Friday, June 3, 2011

વાસ્તુદોષો દૂર કરવાના ઉપાયો તોડફોડ કર્યા સિવાય



એક સુંદર દોષમુક્ત ઘર બનાવવાની દરેક વ્યક્તિની કામના હોય છે. પરંતુ વાસ્તુ વિજ્ઞાાનના પૂરતા જ્ઞાાનના અભાવમાં ભવનના નિર્માણમાં કંઈક અશુભ તત્ત્વો તથા વાસ્તુદોષોનો અનાયાસે સમાવેશ થઈ જાય છે. પરિણામે ગૃહસ્વામીને વિભિન્ન આર્િથક, સામાજિક અને રાજનીતિક કષ્ટોનો સામનો કરવો પડતો હોય છે. ઘરનું નિર્માણ કર્યા પછી તેને તોડફોડ કરીને વાસ્તુના દોષોને દૂર કરવાનું કાર્યક્રમ થાય છે. આવી પરિસ્થિતિમાં આપણા ઋષિમુનિઓએ તોડફોડ કર્યા સિવાય આ દોષોના નિવારણ માટેના કેટલાક ઉપાયો દર્શાવ્યા છે.

તેઓએ પ્રકૃતિની અણમોલ ભેટ સમાન સૂર્યની ઊર્જા, દવા અને પૃથ્વીની ચુંબકીય શક્તિ વગેરેના યોગ્ય ઉપાયો યોજવાની સલાહ આપી છે. નીચે વાસ્તુદોષોના નિવારણ માટેના કેટલાક ઉપાયો નિર્દેશ્યા છે.

ઈશાન ખૂણો

જો ઈશાન ક્ષેત્રની ઉત્તરીય પૂર્વી દીવાલ કપાયેલી હોય તો તે કપાયેલા ભાગ પર એક મોટું દર્પણ લગાવી દેવું. આનાથી ભવનનું ઈશાન ક્ષેત્ર પ્રતીકાત્મક રૃપે વધી જાય છે.

જો ઈશાન ખૂણો કપાયેલો હોય અને કોઈ અન્ય ખૂણાની દિશા વધેલી હોય તો કોઈ સાધુ પુરુષ અથવા પોતાના ગુરુ કે બૃહસ્પતિ ગ્રહ અથવા બ્રહ્માજીનું કોઈ ચિત્ર અથવા મૂર્તિ કે કોઈ અન્ય પ્રતીક ઈશાન ખૂણા તરફ મૂકી દેવું. ગુરુની સેવા કરવી એ એક સર્વોત્તમ ઉપાય છે. બૃહસ્પતિ એ ઈશાન ખૂણાના સ્વામી અને દેવતાઓના ગુરુ છે. કપાયેલા ઈશાન ખૂણાના ખરાબ પ્રભાવને દૂર કરવાને માટે સાધુ પુરુષોને વેસનમાંથી બનાવેલી બરફી કે લાડુઓનો પ્રસાદ વહેંચવો જોઈએ.

આ ક્ષેત્ર જલકુંડ, કૂવો અથવા પેયજળને માટે કોઈ અન્ય સ્રોત હેતુ એક સર્વોત્તમ સ્થાન છે. જો અહીંયાં જળ હોય તો ચીની માટીના એક પાત્રમાં જળ અને તુલસીદળ કે ગુલદસ્તો કે જળ ભરીને મૂકવાં. શુભ ફળની પ્રાપ્તિ માટે આ જળ અને ફૂલોને દરરોજ બદલતાં રહેવું જોઈએ.

પોતાના શયનકક્ષની ઈશાન ખૂણાની દીવાલ પર ભોજનની શોધમાં ઊડતા શુભ પક્ષીઓનું એક સુંદર આકર્ષક ચિત્ર ટીંગાડી દેવું. કમાવવાની ઇચ્છા ધરાવતા બહાર નીકળવાથી ગભરાતા લોકો માટે આ એક ચમત્કારી પ્રભાવ અસરકારક નીવડે છે.

બરફથી ઢંકાયેલા કૈલાસ પર્વત પર ધ્યાનસ્થ યોગીની મુદ્રામાં બેઠેલા મહાદેવ શિવનો ફોટો, ચિત્ર અથવા મૂર્તિ સ્થાપવી. જેમાં તેમના ભાલ પર ચન્દ્ર હોય અને લાંબી જટાઓમાંથી ગંગાજી વહી રહ્યાં હોય.

ઈશાન ખૂણામાં વિધિપૂર્વક બૃહસ્પતિ યંત્રની સ્થાપના કરવી.

પૂર્વ દિશા

જો પૂર્વ દિશા કપાયેલી હોય તો પૂર્વ દીવાલ પર એક મોટું દર્પણ લગાવવું. તેનાથી ભવનના પૂર્વી ક્ષેત્રમાં પ્રતીકાત્મક વૃદ્ધિ થાય છે.

પૂર્વની દિશા કપાયેલી હોવા અંગેની સ્થિતિમાં ત્યાં સાત ઘોડાના રથ પર સવાર થયેલ ભગવાન સૂર્ય દેવની એક તસવીર કે મૂર્તિ કે કોઈ ચિહ્ન અથવા પ્રતીક મૂકી દેવું.

સૂર્યોદયના સમયે સૂર્ય ભગવાનને જળનો અર્ઘ્ય અર્પણ કરવો. અર્ઘ્ય આપતી વખતે ગાયત્રીના મંત્રનું સાત વખત ટણ કરવું. પુરુષે પોતાના પિતા અને સ્ત્રી પોતાના સ્વામીની સેવા કરવી જોઈએ.

પ્રત્યેક કક્ષાના પૂર્વમાં પ્રાતઃ કાલીન સૂર્યનાં પ્રથમ કિરણોના પ્રવેશ માટે એક બારી હોવી જોઈએ. આ શક્ય ન હોય તો તે ભાગમાં સોનેરી અથવા પીળા પ્રકાશવાળો બલ્બ હોવો જોઈએ.

પૂર્વમાં લાલ, સોનેરી અને પીળા રંગનો ઉપયોગ કરવો. પૂર્વી ક્ષેત્રમાં અથવા પૂર્વી ક્ષેત્રમાં માટી ખોદીને જળકુંજલ વાપરવો અને તેમાં લાલ ગુલાબના છોડ રોપવા.

પોતાના શયનકક્ષની પૂર્વ દીવાલ પર ઉદય થતા સૂર્ય તરફ હાર બંધ ઊડતાં હંસ, પોપટ, મોર, આદિ પક્ષીઓ અથવા ભોજનની શોધમાં પોતાનો માળો છોડીને શુભ પક્ષીઓનું ચિત્ર ટીંગાડવું. અકર્મણ્ય અને કમાવવા માટે બહાર જતા બીતી વ્યક્તિઓ માટે આ પ્રયોગ સારી અસર કરે છે.

વાંદરાને ગોળ અને શેકેલા ચણા ખવરાવવા.

પૂર્વ દિશામાં સૂર્ય યંત્રની સ્થાપના વિધિપૂર્વક કરવી.

અગ્નિ ખૂણો

જો અગ્નિ ખૂણો પૂર્વ દિશામાં વધેલો હોય તો તેને કાપીને વર્ગાકાર અથવા આયતાકાર બનાવવો.

શુદ્ધ રેતી અને માટીથી અગ્નિ ક્ષેત્રને સઘળા ખાડાઓ એવી રીતે ભરાવી દેવા કે આ કોઈ ઈશાન અને વાયવ્યથી ઊંચું પરંતુ નૈઋર્ત્ય ખૂણાથી નીચું રહે.

જો અગ્નિ ખૂણો કોઈ પણ સહારે કપાયેલો હોય અથવા પૂરતી રીતે ખુલ્લો ન હોય તો આ ખૂણામાં લાલ રંગનો એક દીપક અથવા બલ્બ અગ્નિ દેવતાના સન્માનરૃપે કાર્ય કરતી વખતે ઓછામાં ઓછા ત્રણ કલાક સુધી પ્રગટેલો રાખવો.

જો અગ્નિ ખૂણો કપાયેલો હોય તો આ ખૂણામાં અગ્નિદેવની એક તસવીર, મૂર્તિ કે સંકેત ચિહ્ન મૂકવું. ગણેશજીની તસવીર કે મૂર્તિ રાખવાથી પણ ઉંમર દર્શાવેલ દોષ દૂર થઈ જાય છે. અગ્નિદેવની સ્તુતિમાં ઋગ્વેદના ઉલ્લેખાયેલા પવિત્ર મંત્રોનું ઉચ્ચારણ કરવું.

અગ્નિ ખૂણામાં દોષ હોય તો ત્યાં ભોજનમાં ઉપયોગમાં લેવાતાં ફળ, શાકભાજીઓ જેવી કે સૂર્યમુખી, પાલક, તુલસી, ગાજર વગેરે અને આદું-મરચાં, મેથી, હળદર, ફુદીનો વગેરેનાં પાન ઉગાડવાં અથવા મનીપ્લાન્ટ લગાવવો.

અગ્નિ ખૂણામાંથી આવતા સૂર્યનાં કિરણોને રોકનારાં સઘળાં વૃક્ષો દૂર કરી દેવાં. આ દિશામાં ઊંચાં વૃક્ષો ઉછેરવાં કે રોપવાં નહીં.

અગ્નિ ખૂણાનો સ્વામી ગ્રહ શુક્ર દામ્પત્ય સંબંધોનો કારક છે તેથી આ દિશાના દોષોને દૂર કરવાને માટે જીવનસાથી તરફ પ્રેમ અને આદરનો ભાવ રાખવો.

ઘરની મહિલાઓને નવાં રેશમી પરિધાન, સૌંદર્ય પ્રસાધન, સામગ્રી, સજાવટનો સામાન અને ઘરેણાં વગેરે આપીને હંમેશાં ખુશ રાખવી. આ સર્વોત્તમ ઉપાય છે.

દરેક શુક્રવારે ગાયને ઘઉંનો લોટ, ખાંડ અને દહીંથી બનેલ પેંડા ખવરાવવા. દરરોજ રસોઈમાં બનતી પહેલી રોટલી ગાયને ખવરાવવી. દોષમુક્ત અગ્નિ ખૂણામાં ગાય-વાછરડાની સફેદ સંગે-મરમરમાંથી બનેલી મૂર્તિ અથવા તસવીર એટલી ઊંચાઈ પર લગાવવી કે તે સરળતાથી જોવા મળે.

અગ્નિ ખૂણામાં શુક્ર ગ્રહ યંત્ર વિધિપૂર્વક સ્થાપવું.

દક્ષિણ દિશા

જો દક્ષિણી ક્ષેત્ર વધેલું હોય તો તેને કાપીને બાકીના ક્ષેત્રને વર્ગાકાર કે આયતાકાર બનાવવું. કપાયેલા ભાગનો જુદા-જુદા પ્રકારે ઉપયોગ કરી શકાય છે.

જો દક્ષિણમાં ભવનની ઊંચાઈ બરાબર કે તેનાથી વધુ ખુલ્લું ક્ષેત્ર હોય તો તેમાં વૃક્ષ કે સઘન ઝાડીઓ ઉઘાડવી.

યમરાજ અથવા મંગળ ગ્રહના મંત્રોનો નિત્ય પાઠ કરવો.

આ દિશાના સ્વામી મંગળને પ્રસન્ન કરવાને માટે ઘરની બહાર લાલ રંગનો ઉપયોગ કરવો. દક્ષિણ દિશાનો દોષ અગ્નિ ખૂણાના સાવધાનીપૂર્વકના ઉપયોગ અને અગ્નિ તત્ત્વપ્રધાન લોકો તરફ યોગ્ય આદરભાવથી દૂર કરી શકાય છે.

આ ક્ષેત્રની દક્ષિણી દીવાલ પર હનુમાનજીનું લાલ રંગનું ચિત્ર લગાવવું.

દક્ષિણ દિશામાં વિધિપૂર્વક મંગળના યંત્રની સ્થાપના કરવી.

નૈઋર્ત્ય ખૂણો

નૈઋર્ત્ય ખૂણો વધેલો હોય તો અસહ્ય પરેશાનીઓ પેદા થાય છે. જો આ ક્ષેત્ર કોઈ પણ પ્રકારે વધેલું હોય તો તેને વર્ગાકાર અથવા આયતાકાર બનાવરાવવું.

રોક ગાર્ડન બનાવવા અને ભારે મૂર્તિઓ મૂકવા માટે આ ખૂણો સર્વોત્તમ છે. જો આ ક્ષેત્ર નૈર્સિગક રૃપે ઊંચો કે આડોઅવળો હોય કે આ ખૂણામાં ઊંચા ભવન અથવા પર્વત હોય તો તેને ઊંચે ઊઠેલી જીયાને જેમની તેમ છોડી દેવી.

જો આ ખૂણામાં ભવનની ઊંચાઈ બરાબર અથવા વધુ ખુલ્લું ક્ષેત્ર હોય તો આ જગ્યા એ ઊંચાં વૃક્ષો અને સઘન ઝાડીઓ ઉછેરવી. આ ઉપરાંત ઘરની અંદર કોકેટના કુંડામાં ભારે છોડ અને વૃક્ષો ઉછેરવાં.

આ દિશામાં ભૂતળ પર અથવા ઊંચાઈ પર પાણીનો ફુવારો બનાવરાવો.

રાહુના મંત્રનો જપ જાતે કરવો અથવા કોઈ જાણકાર બ્રાહ્મણ પાસે કરાવવો.

શ્રાદ્ધકર્મનું વિધિપૂર્વક સંપાદન કરી પોતાના પૂર્વજોના આત્માઓને સંતુષ્ટ કરવા આ ક્ષેત્રની દક્ષિણી દીવાલ પર મૃત સદસ્યોની એક તસવીર લગાવવી જેનાથી પુષ્પદય ટાંગેલ હોય.

મિથ્યાચારી, અનૈતિક, ક્રોધી અથવા સમાજ વિરોધી લોકો સાથે મિત્રતા કરવી નહીં. વાણી પર કાબૂ રાખવો.

તાંબા, ચાંદી, સોના અથવા સ્ટીલમાંથી બનાવેલ સિક્કા અથવા નાગ-નાગણનાં જોડાંને પ્રાર્થના કરી તેને નૈઋર્ત્ય ખૂણાની જમીનમાં દાટી દેવાં.

નૈઋર્ત્ય ખૂણામાં રાહુના યંત્રની વિધિપૂર્વક સ્થાપના કરવી.

પશ્ચિમ દિશા

જો પશ્ચિમ દિશા વધેલી હોય તો તેને કાપકૂપ કરી વર્ગાકાર અથવા આયતાકાર બનાવવી.

જો આ દિશામાં ભવનની ઊંચાઈ બરાબર અથવા વધુ અંતર સુધીનું ક્ષેત્ર ખુલ્લું હોય તો ત્યાં ઊંચાં વૃક્ષો અને સઘન ઝાડીઓ ઉછેરવી. આ ઉપરાંત આ દિશામાં ઘરની પાસે ભવિષ્યમાં લગાવવાની સજાવટી, વૃક્ષ-છોડ જેવો કે ઈન્ડોર, યામ, રબડ પ્લાન્ટ કે અમ્બ્રેલા ટ્રી કોકેટના ભારે મજબૂત કુંડા લગાવી શકાય છે.

જમીન પર વહેતાં પાણીનો સ્ટોલ અથવા પાણીનો ફુવારો લગાવી શકાય છે.

પદ્મપુરાણમાં ઉલ્લેખિત જીલ શનિસ્તોત્ર કે શનિના કોઈ પણ મંત્રનો જપ અને હિરાધિપતિ વલણની પ્રાર્થના કરવી.

સૂર્યાસ્ત સમયે પ્રાર્થના ઉપરાંત કોઈ પણ અન્ય શુભકાર્ય કરવું નહીં.

* પશ્ચિમ દિશામાં શનિના યંત્રની વિધિપૂર્વક સ્થાપના કરવી જોઈએ.

વાયવ્ય ખૂણો

જો વાયવ્ય ખૂણો વધેલો હોય તો તેને વર્ગાકાર અથવા આયતાકાર બનાવવો અથવા ઈશાન ખૂણાને વધારવો.

જો આ ભાગ ઘટેલો હોય તો ત્યાં મારુતિ દેવની એક તસવીર, મૂર્તિ કે સંકેત ચિહ્ન લગાવવું. હનુમાનજીની તસવીર કે મૂર્તિ પણ લગાવી શકાય છે. આ સિવાય પૂર્ણિમાના ચન્દ્રની એક તસવીર કે ચિત્ર પણ દોષોથી રક્ષણ કરે છે.

વાયુતત્ત્વ અથવા ચન્દ્રના મંત્રનો જપ તથા હનુમાન ચાલીસાનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવો.

પૂર્ણિમાની રાતે ખાવાની સઘળી ચીજો પર પહેલાં ચન્દ્રનાં કિરણો પડવા દેવાં અને પછી જ તેનું સેવન કરવું.

ર્નિિમત ભવનની બહાર ખુલ્લું સ્થાન હોય તો ત્યાં એક વૃક્ષ ઉછેરવું. જેનાં વિશાળ ચમકતાં પાન વાયુમાં ઝોલાં ખાતાં હોય.

વાયવ્ય ખૂણામાં બનેલ ઓરડામાં તાજાં ફૂલોનો ગુલદસ્તો રાખવો.

આ ખૂણામાં એક નાનકડો ફુવારો કે માછલી ઘર સ્થાપવા.

પોતાની માતાનો આદર કરવો, સવારે ઊઠીને તેમના ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ મેળવવા અને શુભ-પ્રસંગો પર તેમને ખીર ખવરાવવી.

દરરોજ સવારે ખાસ કરીને સોમવારે ગંગાજળમાં કાચું દૂધ ભેળવીને શિવલિંગ પર ચઢાવવું અને શિવ ચાલીસાનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવો.

વાયવ્ય ખૂણામાં પ્રાણ-પ્રતિષ્ટિત મારુતિ યંત્ર અને ચંદ્ર યંત્રની સ્થાપના કરવી.

ઉત્તર દિશા

જો ઉત્તર દિશાનો ભાગ કપાયેલો હોય તો ઉત્તરી દીવાલ પર એક મોટા કદનું દર્પણ લગાવી દેવું.

જો ઉત્તરનો ભાગ વધેલો હોય તો આ દિશામાં દેવી લક્ષ્મી અથવા ચન્દ્રનો ફોટો કે કોઈ સંકેત ચિહ્ન લગાવવું. લક્ષ્મી દેવીના ચિત્રમાં કમલાસન પર બિરાજમાન હોય અને સુવર્ણની મુદ્રાઓ પડી રહી હોય એવા પ્રકારનું ચિત્ર પસંદ કરવું.

વિદ્યાર્થીઓ અને સંન્યાસીઓને તેમને જરૃરી અધ્યયન સામગ્રીનું દાન કરી સહાયતા કરવી. ઉત્તર દિશાનો સ્વામી બુધ છે તેથી જ અધ્યયન સામગ્રીનો વિચાર કરાવે છે.

આ દિશામાં હલકા, હરિયાળા રંગનું, પેઈન્ટિંગ કામ કરાવવું.

ઉત્તર ક્ષેત્રની ઉત્તરી દીવાલ પર પોપટનાં ચિત્રો લગાવવાં. આ ચિત્રો અભ્યાસમાં નબળાં વિદ્યાર્થીઓને માટે જાદુઈ કામ કરે છે.

આ દિશામાં બુધ યંત્રની વિધિપૂર્વક સ્થાપના કરવી. આ ઉપરાંત કુબેર યંત્ર અથવા લક્ષ્મી યંત્રની પણ પ્રાણ-પ્રતિષ્ઠા યોજી શકાય છે.

ઉપરના સઘળા ઉપાયો યોજી જીવનને સુખમય બનાવી વાસ્તુદોષોમાંથી દિશાવાર મુક્તિ મેળવી શકાય છે.

વાસ્તુદોષને દૂર કરનારાં ફેંગશૂઈ ઉપકરણો



પાકુઆ : મુખ્ય દ્વારની સામે કોઈ પણ પ્રકારના દ્વાર પર વેધ યા અશુભ પ્રભાવ પડતો હોય તો તેને દ્વારની ઉપર બહારની બાજુએ લગાવવામાં આવે છે. જેનાથી નકારાત્મક ઊર્જા અંદર પ્રવેશતી નથી.

ક્રિસ્ટલ બોલ : ક્રિસ્ટલ ઊર્જાવર્ધક હોય છે. પૂર્વ દિશામાં લગાવવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. ઉત્તર-પશ્ચિમ દિશામાં લગાવવાથી પરિવારમાં પરસ્પરનો પ્રેમ વધે છે. પશ્ચિમમાં લગાવવાથી સંતાન સુખ અને દક્ષિણ-પશ્ચિમમાં લગાવવાથી દામ્પત્યના સંબંધોમાં સુધારો થાય છે.

બાગુઆ : આ સાધનને શયનકક્ષના મુખ્ય દ્વાર પર બહારની બાજુએ લગાવવું જોઈએ. કાર્યાલયના દ્વાર પર પણ લગાવી શકાય છે. તેને લગાવવાથી નકારાત્મક ઊર્જા ભવન અને કક્ષમાં આવતી નથી.

વિન્ડ ચાઈમ : વિન્ડ ચાઈમ અર્થાત્ હવાથી જેનામાં ઝંકાર થાય એવી 'પવન ઘંટી' ઘર અને વ્યાપારના વાતાવરણને મધુર બનાવે છે. વાસ્તુ અને ફેંગશૂઈનાં પાંચ તત્ત્વોને દર્શાવનારી પાંચ રોડની વિન્ડ ચાઈમ શુભ માનવામાં આવે છે. બ્રહ્મસ્થાન પર લગાવવાથી સ્વાસ્થ્ય લાભ અને ઉત્તર- પશ્ચિમમાં લગાવવાથી જીવનમાં નવો સુઅવસર પ્રાપ્ત થાય છે.

લાફિંગ બુદ્ધા : હસતા બુદ્ધની ર્મૂિત ધન-દોલતના દેવતાઓમાંની એક માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સંપન્નતા, સફળતા અને સમૃદ્ધિ આવે છે. આ ર્મૂિત શયનકક્ષ તથા ભોજનકક્ષમાં રાખવી જોઈએ નહીં.

ત્રણ પગનો દેડકો : મોંઢામાં સિક્કા લીધેલ ત્રણ પગનો દેડકો પણ એવી રીતે લગાવવો જોઈએ કે જેનાથી તે ધન લઈને ઘરની અંદર આવી રહ્યો હોય. તેને રસોડામાં કે શૌચાલયમાં કદાપિ રાખવો જોઈએ નહીં.

ધાતુનો કાચબો : આ આયુષ્યને વધારનારો અને ધન-સમૃદ્ધિ આપનારો છે. તેને ભગવાન વિષ્ણુનો કચ્છપ અવતાર માનવામાં આવ્યો છે.

લવ બર્ડ્સ : પતિ-પત્નીના પરસ્પર સંબંધોને મધુર બનાવવા માટે તેને શયનકક્ષમાં લગાવવો જોઈએ.

મેનડેરિયન ડક : કુંવારા છોકરા કે છોકરીનાં લગ્નને માટે મેનડેરિયમ ડકનું જોડું તે છોકરા કે છોકરીના ઓરડામાં દક્ષિણ-પશ્ચિમ ભાગમાં લગાવવું જોઈએ. આનાથી છોકરા-છોકરીનું લગ્ન જલદી થાય છે.

એજયુકેશન ટાવર : વિદ્યાર્થીઓને નજર સમક્ષ રાખીને ભણવાથી અભ્યાસમાં ધ્યાન એકચિત્ત થાય છે. ઈચ્છાશક્તિ અને તર્કશક્તિમાં વૃદ્ધિ થાય છે. વધુ અભ્યાસ માટેની પ્રેરણા મળે છે.

બેવડો ખુશી સંકેત : આ ચિહ્નને ઘરના દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં લગાવવાથી ઘરમાં ખુશીઓની તકો વધે છે. વિવાહ યોગ્ય છોકરા-છોકરીઓનાં લગ્ન થઈ જાય છે.

મિસ્ટિક નોંટ સિમ્બલ : રહસ્યમય ગાંઠ અર્થાત્ જેના પ્રારંભનું કે અંતનું કોઇ ઠેકાણું નથી. આ ચિહ્નને ઘર અને ઓફિસની ઉત્તર દિશામાં લગાવવાથી ધન અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે.

એનીમલ સેટ : આને ડ્રોઈંગ રૃમની ચોફેરની દિશાઓમાં લગાવવામાં આવે છે. ડ્રેગન પૂર્વી દીવાલ પર, ટાઈગર પશ્ચિમી દીવાલ પર, ફિનિક્સ દક્ષિણી દીવાલ પર તથા કાચબો ઉત્તરની દીવાલ પર લગાવવામાં આવે છે. આને લગાવવાથી વ્યક્તિની બહુમુખી ઉન્નતિ થાય છે.

ભાગ્યશાળી સિક્કા : ત્રણ ભાગ્યશાળી ચીની સિક્કાઓ ઘરના મુખ્ય દ્વારની અંદરના હેન્ડલ પર બાંધવામાં આવે છે. આને લગાવવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. પરિવારના સઘળા સભ્યો લાભાન્વિત થાય છે. તેને પાકીટમાં રાખવાથી ખિસ્સામાં ધનની વૃદ્ધિ થાય છે.

રત્નોનો છોડ : ઘરમાં સુખ, શાંતિ અને ધન વધારવા માટે તેને ઘરમાં લગાવવું જોઈએ. લીલા રંગનું વૃક્ષ ઉત્તર દિશામાં તથા મિશ્રિત રંગનું વૃક્ષ દક્ષિણ - પશ્ચિમ દિશામાં લગાવવું જોઈએ.

વાંસળી : બીમના પ્રભાવને ઓછો કરવા માટે વાંસળી પર લાલ રિબિન લપેટીને બીમ પર એવી રીતે લટકાવવી જોઈએ કે વાંસળીનું મોં નીચે તરફ રહે અને પરસ્પર ત્રિકોણ બનાવે.

સોનેરી માછલી : સોનેરી માછલી ધન- સમૃદ્ધિની વૃદ્ધિ કરે છે. તેને ઘરની ઉત્તર દિશામાં પૂર્વ તરફ મોં રાખીને લગાવવી જોઈએ.

ડ્રેગનના મોં વાળી બોટ : સંયુક્ત પરિવારને સુગ્રથિત રાખવા માટે તેને ઘરના દક્ષિણી - પશ્ચિમી ખૂણામાં રાખવી જોઈએ.

ક્રિસ્ટલ ગ્લોબ : ક્રિસ્ટલ ગ્લોબને ઘર કે વેપારના સ્થળ પર એવી રીતે રાખવું જોઈએ કે તે આપણી સામે રહે અને દિવસ દરમિયાન તેને ઓછામાં ઓછું ત્રણ વખત ફેરફુદરડી કરાવવી જોઈએ. તે કેરિયર, વ્યાપારની સફળતામાં સહાયકરૃપ સિદ્ધ થાય છે.

ગ્નડ-ફાનસ-'ચી' : ઘરમાં દક્ષિણ - પશ્ચિમ દિશા પૃથ્વી તત્ત્વથી સંબંધ ધરાવે છે. તે વિવાહ અને પરસ્પરના સંબંધો સાથે સંલગ્ન છે. દરરોજ સાંજે બે કલાક પ્રજ્વલિત કરીને રાખવાથી પરિવારના સભ્યોમાં મેળ-મેળાપ-સંપની ભાવના બળવત્તર થશે તથા અપરિણીત વ્યક્તિઓનાં લગ્ન થવાની શક્યતાઓ વધી જાય છે.

પવન ઘંટડી : આ મુખ્ય દરવાજાની પાસે લટકાવવામાં આવે છે. બેઠક તેમજ કાર્યાલયમાં લગાવવાથી તે સમૃદ્ધિ પ્રદાન કરે છે. તેનો પવિત્ર ધ્વનિ નકારાત્મક ઊર્જાને ઓછી કરીને સકારાત્મક ઊર્જાને વધારે છે. મંત્રોના ધ્વનિ અને પવિત્ર ધૂનથી વાસ્તુદોષ નષ્ટ થઈને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પવન ઘંટડી દરેક ક્ષેત્રમાં લટકાવી શકાતી નથી. તેને લટકાવવાનું સ્થાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.

ફિનિક્સ : ફેંગશૂઈ અનુસાર તે ઈચ્છા  પૂરી કરનાર ભાગ્યનું એક પ્રતીક છે. ભાગ્યને ક્રિયાશીલ કરવા માટે ફિનિક્સનો પ્રતીકના રૃપમાં તેના ચિત્ર યા પેઈન્ટિંગ દક્ષિણ ખૂણામાં લગાવવા જોઈએ.

ફૂક, લુક અને સાઉ : આ ક્રમશઃ સમૃદ્ધિ, ઉચ્ચ શ્રેણી અને દીર્ઘાયુના દેવતા છે. તેમની ઉપસ્થિતિ કેવળ પ્રતીકાત્મક હોય છે. તેમની પૂજા કરવામાં આવતી નથી. ઘરમાં તેમની ઉપસ્થિતિ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. ફૂક સમૃદ્ધિના દેવતા છે. તે બંને દેવતાઓમાં કદમાં ઊંચા છે. મોટે ભાગે તેમને વચમાં મૂકવામાં આવે છે. ફૂક, લુક, સાઉ આ ત્રણેય મળીને ખૂબ જ મહત્ત્વપૂર્ણ સૌભાગ્યનું પ્રતિનિધિત્વ કરે છે. તેમની ઉપસ્થિતિ સમૃદ્ધિ, પ્રભુત્વ, સન્માન, દીર્ઘાયુ અને સ્વાસ્થ્યને સુનિશ્ચિત  કરે છે.

ડ્રેગન : ડ્રેગન ઉત્તમ 'યાંગ' ઊર્જાનું પ્રતીક છે. તેનો સંબંધ પૂર્વ દિશા સાથે જોડાયેલો છે. આ દિશાનું તત્ત્વ કાષ્ઠ છે માટે લાકડાનો નકશીવાળો ડ્રેગન સારો રહે છે. માટી અને સ્ફટિકમાંથી બનાવેલો ડ્રેગન પણ રાખી શકીએ છીએ. પરંતુ ધાતુનો કદાપિ રાખવો જોઈએ નહીં કેમ કે પૂર્વ દિશામાં ધાતુ કાષ્ઠને નષ્ટ કરી દે છે. ડ્રેગન યાંગ ઊર્જાનું પ્રતીક હોવાના કારણે રેસ્ટોરન્ટ, દુકાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ કે જ્યાં ઊર્જાની વધુ જરૃરિયાત હોય છે, વળી લોકોની આવન-જાવન જ્યાં વધુ હોય છે ત્યાં પણ પૂર્વ દિશામાં ચિત્ર રાખવું ખૂબ જ સારંુ રહે છે. તેને શયનકક્ષામાં લગાવવો જોઈએ નહીં  કેમ કે ત્યાં યાંગ ઊર્જાની જરૃરિયાત હોતી નથી.



વ્યાપાર માં વૃદ્ધિ માટે ના ઉપાય




1. શનિવારે પીપળાના વૃક્ષનું એક પાન તોડી લાવી, તેની અગરબત્તી-ધૂપ કરી તે પાનને આપની દુકાનની ગાદી કે જ્યાં આપ બેસો છો તેની નીચે રાખવું. સાત શનિવાર સુધી સતત આમ કરતા રહો. જ્યારે ગાદી નીચે સાત પાન ભેગા થઇ જાય ત્યારે તે તમામને એક સાથે કોઇ તળાવમાં કે કૂવામાં પધરાવી દો. આનાથી આપનો વ્યવસાય પૂરપાટ દોડશે.


2. કોઇ એવી દુકાન જે ખૂબ નફો કરતી હોય ત્યાંથી શનિવારના દિવસે લોખંડની ખીલી કે નટ ખરીદીને કે માંગીને લઇ આવો. કાળા અડદના 10થી15 દાણા સાથે તેને એક શીશીમાં રાખો. ધૂપ-દીપથી પૂજા કરી ગ્રાહકોની નજરથી દૂર દુકાનમાં રાખો. આપનો વ્યવસાય સારો ચાલશે.


3. શનિવારે સાત લીલા મરચા અને સાત લીંબૂની માળા બનાવીને દુકાનમાં એવી રીતે લગાવો કે આવતા-જતાં દરેક ગ્રાહકની નજર તેની ઉપર પડે.