી જઈને તેને હણી નાખ્યો. હનુમાને દેવાંતક અને ત્રિશીર્ષને હણી નાખ્યા. મહોદર નીલને હાથે વીરગતિ પામ્યો. ઋષભે મહાપાર્શ્વનો વધ કર્યો અને લક્ષ્મણનાં બાણોથી અતિકાયનો અંત આવી ગયો. આમ રાવણના આ અજેય યોદ્ધાઓ પણ યુદ્ધભૂમિ પર ચિર નિદ્રામાં પોઢી ગયા.
હવે રાવણ હિંમત હારી બેઠો હતો. એને મોડે મોડે પણ રામની દૈવી શક્તિનો અહેસાસ થયો. તેનો પુત્ર ઇન્દ્રજિત એને સાંત્વન આપી યુદ્ધભૂમિ પર ગયો.
ઇન્દ્રજિતે હજારો વાનરોને હણી નાખ્યા. એણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો જેથી લક્ષ્મણ મૂર્છિત થઈને ઢળી પડ્યા.
જાંબવાને હનુમાનને કહ્યું, "તું ઝડપથી હિમાલય પર જા, ત્યાં કૈલાસ અને ઋષભ પર્વત વચ્ચે દ્રોણાચલ નામે એક ટેકરી આવેલી છે. તેના પરથી મૃતસંજીવની, વિશલ્યકરણી, સાવર્ણકરણી અને સંધાનકરણી ઔષધિઓ લઈ આવ."
હનુમાન ઊડીને હિમાલય પર આવી પહોંચ્યા. એમણે દ્રોણાચલ ટેકરી શોધી કાઢી. પણ જાંબવાને સૂચવીલી વનસ્પતિને તે ઓળખી શક્યા નહીં એટલે તે આખી ઔષધટેકરીને ઊંચકીને જાંબવાનની પાસે લઈ આવ્યા.
સંજીવની ઔષધ વડે લક્ષ્મણની મૂર્છા દૂર થઈ ગઈ.. તેઓ નવી શક્તિ મેળવીને લડવા માટે પાછા સક્રિય થઈ ગયા.
રાવણે ઇન્દ્રજિતને ફરીથી યુદ્ધ કરવા મોકલ્યો. ઇન્દ્રજિતે નિકુંભલા દેવીના મંદિરમાં જઈને ત્યાં આસુરી યજ્ઞ શરૂ કર્યો. વિભીષણે લક્ષ્મણને ઇન્દ્રજિતનો યજ્ઞ ભંગ કરવા સૂચવ્યું.
ઇન્દ્રજિત યજ્ઞમાં બલિ આપી રહ્યો હતો એ જ સમયે લક્ષ્મણે એના યજ્ઞમાં ભંગાણ પાડ્યું. તેથી ઇન્દ્રજિતે લક્ષ્મણ સાથે ફરજિયાત યુદ્ધ કરવું પડ્યું. બંને વચ્ચે ભીષણ સંગ્રામ થયો. લક્ષ્મણે રામનું સ્મરણ કરીને ઇન્દ્રજિત પર ઇન્દ્રાસ્ત્ર છોડી દીધું. તેનાથી ઇન્દ્રજિતનું મસ્તક છેદાઈ ગયું અને તે ધરતી પર ઢળી પડ્યો..
કોઈ મનુષ્ય ઇન્દ્રજિતને હણી શકે એ વાત માનવા રાવણ તૈયાર જ ન હતો. એને થયું કે એના પરિવારના આ વિનાશના મૂળમાં સીતા રહેલી છે. તેથી તે તલવાર લઈને સીતાની હત્યા કરવા દોડ્યો. એના પ્રધાન સુપાર્શ્વે એને સમજાવીને રોકી લેતાં કહ્યું, "મહારજ, આપના જેવા ધર્માત્માને સ્ત્રીવધનું કુકર્મ કરવું શોભાસ્પદ નથી. આપનો ક્રોધ રામની ઉપર ઉતારો એ જ ઉચિત છે."
રાવણે સુપાર્શ્વની વાત સ્વીકારી લીધી. તેણે તેના સેનાનાયકોને કહ્યું, "હવે તમે યુદ્ધભૂમિમાં જઈને રામ અને લક્ષ્મણનો ગમે તે ભોગે વધ કરો. આ કાર્ય તમારાથી નહીં થઈ શકે તો કાલે સવારે હું પોતે તેમની સાથે યુદ્ધ કરીને તેમને હણી નાખીશ."